વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

2
મહાભારત યુદ્ધ દરમિયાન દ્રંદ્રયુદ્ધ જાણે એક અને અદ્રિતીય હતુઁ. બંને મહારથીઓ હતા. બંંને યુદ્ધકૌશલ્ય દાખવનારા હતા. સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા શ્રીકૃષ્ણનો તથા વૃષ્ણિ-અંધકાદિ યાદવોનો કટ્ટર દુશ્મન હતો. સાથેસાથે યજ્ઞયાગાદિ પ્રસંગે પુષ્કળ દક્ષિણા આપનાર તથા ખ્યાતિ ધરાવતો દાબવીર પણ તે હતો. જ્યારે વૃષ્ણિ અને અંધકવંશીઓમાંં વાઘ સમાન શ્રેષ્ઠ એવો સાત્યકિ અર્જુનનો શિષ્ય તો ખરો, પણ સાથેસાથે ધનુર્વિદ્યામાં તેનાથી સહેજે ઊતરતો નહોતો. સાથેસાથે તે શ્રીકૃષ્ણનો પરમ મિત્ર અને પૂર્ણ વફાદાર સાથી પણ ખરો. પહેલાં તો બંંને એકબીજા વાગ્બાણોથી વીંધવા લાગ્યા. ધીમેધીમે બંને યોદ્ધાઓ પોતાનું પરાક્રમ બતાવવા જાણે અધીરા થયા. અનેક મહાયોદ્ધાઓ સાથે આજે લડીને થાકેલો સાત્યકિ અત્યારે જાણે મરણિયો બન્યો હતો. સામે તાજોમાજો થઈને યુદ્દ્ઘમાઁ ઊતરેલો ભૂરિશ્રવા રથયુદ્ધ કરવા ધસી આવ્યો

ભૂરિશ્રવાનુંં કથાનક – હિમા યાજ્ઞિક


3
શૌનકભાઈ જોષીની પાંચ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ તેમજ ફતેપુરા ગામની સરકારી શાળાના કર્મઠ આચાર્ય, ઉત્તમ વાસ્તુશાસ્ત્રી અને સંવેદનશીલ કવિ એવા શૌનકભાઈ ગઝલ અને ગીતરચનામાં વિશેષ રૂચિ રાખે છે. કળાના વિવિધ સ્વરૂપોને માણતા એક અદના અભિનેતા પણ છે અને અક્ષરનાદની 'પાસવર્ડ'સહિત અનેક શોર્ટફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે. અક્ષરનાદ પર તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે એ માટે તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભકામનાઓ..

પાંચ ગઝલરચનાઓ.. – શૌનક જોષી


1
ડૉ. નિલય પંડ્યા દ્વારા અનુદિત ઍડગાર ઍલન પૉની જાણીતી વાર્તાઓનો સંગ્રહ 'લાલ મોત' તેમણે અક્ષરપર્વ-૨ના દિવસે ભેટ આપ્યો એ બદલ તેમનો ખૂબ આભાર.. એ સંગ્રહની અનેકવિધ ટૂંકી વાર્તાઓમાંથી પસાર થતા એક અનોખી લાગણી થઈ આવે છે. પૉની વાર્તાઓ સામાન્ય વાર્તાઓ કરતા એક અલગ વિશ્વમાં લઈ જાય છે એ તેમની રચનારીતિની વિશેષતા છે, તો નિલયભાઈના અનુવાદની સશક્ત આવડત પણ આ સંગ્રહમાં ઉડીને આંખે વળગે છે. આજે અક્ષરનાદ પર પ્રસ્તુત વાર્તા કબૂલાતનામું તેમના આ સંગ્રહ 'લાલ મોત' માંથી જ લીધી છે, પૉની વિખ્યાત વાર્તા The Tell-Tale Heart નો એ અનુવાદ છે જેમાં વાર્તાકાર પોતે કરેલા ખૂનનું વિગતે વર્ણન કરે છે, અને એ ખૂન થઈ ગયા પછીનો ઘટનાક્રમ - એ વાત છેક છેલ્લા શબ્દ સુધી વાચકને જકડી રાખે છે. સુંદર સંગ્રહ બદલ નિલયભાઈને શુભકામનાઓ.

