વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

4
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, એ પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે.  ——> કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ […]

કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ


“ઝુકી રાખી ઢાંકી અરધા પરધા પાલવ થકી, પીવાડી રહી ઉછંગે અનર્ગળ અમૃત ઝરા, મને એ ચક્ષુમાં પ્રભુ, જગત તિર્થોનન મળ્યું  “ એમનું નામ શાંતુબા. અમે પણ એમને શાંતુબા જ કહેતા. મેલી સાડીમાં સહેજ વળી ગયેલો પાતળો દેહ, ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને સાથે એક પોટલુ, આ થયો શાંતુબા નો પ્રાથમિક પરીચય. અમને હંમેશા શાંતુબાની રાહ હોય જ. હતું એમ કે શાંતુબા શિયાળામાં ચણી બોર વેચવા આવતા અને ઉનાળામાં ટેટી-મતીરા લઇને આવતા. એમનો સાદ પડે અને આખી શેરીના છોકરાઓ ભેગા થઇ જતા. બધાને મન શાંતુબા એમના પોતાના બા કરતા પણ વધારે વહાલા હતાં. શાંતુબાનો ચહેરો એકદમ ભોળો, એમને એક વાર મળનારને એમના પ્રત્યે તરત જ આત્મિયતા બંધાઇ જતી. શાંતુબા બોર વેચવા આવતા એ કરતા વધારે એમ કહેવાય કે એ બોર વહેંચવા આવતા. લાલ મિઠા ચણી બોર જ્યારે અમને એમના હાથેથી મળતાં તો એવું લાગતું જાણે શાંતુબા નહીં પણ ખુદ શબરી અમને બોર આપતી હોય. મને યાદ છે મારા મમ્મી ઘણી વાર શાંતુબાને જમાડતા અને ક્યારેક લોટ કે એવું આપતા, શેરીમાં બીજા પણ ઘણા આવું કરતાં. હું ઘણી વાર બાળ સહજ જિજ્ઞાસાથી પુછતો કે ” મમ્મી,આપણે જેમ આપણા ઘરે જમીએ છીએ એમ શાંતુબાને એમના ઘરે જમવાનું નહી હોય!”. મારા મમ્મી હંમેશા વાતને હસીને ટાળી દેતા. પણ મારું નાનકડું મન હંમેશા એ વિચારતું કે શાંતુબા એ ગરમીમાં બપોરે કેમ બોર વેચવા આવતા? મારા બા ને હું જોતો તો એ આરામ કરતા હોય અને શાંતુબા આમ ફરતા હોય. હું એ વિરોધાભાસ સમજી શક્તો નહોતો.બાળસહજ નાદાનીથી હું ઘણી વાર પુછી બેસતો કે ” મમ્મી, શાંતુબાને આપણા ઘરે જ રાખી લઇએ તો?” મમ્મી કેહતા કે એવું ના […]

શાંતુ બા – વિકાસ બેલાણી


વાચક, તમારું નવું તંત્રીમંડળ પોતાની વિશિષ્ટ સિધ્ધિઓ કે સાધનાઓની પિછાન કરાવવા માંગતું નથી. લોકસેવા એણે કરી નથી. ઊંડા જીવનપ્રશ્નો એણે વલોવ્યા નથી. પ્રજાજીવનની એકેએક દિશાઓમાં ઘૂમી વળવાના એને ઘમંડ નથી. ક્રાંતિની જ્યોતને એણે ઉપાસી નથી. આજ ને આજ, અત્યારે ને અત્યારે, અમારા શબ્દોના હથોડાને આઘાતે સમાજનું પરિવર્તન આવી જવું જોઈએ, ને ન આવે તો સમાજ નાલાયક છે. એવી વિચારસરણી સેવનારા મહાન પુનર્વિધાયકો આંહી નથી આવ્યા. ફૂટી ચૂકેલી આતશબાજીના ઉકરડા વાળવાનું કામ લઈને આવે છે માટીના માનવો. એમની પણ ખામીઓ છે ને ખૂબીઓ છે. ‘ફૂલછાબ’ ની વિશિષ્ટ ફરજ છે કાઠીયાવાડના લોકપ્રશ્નોને અવલોકી આગળ કરવાની. કાઠીયાવાડના સંસ્કારજીવનમાં રંગ પૂરવાનો. નવું તંત્રીમંડળ એ કરવાનો ઉદ્યમ સેવશે. એક કે બે વ્યક્તિઓની મહિમાનો પડછાયો બનવાની કોઈ પણ છાપાંને જરૂર નથી. છાપાંને વ્યક્તિત્વ હોય છે, વિચારોનું, સંસ્કારોનું, નિષ્ઠાનું, એ વ્યક્તિત્વને હયાતિ પુરવાર કરવા નોખાં ફાંફા મારવાનાં ન હોય. છાપાંનું સાહિત્ય એ વ્યક્તિત્વનું રૂપ હોય છે એટલેજ વાચક ફૂલછાબના શબ્દદેહમાં જો તને તારું મનમાન્યું વ્યક્તિત્વ ન જડે તો તે શોધવા તું તંત્રીમંડંળની એક કે વધું વ્યક્તિની વિભૂતિથી ન દોરવાતો. બીજું જોતા રહેજો નવા તંત્રીઓનું વલણ. સમાચારપત્ર ચલાવતા હોઈને સમાચાર બેશક પીરસશે પણ સૌ સારા સમાચાર આપવાના રહી જાય તેને ભોગે પણ એક ખોટા સમાચાર ન છાપી મારવાની નીતી એ સાચવશે. સત્યનો ભોગ દેનારી નાની મોટી સનસનાટીઓ ફેલાવવાથી, હાલતાં ને ચાલતાં માત્ર ગંદવાડો ખુલ્લો પાડવાથી લોકહિત સધાતું હોવાની વાત અમને માન્ય નથી. વારસામાં મળેલી અનેકવિધ વિટંબણાઓની વચ્ચેથી પોતાની નવી પિછાન આપનાર આ હાથ, વાચક, તારા હાથ જોડે મૈત્રીનો મિલાપ યાચે છે. ( ફૂલછાબ અઠવાડીકનો તંત્રીલેખ – ૧૯૩૬, અરધી સદીની વાંચનયાત્રા – ૨ માંથી સાભાર )

