વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

8
અક્ષરનાદ પર આ પહેલા – ગત વર્ષે મારા અખતરારૂપ એક શૉર્ટ ફિલ્મમાં અભિનય કરવા અને ‘ગાંધીજી’નું પાત્ર ભજવતા અભિનેતાના પાત્રને ન્યાય આપવાના યત્ન વિશે લખેલું. એ જ ઘટનાક્રમને આગળ વધારતા ફિલ્મ ‘ગાંધી વર્સિસ મોહનીયો;, ફ્લોરન્સ, ઈટાલીના રિવર ટુ રિવર ફિલ્મ ફેસ્ટીવલમાં વિશેષ પ્રદર્શન રૂપે વનટેકમિડીયા તરફથી રજૂ થઈ હતી. અને હવે એ યૂટ્યૂબ તથા ડેઈલીમોશન પર ઉપલબ્ધ છે જે આપ અહીં જોઈ શક્શો. http://youtu.be/UAI9adMs7GI (Gandhi Versus Mohanio Short Film) અને Short Film – Gandhi Versus Mohanio by 1takemedia શોર્ટ ફિલ્મની એક અનોખી, કલાત્મક, મહેનત અને ધગશ માંગી લેતી અને રચનાત્મક દુનિયા છે. શોર્ટ ફિલ્મ માટે વિષયપસંદગી જેટલી અગત્યની છે એટલું જ અગત્યનું પાત્રાલેખન, પાત્રો માટે વિવિધ અદાકારોની પસંદગી અને સમગ્ર શૂટિંગ દરમ્યાનની નાની નાની કાળજીઓ રાખવી વગેરે જેવી અનેક અગત્યની બાબતો શામેલ છે. આ ફિલ્મમાં અદાકારી કરતા અને અન્ય બાબતોને લઈને એ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો પ્રોફેશનલ નહોતા. એટલે અને પ્રથમ પ્રયત્ન હોઈને અનેક નાની ભૂલો અથવા નજર ચૂકવીને છટકી ગયેલી બાબતોને અવગણીએ તો આખી ફિલ્મ એકધારી વહે છે. આ ફિલ્મ લગભગ બારેક મિનિટની બનશે એવી મારી ધારણા હતી પરંતુ તે કપાઈને – એડિટ થઈને ફક્ત પાંચ મિનિટથી થોડી વધુ રહી. અને એક નાનકડી ભૂલને લીધે બદનસીબે એક ખૂબ મોટી સીક્વન્સ આખી કપાઈ ગઈ. જો કે વાર્તાની ઝડપ અને પ્રવાહિતાને લીધે ફિલ્મમાં કશુંય ખૂટતું હોય તેવું અનુભવાતું નથી. વાર્તાને પૂરેપૂરો ન્યાય મળે છે અને સચોટ અસર ઉપજાવવામાં પણ તે સફળ રહે છે. આ ફિલ્મે મને પરોક્ષ રીતે ઘણી પ્રેરણા આપી છે. શૉર્ટફિલ્મના ભાગ બનવું કે ફિલ્મ બનાવવી એવું સ્વપ્ને પણ કદી નહિં વિચારેલું, પણ હવે આવતા એકાદ મહીનામાં ફરીથી હું […]

ગાંધી વર્સિસ મોહનીયો (શૉર્ટ ફિલ્મ)