કબૂલાતનામું – ઍડગાર ઍલન પૉ, અનુ. નિલય પંડ્યા



સેદલસેક નામનો એક ઓસ્ટ્રિઅન યહૂદી ડેન્ટિસ્ટ ક્રેકોવમાં આવીને શિન્ડલર વિશે તપાસ ચલાવી રહ્યો હતો. બુડાપેસ્ટથી ટ્રેઇન મારફતે એ ક્રેકોવ આવ્યો હતો. તેની પાસેની બનાવટી તળિયાવાળી એક સૂટકેસમાં, જર્મન ગવર્નર જનરલ ફ્રેંક દ્વારા રદ્દ કરીને કબજે કરાયેલી પોલિશ ચલણ ઝ્લોટીની ઢગલાબંધ નોટો ઠાંસી-ઠાંસીને ભરેલી હતી. પોતાના ધંધાર્થે મુસાફરી કરવાના બહાના હેઠળ બુડાપેસ્ટની ઝિઓનિસ્ટ બચાવ સંસ્થાના પ્રતિનિધી તરીકે તે અહીં આવ્યો હતો. દુનિયાના અન્ય લોકોને તો ઠીક, પેલેસ્ટાઇનના ઝિયોનિસ્ટોને પણ છેક ૧૯૪૨ની પાનખર સુધી ખબર ન હતી, કે યુરોપમાં યહૂદીઓ પર કેવો જુલમ કરવામાં આવી રહ્યો છે! યહૂદીઓની પરિસ્થિતિ અંગે નક્કર માહિતી એકઠી કરવા માટે એમણે ઇસ્તંબૂલ શહેરમાં એક કચેરી ખોલી હતી.

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૭)


શનિવાર સાંજ સુધી વસાહતની અંદર એસએસ અત્યંત વ્યસ્ત રહી. ક્રેકુસા સ્ટ્રીટના હત્યાકાંડ દરમ્યાન એસએસની ધાર્યું પરિણામ લાવવાની તાકાત શિન્ડલરે જોઈ જ હતી. હુમલાની આગોતરી જાણ ભાગ્યે જ કોઈને થતી હતી! અને શુક્રવારે કોઈ છટકી જાય, તો છેવટે શનીવારે તો પકડાઈ જ જતું હતું! જો કે આટલી નાનકડી ઉંમરે પણ સ્વસ્થ રહી શકવા જેટલી બુદ્ધિ, અને તેનાં કપડાંનો લાલ રંગ અંધારામાં ભળી જવાના કારણે, જિનીયા એ અઠવાડિયે તો બચી ગઈ! એસએસની લશ્કરી કાર્યવાહી દરમ્યાન એ લાલ બાળક જીવી ગયું હશે એવું વિચારવાની હિંમત ઝેબ્લોસીમાં બેઠેલા શિન્ડલરમાં તો ન હતી! પોમોર્સ્કા સ્ટ્રીટના પોલીસ હેડક્વાર્ટર્સમાં બેઠેલા ટોફેલ અને અન્ય ઓળખીતાઓ સાથેની વાતચીત પરથી શિન્ડલરને ખબર પડી, કે વસાહતમાંથી સાત હજાર લોકોનો સફાયો કરી દેવામાં આવ્યો હતો! યહૂદીઓને લગતી બાબતોની ઑફિસના ગેસ્ટાપો અધિકારીઓ આ સફાઈની જાહેરાત કરતાં ખુશ થતા હતા, તો પોમોર્સ્કા સ્ટ્રીટના કારકુનો પણ જૂન મહીનાની આ કાર્યવાહીનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા!

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૬)


'અક્ષરપર્વ-૨' ના દિવસે, શીતલબેન ગઢવીએ ફેસબુક ગૃપ 'ગઝલ તો હું લખું' નો ચોથો ગઝલસંગ્રહ 'પગથાર' ભેટ આપ્યો. કલકત્તાની મારી મુલાકાત દરમ્યાન આવતા-જતાં ફ્લાઈટની લાંબી મુસાફરીમાં એ સંગ્રહની ગઝલોમાંથી પસાર થવાનો અવસર મળ્યો. એમાંથી ઘણી ગઝલો ખૂબ ગમી ગઈ. આજે એ જ સંગ્રહની મને ગમતી થોડીક ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. આ પહેલા 'લઈને અગિયારમી દિશા' સંગ્રહની વાત પણ અક્ષરનાદ પર મૂકી હતી. આવો સરસ સંગ્રહ આપવા માટે શ્રી મગન મકવાણા 'મંગલપંથી'ને અનેક શુભકામનાઓ.. અને સંગ્રહના સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક અભિનંદન. સોશિયલ મિડીયાના સાર્થક ઉપયોગની દિશામાં આ ગૃપ સદાય અગ્રસર રહ્યું છે, એ હજુ આગળ વધતું રહે એવી અભિલાષા.. સંગ્રહની પ્રાપ્તિની વિગતો અંતે મૂકી છે.

‘પગથાર’ને વિસામે.. – સંકલિત



2
શીર્ષક વાંચ્યું..? ફરીથી એક વખત વાંચી જુઓ. આપણો, આપણી જાત સાથેનો સંબંધ... આવો પણ કોઇ સંબંધ અસ્તિત્વ ધરાવે છે આ વિશ્વમાં? આપણી ખુદની જાત સાથે શેનો સંબંધ? તો તેનો જવાબ છે - હા.. આવો સંબંધ હોય. દરેક વ્યકિતનો પોતાની જાત સાથેનો, પોતાના હ્રદય સાથેનો, પોતાના અંતરાત્મા સાથેનો સંબંધ હોય છે. જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત કે સંજોગ પછી પોતાની જાત સાથે તે ઘટના, પરિસ્થિત, સંજોગનું પૃથક્કરણ કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, સમસ્યા હોય તો સમાધાન પૂછે છે, ભૂલ થઇ હોય તો પસ્તાવો પણ કરે છે.

આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા


3
આજે વર્લ્ડ ઓર્ગન ડૉનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસ છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં - એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે. અક્ષરનાદ શ્રાવણનો આ પવિત્ર સોમવારનો દિવસ અંગદાનને લગતી જાગૃતિ ફેલાવવામાં અને એ માટે વધુને વધુ લોકોને પ્રેરીત કરવાના હેતુથી અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવા ધારે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં - શ્રાવણના આખા મહીનામાં દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા થયો છે. ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય, ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું, સમાજની વાડીઓ વગેરેમાં સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કુંવારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય, દાન ડાબા હાથે થાય તો જમણા હાથને ખબર ન પડે એ રીતે કરવાનો મહિમા થયો છે.

વિશ્વ અંગદાન દિવસ.. અંગદાન મહાદાન (ઈ-પુસ્તક)


વસાહતમાં લોકોને જે તકલીફો પડતી હતી તેના વિશે થોડી ધારણા તો ઓસ્કર પોતાના કર્મચારીઓના ચહેરા પરથી જ બાંધી લેતો હતો. શ્વાસ લેવાની, શાંતિથી ભોજન લેવાની કે પોતાના કુટુંબ સાથે બેસીને પૂજાપાઠ કરવાની પણ ફુરસત વસાહતમાં કોઈની પાસે ન હતી. સામેની વ્યક્તિ પર શંકા રાખીને જ કેટલાયે લોકો પોતાના માટે આશ્વાસન અને રક્ષણ મેળવી રહ્યા હતા. રસ્તા પર જતા યહૂદી પોલીસ પર જાય એટલી જ શંકા એમને પોતાની સાથે રહેતા માણસ પર પણ રહેતી હતી! એ સમય જ એવો હતો, કે કોઈ ડાહ્યો માણસ પણ કોના પર વિશ્વાસ કરવો એ નક્કી કરી શકે તેમ હતું નહીં! જોસેફ બાઉ નામના એક યુવાન કલાકારે વસાહત વિશે લખ્યું હતું, કે “એક-એક રહીશનું પોતાનું આગવું, ગુપ્ત અને રહસ્યભર્યું વિશ્વ હતું.”

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૫)



પોલીસમેન ટોફેલ અને એસએસની ટેક્સ્ટાઇલ ફેક્ટરી ઓસ્ટફેઝરના દારુડિયા અમલદાર બૉસ જેવા વિવિધ સ્ત્રોત તરફથી ઓસ્કરને અફવાઓ સાંભળવા મળી હતી, કે વસાહતમાં આથી પણ વધારે સઘન લશ્કરી કાર્યવાહી થવાની હતી. કાર્યવાહીનો અર્થ કંઈ પણ કરી શકાય તેમ હતો. લ્યૂબિનથી આવેલી કેટલીક કમાન્ડો ટૂકડીઓને એસએસ દ્વારા ક્રેકોવમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. વંશીય સુધારણાના ક્ષેત્રે આ ટૂકડીઓએ બહુ નક્કર કામગીરી નિભાવી હતી! ટોફેલ દ્વારા ઓસ્કરને એવી માહિતી આપવામાં આવી હતી હતી, કે એણે ઉત્પાદનમાં કાપ મૂકવો ન હોય, તો જુન મહિનાની પહેલી અઠવાડિક રજા સબાથ પછી રાત્રે કામ કરનારા કર્મચારીઓ માટે ફેક્ટરીમાં જ થોડી પથારીઓની કામચલાઉ વ્યવસ્થા કરી રાખવી.

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૪)


3
ગુજરાતીઓમાં શિયાળાનું અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળશે. શિયાળામાં ઘરનાં શાકભાજીનું બજેટ કદાચ બમણું થઈ જતું હોય છે અને કેમ ન થાય? પેલી તાજી બાંધેલી નાની નાની ક્વાંટ - છોટાઉદેપુરની થોડી વધારે કડવી મેથીની ઝૂડીઓ, મરવા પડેલા માણસના મોઢામાં મૂકો ને પ્રાણ પૂરે એવા એ રિંગણાં, વાલોળ, સૂરતી પાપડી, લાલચોળ ગાજર અને પાંચ પાંચ દાણા ભરેલી તુવેર. મુંહ માંગી રકમ દે દેંગે!! શિયાળાની શરૂઆતમાં શાકભાજી મોંઘા હોય છે એટલે જમવામાં આંબામોર હળદર અને થોડું સલાડ ખાઈ ને લુત્ફ ઉઠાવીએ છીએ. એ તો ઠીક તુવેર ૬૦ રૂપિયે કિલો હોય તો પણ અઠવાડિયામાં એકાદ વાર તુવેર - રીંગણાંનું શાક પણ થઈ જાય. પણ ક્યારે તુવેર જરા ૪૦ રૂપિયે કિલો થાય અને ક્યારે જેના માટે આટલી બધી કસરત કરીએ છીએ એ કચોરીઓ ઘરે બને એની રાહ જોવાય છે.