છાપાંને વ્યક્તિત્વ નિષ્ઠાનું – ઝવેરચંદ મેઘાણી



જૂના જમાનામાં કોઈ એક રાજ્યમાં એક ચોર હતો. તે ખૂબ ચતુર અને હોંશીયાર હતો. લોકો કહેતા કે તે કોઈની આંખોમાંથી આંજણ ચોરીને જતો રહે તોય ખબર ન પડવા દે. એકવાર તે ચોરે વિચાર્યું કે જો તે રાજધાનીમાં જઈને કોઈક મોટી ચોરી ન કરે તો રાજ્યના મોટા ચોરો વચ્ચે તેની ધાક નહીં જામે… આમ વિચારી તે રાજધાનીમાં પહોંચ્યો. આખાય નગરમાં આંટો માર્યા પછી તેણે રાજાને જ લૂંટવાનું નક્કી કર્યું. પણ મહેલની આસપાસ ખૂબ ચોકીપહેરો હતો. રાજાના મહેલ પર ખૂબ  મોટું ઘડીયાળ હતું. ચોરે થોડાક ખીલા ભેગા કર્યા અને એક અંધારા ખૂણાંમાં જતો લપાતો છુપાતો પહોંચ્યો. બાર વાગ્યાના ટકોરા પડ્યા કે ચોરે એક એક ટકોરા સાથે મહેલની દિવાલોમાં ખીલા ઠોકવા માંડ્યા, એક એક ટકોરા સાથે તેણે એક એક ખીલો ઠોક્યો અને બાર ખીલા નખાઈ રહ્યા ત્યાં તે ખીલાઓ પર ચડી મહેલમાં પહોંચી ગયો. તેણે ખજાનામાંથી ઘણા હીરા ચોરી લીધા. બીજે દિવસે જ્યારે રાજાને તેના મંત્રીઓએ આ ચોરીની ખબર આપી ત્યારે તે અચંભામાં પડી ગયો. આટલા ચોકી પહેરા છતાંય આવું કેમ થયું? રાજાએ સિપાહીઓની સંખ્યા બમણી કરી દીધી, થોડાક સૈનિકોને તેણે ખાસ આ ચોરને પકડવાનું કામ આપ્યું અને તેણે શહેરમાં ચોરને પકડાવનાર માટે ઈનામ જાહેર કર્યું. જ્યારે આ બધી વાતો દરબારમાં ચાલી રહી હતી ત્યારે ચોર ત્યાં એક નાગરીકના વેશમાં ઉભો હતો. તેણે બધી વાતો સાંભળી, જે સૈનિકોને આ ચોરને પકડવાનું કામ અપાયું હતું તે બધાયના ઘરે તે સાધુના વેશમાં ગયો અને તેમની પત્નિઓને સમજાવ્યું કે આજે રાત્રે તેમના પતિઓ જ્યારે ચોરને પકડવા જાય પછી કોઈ દરવાજા ન ખોલે, કોઈ આવે અને તેમના પતિના અવાજમાં દરવાજો ખોલવા કહે તો અગાશી કે છજ્જામાંથી સળગતા […]

ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા


ઈન્ટરનેટ પર એવા કેટલાંય પુસ્તકાલયો ઉપલબ્ધ છે જે પુસ્તકોનો અખૂટ ભંડાર ધરાવે છે. ઘણી અપ્રાપ્ય પુસ્તકો અહીં સ્કેન કરીને મૂકેલા મળી આવશે તો ઘણાં ટાઈપ ક્રઈ, રીફોર્મેટ કરી મૂકેલા મળી આવશે. આશા છે આ માહિતી ઉપયોગી થશે. ઈન્ટરનેટ આર્કાઈવ (અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ પુસ્તકો અને તેની ડાઉનલોડ કરવા માટે વિવિધ ફોર્મેટની અપાતી સગવડ તેને મારી ફેવરીટ વેબસાઈટ બનાવે છે. અહીં ઉપલબ્ધ પુસ્તકોના એક બે ઉદાહરણો, દા.ત. એન્સાઈક્લોપીડીયા બ્રિટાનીકા, ) યૂ કે વેબ આર્કાઈવ કન્સોર્ટીયમ એક્સેસ માય લાઈબ્રેરી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ (પસંદગીના ઈન્ટરનેટ સોર્સની લીંક્સ) વર્લ્ડ વાઈડ વેબ વર્ચ્યુઅલ લાઈબ્રેરી વેઇર્ડ ફોર બુક્સ પીડીએફ બુક્સ ઓનલાઈન બુક્સ પેજ આ સિવાય અન્ય ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે…..જો તમને આ સિવાય કોઈ સરસ વેબસાઈટ લાઈબ્રેરી ખબર હોય તો જણાવો…

ઈન્ટરનેટના પ્રખ્યાત પુસ્તકાલયો


વડોદરામાં ગરબા રમ્યા પછી, ખાસ કરીને માં શક્તિ, યુનાઈટેડ વે કે મહાકાળી ગરબા પછી મહુવામાં આ આખી નવરાત્રી કરવાની થઈ તો થયું કે આ વખતે તો કાંઈ મજા નહીં આવે. મહુવામાં ત્રણ ચાર વર્ષ ઉપર સુધી મુખ્યત્વે બે જગ્યાએ ગરબા થતાં, એક સ્ત્રિઓ માટે અને બીજા પુરૂષો માટે. બાકી ઘણી નાની ગરબીઓ પણ થતી, પરંતુ મુખ્યત્વે આ બે જગ્યાઓ હતી જ્યાં પુરુષો અને સ્ત્રિઓ એમ અલગ ગરબા થતાં. પણ ત્યાં ઝઘડા, આયોજનની તકલીફો વગેરે થતાં હવે ગરબા જાતિ પ્રમાણે થાય છે, કહો કે નાત પ્રમાણે, બ્રાહ્મણ, શ્રીમાંળી, વણિક એમ અલગ અલગ થાય છે. તમે ગમે તેમાં જઈ શકો પણ આવા ભાગલા અને ન્યાત ના ઝંડા નીચે થતા આવા ગરબા સ્વાભાવિક રીતે જ થોડોક ખચકાટ લાવે, ખાસ કરી વડોદરા જેવી જગ્યાએ ખરેખરા “ડેમોક્રેટીક” ગરબામાં મહાલ્યા પછી…..બધાના પોતપોતાના તથ્યો, ફાયદા ને ગેરફાયદા છે, એટલે એ વિષે ચર્ચા કરવી વિષયાંતર કરાવશે. પણ અચાનક એક દિવસ એક મિત્રે ફોન કર્યો, તારા બ્લોગ માટે સરસ સમાચાર છે. મહુવામાં લગભગ ૧૩૦ વર્ષોથી થતા ભેંસના પાપડ તરીકે ઓળખાતા ગરબા, મુખ્યત્વે રબારી અને ભરવાડો દ્વારા થતા આ ગરબા પહેલા મહુવાના લક્ષ્મી મંદિર પરીસરમાં થતા પણ પછી જગ્યાની અછતના લીધે હવે તે કાગબાપુ ચોકમાં થાય છે. પહેલા ઢોલને તાપણા પાસે મૂકી ચામડું તપાવાય છે, એકસાથે ચાર પાંચ ઢોલ તપતા હોય છે અને બીજા ત્રણ વાગતા હોય છે, સાથે પીતળની ગોરી (મોટા મોં વાળી પાણી ભરવાની માટલા જેવા આકારની રચના) અને ત્રાંસા પણ હોય છે. દાંડીને આના પર પીટવાથી જાણે ભેંસના પાપડ એમ સંભળાય છે આ પરથી એનું આવું નામ પડ્યું. સાથે મૂકેલા વિડીયોમાં પણ આ આછું સાંભળી શકાય છે. […]

