વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

મિત્રો, આપ સર્વે વાચકો, વિવેચકો, અને બ્લોગ જગતના તમામ મિત્રોના સહકાર અને શુભકામનાઓ સાથે આજે અધ્યારૂ નું જગત ત્રીસ હજાર ક્લિક્સ પાર કરી ગયું છે. આશા છે આપ સર્વે આમ જ પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરો પાડતા રહેશો. ગુજરાતી બ્લોગ જગત અથવા ગુજરાતી સાહિત્ય જગતને જે સમૃધ્ધિની જરૂર છે તે અપાવવા અધ્યારૂ નું જગત અને હું જીગ્નેશ અધ્યારૂ સદા કટીબધ્ધ છીએ….આશા છે આપ અહીં આનંદ મેળવી રહ્યા હશો…૧૮ જુલાઈ થી ૧૦ સપ્ટેમ્બર આમ ફક્ત બે જ મહીનાથીય ઓછા સમયગાળામાં દસ હજાર ક્લિક્સ મળી છે જે આપ સર્વેના અપાર પ્રેમ અને સહકારનું જ પ્રમાણ સૂચવે છે. આ પહેલા આમ જ બે મહીનામાં દસ હજાર ક્લિક્સ મંળી હતી, આપ સૌની સાથે ગુજરાતી જગતના એક અંગ બની રહ્યા હોવાની આ લાગણી જ સાચો આનંદ અને સંતોષ છે. ધન્યવાદ

અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ


6
ॐ श्रीपरमात्मने नमः '''अथ पञ्चदशोऽध्यायः''' श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥ શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે) અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા છે)  એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને જાણવા વાળો છે. अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥ આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત છે. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ठा । अश्वत्थमेनं सुविरूढमूल- मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥१५- ३॥ આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે. ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥ તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું […]

श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ


4
સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ : એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ. ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ. આથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ. ભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.  – મોહનદાસ ક. ગાંધી

સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી



8
(બળવંતરાય ક. ઠાકોરનો એક અંગ્રેજી પત્ર ગાંધીજીને મળેલો, તેના જવાબમાં ગાંધીજીએ તારીખ ૨૪-૦૭-૧૯૧૮ એ લખ્યું) જ્યારે આપણી પાર્લામેન્ટ થશે ત્યારે ફોજદારી કાયદામાં એક કલમ દાખલ કરવાની હિલચાલ કરવી પડશે એમ હું જોઉં છું. બંને હિંદુસ્તાની એક જ ભાષા જાણતા હોવા છતાં એક માણસ બીજાને અંગ્રેજીમાં લખે, અથવા બીજા સાથે તે ભાષામાં બોલે તેને ઓછામાં ઓછી છ માસની સખત મજૂરી સાથે સજા કરવામાં આવે. આવી કલમ વિશે તમારો અભિપ્રાય જણાવશોજી. અને સ્વરાજ મળ્યું નથી તે દરમિયાન જે ગુનો કરે તેને સારૂ શો ઈલાજ લેવો ઘટે તે પણ જણાવશો. મો. ક. ગાંધી

માતૃભાષા નું મહત્વ – ગાંધીજી


6
રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે…. ઓધવજી  – મીરાંબાઈ

રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ)


16
જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું. પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી. – સ્વામી વિવેકાનંદ

જ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું – સ્વામી વિવેકાનંદ



6
સૂકી આંખો, છૂપા મર્મને, કળવા મથી રહ્યો છું, શું તે મુજને પ્રેમ કરે? ખુદને પૂછી રહ્યો છું. શ્વાસે શ્વાસે, આજ અંતરે, તુજને ભરી રહ્યો છું, વધી રહ્યો છું તારામાં ને, ખુદમાં ઘટી રહ્યો છું. તને પામવા, સ્વ ભૂલીને આગળ વધી રહ્યો છું, સપ્તપદીના સાતે વચનો, મનમાં રટી રહ્યો છું. તારી આંખે આ જીવનના, સ્વપ્ન સેવી રહ્યો છું મારા થાઓ ફક્ત આટલી વાત હું કહી રહ્યો છું. – – જીગ્નેશ અધ્યારૂ (લખ્યા તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૦૮)

કહી રહ્યો છું – જીગ્નેશ અધ્યારૂ


18
હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી, “પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી. મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?” અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી. તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું “પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે? ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા. “હા આને હાથ કહેવાય……” થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”, મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”, તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?” “હા દીકરા” મેં કહ્યું. જમતી વખતે “પપ્પા આ શું છે?” “બેટા આ રોટલી કહેવાય” “રોતલી?” “હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો. એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?” તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે […]