કામણગારી કચોરીઓ – રૂચિર શાહ


4
‘પરબીડિયામાં હવા મોકલી છે..’ અને 'હું હવે કાગળ ઉપર' એવા બે સુંદર ગઝલસંગ્રહ આપણને આપનારા કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિની ગઝલો ઘણાં વખતે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. દરેક ગઝલને ભવપૂર્વક સંભળાવતા, એ ગઝલો પરના પ્રતિભાવોને ગંભીરતાથી લેતા જિતેન્દ્રભાઈ ખૂબ સંવેદનશીલ કવિ છે, એમની ગઝલોમાં એમનું ભાવવિશ્વ, અનુભૂતિ અને અનુભવો ઉડીને આંખે વળગે છે. આજની તેમની ચારેય ગઝલો પણ એ જ સંવેદના લઈને આવે છે. આ ગઝલો અક્ષરનાદને પાઠવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને મબલખ શુભકામનાઓ.

ચાર ગઝલરચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ



8
રોહન ફક્ત પાંચ વર્ષનો હતો જ્યારે એની મા એને અને અપંગ પતિને સાસુના ભરોસે મૂકીને જતી થઈ હતી. માથી ક્યારેય અળગો ન રહેનાર રોહન એના વિના તરફડતો, રડતો રહેતો. દાદી અને પપ્પા એના પર અપાર સ્નેહ વરસાવતા, પણ રોહનને તો મમ્મીના સ્નેહની જ ખેવના રહેતી. મમ્મીના ગયા પછી બીજા જ મહિને એને શહેરની સૌથી શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મળી ગયો. બીજા બાળકોની મમ્મીને જોઈને રોહનનો જીવ બળતો. એના દાદી પોતાના પ્રેમના મલમથી એના કોમળ હૈયે લાગેલા ઘા રૂઝવવાનો પ્રયત્ન કરતા.

ચુંદડી – મિત્તલ પટેલ


1
ગુજરાતી સાહિત્યના મધ્યકાલમાં આપણે ભક્તિ જ્ઞાનપ્રેરક રચનાનું એક ઘોડાપુર જોઈ શકીયે છીએ. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ ગુજરાતીભાષાને સામાજિક સંસ્કારોથી ઘડે છે. ભક્તિમાર્ગ પ્રવર્તક નરસિંહ વ્યાવહારિકિ રીતિમાં પણ ભક્તિનો પ્રવેશ કરાવે છે. તેથી તેના આત્મકથનાત્મક પદો ‘હૂંડી’, ‘હાર’, ‘મામેરું’, ‘શામળશાનો વિવાહ’માં આ પ્રકારના સંસ્કારો દેખાય છે. જ્ઞાન અને ઉપદેશની અનિવાર્યતા તે સમયનું કદાચ જરૂરી પરિબળ હશે પણ નરસિંહથી શરૂ થયેલી કવિ પરંપરા વ્યવહાર જીવનમાં પણ ભક્તિપ્રધાન કેમ રહેવું તેનું નિદર્શન કરે છે. આથી અખો, પ્રેમાનંદ, ભાલણ, નાકર, મીરાં જેવાં અગ્રહરોળના કવિઓના જીવનમાં પણ ભક્તિ આંદોલનનું ખૂબ મહાત્મ થયું છે.

દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા


એ ઉનાળે પણ, હજુ સુધી લોકો એ વિચારને જ વળગી રહ્યા હતા, કે વસાહત ભલે નાની હોય, પરંતુ પોતાની કાયમી માલિકીની તો હશે! ૧૯૪૧ના વર્ષમાં આ વિચાર સાચો પણ લાગતો હતો. વસાહતમાં એક પોસ્ટઑફિસ હતી, અને વસાહતની પોતાની પોસ્ટેજ સ્ટેમ્પ પણ હતી. વસાહતનું આગવું સમાચારપત્ર પણ હતું, પછી ભલે તેમાં વેવેલ અને પોમોર્સ્કા સ્ટ્રીટના આદેશો સિવાય ખાસ કશું છપાતું ન હોય! લ્વોસ્કા સ્ટ્રીટમાં રેસ્ટોરન્ટ બનાવવાની છૂટ પણ મળી હતીઃ ફોર્સ્ટર રેસ્ટોરન્ટ! ગામડામાં રહેવાનાં જોખમો, અને ગ્રામજનોનાં બદલાતાં રહેતાં વલણથી બચવા માટે વસાહતમાં પાછા આવી ગયેલા રોસનર બંધુઓ એ રેસ્ટોરન્ટમાં વાયોલિન અને એકોર્ડિઅન વગાડતા હતા. થોડા સમય માટે તો એમ પણ લાગ્યું, કે શાળાઓમાં ઔપચારીક શિક્ષણ પણ શરૂ થઈ જશે, ઓર્કેસ્ટ્રા એકઠું થશે, સંગીતના કાર્યક્રમો નિયમિત યોજાશે, અને કોઈ ઉપયોગી જૈવિક સંરચનાની માફક જ યહૂદી જીવન પણ, એક કારીગરથી બીજા કારીગર સુધી અને એક વિદ્વાનથી બીજા વિદ્વાન સુધી, ફરી એક વખત શેરીઓમાં પનપવા લાગશે! પરંતુ આવો વિચાર કરવો એ એક તરંગી બાબત જ નહીં, પરંતુ ઇતિહાસના તર્કસંગત વહેણ માટે અપમાનજનક હોવાની જાહેરાત પોમોર્સ્કા સ્ટ્રીટના એસએસ અધિકારીઓ દ્વારા હજુ સુધી કરવામાં આવી ન હતી!

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૩)



ગામડામાંથી આવેલું એ દંપતી આમ તો બહુ આબરૂદાર હતું. બાળકીને ગામડામાંથી ક્રેકોવની વસાહતમાં લઈ આવતાં એમને શરમ પણ આવતી હતી. બાળકી એમને ખૂબ જ વહાલી હતી અને એમની સાથે ભળી પણ ગઈ હતી! પરંતુ એક યહૂદી બાળકને હવે તેઓ પોતાની સાથે રાખી શકે તેમ ન હતાં. એસએસ તો શું, નગરપાલિકા પણ હવે તો એક યહૂદીની ભાળ આપવા બદલ પાંચસોથી વધારે ઝ્લોટીનું ઈનામ આપતી હતી. યહૂદીઓના પડોશીઓ જ તેમની માહિતી પોલીસને પહોંચાડી દેતા હતા, એટલે પડોશી પર પણ ભરોસો રાખી શકાય તેમ ન હતો. અને કોઈને ખબર પડી જાય તો એકલી બાળકી જ નહીં, તેઓ પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ હતું. હે ઇશ્વર, ગામડામાં તો એવા પણ વિસ્તારો હતા, જ્યાં ગ્રામજનો દાતરડાં લઈ-લઈને યહૂદીઓને શોધવા લાગી પડ્યા હતા!

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૨)


કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે આપણું એકાગ્ર હોવું જરૂરી છે. એ પછી આપણે ડૉક્ટર બનવા ઈચ્છતા હોઈએ, સર્વોત્તમ એથલિટ, મહાન ગાયક કે કલાકાર બનવા ઈચ્છીએ કે પછી એક અમીર વેપારી બનવા ઈચ્છીએ. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી રીતે એકાગ્ર થવું પડશે. જે કોઈએ પણ પોતાના જીવનમાં એક પણ મોટી સિદ્ધિ મેળવી છે એના જીવનને જુઓ. એ જોતા આપણને જણાશે કે એનામાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની અનન્ય લગન હતી. અધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ કંઈ જુદું નથી. એ મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે અધ્યાત્મિકઆભ્યાસ કરીએ, પૂરી એકાગ્રતાથી કરીએ. પોતાની જાતને જાણવાના લક્ષ્ય ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ. મહાન સૂફી સંત બાયજીદ બુસ્તામીની જિંદગીનો એક કિસ્સો છે. એકવાર એ પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતાં. ગુરુએ તેમને બારી પાસે રાખેલું પુસ્તક લાવવા કહ્યું.

એકાગ્રતા – સંત રાજિન્દરસિંહજી મહારાજ


20
ઈ.સ. પૂર્વે ૨૨૦૦. સ્થળ: ભારતવર્ષનું મહત્વપૂર્ણ બંદર લોથલ. નગરી પીળી માટીથી બનેલા આવાસોથી શોભી રહી છે. ઘૂઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસી રોમાંચ અનુભવે છે. બળદની ઘૂઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નીલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહી છે, તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમાં સજીધજી ગૌરવપૂર્ણ ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.