ભેંસના પાપડ – પારંપારીક દાંડીયા @ મહુવા



પ્રવૃત્તિ પંથમાં પ્રાણી ! ભજનનો ભેદ ભૂલ્યો છે મર્યાદા સંતની મૂકી, જગતમાં જીવ રહ્યો છે ઝૂકી; સિધ્ધાંતો વેદના ચૂકી, દુબજા માંય ડૂલ્યો છે. તપાસ્યે રૂપ તું તારૂ, નથી કાંઈ બ્રહ્મથી ન્યારૂં; મૂકી દે હું અને મારું, ફંદમાં કેમ ફૂલ્યો છે? પ્રમેશ્વર પાસ જા પૂરો, સદા તું સિંહ છે શૂરો; બધો આ ખેલ છે બૂરો, જગતમાં શીદ ભૂલ્યો છે? દિલમાં બાળ હંસ દેજો, બધું આ ‘કાગ’ ને કે’જો; ત્રિપુટી સંગમાં રે’જો, મરદ તું ક્રોડમૂલો છે.  – દુલા ભાયા કાગ

પ્રવૃત્તિને પંથે – દુલા ભાયા કાગ


દોહા હીમ, શ્રીં, ક્લીં, મેઘા, પ્રભા, જીવન જ્યોતિ પ્રચંડ. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. જગત જનની, મંગલ રરનિ, ગાયત્રી સુખધામ. પ્રણવો સાવિત્રી, સ્વધા, સ્વાહા પુરન કામ. ભૂર્ભુવ: સ્વ: ` યુત જનની ગાયત્રી નિત કલિમલ દહની. અક્ષર ચોબીસ પરમ પુનિતા ઈનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. શાશ્વત સતોગુણી સતરૂપા સત્ય સનાતન સુધા અનુપા હંસારૂઢ શ્વેતાંબર ધારી સ્વર્ણકાંતિ સુચિ ગગન બિહારી પુસ્તક પુષ્પ કમંડલ માલા શુભ્રવર્ણ તનુ નયન વિશાલા ધ્યાન ધરત પુલકિત હિય હોઈ સુખ ઉપજત દુ:ખ દુરમિત ખોઈ કામધેનું તુમ સુર તરૂ છાયા નિરાકારકી અદભુત માયા તુમ્હારી શરણ ગહૈ જો કોઈ તરૈ સકલ સંકટ સો સોઈ સરસ્વતી લક્ષ્મી તુમ કાલી દિપૈ તુમ્હારી જ્યોતિ નિરાલી તુમ્હારી મહિમા પાર ન પાવૈ જો શારદ સતમુખ ગુણ ગાવૈ ચાર વેદ કી માતુ પુનિતા તુમ બ્રહ્માણી ગૌરી સીતા મહામંત્રે જીતને જગ માહી કોઉ ગાયત્રી સમ નાહિ સુમરન હિય મે જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાસૈ સૃષ્ટિ બીજ જગ જનની ભવાની કાલરાત્રિ વરદા કલ્યાણી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જે તે તુમસો પાવૈ સુરતા તેતે તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે જનનિહિં પુત્ર પ્રાણ તે પ્યારે મહિમા અપરંપાર તુમ્હારી જય જય જય ત્રિપદા ભય હારી પુરિત સકલ મે જ્ઞાન વિજ્ઞાના તુમ સબ અધિક ન જગ મે આના તુમ્હી જાનિ કુછ રહિ ન શેષા તુમ્હી પાય કુછ રહિ ન કલેશા જાનત તુમ્હી તુમ્હી હૈ જાઈ પારસ પરસિ કુધાતુ સુહાઈ તુમ્હારી શક્તિ દપૈ સબ ઠાઈ માતા તુમ સબ ઠૌર સમાઈ ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ધનેરે સન ગતિવાન તુમ્હારી પ્રેરે સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા પાલક, પોષક, નાશક ત્રાતા માતેશ્વરી દયા વ્રત ધારી તુમ સન તરે પાતકી ભારી જાપાર કૃપા તુમ્હારી હોઈ […]

ગાયત્રી ચાલીસા


જીંદગીમેં કઈ રંગ આયે ગયે હમ હર હાલમેં મુસ્કુરાયે ગયે શર્ત આંધીસે લેકર ચિરાગ કીયા વો બુઝાતે ગયે, હમ જલાતે ગયે હમને હંસકે સહે ઉનકે સારે સિતમ વો સિતમ પે સિતમ હરરોઝ ઢાયેં ગયેં. વો જીન્હોંને વફાદારી કાયમ રક્ખી ઈસ ઝમાનેંમેં જ્યાદા સતાયે ગયે ઈસ દીવાનેકી મૈયત ચલી ધૂમસે ખૂબ ખુશીયાં મની ગીત ગાયે ગયે.  – જીગર શ્યોપૂરી

જીંદગીમેં કઈ રંગ – જીગર શ્યોપૂરી



બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]

માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા


બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિ એ એક રજા રહી ગઈ છે, કેટલીક ચેનલો માટે ગાંધીજીના ફિલ્મો બતાવવાનો અવસર અને કેટલાક રાજકારણીઓ માટે રાજઘાટ જઈ ફૂલ ચડાવી ગાંધીને યાદ કર્યાનો સંતોષ. પોરબંદરમાં મારો જન્મ થયો છે અને તે જ ગામના મારા ઘરથી બે કીલોમીટર દૂર આવેલા કીર્તીમંદિરના એ નાનકડા ઓરડામાં જન્મેલી વિભૂતિએ તો આખા જગતની, વિચારસરણીની અને ભારતવર્ષની સીકલ ફેરવી નાખી. બીજી ઓક્ટોબરે રોજીંદી નોકરી, ડ્યૂટી માં રજા હોવાથી મહુવામાં શ્રી મોરારીબાપુના રામકથા અંતર્ગત ચાલી રહેલ માનસ નવરાત્રીનો લાભ લીધો, કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત અને એ સત્સંગનો જ પ્રતાપ છે આજની આ પ્રાર્થના, જે હવે હું નથી ગાતો, મારું હૈયું ગાય છે….મારી આ એક દિવસની કથા શ્રવણની વિગતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે અહીં માણી શક્શો. આજે પ્રસ્તુત છે પ્રભુ શ્રી રામની આ પ્રાર્થના. લોકાભિરામરણરંગધરં રાજીવનંત્રં રઘુવંશનાથમ્ કારુણ્યરુપં કરુણા કરંતં શ્રી રામચન્દ્રં શરણં પ્રપદ્યે।। મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્યિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનર યૂથમુખ્યં શ્રીરામદૃતં શરણં પ્રપદ્યે ।। રાજીવ નયન ધરેં ધનુ સાયક । ભગત બિપતિ ભંજન સુખદાયક ।। મંગલ ભવન અમંગલહારી । દ્રવઉસો દશરથ અજિર બિહારી । જનકસુતા જગજનનિ જાનકી । અતિસય પ્રિય કરુના નિધાનકી । તાકે જુગ પદ કમલ મનાવઉં । જાસુ કૃપાં નિરમલ મતિ પાવઉં ।। મહાબીર બિનવઉં હનુમાના । રામજાસુ જસ આપ બખાના ।। પ્રનવઉં પવનકુમાર ખલબન પાવક ગ્યાનઘન । જાસુ હૃદય આગાર બસહિં રામસર ચાપધર ।। કુદ ઇદુ સમદેહ ઉમારગ્મન કરુના અયન । જાહિ દીન પર નેહ કરઉ કૃપા મર્દન મયન ।।