2
શ્રી હર્ષદભાઈ દવેએ ચિંતન અને વિચારપ્રેરક પુસ્તકોના ગુજરાતી અનુવાદ આપ્યા છે. 'ફૂલછાબ' દૈનિકની સાપ્તાહિક પૂર્તિમાં એમણે ટૂંકા પરંતુ ચોટદાર પ્રસંગોને લઈને 'પલ દો પલ' નામની કટાર અંતર્ગત જે લેખો લખ્યા તેનું નાનકડું પરંતુ અસરકારક અને સુંદર સંકલન એટલે આ પુસ્તક - 'પલ દો પલ'. આ પુસ્તક વૈવિધ્યસભર ટૂંકા પ્રસંગોને આવરી લઈને કોઈ ઉપદેશ આપવાની કોશિશ વગર ફક્ત એક પ્રસંગ તરીકે રજૂ કરે છે. તેમાં ક્યાંક ગંભીર વિચારપ્રેરક લેખ પણ છે તો ક્યાંક રમૂજ પણ ઝળકે છે. આજના માણસને વાંચનમાં પણ લાઘવ અને વૈવિધ્ય જોઈએ છે. સંસ્કૃત મિમાંસકોએ એવું કહ્યું છે કે જો કાનો અને માત્ર પણ બચાવી શકાય તો પુત્રજન્મ જેવો આનંદ થાય. હર્ષદભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં અનેક પુત્રજન્મનો આનંદ વહેંચ્યો છે. એક અવશ્ય વાંચવા જેવું રત્ન અને ૫૯ નાનામોટા લેખોના આ સંગ્રહમાંથી આજે બે કૃતિઓ પ્રસ્તુત કરી છે. 'પતિ-પત્ની અને સ્વોટ વિશ્લેષણ' તથા 'જરા ગુજરાતી ગુંજન...' શીર્ષક ધરાવતા આ બે લેખ સુંદર અને અનોખા છે.

બે વૈવિધ્યસભર લેખ – હર્ષદ દવે


5
વેદ-પુરાણકાળથી આપણા ભક્તિપ્રકારોમાં સૂર્યોપાસનાની ખૂબ પ્રચલિત પ્રણાલિકા રહી છે. સૂર્ય શક્તિ, ઉર્જા અને પ્રકાશનો ભંડાર છે. અને આપણા વેદોમાં પ્રકૃતિના બધા તત્વો - હવા, પાણી, અગ્નિ તથા સૂર્ય વગેરેને દેવો તરીકે ગણીને તેમના શ્રેષ્ઠ તત્વો - ઉર્જા પ્રાપ્ત કરવા માટેના માર્ગો બતાવ્યા છે. આ ઉપાસનાની સાથે સાથે સૂર્યમાંથી મળતી ઉર્જાને પ્રાપ્ત કરવાની ભાવના છે. સૂર્યનમસ્કારને વૈજ્ઞાનિક માન્યતા મળી છે ત્યારે આવા સ્તોત્ર એ અખૂટ ઉર્જાભંડાર તરફની લાગણી વ્યક્ત કરવાનો અનેરો માર્ગ છે. આપણા વડીલોના મુખેથી આપણે એક અથવા બીજા અવસરે પ્રસ્તુત રચનાઓ સાંભળી જ છે. અક્ષરનાદના આવા જ એક વાચકમિત્ર શ્રી નલિનિબેન દેસાઈએ, તેમના માતુશ્રી પ્રસ્તુત સ્તુતિ ભાવપૂર્ણ સ્વરે ગાતા એ યાદ કરીને મકરસંક્રાંતિના દિવસે અક્ષરનાદને તેમની ડાયરીમાંથી આ સૂર્યસ્તુતિ પાઠવી છે. તેમનો આભાર વ્યક્ત કરીને આજે આ રચના મૂકી છે.

નમું આજ આદિત્ય ને હાથ જોડી (સૂર્યસ્તુતિ) – ‘વસંત’



10
અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. પ્રસ્તુત વાર્તા ગુર્જર પ્રકાશનની વાર્તા ઉત્સવ માં છપાઈ ચૂકી છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

યાચક (ટૂંકી વાર્તા) – નિમિષા દલાલ


1
શ્રી કિસન સોસા આપણા જાણીતા અને સિદ્ધહસ્ત ગઝલકાર છે. તેમના અનેક પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં અનસ્ત સૂર્ય (૧૯૮૫), અનૌરસ સૂર્ય (૧૯૯૧), સૂર્યની જેમ ડૂબી ગયું હાર્મોનિયમ (૧૯૯૨), અનાશ્રિત સૂર્ય (૧૯૯૭), છબ છબ પતંગીયું ન્હાય (૧૯૯૯), સહરા (૧૯૭૭) અડધો સૂર્ય (૧૯૯૭) વગેરે મુખ્ય છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર ગઝલો. આશા છે ગઝલરચનાની સમગ્ર પ્રક્રિયા ચાલો ગઝલ શીખીએ... શ્રેણી મારફત વિગતે શીખ્યા પછી આ ગઝલ નવોદિત ગઝલકારો માટે સીમાસ્તંભ બની રહેશે.