લોથલનો શિલ્પી – ગોપાલ ખેતાણી (કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૧૭માં છઠ્ઠા ક્રમે વિજેતા)



લિપોવા સ્ટ્રીટથી થોડે દૂર એક સાંકડા માર્ગ પર, ‘જર્મન બોક્સ ફેક્ટરી’ આવેલી હતી, જેનો પાછળનો ભાગ શિન્ડલરના એનેમલ પ્લાંટ તરફ પડતો હતો. કંપનીઓનો ભૂખ્યો અજંપ શિન્ડલર ઘણી વખત એ તરફ ફરવા નીકળી પડતો, અને ફેક્ટરીના નિરીક્ષક અર્ન્સ્ટ કનપાસ્ટ સાથે, કે પછી કંપનીના જૂના માલિક અને અત્યારના બની બેઠેલા મેનેજર એવા સાઇમન જેરેથ સાથે ગપ્પા મારી લેતો હતો. જેરેથની બોક્સ ફેક્ટરી છેલ્લા બે વર્ષથી ‘જર્મન બોક્સ ફેક્ટરી’ બની ગઈ હતી, અને એ પણ, હંમેશની માફક કોઈ પણ જાતની રકમની લેવડદેવડ કે દસ્તાવેજ પર સહી કર્યા વગર જ!

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૧)


12
તો આજે અક્ષરનાદ આયોજીત ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌નું પરિણામ પ્રસ્તુત છે. નિર્ણાયકો આદરણીય શ્રી હરીશ મહુવાકરજી અને શ્રી કામિની સંઘવીજીનો આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ખૂબ ચીવટથી તપાસીને, અત્યંત કાળજીપૂર્વક પરિણામ આપ્યુંં છે. દરેક માઈક્રોફિક્શન વાર્તાને નિર્ણાયકોએ દસમાંથી ગુણાંક આપ્યા છે. આટલી બધી માઈક્રોફિક્શન અને એને દરેકને નાણીને ગુણ આપવાની આ લાંબી પ્રક્રિયા છતાં અને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ સમય ફાળવીને પરિણામ આપવા બદલ બંને નિર્ણાયકોનો હ્રદયપૂર્વક આભાર.

પરિણામ – ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


આર્થર રૂસનઝ્વાઇગના યહૂદી મંડળના સભ્યો હજુ પણ પોતાને વસાહતમાં રહેતા યહૂદીઓના ભરણપોષણ અને આરોગ્યના સંરક્ષક માનતા હતા, અને વસાહતની યહૂદી પોલીસ પાસે પોતે કોઈ સમાજસેવક હોય તેવી પાડતા હતા. યુવાન યહૂદીઓ પ્રત્યે દયા દાખવીને તેમને થોડું શિક્ષણ મળી જાય તેવો પ્રયત્ન પણ તેઓ કરતા હતા. જો કે એસએસ મુખ્યાલય માટે તો તેઓ એવા એક વધારાના પોલીસદળ જેવા જ હતા, જેમણે અન્ય પોલીસદળની માફક એસએસના હુકમનું માત્ર પાલન જ કરવાનું હોય! પરંતુ સન ૪૧ના ઉનાળા સુધી જીવતા રહેલા યહૂદી પોલીસદળના કોઈ સભ્યની સ્થિતિ એવી રહી ન હતી.

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૦)



વસંતના એ દિવસોમાં, એક દિવસ શિન્ડલર પોતાની ફેક્ટરીમાંથી નીકળીને પોતાની બીએમડબ્લ્યૂમાં સીમા પાર ઝ્વિતાઉની વાસંતી મોસમમાં મહોરી ઊઠેલાં જંગલોમાં હંકારી ગયો. રૂવાંટીદાર કોલરવાળો કોટ પહેરીને બેઠેલો ઓસ્કર, ખાસ બનાવટના વ્હીલને એક હાથે સરળતાથી ફેરવતો, બીજે હાથે સિગારેટ સળગાવી રહ્યો હતો. એમિલીની સાથે-સાથે આજે એ પોતાનાં કાકી અને બહેનને પણ મળવા જવાનો હતો. ઘરનાં બધાં જ સભ્યો શિન્ડલરના પિતાની વિરુદ્ધમાં એક થઈ ગયાં હતાં; શિન્ડલરની માતાએ આપેલા ભોગ પ્રત્યે બધાંને કુણી લાગણી હતી. મૃત માતા અને પત્ની વચ્ચે કોઈ સામ્ય હોય તો પણ ઓસ્કર એ જોઈ શકતો ન હતો! આવી બાબત સમજવી, એ કંઈ બચ્ચાંના ખેલ ન હતા! જેસેનિક્સ તરફ જતો ઠંડોગાર રસ્તો એક પછી એક સિગારેટના સહારે પૂરો થઈ રહ્યો હતો. તેના પિતા તો જાણે પોતાને ભગવાન જ માનતા હતા, એટલે એમની સાથે વધારે સખ્તાઈથી કામ લેવું પડે તેમ હતું.