શ્રી રામ સ્તુતિ


5
એડિનબેરોમાં સેન્ડીનામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે દીવાસળીની પેટીઓ વેચી જીવન નિર્વાહ કરતો હતો. એક વખત તેણે એક ગૃહસ્થને એક દીવાસળીની પેટી વેચાતી આપી. તે ગૃહસ્થ પાસે પરચૂરણ નહોતું. તેથી પેલા છોકરાને એક શિલીંગ આપ્યો. સેન્ડી તે શિલીંગ વટાવવા ગયો. પેલા ગૃહસ્થે ઘણી વાર રાહ જોઈ પણ તે પાછો આવ્યો નહીં. એટલે કંટાળીને તે ગૃહસ્થ પોતાને ઘરે ગયા. સાંજે તે છોકરા સેન્ડીનો નાનો ભાઈ રૂબી તે ગૃહસ્થનું ઘર શોધતો શોધતો આવી પહોંચ્યો. તે ગૃહસ્થને તેણે પૂછ્યું, “સાહેબ, મારા ભાઈ સેન્ડી પાસેથી આપે એક દીવાસળીની એક પેટી ખરીદ કરી હતી અને એક શિલીંગ આપ્યો હતો પણ એ શિલીંગ વટાવવા જતા તેને એક ઘોડાએ લાત મારી, એના બંને પગ ભાંગી ગયા છે. અને તે બચે તેમ નથી, વળી અકસ્માતને લીધે તેણે બધા પૈસા પણ ગુમાવ્યા છે, હું આપને માત્ર ચાર પેન્સ આપી શકું એમ છું તો મહેરબાની કરી સ્વિકારી લો. બાકીની રકમ પણ હું જલ્દી આપી દઈશ.” પેલા ગૃહસ્થને તેની પાસેથી કાંઈ પણ લીધું નહીં, તેમને સેન્ડીની દયા આવી, તેથી તે તરતજ પેલા છોકરા સાથે તેને જોવા ગયા, તે એક ખૂણામાં છોડીયાના ઢગલા પર પડ્યો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો અને બબડતો હતો, “રૂબી, તારી સંભાળ કોણ રાખશે?…” પેલા ગૃહસ્થે તેને દિલાસો આપ્યો અને રૂબીની સંભાળ લેવાનું વચન આપ્યું. પેલા છોકરાને શાંતિ થઈ અને તે થોડીક વારમાં મરણ પામ્યો. જખમી થઈ મરણ પામનારા આ નાનકડા ગરીબ છોકરામાંય ઇશ્વરે કેવી પ્રામાણિકતા મૂકી હતી?

અનોખી પ્રામાણિકતા – શંકરભાઈ ત્રિ. પટેલ



પ્રોજેક્ટ ગુટનબર્ગ જેને સામાન્ય રીતે PG તરીકે ઓળખાય છે, તે સાહિત્ય અને સંસ્કૃતિને ડીજીટલ સ્વરૂપમાં ફેરવી, સંગ્રહવાનો અને વહેંચવાનો અને સર્વેને ઉપલબ્ધ કરાવવાનો એક સ્વયંસેવાનો પ્રયત્ન છે. રોજ જેની મુલાકાત લઈ આખા વિશ્વના લોકો લગભગ ૮૦૦૦૦ થી ૧૦૦૦૦૦ પુસ્તકો ડાઉનલોડ કરે છે, અને મને તથા મારા જેવા અસંખ્ય લોકોને ક્લાસિક અને સમકાલીન અંગ્રેજી સાહિત્ય જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેવી આ વેબસાઈટ ખરેખર અંગ્રેજી સાહિત્યના રસિયાઓ માટે આશિર્વાદ છે. અંગ્રેજી સિવાય પણ અન્ય ભાષાઓમાં થોડાક પુસ્તકો ઉપલબ્ધ છે. આ યોજના ની શરૂઆત ૧૯૭૧માં માઈકલ હાર્ટે કરી હતી. પોતાના સંગ્રહમાં ૨૫૦૦૦થી વધુ આર્ટીકલ્સ રાખી રહેલ આ ગ્રંથાલય આજે ઘણાંયની વાંચનભૂખ સંતોષે છે. પૂરા થઈ ગયેલા કોપીરાઈટ વાળી કે પબ્લિક ડોમેઈનમાં રહેલ પુસ્તકોને ડીજીટાઈઝ કરી, સર્વેના ઉપયોગ માટે તેને ઈન્ટરનેટ પર એક સાથે ઘણા ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવવાની આ યોજના ખૂબ સફળ થઈ. પ્રોજેક્ટ ગુટનબર્ગની પ્રથમ રચના હતી અમેરીકાનું સ્વતંત્રતાનું જાહેરનામું. આ પ્રોજેક્ટનું નામ આપવામાં આવ્યું જર્મન પ્રિન્ટર જોન્સ ગુટનબર્ગના સમ્માનમાં જેમણે મૂવેબલ પ્રિન્ટીંગ પ્રેસની શોધ પંદરમી સદીમાં કરી. પ્રોજેક્ટ ગુટનબર્ગની હાલની વેબસાઈટ તથા પુસ્તકોની સૂચી તૈયાર કરી પિત્રો-દ-મીસલીએ. ત્યારબાદ પ્રોજેક્ટ ગુટનબર્ગના સ્વયંસેવકોની સંખ્યા અને કાર્યભાર સતત વધતા રહ્યા, જાતે પુસ્તકો ટાઈપ કરવાથી લઈને સ્કેન કરી અને કેરેક્ટર વેરીફીકેશન વડે પુસ્તકની ડીજીટલ પ્રિન્ટ તૈયાર કરવી જેવી અસંખ્ય પ્રગતિઓ થઈ. અહીં પશ્ચિમના સાહિત્યિક અને સાંસ્કૃતિક પાસાઓની જાણકારી આપતાં અનેક પુસ્તકો છે. નવલકથા, કવિતાઓ, નવલિકાઓ, નાટકો સાથે વાનગીઓના પુસ્તક તથા રેફરન્સ પુસ્તકો પણ છે અને દર અઠવાડીયે નવા પચાસથી વધુ પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. આ મહાકાય સંગ્રહના આજના વધુ ડાઉનલોડ થઈ રહેલા સો પુસ્તકોની યાદી અહીં જુઓ, તથા પ્રોજેક્ટ ગુટનબર્ગના ઘર પાના પર અહીંથી જાઓ….. પ્રોજેક્ટ ગુટનબર્ગ […]