બે ગઝલરચનાઓ – કિસન સોસા


10
અક્ષરનાદને વધુ વાંચવાલાયક, ઉપયોગી, વિસ્તૃત અને સુનિયોજીત બનાવવા અને વિષય વૈવિધ્ય વધારવાના ભાગ રૂપે કેટલાક નવા આયોજનો કરવા ધાર્યું છે. ઘણા સમયથી અવ્યક્ત આ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે આ પ્રયત્ન આવશ્યક થઈ ગયો છે. વળી છેલ્લા થોડા સમયથી હવે અમે અંગત રીતે પૂર્ણ સમય આપી શકતા નથી, એ કારણે પણ આજે આ વિશેષ વાત મૂકી છે.

વાચકમિત્રોને નિવેદન… – સંપાદક



2
આજે જેમની રચનાઓ પ્રસ્તુત કરી છે એ ચારેય વાચકમિત્રોની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે તેમની નવી રચનાઓ પ્રસ્તુત છે. ધવલભાઈ સોની રચિત પ્રથમ રચના છે પ્રેમ અને સંવાદની, પ્રેમ હમેશા આપવાથી વધે છે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં ઝઘડા હોય જ.... મીઠા ઝઘડા પ્રેમ વધારે છે... પહેલી રચનાનું શીર્ષક 'સંવાદ તો કર' કહે છે તેમ તેમાં એક યુગલની, એક સંબંધની વાત કરી છે. એક જ છત નીચે રહેતા હોવા છતાં બંને વચ્ચે જે અંતર છે તે દૂર કરવાની વાત કરી છે. તો તેમની જ બીજી કવિતા 'પંખી તડપતુ મળ્યું' માં કવિએ જિંદગીનાં અંત સમયને વણી લીધો છે. ત્રીજી કવિતા શ્રી રમેશભાઈ ચાંપાનેરીની રચના છે જેમાં તેઓ સંબંધોમાં વિશ્વાસના વિષયને અનોખી રીતે સ્પર્શે છે. ચોથી રચનામાં જનકભાઈ ઝીંઝુવાડીયા શહેર અને ગામડાના જીવન વચ્ચેની સરખામણી અનોખી અને પ્રભાવશાળી રીતે કરે છે. તો અંતિમ રચનામાં વિજયભાઈ જોશી અનોખી રીતે આગવી વાત મૂકે છે. સર્વે વાચકમિત્રોની કલમને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને રચનાઓ પાઠવવા બદલ સર્વેનો ધન્યવાદ.

વાચકોની કાવ્યરચનાઓ – સંકલિત


2
સ્મશાનમાં રહેલા એક વૃક્ષની આ આત્મકથા નથી. આત્મકથાઓમાંતો જીવનનો ચિતાર આવે છે, કોઈ પદાર્થના જીવનની મહત્વની ઘટનાઓ અને સર્જનથી તેના વિસર્જન સુધીની અનેક વાતો આવે છે, પરંતુ શ્રી બાબુભાઈ રાણાએ પાઠવેલી આ અનોખી કૃતિ સ્મશાનમાંના એક વૃક્ષની વિચાર સરવાણી છે. સ્મશાનમાં રહેલ વૃક્ષ માનવજાત વિશે, માણસના સમગ્ર જીવનક્રમની - પેઢીઓની વાતો વિચારે છે અને એ વિશે અનોખુ ચિંતન કરે છે. વિશદ અને મુદ્દાસર ચિંતન તથા અનોખી પ્રસ્તુતિ આ કૃતિની આગવી વિશેષતાઓ છે. બાબુભાઈ ભગવતીભાઈ રાણાનો પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.

સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા


3
અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. અક્ષરનાદના વાચકમિત્રો માટે આ આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો છે. એન્ડ્રોઈડ ઑપરેટીંગ સિસ્ટમ માટેની કેટલીક ઉપયોગી એપ્લિકેશન આપણે આ પહેલાની કડીમાં જોઈ, આજે એ જ શૃંખલાને આગળ વધારતા એવા અન્ય ઉપયોગી સાધનો વિશે જાણીએ.

ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૨



11
હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમરચનાનો સ્વાદ અને આનંદ આપણે અનેક વખત લઈ ચૂક્યા છીએ. અક્ષરનાદ પર તેમની કૃતિઓ ખૂબ નિયમિતપણે આવતી રહે છે. અને તેમની રચનાઓને જોતા હું તેમને સૂચવું છું કે તેઓ માઈક્રોફિક્શન અને ટૂંકી વાર્તાઓનું એક પુસ્તક કરી શકે એવી સરસ અને ધારદાર કૃતિઓ તેમની કલમે રચાઈ છે. પ્રસ્તુત ટૂંકી વાર્તા પણ એક અનોખા પ્રસંગને કેન્દ્રમાં રાખીને વહે છે, અને અંતે એક રહસ્યનું ઉદઘાટન થતાં જ એ પૂરી થાય છે. આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ હાર્દિકભાઈ યાજ્ઞિકનો ખૂબ ખૂબ આભાર.

ખચ્ચાક (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક


5
કેટલાક સુવાક્યો, કેટલીક જીવનપ્રેરક કણિકાઓ - ફક્ત એક વાક્યની અંદર સમાયેલ જીવનનું સાર તત્વ ઘણી વખત લાંબા લાંબા નિબંધો કરતા સચોટ અસર ઉપજાવી જતી હોય છે. આવી જ થોડીક કણિકાઓ આજે અહીં પ્રસ્તુત કરી છે. આ સુવાક્યો કોઈ વિષયવિશેષ ન હોતા અનેક બાબતોને સ્પર્શે છે. આજે આ વિવિધા પીરસવાનું મન થયું. આશા છે વાચકમિત્રોને ગમશે.

વિચારો, સુવાક્યો, કણિકાઓ… – સંકલિત


શ્રી કાયમ હઝારીનું નામ અક્ષરનાદના વાચકો માટે નવું નથી. 'કાયમ' હઝારી એક એવા ગઝલકાર છે જે ગઝલની પરંપરિત ઈબારતનું અનુસંધાન બહુધા જાળવી રાખે છે. સરળ, બોલચાલની કાવ્યરીતિ એમને વધુ ફાવે છે, કહો કે 'સંવાદ રીતિ' એમને વધુ ફાવે છે. તેમની ગઝલો અને ગઝલસંગ્રહ સુદ્ધાં અક્ષરનાદ પર પ્રસ્તુત થયાં છે. આજે પ્રસ્તુત છે તેમની જ એક ગઝલનો ડૉ. શૈલેશ ટેવાણી દ્વારા સુંદર આસ્વાદ કરાવાયો છે તે આજે પ્રસ્તુત કર્યો છે. આ ગઝલ આસ્વાદ પોએટ્રી સામયિકના કવિ શ્રી કાયમ' હઝારી વિશેષાંકમાંથી લેવામાં આવ્યો છે. 'છે મારી એટલી થાપણ...' એ સુંદર ગઝલ અને તેનો આસ્વાદ આજે પ્રસ્તુત છે.

છે મારી આટલી થાપણ – ‘કાયમ’ હઝારી, આસ્વાદ: ડૉ. શૈલેશ ટેવાણી



5
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. કવિતા જેવા અગ્રગણ્ય પદ્ય સામયિકો સહીત અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે. આજે તેમની કલમે માણીએ બે સુંદર ગઝલો. પ્રથમ ગઝલમાં જ્યાં જીવનના અંત વિશેની વાત મર્મસભર રીતે થઈ છે, તો બીજી ગઝલ રચનારીતોને ધ્યાનમાં લેતા એક પ્રયોગ છે. અક્ષરનાદને પ્રસ્તુત બંને ગઝલ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.