પાપા, આ ચું ચે? – જીગ્નેશ અધ્યારૂ


ક્યારેક શનિવારની મોડી રાત્રે કે રવિવારે સવારે મિસિ મને ઉઠાડતી. તે ઉપરના માળ પરથી બૂમો પાડતી  “તને સંભળાતુ નથી? જલ્દી કેમ ઉભો થતો નથી?” હું માંડ માંડ સુતો હોઉં….ફક્ત જ્યારે હવા ની દિશા તમારી તરફ હોય તો તમે દૂરના ગામડાઓ પર થયેલા હુમલાના લીધે વાગતા સાયરન સાંભળી શકો., પણ આ સિવાય, ઘણા સમયથી અમે આવા સાયરન વાગે તો ય પથારીમાં પડ્યા રહેવા ટેવાઈ ગયા હતા, અને ત્યાં સુધી ઉભા ન થતા જ્યાં સુધી એન્ટી એરક્રાફ્ટ ફાયર સૂચવે કે ખરેખર આપણા પર હુમલો થયો છે. આ આદતે હજારોનો ભોગ લીધો હશે… હું આવો ચીડાયેલો જવાબ જ આપવાનો હતો અને પડખું ફરવા જ જતો હતો કે જ્યારે મેં આવો અવાજ સાંભળ્યો, હું પથારી માં થી ઉભો થઈ ગયો, કહો કે કૂદી પડ્યો અને ખુલ્લા પગે દોડ્યો. જો કે આ સંજોગોમાં ફસાયેલા બધાને ખબર હતી કે ન ઉપર, ન નીચે, આનાથી બચવાનો કોઈ રસ્તો નથી….હું તેનો તાગ લેવા મથી રહ્યો. ઉતર પશ્વિમમાં એલ્બ ગામની બંને તરફના પહાડો શાંત ઉભા હતા, આકાશમાં પાતળી પ્રકાશ રેખા એક ગયેલા દિવસની ઝાંખી કરાવતી હતી, પહાડો પણ જાણે કે શ્વાસ રોકીને ઉભા હતા. બહુ દૂર નહીં એવી એક સર્ચલાઈટ હવામાં પ્રકાશના શેરડા રેલાવી રહી હતી, હુકમો છૂટ્યા અને સર્ચલાઈટ પૃથ્વી છોડીને આકાશમાં ભમવા લાગી, ક્યારેક તેના પ્રકાશનો શેરડો આવી જ કોઈક બીજા પ્રકાશને મળતો અને આકાશમાં સરસ ભૌમિતિક આકૃતિઓ રચાતી, અને વિખેરાઈ જતી. જાણે કે સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તેમનો પ્રકાશ ગળી જતો હોય તેમ તે સાવ અન્યમનસ્ક પણે ફર્યા કરતી, અજાણ્યા અંધારા ને ઉલેચતી એક સર્ચલાઈટ. વાતાવરણ એવું ભારે થઈ ગયું કે આવામાં જાણે કે કોઈ શ્વાસ […]

અંત નો આરંભ – હેમ્બર્ગ ૧૯૪૩



10
તમારી જ વાત કર્યા કરો તમારો જ વિચાર કર્યા કરો ‘કદર’ ‘કદર’ ઝંખ્યા કરો કોઈ તમારી ઉપેક્ષા કરે તો બળ્યા કરો કોઈનો ય વિશ્વાસ ન કરો તમારી ફરજમાં થી છટકતા રહો ‘હું’ શબ્દનો મહત્તમ ઉપયોગ કરો બીજા માટે બને એટલું ઓછું કરો તમારી મહેરબાની બદલ કોઈ આભાર ન માને તો સમસ્યા કરો દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યા કરો (આના પરથી સુખી થવાના રસ્તા શોધવાની છૂટ છે)  – ચંદ્રકાંત કાજી

દુખી થવું છે?….આ રહ્યા રસ્તા – ચંદ્રકાંત કાજી


ભીના ભરપૂર કાંટાળા, લીલેરા જે હતા મિત્રો; હવે ખડકો અને રણ રણ, ગયા બદલાઈ સૌ મિત્રો. અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી; લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો. કદી ડુંગર નથી માંગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ; મૂઠી બે હાસ્ય, ખોબો જળ, છતાં ટટળાવતા મિત્રો. અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી; પડી છે એ જ આંખોમાં, સમજતા કેમ ના મિત્રો. – સારસ્વત

જે હતા મિત્રો – સારસ્વત


6
થયું કે ઘણાં બધાં દિવસથી પચાવવામાં ભારે એવો ખોરાક લીધા – આપ્યા કરું છું તો આજે થોડો મુખવાસ …. હે પ્રભુ ! હું જે ઈચ્છું તે નહીં, પણ જે યોગ્ય હોય તે જ થજો…  *** જે ઉંડો સ્નેહ કરી જાણે છે તે માનવી કદી વૃધ્ધ થતા નથી  *** ચમત્કારો ક્યારેક થાય છે ખરા પણ તેના માટે માણસે આકરી મહેનત કરવી પડે છે.  *** કેળવણી એ સરકારનું કોઈ ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે  *** ક્રાંતિ એ કોઈ મહેફિલ નથી, એ કોઈ કલાકૃતિ નથી. ક્રાંતિને હળવા હાથે, મુલાયમપણે, કાળજીપૂર્વક, સન્માનપૂર્વક, ગણતરીપૂર્વક અમલમાં મૂકી શકાતી નથી – માઓ ત્સે તુંગ  *** બાળક એ કોઈ વાસણ નથી કે એને ભરી દઈએ એ એક જ્યોત છે જેને પેટાવવાની છે *** સ્મરણ લીલું કપૂરી પાન જેવું, હવામાં ચોતરફ લોબાન જેવું. – અદમ ટંકારવી *** મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો… – સુરેશ દલાલ *** માટી તને મૃદુ ફૂલ બનીને મહેકવાનું સૂઝ્યું ક્યાંથી? *** તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી… – સુન્દરમ *** તારૂં કશું ન હોય તો છોડીને આવ તું તારૂં જ બધું હોય તો છોડી બતાવ તું…. – મિસ્કિન *** સ્વપ્નભ્રંશ એનો જ થાય છે જે સ્વપ્ન સેવે છે… *** આ તો બીજ માં થી ફૂટે છે ડાળ, કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ. *** બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો અને બધો આધાર તમારા પર હોય તેમ કામ કરો…. *** અને છેલ્લે રવિન્દ્રનાથ ઠાકુર ની એક રત્ન કણિકા… Every Child comes with the message that God is not yet discouraged of man…

મુખવાસ – સંકલીત



31
આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼  *** એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે  *** એણે આપી તો ક્ષમા એ રીતે કંઈ જ સૂઝી નહીં સજા જાણે  *** એનાથી તો સરસ તારી અવહેલના હતી આ તારી આંખમાં જે ગલત આવકાર છે  *** એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !  *** એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં  *** કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી  *** કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !  *** કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે  *** ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને  *** ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.  *** જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.  *** જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.  *** જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ, બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.  *** ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ === મરીઝ   – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક __________________________________________ OTHER RELATED POST :  […]

મરીઝ ના બેહતરીન શેર


10
આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું… મેં મારી નોકરી છોડી, સંબંધો છોડ્યા જવાબદારી છોડી, આધ્યાત્મિકતા છોડી… કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો… હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા “પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને એક કારણ આપી શકો જીવન ન છોડવા માટે?” “આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા, “શું તને ઘાસ અને વાંસ દેખાય છે?” “હા” મેં કહ્યું, “મેં તે બંનેને જમીનમાં રોપ્યા તેમની ખૂબ કાળજી લીધી બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું યોગ્ય પાણી યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ ઘાસ તરત ઉગી ગયું અને જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું, તો ય મેં તેને ન છોડ્યું બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું, તોય મેં તેને ન છોડ્યું ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું તો પણ હજીય મેં તેને ન છોડ્યું ચોથા વર્ષે પણ એમ જ થયું અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું, ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ પણ ફક્ત છ મહીના પછી વાંસ સો ફીટ લાંબુ હતુ તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું મેં મારી કોઈ પણ રચનાને એવી અઘરી કસોટી નથી આપી જેમાંથી તે પાર ન ઉતરી શકે તને ખબર છે, તારા કપરા સમયમાં જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો? મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું… બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે […]

મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ…..


11
સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]

સાતમ આઠમ નો મેળો @ મહુવા



6
ભણાવવું એટલે શું? ભણાવવુ એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરૂં કામ આ છે ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું  – મનુભાઈ પંચોળી

ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી


તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)

તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર


વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી અને જેના રીલીઝ વખતે તેને ખરીદવા ખૂબ લાંબી કતારો લાગી હતી તે એપલ નો બહુચર્ચિત આઈફોન 3G વોડાફોન અને એરટેલ દ્વારા ભારતમાં આજે રીલીઝ થઈ રહ્યો છે. તેની કિંમત ૮ ગીગાબાઈટસ મેમરી સાથે ૩૧૦૦૦ અને ૧૬ ગીગાબાઈટ્સ મેમરી સાથે ૩૬૧૦૦ રાખવામાં આવી છે. ૧૦૦૦૦ રૂ ભરીને તેના માટે બુકીગ કરાવી શકાય છે તેમ વોડાફોન વેબસાઈટ કહે છે, જ્યારે એરટેલ સાથે બુકીંગ ભાવ ૫૦૦૦ રૂ છે. અમેરીકામાં મળતા નવ થી દસ હજારની સરખામણીએ અહીં ત્રીસહજાર રૂપીયા ખૂબ વધારે છે જે સૌથી નબળુ પાસુ છે. અને મારા મતે આ ખરાબ બાબત બીજા બધા સારા પાસાઓને ઢાંકી દેશે….આઈફોન નો ક્રેઝ તો મને પણ ખૂબ છે પણ તે માટે આટલા બધા ખર્ચવાની મને કોઈ ઈચ્છા નથી…