પ્રોજેક્ટ ગુટનબર્ગ – વિશ્વનું પ્રથમ ડીજીટલ પુસ્તકાલય


11
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્‍થિતા નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ કથાકાર પૂજ્ય શ્રી મોરારીબાપુ દ્વારા આજથી મહુવા ખાતે શરૂ થઈ રહેલી “માનસ નવરાત્રી” અનેક રીતે ખાસ છે. એક તો તે શ્રી બાપુના પોતાના વિસ્તારમાં હોવાના લીધે લોકોમાં અનન્ય ઉત્સાહ છે, વળી નવરાત્રી જેવા શક્તિપૂજાના પર્વે આ સુંદર આયોજન થયું છે તે ખૂબ આનંદ અને ભક્તિનો ઉત્સવ છે. આપ સૌને આ પ્રસંગે મહુવા આવવાનું હાર્દિક આમંત્રણ છે. શક્તિ અને તેના સ્વરૂપો વિષે માનસ નવરાત્રીમાં પૂજ્ય બાપુ ખૂબ સરસ વર્ણન કરશે અને તેમની યુગાન્ડાના કમ્પાલામાં માનસ કૃપાલા પછીની આ નવી શક્તિ ભક્તિ યાત્રા ખરેખર ખૂબ માણવાલાયક બની રહેશે…મહુવાના પેવિલીયન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ કથામાં આપ સર્વેને આવવા, જોડાવા અને ઉજવણી કરવા હાર્દિક આમંત્રણ. નવરાત્રી એટલે ગુજરાત ની અસ્‍મિતા, ઓળખાણ. આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. ‘જ્‍યાં જ્‍યાં વસે એક ગુજરાતી સદા કાળગુજરાત – આ કાવ્‍ય પંક્‍તિ ને અનુરૂપ જ્‍યાં જ્‍યાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી છે. આ ઉત્‍સવ માટે ગુજરાતીઓજ નહિં, પરંતુ તેમની સાથે વસતાં અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું અને આખી રાત માણવી એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે. અહીં મહુવામાં વડોદરાના ગરબા, મોડી રાતોના ઉજાગરા, પાસની વ્યવસ્થા અને પછી ગરબા રમવાનો (વડોદરાની ભાષામાં ગરબા ‘ગાવાનો’) અનન્ય આનંદ આ વખતે નહીં મળે પણ આ વખતે પૂજ્ય બાપુની માનસ નવરાત્રી તેની ખોટ મને નહીં સાલવા દે તેવી મને ખાત્રી છે. શક્તિપૂજા ના નવ દીવસોના આ નવરાત્રી પર્વ ની આપ સર્વેને ખૂબ શુભકામનાઓ…..માં શક્તિ આપ સર્વેને મનોકામના પૂર્ણ કરવાનું બળ અર્પે […]

માનસ નવરાત્રી @ મહુવા


9
થોડા વખત પહેલા મેં પુસ્તક અઘોરીઓ સાથે પાંચ દિવસ વાંચ્યુ અને તેને સંલગ્ન મારા વિચારો રજુ કરતી પોસ્ટ અનુક્રમે અઘોરીઓ સાથે પાંચ દિવસ, મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ, પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન લખી, તેના ઘણાં પ્રતિભાવમાં મને સૂચવવામાં આવ્યુ પુસ્તક “અઘોર નગારાં વાગે”. લેન્ડમાર્ક બુકસ્ટોર વડોદરા હવે મારી ગુજરાતી પુસ્તકોની ભૂખ સંતોષી રહ્યું છે અને એ ખૂબ અલ્પ સમય આમ કરી શક્શે કારણકે તેમની પાસે હવે જૂજ પુસ્તકો રહ્યા છે. અઘોર નગારાં વાગે પહેલી નજરેજ ખૂબ ગમે તેવુ પુસ્તક છે. પુસ્તકની તુલનાત્મકતા કે તેની અંદર વર્ણવેલા પ્રસંગો કે ઘટનાઓની સત્યતા ચકાસવી એ અશક્ય કામ છે, પણ મને તેમાં વ્યવહારીકપણું દેખાય છે અને તે હકીકત હોય તેમ લાગે છે. લેખકે સાધુ સંપ્રદાય, તેમના પરિધાનો, વિચારો, પરંપરાઓ અને તેમના આરાધ્ય, તેમની પૂજન તથા સંધાન પધ્ધતિઓ વગેરેનું ખૂબ સુંદર અને વિગતે વર્ણન કર્યું છે. અને ઘણીવાર તેઓ પ્રસંગોની સાથે સાથે આનુષંગીક વર્ણનો પણ આપે છે જે સાધુ સમાજની વિવિધ રૂઢીઓને ખૂબ સરસ રીતે દેખાડે છે. પુસ્તકના બંને ભાગો સરસ છે પણ મને બીજો ભાગ ખૂબ ગમ્યો. સાધુસમાજ આપણા ધર્મ અને સમાજનું મુખ્ય અંગ છે, પુરાતનકાળથી અનેક સંપ્રદાયો, અનેક પ્રણાલીકાઓ અને અનેક જાતિઓ આમ જ ચાલી આવે છે. સાધુ સંપ્રદાય, કાપાલિકો કે શૈવ પંથીઓ સામાન્ય સમાજ અને જનતાથી દૂર છે અને તેમની પહોંચ કે જ્ઞાનની સીમાથી બહાર છે, તેમના વિષે અનેક માન્યતાઓ કે વાતો પ્રવર્તે છે. લેખક પોતે પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વીકારે છે કે આપણે સાધુ કે અસાધુને વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાનું જ્ઞાન ધરાવતા નથી કે એ જાણવાની તકેદારીય રાખતા નથી. જેના કારણે પાખંડી સાધુઓ તેની પાખંડલીલા માં અજ્ઞાની, વિશ્વાસુ અને ભોળા લોકોને ફસાવી અનેક અનિષ્ટો સર્જે […]

અઘોર નગારા વાગે….વેલાબાવા તારાં…



11
પૂર્વાધ વાંચો અહીં, ક્લિક કરો મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧) ********* હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ,  મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો. રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો. મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.” મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.” તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?” “હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં. ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ….. મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો…… મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી […]

મારા મૃત્યુ પછીની થોડીક ક્ષણો (ભાગ ૨)