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૯)


21
જ્યારે તમે માર્ચ-એપ્રિલમાં મારા વતનમાં પગ મૂકશો તો કેડીની બન્ને તરફ મઢેલા પલાશ ઉર્ફે ખાખરા (ખાવાના નહીં હોં!)ના વૃક્ષો પોતાના ઉગ્ર કેસરિયા રંગથી તમારું સ્વાગત કરશે. થોડો ઠંડીનો ચમકારો મહેસૂસ કરશો અને સાથે મહુડાનાં ફૂલોની માદક મહેક તમને તરબતર કરશે. જ્યાં જ્યાં તમારી નજર ફરશે, ત્યાં જંગલ દેખાશે. ક્યાંક "વાહન ધીમે હાંકો" લખેલા બોર્ડ હશે તો ક્યાંક "પહેલા વન્યપ્રાણીઓને માર્ગ ક્રોસ કરવા દો" લખેલા, કારણ તમે મારી કર્મભૂમિમાં છો. નામ છે બાંધવગઢ! મધ્યપ્રદેશનું એક ગામ જે પોતાના ટાઇગર રીઝર્વ માટે નામાંકિત છે. અરે! પણ મેં તો મારો પરિચય તમને આપ્યો જ નહીં. હું, ટી ૭૧ ઉર્ફે પન્નાલાલ, ૬ વર્ષનો બંગાળ ટાઇગર. આમ તો પ્રવાસલેખ લખવા એ મારું કામ નથી પણ એ તો આ હિરલ નામનું મનુષ્ય મને મળવા મધ્યપ્રદેશ આવ્યું હતું તો મેં વિચાર્યું, હું જ મારા વતનની માહિતી તમને એના લેખ દ્વારા પહોંચાડું.

મારો બાંધવગઢનો પ્રવાસ – હિરલ પંડ્યા


8
સ્વ. પ્રકાશ પંડ્યાના અવસાનના બરાબર એક અઠવાડીયા પહેલા, હું ઓરિસ્સા હતો ત્યારે રાત્રે લગભગ સાડા આઠે પ્રકાશભાઈનો ફોન આવેલો. મને કહે કે તમે ગાઈ શકો છો એ ખબર નહોતી. કદાચ શ્રી હર્ષદભાઈ દવેએ તેમને અક્ષરપર્વ-૧નો વિડીયો દેખાડ્યો હશે. મેં કહ્યું, શોખ તો વર્ષોથી પણ હિંમત નથી થઈ કદી, એક જ વખત અક્ષરનાદનું પર્વ યોજેલું એમાં ધ્રુવભાઈની રચનાને સ્વર આપવાનો પ્રયત્ન મેં કરેલો. મારા પોતાના ગાયેલા ગીતો મારા સિવાય અને ઘરના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈએ સાંભળ્યા છે. તો એ કહે, અક્ષરપર્વનો એ કાર્યક્રમ સાત વર્ષ પહેલા કરેલો, ત્યાર પછી ફરી કદી કેમ કર્યો નહીં? મેં કહ્યું, એ વખતે એટલા ખરાબ અનુભવ થયેલા કે પછી હિંમત જ ન થઈ. કવિસંમેલનમાં દિગ્ગજ કવિઓ સ્ટેજ પર હતા, અને એટલા જ શ્રોતાઓ સામે હૉલમાં. આર્થિક રીતે પણ ઘણો ઘસાયેલો અને જ્યારે એ સિવાય પણ સાથ આપવાનો વારો આવ્યો ત્યારે એક ગૃપના મિત્રોએ હાથ ખેંચી લીધો હતો, એટલે હવે હિંમત નથી થતી.

અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો



3
પર્યાવરણ કે વાતાવરણ જે એક કામળો - આવરણ છે એ સમુદ્રની સપાટીથી લગભગ બસો માઇલ ઉપર સુધી વાયુના રુપમાં પૃથ્વીને વિંટળાયેલું છે; એ સૂર્યના પ્રખર કિરણો સામે આપણું રક્ષણ કરે છે. એ ઓઝોન, ઓક્સિજન (પ્રાણવાયુ જે આપણે શ્વાસમાં લઇએ છીએ), કાર્બન ડાયોકસાઇડ કે અંગાર વાયુ, હિલિયમ જેવા વિવિધ વાયુઓનું બનેલુ છે, એને લીધે પૃથ્વી પર માનવજીવન શક્ય બન્યું છે.

આપણું પર્યાવરણ – વિમલા હીરપરા


એ વર્ષની ક્રિસમસ જો કે એટલી બધી ખરાબ પણ ન રહી, પરંતુ વાતાવરણમાં ગમગીની જરૂર છવાયેલી રહી. પાર્કલેન્ડના શિન્ડલરના ઘરની સામે કોઈ યક્ષપ્રશ્નની માફક બરફ પથરાઈ ગયો હતો. વૉવેલની ટોચથી છેક રસ્તા સુધી અને કેનોનીઝા સ્ટ્રીટના પ્રાચીન દરવાજા સુધી, કોઈએ જાણી જોઈને ચોક્કસ પ્રયોજનથી, સાવધાનીપૂર્વક અને કાયમ માટે ગોઠવી દીધો ન હોય! નદીની આ પાર કે પેલે પાર, ન સૈનિકદળને, ન પોલેન્ડવાસીઓને કે ન યહૂદીઓને, કોઈને પણ હવે એવો ભરોસો રહ્યો નહોતો, કે આ સમસ્યાનું ઝડપી નિવારણ થઈ શકશે!