બે ગઝલ રચનાઓ – જિતેન્દ્ર પ્રજાપતિ


6
નાનપણમાં બાળવાર્તાઓની અને જોડકણાઓની નાનકડી પુસ્તિકાઓનો એક સેટ મને કોઈએ આપેલો. કોણે આપ્યો હતો એ તો યાદ નથી, પણ એ જોડકણા અને વાર્તાઓ આજે પણ હજી યાદ આવે ને આનંદ આનંદ થઈ જાય છે. આજે એવી જ સરસ ત્રણ વાર્તાઓ મૂકી છે. ખડબડ ખડબડ ખોદત હૈ... એક બ્રાહ્મણની અને તેના નસીબની વાત છે, બીજી - અકબર બિરબલની, બીરબલની ચતુરાઈની વાત છે તો ત્રીજી ઠાકોર અને રંગલાની ધમાકેદાર હાસ્યવાતચીત છે. ત્રણેય વાર્તાઓ ગિજુભાઈની - મૂછાળી માંની ગુજરાતના બાળકોને ભેટ છે. બાળપણથી વધુ આપણને કયો સમય વહાલો હોય? આજે એ સમયમાં એક નાનકડી ડૂબકી મારીએ.

ત્રણ બાળવાર્તાઓ – ગિજુભાઈ બધેકા


7
મૂળ નવસારીના અને હાલ વલસાડ રહેતા નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી એવા શ્રી રમેશભાઈ ચાંપાનેરી 'રસમંજન' ના તખલ્લુસથી હાસ્યલેખો લખે છે અને તેમનું હાસ્યલેખોનું પુસ્તક 'આનંદદ્વાર' પણ પ્રસિદ્ધ થયેલું છે. તેઓ 41 વર્ષથી હાસ્ય કાર્યક્રમો કરે છે. રેડીયો - સ્ટેજ પર તથા ટીવી પર દૂરદર્શન / ઈટીવી ગુજરાતી વગેરે પર તેમના હાસ્યરસના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે. અને ગુજરાત સમાચારમાં તેમણે હાસ્યલેખોની એક કૉલમ પણ લખી હતી. સભ્યતા સપ્તાહ ના અખતરાનો પ્રસ્તુત હાસ્યલેખ અક્ષરનાદને પાઠવવા બદલ અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

ચાલો… સભ્યતા સભ્યતા રમીએ ! – રમેશભાઈ ચાંપાનેરી



5
ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક નવજીવનમાં ૧૯૨૫ની ૨૯મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તક સ્વરૂપે બહાર પડી ૧૯૨૭માં. ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે - દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ. એ તો આત્મકથાની પણ પહેલા લખાયેલું અને પ્રસિદ્ધ થયેલું. એકવીસમી સદીમાં હિંસાના ઓથાર નીચે જીવતી આજાર માનવજાતની તબીબી માવજત કરીને તેને મુક્તિનો માર્ગ બતાવી શકે એવા એક મહાપુરુષે આલેખેલી પોતાના જીવનની સંક્ષિપ્ત કથાનો આ એક અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. ગાંધીજી અને કસ્તૂરબાના જીવનને લગતા આ મહત્વના પ્રસંગની વાત અહીં આલેખાઈ છે. આશા છે આ વાંચન બધાને ગમશે.

પ્રસંગનું પુણ્યસ્મરણ – ગાંધીજી


3
આજે પ્રસ્તુત છે એક ખૂબ ટૂંકી રચના, ખૂબ ટૂંકો અનુવાદ છતાં ખૂબ લાંબો અને ઉંડો ભાવાર્થ. કવિતા મૂળે રોબર્ટ બ્રાઉનિંગની છે અને અનુવાદ શ્રી મકરન્દ દવેએ આપ્યો છે. મુગ્ધાવસ્થા પસાર કરીને જીવનપથ પર એકબીજાને સહારે આગળ વધી રહેલા એક યુગલના મનની આ વાત છે. વિશ્વાસના વિધાન સાથે સહકાર અને સુંદર સમજણ ધરાવતા આ બંને પરસ્પર મૌનમાં પણ એકબીજાને કેટકેટલું કહી જતા હશે એવો સહેજે વિચાર થાય તેવી સુંદર રચના અને તેનો એવો જ મનહર ભાવાનુવાદ અત્રે પ્રસ્તુત છે. વધુ સમજવાનું ભાવક પર જ છોડી દઈએ તો કેટકેટલા અર્થો નીકળતા દેખાશે? જો કે મકરન્દ દવે એ તો આ આખી રચનાના એક નાનકડા ભાગનો જ અનુવાદ આપ્યો છે, પણ એ પછી મેં મૂળ રચના આખી મૂકી છે. અનુવાદનો પ્રયત્ન કરવા ધારતા મિત્રો માટે એક સરસ પગદંડી તૈયાર છે.

ગ્રો ઓલ્ડ વિથ મી… – રોબર્ટ બ્રાઉન, અનુ. મકરન્દ દવે


14
અનેક મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ જે સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરીને મોબાઈલ તથા અન્ય સાધનોને વધુ સગવડભર્યા અને સરળ બનાવે છે એ ટેકનોલોજીનું નામ છે એન્ડ્રોઈડ સંચાલન પદ્ધતિ અથવા ઓપરેટીંગ સિસ્ટમ. એન્ડ્રોઈડ એ મહદંશે સ્માર્ટફોન અને ટેબલેટ વગેરે મોબાઈલ સાધનો માટે વપરાતી ઓપરેટીંગ સિસ્ટમ છે. અક્ષરનાદના વાચકમિત્રો માટે આ ઓપરેટીંગ સિસ્ટમનો પરિચય અને તેની ઉપયોગી અને પ્રચલિત એપ્લિકેશન્સ વિશે માહિતિ આપવાનો આ શૃંખલા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ છે. તો ચાલો કેટલીક ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ વિશે જાણીએ.

ઉપયોગી એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ – ભાગ ૧



11
નવા નવા રચનાકારોને પ્રથમ અને તે પછી અનેકવિધ પ્રસિદ્ધિ માટે માધ્યમ ઉપલબ્ધ કરાવવા અક્ષરનાદ સદાય તત્પર હોય છે. આ વાતના અનુસંધાનમાં આજે માણીએ શ્રી કુસુમ પટેલની એક રચના, તો શ્રી નરેશભાઈ સાબલપરા દ્વારા લગાગા લગાગા લગાગા ગાગાગા સ્વરૂપમાં લખાયેલી સુંદર ગઝલ પણ આજે પ્રસ્તુત છે. વાચકોને જરૂરી પ્રોત્સાહન અને સૂચનો આપ સૌ તરફથી આવકાર્ય છે.

વાચકો દ્વારા પદ્ય રચનાઓ. – સંકલિત


5
પ્રસ્તુત લેખમાં નર્મદના સ્ત્રીકેળવણી વિષયક વિચારોની અભિવ્યક્તિ સુપેરે અને સ્પષ્ટતાથી કરાઈ છે. ૧૮૩૩ થી ૧૮૮૬ના તેમના જીવનકાળમાં, આજથી સવાસો વર્ષોથી પણ વધુ પહેલા વ્યક્ત કરાયેલા એક સ્પષ્ટવક્તાને છાજે તેવા આ વિચારો નર્મદની વિશેષતા છે. એક કેળવાયેલી સ્ત્રી કુટુંબ માટે, ઘર માટે, સમાજ માટે અને આવનારી પેઢીઓ માટે કેટલું યોગદાન આપી શકે છે એ તેમણે આલેખ્યું ચે. આમ પણ નર્મદ કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમને નાબૂદ કરવાની દિશામાં સદાય લખતાં, તો સ્ત્રી કેળવણીની તેમની આ તરફેણ એ સમયે તો એક સાહસિક પગલું જ ગણાય. પ્રસ્તુત છે સવાસો વર્ષો પહેલા સમાજસુધારણાની દિશામાં લખાયેલો એક અનોખો લેખ.

સ્ત્રીકેળવણી – નર્મદ


2
દયારામ પ્રભુરામ ભટ્ટ મૂળ વડોદરા જીલ્લાના ચાંદોદ ગામના હતા. તેમણૅ અનેક ગરબીઓ, રાસ, આખ્યાન વગેરે રચ્યા છે. ભક્તિરસ અને શૃંગારરસ તેમની પદ્યરચનાઓની મુખ્ય વિશેષતાઓ છે. પ્રસ્તુત ગરબીમાં કૃષ્ણભક્તિ વિષય અંતર્ગત આંખ અને મન એ બે વચ્ચે કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી એ વિશે મીઠો ઝઘડો ચાલે છે. બન્નેના ઝઘડાનો સુંદર ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી કવિ અનેરી ચમત્કૃતિ સર્જી જાય છે. પ્રસ્તુત રચના 'દયારામ સુધા' માંથી સાભાર લેવામાં આવી છે.