5
બાળપણ એ એક અણમૂલ ભેટ છે, અને તેમાંય શાળાની શરૂઆતના વર્ષોમાં કરેલા તોફાન, ખાધેલા માર અને ગોઠીયાઓ સાથે માણેલી મજા….એનાં તોલે તો કાંઈ ન આવી શકે. અમે નાના હતા (પહેલાં કે બીજા ધોરણમાં) ત્યારે ( પોરબંદરમાં ) મારા ઘરથી પાંચ મિનિટ ચાલીને જવાય એટલા અંતરે આવેલી કડીયાપ્લોટની શાળાએ જતાં. ત્યાં ખૂબ મસ્તી કરતા, વાર તહેવારે માર ખાતા અને છતાંય આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિનો અનુભવ કરતાં. મારા બાળગોઠીયાઓને મારી તેમની પાટીની પેન ઝૂંટવી ખાઈ ગયાની ફરીયાદો સાંભળી મારી માતાને આવી ફરીયાદ ન આવે તે દિવસે કાંઈક અડવું અડવું લાગતું, તો રીસેષમાં શાળાએથી ભાગી કબડ્ડી રમવા કે ચોપાટી પહોંચી ફરવા જતા…..આ સમયના મિત્રો હવે ક્યાં પહોંચી ગયા એ ખ્યાલ નથી…કોઈ સંપર્ક નથી, પણ સ્મૃતિઓમાં આજેય એ “FRESH PAIN “ની જેમ સચવાયેલા છે…અને રહેશે…..અચાનક જ આ મિત્રોની યાદ આવી અને આ કવિતા લખાઈ ગઈ…..આશા છે આપને ગમશે…  ————-> હતા સદા જે સંગાથે, તે સ્મરણમાં રહી ગયા, વર્ષોના વહાણાં સહેજે, ક્ષણોમાં વહી ગયા, ખૂબ વધ્યા ઓછાયા અને ફૂલી ફાલી એકલતા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. માટી ફેંદતા સાથે સાથે, રમતા સાથ લખોટી, હું ખેંચતો ચડ્ડી કદીક, તું ખેંચે મારી ચોટી, પાટી પેન ને ચમચમ સોટી, લંગોટી રહી ગયા, મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. ચોપાટીએ ઘર ઘર રમતા, ગાતાં ગીત મજાનાં શાળાએથી ભાગી જાતા, કેવા છાના માના ઝાડુ વેલણે બરડે દીધા, લીસોટા રહી ગયા મારા નાનપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. રાજુ ને હીતુ, રેખુ ને ભાનું, શોરથી આવી, ભાગતા છાનુંમાનું છાનામાના જીવનમાંથી, ક્યાં તમે સરી ગયા મારા બાળપણાના મિત્રો, હવે યાદો થઈ ગયા. સ્મરે છે હજી બાની આંગળી, પકડી લીધો મારગ, જીવનભર સાચના રસ્તે થયા ન કદી […]

મારા નાનપણાના મિત્રો – જીગ્નેશ અધ્યારૂ


17
મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની…… મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે… E@@@@@——> શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું….. જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક […]

મારા મૃત્યુની થોડીક ક્ષણો પહેલા (ભાગ ૧)



એવા વળાંક પર હવે ઉભો છે કાફલો અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી હું શ્વેત શ્વેત કાંઈ સ્વપ્ને લચી શકું અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું અહીંથી જવાય ક્ષણ તરફ, અહીથી સદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ અહીંથી ઉમંગ ઉડતા અવસરમાં જઈ વસું કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ. કિસન સોસા (‘કંકાવટી માસિક’, ૧૯૭૫)

ખંડિત સ્વપ્નના અવશેષ – કિસન સોસા


જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતા ને બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે – રમેશ જોષી *****  રાત થયે આ બારીમાં જે છાની છાની તારલીયાની પાંપણ જોઈ સજળ એ તમે નહીં તો કોણ – હસિત બૂચ  ***** કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે – જેમ્સ ફ્લેચર  ***** તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!  – ઝવેરચંદ મેઘાણી  ***** જિંદગીમાં બે કરૂણતા આવે છે એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે અને બીજી એ સાંપડી જાય તે… *****  જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે *****  કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી  ***** આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’, શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું ! ***** And Last but not the least   Bliss was it in that dawn to the alive   But to be young was very heaven ! – Wordsworth

મુખવાસ – સંકલિત


13
ક્યાંક વાંચ્યુ હતું કે બાળક છ મહીનાનું થાય એટલે તેને પોતાના માતા પિતાની સાથે લાગણીના તંતુથી જોડાઈ જાય છે. માતાની સાથે તો શારિરીક બંધન છૂટે તે પહેલા પણ લાગણી બંધન હોય જ છે, પણ પપ્પા સાથે તેને થોડો સમય લાગે છે. અને જ્યારે પપ્પા સાથે તે પૂર્ણપણે જોડાઈ જાય ત્યાં સુધી પપ્પા એવા સંજોગોમાં પહોચી જાય છે જ્યારથી તેનો બાળકને અપાતો સમય,  તેની ઓફીસ, ફાઈલ્સ, મીટીંગ્સ, સાઈટ અને ફોનકોલ્સ માંથી માથુ બહાર કાઢવાનો સમય કાંઈક અંશે ઘટતો જાય છે. બાળકની વધતી ઝંખનાઓ સામે તેને ક્યારેક પિતા તરફથી સમય મળે છે, ક્યારેક નહી. આવા સંજોગોમાં ઘણી વાર બાળક તેની માતા પાસેથી પિતાનો ‘એક્સ્ટ્રા’ પ્રેમ મેળવવાના પ્રયત્નો કરે છે, અને ક્યારેક પિતાની ‘બેધ્યાન અવગણના ભર્યા’ સંજોગોની ફરીયાદ પણ કરે છે. અને પપ્પાને મમ્મીમાં શોધવાનું કામ કરે છે. આ કવિતા આવીજ એક વાત ખૂબજ સરળ અને વહાલી ભાષામાં વ્યક્ત કરે છે. ***** મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મને મમ્મી ગમે ને વ્હાલ પપ્પાને કરૂં, મમ્મી તો હસતી ને હસતી ફરે અને મારા પપ્પાનું કાંઈ રે કહેવાય નહીં કદી વાતો કરે ને કદી મૂંગા રહે, મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું; મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરૂં મમ્મી તો મારી સાથે પત્તા રમે અને કૂકા રમે ને કૂદે દોરડાં વાંચતા ને લખતા કૈ પપ્પાજી હોય ત્યારે એમના બિહામણા ઓરડા દોડી દોડીને બકી મમ્મીને ભરું મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું !

પપ્પાનું વ્હાલ મમ્મીને



પડી ગયો વરસાદ ટપક ટપ ટપક્યાં કરતા પાન પછી અચાનક આભ ઉઘડ્યાં સૂરજના કર અડકે ઝલમલ તડકે તરૂને ભીનલ વાન રડતાં રડતાં હસી પડ્યું લો રાન ! – જયન્ત પાઠક

વરસાદ પછી વગડો – જયંત પાઠક


સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય). મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું. સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. […]