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૮)


વસાહતની સ્થાપનાને કારણે વૉરસો અને લોડ્ઝ જેવા મોટા શહેરમાંથી, અને ગવર્નર ફ્રેંકે આપેલા યહૂદી-મુક્ત શહેરના વાયદાને કારણે ક્રેકોવમાંથી કેટલાયે યહૂદીઓ, ગ્રામવાસીઓ સાથે ભળી જવાના ઈરાદે ગામડાઓમાં ચાલ્યા ગયા હતા. આગળ જતાં ઓસ્કર સાથે જેમનો પરિચય ગાઢ થવાનો હતો એ ક્રેકોવિઅન સંગીતકાર રોસનર બંધુઓ ટીનિએક નામના એક પ્રાચીન ગામડામાં જઈને વસ્યા હતા. વિસ્તુલા નદીના એક સુંદર વળાંક પર આવેલા ટીનિએકની ઉપરવાસે ઝળુંબતી ચૂનાના પત્થરોની એક કરાડ ઉપર સંત બેનિડિક્ટના સંપ્રદાયનો મઠ આવેલો હતો. તો પણ, રોસનર બંધુઓ છુપાઈ શકે એ માટે અહીં પૂરતો અવકાશ હતો. ગામમાં કેટલાક યહૂદી દુકાનદારો અને રૂઢિચુસ્ત કારીગરો રહેતા હતા. નાઈટક્લબમાં વગાડતા આ સંગીતકારો માટે તેમની સાથે વાતચીત કરવાનું આમ તો ખાસ કોઈ કારણ ન હતું. પરંતુ રોસનર બંધુઓની ધારણા મુજબ, ખેતીકામમાં વ્યસ્ત ખેડુતોને તો આ સંગીતકારો તેમના ગામમાં આવીને વસ્યા એ ખુબ જ ગમ્યું હતું.

શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૭)



6
૨૨ ડીસેમ્બર ૧૭૦૪ ના રોજ સરસા નદીના કિનારે ચમકૌર નામની જગ્યા પર શિખો અને મુઘલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું જે 'ચમકૌરના યુદ્ધ'ના નામથી પ્રસિદ્ધ છે. આ યુદ્ધ શિખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ અને મુઘલ સેનાના સેનાપતિ વઝીરખાન વચ્ચે થયું હતું. વઝીરખાન, ઔરંગઝેબ તરફથી કોઈ પણ હિસાબે ગુરુ ગોવિંદસિંહ ને જીવતા અથવા મરેલા પકડવા માંગતો હતો, કારણકે ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબના હજારો પ્રયત્નો છતાં, મુઘલ સામ્રાજ્યની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતા. ગુરુ ગોવિંદસિંહ અને એમના ૪૦ સાથીઓને કચડવાનો મુઘલ સેનાએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ મુઘલ સેના તાબે થયું નહિ એની આ વીર ગાથા છે.. 'ઝાફરનામાં' માં આ યુદ્ધનો ઉલ્લેખ કરતાં ગુરુ ગોવિંદસિંહે લખ્યું છે, 'ચિડીઓં સે મેં બાજ લડાઉં.. ગીધડો કો મેં શેર બનાઉં.. સવા લાખ સે એક લડાઉ.. તભી મેં ગુરુ ગોવિંદ કહાઉ..'

ચમકૌરનું યુદ્ધ – જલ્પા વ્યાસ


3
ચોવીસમાં અને છેલ્લા જૈન તીર્થંકર મહાવીરનો જન્મ આજથી લગભગ ૨૫૪૦ વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૫૩૯માં તત્કાલીન વૈશાલી જનપદના કુંડપુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. એમના પિતા સિદ્ધાર્થ લીચ્છવી કુળનાં રાજા હતા. એમનાં માતાનું નામ ત્રિશલા હતું. મહાવીરના જન્મ પહેલાં, માતાએ ચૌદ અત્યંત શુભ સ્વપ્નો જોયાં હતાં. ભગવાન મહાવીરના પાંચ અગત્યના પ્રસંગો ‘પાંચ કલ્યાણક’ કહેવાય છે. પ્રસંગ પહેલો તો તેઓ માતાની કૂખમાં આવ્યા એ, બીજો જન્મ પામ્યા એ, ત્રીજો તેમનો સંસાર છોડવાનો પ્રસંગ, ચોથો વિશિષ્ટ જ્ઞાન મેળવ્યાનો પ્રસંગ અને પાંચમો મોક્ષ પામ્યાનો પ્રસંગ. આ પાંચે પ્રસંગોએ આખુંયે જગત આનંદવિભોર બની જાય છે. એથી જ એણે ‘કલ્યાણક’ કહેવાય છે.

શ્રી મહાવીર સ્વામી – સંક્ષિપ્ત જીવન


5
શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું

દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા