વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

12
છેલ્લા કેટલાક માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓએ દેશના સમજુ નાગરિકોને વિચલિત કરી દીધા છે. પહેલા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયા અને હજી પણ ભાગી રહ્યા છે. આવા ડિફોલ્ટરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. આવા લોકોને લીધે બેંકોની એન.પી.એ. વધે છે પરિણામે ભાર તો સામાન્ય માનવી ઉપર જ આવે છે. સ્ત્રીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર અને એમાંય નિર્દોષ બાળકીઓ ઉપર ગુજારાતા અમાનુષી બળાત્કારો અને ઠંડે કલેજે કરાતી એમની હત્યાઓએ સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે કે માનવતા મરી પરવારી તો નથીને? આપણે ચારિત્ર્યહીનતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ?

આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે? – મોહમ્મદ સઈદ શેખ


4
એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો... અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, 'બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?' જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, 'તો કરને તારો પોતાનો સ્ટુડિયો...!' ચંદુલાલે કહ્યું, 'પણ બાપુ...' બાપુ સમજી ગયા, 'હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ...બોલ બીજું કાંઈ?'

બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા


19
‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું. મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’ ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે. બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘...રે..વા...!’

તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)



“અમે અમરકંટક પહોંચ્યાં તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યાં. અત્યારે કપિલધારા પહોંચ્યાં છીએ અનેક પ્રપાતોની સ્વામિની નર્મદાના સહુથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસહ ધસી રહી છે. ‘મેકલના પહાડો ઊતરીને મેદાનમાં જશે. ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ અનેક નદી-નાળાંને પોતાનામાં લીન કરતી જળસમૃદ્ધ થતી રહે છે.’ શાસ્ત્રીએ કહ્યું તે લ્યુસીએ પોતાની ડાયરીમાં નોંધ્યું.

તત્ત્વમસિ : ૮ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


આ અરણ્યોનાં અનેકવિધ સ્વરૂપોએ, તેમાં વસતાં માનવીઓ, પશુપંખીઓએ તેને અધિકારી ગણવાની શરૂઆત તો કરી જ દીધી છે. પણ માનવીને પોતાના અધિકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો એક નક્કી માર્ગ અને સમય આ પ્રકૃતિએ નિર્ધાર્યો જ હોય છે. આ અરણ્યોએ તો અનેકોને જ્ઞાન આપ્યું છે. કદાચ તેનો સમય પણ આવશે. “...મેં વિદેશમાં ભોગવેલી સગવડમાંથી જવલ્લે જ કોઈ સગવડ આ અરણ્યોએ મને આપી છે. આ અરણ્યોએ પોતાના મંગલમય, પવિત્ર પાલવ તળે ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓ વચ્ચે પણ મને અભય અને નિરામય રાખ્યો છે. સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખાને ઊજળી કરીને આ અરણ્યોએ મને બતાવી છે.

તત્ત્વમસિ : ૭ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


1
તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો. સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.

તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)



“શાસ્ત્રીજી પાસે તબલાં શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપરિયા પણ સાથે બેસીને ગુરુશિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપરિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી, ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે. આજ શાસ્ત્રીજીએ સુપરિયાનાં માતા-પિતાને યાદ કર્યાં. કહ્યું, ‘સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાંને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતાં ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત-સમારોહ ગોઠવી શકતો. હવે નથી થતું.’ ‘બાપુ નથી, પણ તમે તો છો ને?’ સુપરિયાએ કહ્યું, ‘તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે.’

તત્ત્વમસિ : ૫ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


1
તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલા પાંચ ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે: ‘ભીમ તકિયા.’ પછી ‘બિત્તુબંગા’ અને પેલી આકૃતિ. પાંડવોને માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતાં તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા. હાથમાં લાકડી-રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો. રસ્તાથી થોડે જ દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સૂમસામ વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચકારી લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચાં ઊભેલાં મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતાં જ મારો અરણ્ય-ભ્રમણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો.

તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


“કીકા વૈદ રોજ સવારે આવે છે. હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ – એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેય આવા વિજન સ્થાને, આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારેય માણ્યું નથી. અમે જાતે રાંધીએ છીએ. મારાથી તો કાચુંપાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ. પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલી જ વાર આટલું વાંચ્યું હશે. ગઈ કાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલાં શીખવાનું પણ શરૂ કર્યું. બોલવામાં મુશ્કેલી પડે છે તે સિવાય ખાસ પીડા નથી.