એક સિવિલ એન્જીનીયરની જિંદગી


6
પ્રભુ શ્રી વિશ્વકર્માને હિન્દુ માન્યતા મુજબ આ સૃષ્ટીના રચયિતા અને સ્થપતિ ગણવામાં આવે છે. દર વર્ષની સત્તરમી સપ્ટેમ્બર વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે ઉજવાય છે. મૂળ બંગાળ, ઓરીસ્સા અને ત્રિપુરા તથા ઉત્તરભારતના એકાદ બે રાજ્યોમાં ઉજવાતો આ ઉત્સવ બાંધકામ સાથે સંકળાયેલી સમગ્ર સંસ્થાઓએ ઉજવવાનું શરૂ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી હું પણ તેમાં શામેલ થઈ રહ્યો છું. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરાય છે, બાંધકામ બંધ રાખી બધા તેમની પૂજા અર્ચના અને પોતાના વિભાગોની, કામગીરી વાળી જગ્યાની પૂજા કરે છે. મૂળ સાઈટ પર ઉજવાતો હોવાના લીધે આ ઉત્સવ સામાન્ય લોકોની જાણ બહાર મોટેભાગે રહે છે. પણ સિવિલ ઈન્ડસ્ટ્રી તેને ખૂબ ભક્તિભાવ પૂર્વક અને જોરશોરથી ઉજવે છે. વિશ્વકર્માને દૈવી સ્થપતિ માનવામાં આવે છે, તેનો ઉલ્લેખ ઋગ્વેદ અને સ્થપત્ય વેદ માં મળે છે. તેમને બાંધકામ, આયોજન અને અભિયંતા વિશ્વના સ્થાપક તરીકે માનવામાં અને પૂજવામાં આવે છે. કડીયાઓ, કારીગરો, વેલ્ડરો, ફીટરો, એન્જીનીયરો, તથા સમગ્ર બાંધકામ જગત તેમની પ્રોજેક્ટની સફળતા, સુરક્ષા અને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળતામાટે તેમની પૂજા કરે છે, અને તેમની પ્રેરણા અને દોરવણી નીચે આખુંય કાર્ય ચાલે છે તેવી ભાવના સાથે તેમને પ્રોજેક્ટ અર્પણ કરે છે. દિવસભર તેમની પ્રતિમાની પૂજા કર્યા પછી, તેમને ફળ તથા વિવિધ ભોગ ધર્યા પછી દિવસને અંતે તેમની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. આ દિવસે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બધાંય ભેગા મળી ઉજાણી કરે છે અને વર્ષમાં એક જ દિવસ બંધ પાળતી આ સમગ્ર ઈન્ડસ્ટ્રી તે દિવસે ખરેખર સિવિલાઈઝડ થઈ મજા કરે છે, સાહેબ અને મજૂર ના ભેદ ભુલાવી બધા હળેમળે છે અને એક બીજાના પ્રોજેક્ટ વિશે માહીતીની આપ લે કરે છે.   અમારી સાઈટ પર આ વખતેય એવી જ ઉજાણી થઈ…….ખૂબ […]

સૃષ્ટીના રચયિતા અને પહેલા એન્જીનીયર



4
“A Thousand Splendid Suns by Khalid Hosseini” મેં વાંચી હતી ઘણા સમય પહેલા અને હમણાં ફરીથી વાંચી, મને તે ઘણી ગમી છે…….મને લાગે છે કે આ અફઘાનિસ્તાનની સામાન્ય જિંદગીનું ખૂબ જ સાહજીક અને વિસ્તૃત નિરૂપણ છે, પણ તે આ આખા વાંચનના બેકગ્રાઉન્ડમાં છે, પુસ્તક વાંચવુ પૈસા અને સમય વસૂલ છે. આ આખી વાર્તાની સાંકળની કડીઓ ખૂબજ સરસ રીતે ગોઠવેલી છે અને એ કડી ક્યાંય તૂટતી નથી કે તમે વાર્તાના પ્રવાહમાં કડીને ભૂલી જતા નથી. વાર્તાના મુખ્ય પ્રવાહને લીધે તદન સાહજીકતાથી આપણી સમક્ષ આવે છે તાલિબાન અને તેમનો ત્રાસ, અહીં તાલીબાન પહેલાનું, તે દરમ્યાનનું અને તે પછીનું જીવન ખૂબ સુંદર રીતે વર્ણન કરેલુ છે,  મજા પડી, તેનો કદાચ ગુજરાતી અનુવાદ થયો છે પણ મારા ધ્યાનમાં તે પુસ્તક આવ્યું નથી. પુસ્તકના કેટલાક અંશોનો આ અનુવાદ મેં કર્યો છે તમને પુસ્તકની માહિતિ આપવા…..આશા છે આપને ગમશે… (આ પુસ્તક વિશે ઓરીજીનલ પોસ્ટ મેં લખી હતી મારા અંગ્રેજી બ્લોગ પર @ ૭ ડીસેમ્બર ૨૦૦૭. A Thousand Splendid suns ****   **** હવે કોણ શું બોલી રહ્યું છે તે વિશે મરીયમને જરાય પરવા નહોતી, તેણે તો ફક્ત જલીલની સામે તાક્યા કર્યું, જાણે કે તે હમણા કહેશે કે આમાંથી કાંઈ સત્ય નથી, “તું કાંઈ આખી જિંદગી અહીં ના જીવી શકે” “શું તારે પોતાનો પરિવાર જોઈતો નથી? “હા, એક ઘર, પોતાના બાળકો…” “તારે આગળ વધવું જ રહ્યું” “સાચી વાત છે કે તારે કોઈ નજીકના, કોઈ તાજીકને જ પરણવું જોઈએ પણ રશીદ તંદુરસ્ત છે, અને તારામાં તેને રસ છે, તેની પાસે કામ છે અને પોતાનું ઘર છે, અને આ જ છે જેની જરૂર છે, કે જે ખરેખર અગત્યનું છે. અને કાબુલ સુંદર અને […]

હજારો ઝળહળતા સૂર્યો – ખાલિદ હુસૈની


5
તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ, મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ, તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે. હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે (પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…) ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ, પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ, બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ, બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે. – – ઝવેરચંદ મેઘાણી

તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી


9
” આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ – બાળુડાને માત હીંચોળે, ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીંદરું ના’વે, માતા જીજાબાઇ ઝુલાવે. “ આ કે આવા અન્ય કેટલાંય હાલરડાં એ દરેક નાનકડા ભૂલકાંનો હક છે અને દરેક માતા પિતા કે દાદી કે દાદાની ફરજ….આપણી સંસ્કૃતિનું એક મોટામાં મોટું જમાપાસુ છે કે બાળક હજીતો તમારી ભાષાય નથી જાણતું કે સમજતું તે જ વખતે સંસ્કૃતિ અને સમાજજીવનની વાતો તેના લોહીમાં દૂધ સાથે ઉતારવાની આ એક સર્વોત્તમ ગોઠવણ છે. બાળક ભલે ગમે તેટલું રડતું હોય કે તોફાન કરતું હોય, પણ માતાના મોંઢે જેવુ હાલરડું સાંભળે છે ત્યારે તદ્દન નિર્ભેળ આનંદ તેના ચહેરા પર છલકાય છે, જાણે ભોળા શંકર આ વિશ્વની તમામ ખરાબીઓ, તમામ અનાચારને હણીને શાંત થઈ સૂતા હોય તેમ તેના ચહેરા પર તદ્દન સામાન્ય પણ ખૂબ ઉંડી શાંતિ છલકાય છે. દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે, વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે. જેવા હાલર્રડાઓ ખબરનહીં કઈ રીતે એ નાનકડા બાળ મન પર એવી અસર નાખે છે કે બાળક પોતાની માતાના ખોળામાં પરમાનંદની જાણે કે સમાધિની અવસ્થામાં સૂઈ જાય છે … હું જ્યારે જોઉં છું કે મારી પુત્રી તેની મમ્મી કે ફઈના ખોળામાં હાલરડુ સાંભળતાવેંત જ સૂઈ જાય છે ત્યારે થાય કે આ થી વધારે સંતોષની ઉંધ કઈ હોઈ શકે. મારા મમ્મી મને કહેતા કે નાનપણમાં તને ખોળામાં લઈ આંખ મારી ઉઘડે ત્યાં તો…..કે મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારો….વાળી પ્રાર્થના ગાતા કે હું તરત સૂઈ જતો…..તો મારી દીકરી “પરી રાણી…તમે આવો..ઉડતા ઉડતા દેશ તમારે, હાર્દીને લઈ જાઓ….”વાળુ હાલરડુ સાંભળી સૂઈ જાય છે… અજબની દુનિયા છે હાલરડાની … આજના આધુનિક સમયમાં જ્યારે દૂધ બોટલોમાં […]