આઈ ફોન 3G હવે ભારતમાં



વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી. એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે. વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ […]

વડોદરા આજકાલ


ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ मामनुस्मरन यः प्रयाति त्यजन्‌ देहं स याति परमां गतिम्‌ ॥१॥ स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्‌ प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥२॥ सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्‌ । सर्वतःश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥३॥ कविं पुराणमनुशासितार- मणोरणीयांसमनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात्‌ ॥४॥ उर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्‌ । छन्दांसि यस्य पर्णान यस्तं वेद स वेदवित्‌ ॥५॥ सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वेरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्‌ ॥६॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥७॥

સપ્ત શ્લોકી ગીતા


મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો

મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ



4
નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિથી કોણ અજાણ્યું હશે? ભણે નરસૈયો જેનું દરશન કરતા…….તો ગુજરાતના ધરેઘરમાં પ્રખ્યાત છે. આજે પ્રસ્તુત છે એવી જ એક ભક્તિસભર પ્રાર્થના મારે આજની ઘડી રે રળિયામણી….વહાલા એવા શ્રી કૃષ્ણના આવ્યાની વધામણી આપતું આ ગીત તેમની કૃષ્ણ પ્રત્યેની લાગણી ખૂબ સરસ રીતે દર્શાવી જાય છે. હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા


પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]

બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં


23
રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]

સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ



7
આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]

જંગલ સફારી – ગીરના યાત્રાધામ


6
નાનકડી એક વાર્તા છે એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતુ ન હતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય, ત્યાં જઈ, ગાડી આવે ત્યારે પાટા નીચે પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘરેથી નીકળતા બીજો એક વિચાર કર્યો, કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હુંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ચાલ્યા જવું. ……. હવે એ વાતને ત્યાં રહેવા દઈએ, એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે; એ માણસ ઘરેથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ જ તમે તેને સામા મળ્યા હોત તો? બોલો એનું શું થાત? ત્યાંથી ઘરે પાછા જવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી ને જવાબ આપો …. ( સુમંત દેસાઈ – લોકજીવન પખવાડીક )      * * * * * * * * * * આવતી કાલે માણો અમારી વીકએન્ડની હનુમાનગાળા, સત્તાધાર, કનકાઈ, ગીર, તુલસીશ્યામ (૦૨ & ૦૩ ઓગસ્ટ, ૨૦૦૮) યાત્રાની ઝલક –  ફોટા, વીડીયો અને માહિતી.

તમે જ એને મળ્યા હોત તો? – સુમંત દેસાઈ


6
આવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે… બ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..

હેપ્પી ફ્રેન્ડશીપ ડે



અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ, અને દિલમાં મિત્રોની રોજની મુલાકાતો, ટોળ ટપ્પા અને મસ્તીની યાદો …. આ લાગણી તો જેણે અનુભવી હોય એ જ જાણે … અમારા અંતિમ વર્ષે ત્રણેય વર્ષોના જૂનીયર ફાઈનલ યરના મિત્રોને ફેરવેલ પાર્ટી આપે છે, એમ એસ યુનિ. માં આ પાર્ટીનું મહત્વ અદકેરૂં છે. અમારી ફેરવેલ વખતનું સોવેનીયર મારા હાથમાં આવ્યું. એક મિત્ર અને સહાધ્યાયિ જયકર મહેતાએ તેમાં આપેલી એક કવિતા ખૂબ ગમી હતી … આજે પ્રસ્તુત છે તે કવિતા … ભૂલી જવાશે આ સમય, સંગાથ ને સંભારણા, સ્વપ્ન પણ ઉડી જશે, ખુલતા નયનનાં બારણાં, સાથે રહ્યાં, સાથે ભણ્યા, ત્યાં સાથ છૂટી જાય છે. પારકા ને પોતાના ગણ્યા ત્યાં સાથ તૂટી જાય છે. ભીની યાદો, સૂકી યાદો ને વાગોળવી ક્યાં સુધી, આજે દિલ તણી મંજૂષામાં કેદી બની પૂરાય છે. ભણતરની પાંખો વડે પંખી ઉડી સૌ જાય છે. સુખની ક્ષિતીજે પહોંચવા હામ ભીડી જાય છે. ચાલો, ઉડું છું હું ય આજે, એકાંત ભરખી જાય છે, આવજો, મિત્રો આવજો ના પડઘા હજી સંભળાય છે…

કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા


પતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ ! હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા ! પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે ! તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.  – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )   ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )   ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….

પતંગ નું કાવ્ય – બોટાદકર


5
આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો

એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