તત્ત્વમસિ : ૩ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)



“પહાડી શહેરની ગલીઓમાં જીપ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઇવરને કહ્યું, ‘લગે હાથ ભીજવા દે કોઈ કે સાથમેં.’ અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલીબંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનને બીજે છેડે, આ ડેલીની બરાબર સામે લાંબી પરસાળ પર હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડાં. પરસાળમાં ગાદી-તકિયાવાળો ઝૂલો. છેક સામેના ભાગે નાહવા-ધોવાની રૂમો.

તત્ત્વમસિ : ૨ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


5
“લે ખાઈ લે.” સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે. હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં એમ સ્વર અને શબ્દ ઓળખવા પ્રયત્ન કરવો પડે છે. ‘લે ખાઈ લે.’ નિર્જન વનો, નિ:શબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલાતીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખાપાંખા શબ્દો સ્ત્રીસ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ નદીટત પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગનાં ઘાઘરી-પોલકું પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે.’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે.

તત્ત્વમસિ : ૧ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)


3
નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે. આ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે. - ધ્રુવ ભટ્ટ

તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)



13
એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા - અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે? આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ 'રોલ નંબર..' શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર નવ અને દસ.

રોલ નંબર નવ અને દસ – અજય ઓઝા


17
કોર્બેટ પાર્કમાં મહત્વનું આકર્ષણ એટલે જંગલ સફારી. એશિયાનું સૌથી પહેલવહેલો નેશનલ પાર્ક એટલે ભારતમાં ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલ જિમ કોર્બેટ પાર્ક. ખુલ્લી જીપમાં જંગલની વચ્ચેથી પસાર થવાના વિચારથી જ જો રોમરોમ ઝણઝણી ઊઠતું હોય તો ખરેખર આ અનુભવ કરીએ ત્યારે કેવી લાગણી થાય! બસ આ જ વિચારથી કોર્બેટપાર્કની સફર ખેડી. જો તમારે સફારીની સફર કરવી હોય તો આગોતરું બુકિંગ કરવું પડે અને એ પણ એક મહિના પહેલા. અહીંયા તો ના બુકિંગ કરાવ્યું હતું ના તો સફરનો કોઈ જુગાડ. બધું જ ભગવાન ભરોસે મૂકીને કોર્બેટ પાર્કની હોટેલમાં આગમન કર્યું. સમય હતો બપોરના બે.

જંગલ કા રાજા કૌન? જિમ કોર્બેટ! – દર્શન ગાંધી


1
આપણા પ્રિય કવિમિત્ર શ્રી અનિલ ચાવડાનો આજે જન્મદિવસ છે. અક્ષરનાદ તરફથી અનિલભાઈને તેમની જ રચનાઓ દ્વારા શુભેચ્છાઓ. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેમની કલમને આમ જ કાયમ ઐશ્વર્ય બક્ષે જેથી આપણે તેમની રચનાઓથી અભિભૂત થતા રહીએ. આમ તો તેમની અસંખ્ય રચનાઓ ખૂબ ગમે છે, અને એટલી જ લોકપ્રિય છે, એમાંથી આજે થોડીક મનને નજીક એવી કૃતિઓ માણીએ.

કેટલીક પદ્યકૃતિઓ – અનિલ ચાવડા



4
ઈ.સ. ૨૩૮૪, આજથી ત્રણસોપચાસ વર્ષ પછીના સમયમાં મૃત્યુનું કોઈ મહત્વ રહ્યું નથી કારણકે માણસે અમર થવાનો ઉપાય શોધી લીધો છે. શરીર નાશવંત છે એ સત્યની સામે આત્મા અમર છે એ વાત વિજ્ઞાને સાબિત કરી છે, અને એ અનોખી રીતે મૂકાઈ છે. સંવાદમાં એક વાક્ય છે, 'Death was the ultimate safeguard against the darkest dangers of our nature.' અને એની સામે આ શ્રેણીમાં મૃત્યુ માટે પણ તરસતા લોકો દર્શાવાયા છે. એવો સમય જ્યાં મૃત્યુ મુશ્કેલ છે કારણ કે માણસનું સમગ્ર વ્યક્તિત્વ, એની આવડતો, યાદો, લાગણીઓ, ગમા-અણગમા વગેરે બધુંય સંગ્રહી શકાય એવું છે. ગરદનની પાછળના ભાગે એક નાનકડા ખાંચામાં પેનડ્રાઈવ જેવું સાધન 'કોર્ટિકલ સ્ટૅક' આ બધું સંગ્રહી શકે છે. વિશ્વના કોઈ દેશ રહ્યા નથી, બધે એ.આઈનું જ સામ્રાજ્ય છે. માણસ મૃત્યુ પામે કે એને શરીર બદલવું હોય ત્યારે એ બીજુ ગમતું શરીર પસંદ કરી 'સ્ટેક' એમાં મૂકાવી શકે છે.