હાલરડું અને મમત્વ



23
“હેલ ભરીને હું તો હાલું ઉતાવળી,                        નક્કી આંગણીયે કોક મે’માન આવે” સૌરાષ્ટ્રના એક પ્રસિધ્ધ લોકગીતની આ પંક્તિઓ છે. ગુરૂવાર તારીખ ૨૮/૦૮/૨૦૦૮ ના રોજ બપોરે ત્રણ ને વીસે એક મોંઘેરા મહેમાને મારા ઘરમાં, હ્રદયમાં પા પા પગલી પાડી, તીણા મધુર રૂદનથી મારા જીવનમાં સંગીતના સુરો રેલાવ્યા, અને એક પુત્ર, ભાઈ અને પતિ પછી પિતાનું બિરૂદ અપાવ્યું. હા….મારે ત્યાં એક વ્હાલસોઈ દિકરીનો જન્મ થયો. જરા વિસ્તારથી કહું તો ગંભીર થઈ ગયેલી શારીરિક પરીસ્થીતિઓ વચ્ચે જ્યારે મારી પત્નીએ ઓપરેશન દ્વારા તેને જન્મ આપ્યો, ત્યાં સુધી મારા શ્વાસો મારા કાબૂમાં નહોતા….પણ જ્યારે ઓપરેશન સફળતા પૂર્વક પૂરૂં થયુ અને મારી દિકરી મારા હાથમાં આવી ત્યારે આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા….એ હતા ખુશીના, સંતોષના. મારી હંમેશાની ઈચ્છા કે મારે એક દિકરી હોય અને દેખાવમાં તેની મમ્મી જેવી હોય, તેને ઈશ્વરે પૂરેપૂરૂં માન આપ્યું. મને એક સુંદર દીકરીની ભેટ આપી, એક દિકરીનો બાપ બનવાની ખુશી જેને મળી, તે મહાભાગ્યશાળી. મેં મારી આ ખુશીને ખૂબ માણી….મારી ગોદમાં જ્યારે મારી દિકરીને પહેલીવાર મારા ખોળામાં લીધી તો લાગ્યું કે જગતની તમામ સંપત્તિ, સમૃધ્ધિ અને ખુશી મને મળી છે. કહે છે કે બાપને પોતાની દિકરી અને માંને તેનો દિકરો વહાલો હોય છે. આજે જ્યારે લોકો બેટી બચાવો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે અને હજીય જે લોકો દિકરીને ગર્ભમાં જ મારી નાખવા માંગે છે તેમને મારે એટલું જ કહેવાનું કે એકવાર તમારી એ માસૂમ દિકરીને ગોદમાં લો, તેની આંખોમાં જુઓ, તેના માથા પર હાથ ફેરવો, અને જો તોય તમને એવી જ ક્રૂર ઈચ્છા થાય તો તમને ગમે તેમ કરો. પણ એવું બનવુ શક્ય જ નથી, તેનો સ્પર્શ તમને પથ્થર માંથી […]

એક દિકરીની લાગણી – વિકાસ બેલાણી


8
હે પ્રભુ ! આ વિધિની વિડંબના જ છે કે મારી આજીવિકા અન્ય લોકોના દુઃખ અને તકલીફ પર આધાર રાખે છે. પણ એ તારી કૃપા જ છે કે તેં મને તેમના દુઃખ દૂર કરવાને લાયક ગણ્યો, મને તેં એવી કાબેલીયત આપી કે તકલીફમાં પીડાતા લોકોની પીડા હું મારી અલ્પબુધ્ધિથી શમાવી શકું. મારી શક્તિ મુજબ હું તેમને મદદરૂપ થઈ શકું, આ માટે હું સદાય તમારો આભારી રહીશ આમ તો આ સઘળું તમારૂં જ કર્યું છે, તમે જ દુઃખ આપો છો અને તમે જ શાતા આપો છો, તમે જ મને માધ્યમ બનાવો છો કે જેથી હું આ લોકોની તકલીફો ઓછી કરી શકું. મને આ પ્રકારે પ્રેરણા આપવા બદલ પણ તમારો આભાર… ( From a wallpaper @ Dr. Rajendra P Padiya Clinic @ Mahuva )

એક ડોક્ટરની પ્રાર્થના


અટલ બિહારી વાજપેયી એ ભારતના એવા રાજકારણી છે જેમણે રાજકારણ માં પ્રવૃત હોવા છતાં પોતાની સંવેદનશીલતાને જાળવી રાખી છે. એક રાજકારણી ત્યારે જ કવિ હોઈ શકે જો તેની અંદરનો સહાનુભૂતીવાળો માણસ જાગતો હોય, ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂતો ખૂબ ઓછા થયા છે તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણને મળ્યા છે તે ગર્વ લેવા જેવી વાત છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી કવિતા જેમાં તેઓ એ પોતાના મનની ભાવનાઓ પ્રસ્તુત કરી છે, તે કહે છે કે આ જીવનમાં કાંઈ મેળવ્યુ કે ગુમાવ્યું એમ નથી, જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છલનાઓ હોવા છતાંય તેમને કોઈ સાથે તકલીફ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરવાની વાત કરી અનંત સફરે જવા તૈયાર હોવાનું સૂચવે છે…તેઓ કહે છે કે આ અસીમીત જગતમાં કાલે ક્યાં હોઈશું તે કોને ખબર છે? સંવેદનાસભર આ કાવ્ય ખરેખર સુંદર છે. – જીગ્નેશ અધ્યારૂ क्या खोया क्या पाया जग में मिलते और बिछड़ते मग में मुझे किसी से नहीं शिक़ायत यद्यपि छला गया पग पग में एक दृष्टि बीती पर डालें यादों की पोटली टटोलें अपने ही मन से कुछ बोलें प्रथ्वी लाखों वर्ष पुरानी जीवन एक अनन्त कहानी पर तन की अपनी सीमाएँ यद्यपि सौ शरदों की वाणी इतना काफ़ी है अंतिम दस्तक पर ख़ुद दरवाज़ा खोलें अपने ही मन से कुछ बोलें जन्म मरण का अविरत फेरा जीवन बंजारों का डेरा आज यहां कल कहाँ कूच है कौन जानता किधर सवेरा अँधियारा आकाश असीमित प्राणों के पंखों को तौलें अपने ही मन से कुछ बोलें By Atal Bihari Vajpayee.

क्या खोया क्या पाया – અટલ બિહારી વાજપેયી