ઓલ્ટર્ડ કાર્બન વેબશ્રેણી : આર્ટિફિશલ ઇન્ટેલિજન્સના તાંતણે સંબંધોની વાત – જીજ્ઞેશ અધ્યારૂ


6
માઇક્રોફિક્શન વાર્તા લખતા, સમજતા, મથતા મિત્રોની ટોળકી એટલે સર્જન વોટ્સએપ ગ્રૂપને આજે બે વર્ષ પૂરા થયા. દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા પછી બનેલા આ ગ્રૂપના બે માઈક્રોફિક્શન પુસ્તકો અને અનેક સામયિકો - વર્તમાનપત્રોમાં છપાયેલી એની રચનાઓ સાબિતી છે કે અહીં સતત શીખવાનો, લખવાનો, સમજવાનો, ચર્ચા કરવાનો અને સ્પષ્ટ પ્રતિભાવ આપવાનો સતત પ્રયત્ન થાય છે. આ અક્ષરનાદે 'સર્જન' ગ્રૂપ અને આ પહેલાની ત્રણ માઈક્રોફિક્શન સ્પર્ધાઓ એદ્વારા અનેક નવા માઈક્રોફિક્શન સર્જકો આપણી ભાષાને આપ્યા છે, અને અહીં થતી મથામણ, જોડણી વિષયક ચર્ચાઓ અને વાર્તા સ્વરૂપનું વિવેચન ફક્ત માઈક્રોફિક્શન જ નહીં, લઘુકથાઓ અને ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં પણ સભ્યોને ઉપયોગી થઈ રહે છે. નવોદિતોને તક આપવાની અને માઈક્રોફિક્શન સાહિત્ય સ્વરૂપને વધુ લોકભોગ્ય બનાવવાની અક્ષરનાદની ઈચ્છાના અનુસંધાને આજે ફરીથી દર વર્ષે યોજાતી આ સ્પર્ધાનો ચોથો મણકો લઈને અમે ઉપસ્થિત થયા છીએ.. તો પ્રસ્તુત છે ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા.. aksharnaad micro fiction competition

ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – CLOSED


3
એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા - અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે? એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા - અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે? આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ 'રોલ નંબર..' શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર સાત અને આઠ.

રોલ નંબર સાત અને આઠ – અજય ઓઝા



2
ઈ-પુસ્તકો આજે સર્વસામાન્ય થઈ પડ્યાં છે. ઈ-પુસ્તક એટલે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાંચી શકાય એવું પુસ્તક, એ અનેક ફોર્મેટમાં આવે છે, અપ્રાપ્ય પુસ્તકોના સ્કેન કરેલા ઈમેજ સ્વરૂપના પાનાંથી લઈને અડૉબેના પી.ડી.એફ, ઓપન ફોર્મેટ એટલે કે ઈપબ સ્વરૂપે, અમેઝોન કિન્ડલ વાપરે છે તે મોબી અથવા એ.ઝેડ.ડબલ્યૂ ફોર્મેટ અને અન્ય ઘણાં સ્વરૂપોમાં એ ઉપલબ્ધ છે. ૧૯૪૯માં એન્જેલા રૂઈઝ રોબલ્સે ઓટોમેટેડ રીડર બનાવ્યું હતું, પણ ન તો એને પ્રસિદ્ધિ ન મળી ન તો એ ચાલ્યું. ઈલેક્ટ્રોનિક પુસ્તકોનો વિચાર આપનાર અને તેની શરૂઆત કરનાર હતા માઈકલ હાર્ટ જેમણે અમેરિકાના બંધારણની નકલ તૈયાર કરી ૧૯૭૧માં પ્રોજેક્ટ ગુટનબર્ગ હેઠળ પ્રકાશિત કરી. (જે વર્ષે પ્રથમ ઈ-મેલ મોકલાયો હતો એ જ સમય)

ઈ-પુસ્તકો : ઈતિહાસથી વર્તમાન સુધી.. – જીજ્ઞેશ અધ્યારૂ


1
જુનાગઢના શ્રી ધનિક ગોહેલ અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિઁગ કોલેજમાં 'સાહિત્ય સરિતા' અંતર્ગત ૨૦૧૬થી દર વર્ષે ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે થતા અનોખા ત્રિદિવસિય સાહિત્ય મેળાવડાના સ્થાપક અને આયોજક છે. મિકેનિકલ શાખામાં બી.ઈ કરી તેઓ હવે ગુજરાતી સાહિત્યમાં એમ.એ કરી રહ્યાં છે. વિવિધ વિષયો પર પોતાના વિચાર જાહેર મંચ પરથી મૂકે છે, ૫૦થી વધુ વ્યાખ્યાન તેઓ આપી ચૂક્યા છે. તેમની પદ્યરચનાઓ અનેક સાહિત્ય સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદમાં તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

ત્રણ પદ્યરચનાઓ – ધનિક ગોહેલ


4
આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ 'રોલ નંબર..' શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.

રોલ નંબર પાંચ અને છ – અજય ઓઝા



4
આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિક મકવાણા (હાર્દ), શ્રી દેવિકા રાહુલ ધ્રુવ, ડો. હેમાલી સંઘવી, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘ અને શ્રી બાલકૃષ્ણ સોનેજી 'બે-ગમ' ની પદ્યરચનાઓ. પાંચેય સર્જકમિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત


6
આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ 'રોલ નંબર..' શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.

રોલ નંબર ત્રણ અને ચાર – અજય ઓઝા


2
રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે.. ૧. ભ્રમ ભાંગ્યા પછી - બી. એમ. દવે ૨. કિતની હકીકત, કિતના ફસાના - કામિની સંઘવી ૩. રેશનાલિઝમનો ઘંટનાદ - દિનેશ પાંચાલ ૪. દેતે હૈ ભગવાનકો ધોખા - દિનેશ સવાણી ૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) - દિનેશ પાંચાલ

પાંચ નવા ઈ-પુસ્તકો



1
કવિશ્રી દિલહર સંઘવીનું પુરું નામ હરિપ્રસાદ મોહનલાલ સંઘવી, મુંબઈ ખાતે ૧૮-૧૧-૧૯૩૨ના રોજ જન્મ. આજીવન સિહોર (જી. ભાવનગર) રહ્યાં. પ્રથમ કાવ્યસંગ્રહ 'ગૌતમી'માં ગીત ગઝલ અને મુક્તકના સર્જન પછી મુખ્યત્વે ગઝલમાં સર્જન કર્યું. 'કસ્તુરી' અને 'દિશા' પછી મરણોત્તર સંગ્રહ 'મનોરથ' પ્રગટ થયો. મિત્રોએ અગાઉના ત્રણ સંગ્રહોમાંથી ચયન કરીને 'પસંદગી'નું પ્રકાશન કર્યું. પ્રસ્તુત બંને ગઝલો અખંડ આનંદ સામયિકના શ્રી હરીકૃષ્ણ પાઠક સંપાદિત 'કાવ્યકુંજ' અંતર્ગત 'આપણી કવિતા સમૃદ્ધિ અને નવાં કાવ્યો'માં ફેબ્રુઆરી ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયા છે, તેમાંથી અહીં સાભાર લીધા છે.

બે ગઝલરચનાઓ – દિલહર સંંઘવી


12
એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા - અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે? આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ 'રોલ નંબર..' શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ.

રોલ નંબર એક અને બે – અજય ઓઝા


16
આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. "કસ્ટમ ઓફ ધ સી" તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.

માણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ



1
આજે #WorldPoetryDay વિશ્વ કવિતા દિવસ છે. એ ઉપલક્ષ્યમાં અક્ષરનાદ પર ડાઊનલોડ વિભાગમાં નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે વડોદરાના યુવા કવિ શ્રી બ્રિજ પાઠકનું કાવ્યઆસ્વાદ પુસ્તક 'કવિતા.કોમ'

બ્રિજ પાઠકનું કાવ્ય આસ્વાદ પુસ્તક ‘કવિતા.કોમ’ : ડાઊનલોડ


5
વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને "જમવાનું આજે ત્તમે બનાવજો!" નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું. આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે?

હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા


11
ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી... એક એક તારલિયાને વીણી લઇ.. ગૂપચૂપ.. છાને પગલે.. ફરી મળવાનો વાયદો કરી.. ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘તમે સૌ પહોંચતા થાઓ.. ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય? એને માઠું ન લાગે?

મારા વહેલી સવારના મુલાકાતીઓ.. – નીલમ દોશી