કે ઝઘડો લોચનમનનો… – દયારામ



6
એક પાનાનું કે એથીય નાનકડું લખાણ, નાનકડો ચોટદાર અને મર્મસભર એક પ્રસંગ પણ વિચારોના વંટોળને સાચી દિશા આપવા સક્ષમ છે. નાનકડો દાખલો કે અનુભવ કે એક સુવાક્ય પણ જીવનમાં મોટી અસરો ઉપજાવી શકે. આજે આવા જ ત્રણેક પ્રસંગો અહીં ટાંક્યા છે અને અંતે બિલિપત્રમાં એક અનોખી પ્રાર્થના. આશા છે કે આજનું આ સંમિશ્રણ સૌને ઉપયોગી થઈ પડશે. આ પ્રસંગો અને કાવ્ય શ્રી મહેન્દ્ર મેઘાણી સંપાદિત અને લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશિત અનોખી પુસ્તિકા 'રોજેરોજની વાચનયાત્રા'માંથી સાભાર લીધું છે.

પ્રસંગમોતીઓ… – સંકલિત


5
વાચકોની રચનાઓને યોગ્ય સ્થાન અને પ્રસિદ્ધિ અપાવવાનો અક્ષરનાદનો સદા પ્રયત્ન રહો છે. અક્ષરનાદના વાચક અને હવે મોટાભાગે સતત પોતાની કૃતિઓ પાઠવતા શ્રી જનકભાઈ ઝીઁઝુવાડિયાની ત્રણ કાવ્યરચનાઓ આજે અત્રે પ્રસ્તુત છે. આશા છે તેમના આ પ્રયત્નને વાચકમિત્રો વધાવશે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી જનકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

ત્રણ પદ્ય રચનાઓ – જનક ઝીંઝુવાડિયા


22
અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકતી ચાલતી રહી છે, જો કે સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે. કેટલીક ઉપયોગી, માહિતિપ્રદ અને અવનવી વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ યાદીમાંની અમુક વેબસાઈટ્સ વેબવિશ્વમાં અગ્રગ્ણ્ય છે અને ખૂબ જાણીતી છે તો કોઈક નવી પરંતુ આશાસ્પદ પણ છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો. આ શૃંખલાની હવે પછીની કડીઓમાં આપણે એન્ડ્રોઈડ મોબાઈલ વ્યવસ્થાની વિવિધ એપ્લિકેશન્સ વિશે જોઈશું.

કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૦



3
મૃણાલીની દેસાઈ ‘જ્ઞાનદેવ’ માં લખે છે, 'જ્ઞાનભંડારને દેવવાણીના મસમોટાં તાળા મારેલાં છે. એની ચાવીઓ થોડાક માણસોએ પોતાના જનોઈના તાંતણામાં બ્રહ્મગાંઠ કરીને બાંધી રાખી છે. નથી તેઓ ઉઘાડતાં નથી, કોઇને ઉઘાડવા દેતા!’ તો મુક્તાબાઈ કહે છે, 'તાટી ઉઘડા જ્ઞાનેશ્વરા' તેઓ કયા તાળા ખોલવાની વાત કરે છે? એ તાળા છે જ્ઞાનભંડાર પર પડેલા અજ્ઞાનના અને અંધવિશ્વાસના - અશ્રદ્ધાના તાળા. જ્ઞાનેશ્વરની વાણી સદીઓથી અનેકોને સન્માર્ગે પ્રેરતિ રહી છે. આજે પ્રસ્તુત છે તેમની વાણીના કેટલાક સંકલિત અંશો.

જ્ઞાનેશ્વરના રત્નો – સંત જ્ઞાનેશ્વર


7
બાળક એટલે આજ, એની જરૂરીયાત કાલ પર ઠેલી શકાય જ નહીં. આવા ગીતો બાળકને લયબદ્ધ - તાલબદ્ધ બનાવે છે, શ્રવણ શક્તિ અને અભિનયશક્તિનો વિકાસ કરે એ, શબ્દભંડોળ વધારે છે, લાગણીઓનો અનુભવ આપે છે અને સૌથી વધુ તો બાળકોને જ્યારે સમૂહ વચ્ચે ગાવાની તક મળે ત્યારે તેમની શરમાળવૃત્તિ - સંકોચ દૂર થાય છે. ભાવોને પ્રગટ કરવાનું એ માધ્યમ છે, ભાષાને ભાવમય અને રસમયા કરવાનું કામ આવા સુંદર ગીતો સહજતાથી કરી આપે છે. બાળકની કલ્પનામાં વસતા ઢીંગલા ઢીંગલી જેવા મિત્રોની સાથે તેમની વાતચીતને, તેની કાલી ભાષામાં ગવાયેલા ગીતને પણ અભિવ્યક્ત કરવાની આપણી ભાષાએ પૂરી વ્યવસ્થા આપી છે. એનો પૂરાવો આજે પ્રસ્તુત કરેલા આ ઢીંગલી ગીતો છે. શ્રી ધનસુખલાલ પારેખ અને શ્રી જયંત શુક્લની પ્રસ્તુત ખૂબ સરસ રચનાઓ બાળકના આ નિરાળા મિજાજને આબેહૂબ ઝીલે છે. પ્રસ્તુત બંને ગીતો શાંતિગ્રામ નિર્માણ મંડળ, તણછા દ્વારા સંચય પામેલ બાળગીતોનો સંગ્રહ, 'ડૂગડૂગિયાં'માંથી લેવામાઁ આવ્યા છે.

બે ઢીંગલી ગીતો – સંકલિત


વિનોબાજીએ 'અહિંસાની ખોજ' માં લખ્યું છે, 'તેર વર્ષો સુધી ભારતમાં સતત પદયાત્રા ચાલી. કંઈક શાશ્વત કાર્ય આગળ ચાલતું રહે એ દ્રષ્ટિએ મેં છ આશ્રમોની સ્થાપના કરી. આ આશ્રમોએ સારાં લોકોપયોગી કામો કર્યા છે એ કહેતાં મને ખુશી થાય છે. આશ્રમોને મેં 'લેબોરેટરીના પ્રયોગ' કહ્યા છે. પ્રયોગશાળા બજારમાં નહીં, એકાંત સ્થાનમાં ખોલાય છે, પરંતુ એમાં જે પ્રયોગ થાય છે એમના માટે જે સામગ્રી એકઠી કરાય છે તે બધી સામાજિક હોય છે. પ્રયોગ તો 'કંડિશન્ડ' પરિસ્થિતિમાં કરાય છે પરંતુ એમાંથી નીકળનારા પરિણામ આખા સમાજને લાગુ પડાય છે.' આવા જ બે આશ્રમો વિશે તેમના વિચારો પ્રસ્તુત છે.

જીવનની પ્રયોગશાળાઓ – વિનોબા



5
મૂળ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ઘડિયા ગામના વતની અને હાલમાં મહુવા પાસે આવેલા બગદાણા ક્લસ્ટરની શ્રી રતનપર પ્રાથમિક શાળામાં શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને 'કવિતા'માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે તેમની કલમે માણીએ શ્રી હરીશ ધોબીની એક સુંદર ગઝલનો આસ્વાદ. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ આસ્વાદ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.

બે ઘડીનો ખેલ એટલે જિંદગી.. (ગઝલ આસ્વાદ) – જિતેન્દ્ર પ્રજાપતિ


2
આ નવ શે'રની 'ગાગાલગા' ના આવર્તન ધરાવતી ગઝલ સુંદર, સાદ્યાંત આસ્વાદ્ય અને ખૂબ જ ચોટદાર છે. વિશુદ્ધ પ્રેમ, પ્રણયની સચોટ ભાવોર્મિઓ, માનવમનની નિર્લેપતા અને ખુમારી જેવા ભાવોને પ્રસ્તુત ગઝલના શે'રમાં સુંદર રીતે પ્રગટ કરાયા છે. સામાન્ય રીતે આટલા બધા શે'ર ધરાવતી ગઝલના બધા શે'ર અસરકારક ન પણ હોય એ શક્ય છે, પરંતુ આ નવ શે'રની ગઝલમાં એક પણ શે'ર એવો વધારાનો કે અસર વગરનો લાગતો નથી અને એ જ આ ગઝલની આગવી વિશેષતા પણ છે.

હું નથી (ગઝલ) – જટિલ વ્યાસ


5
નાનપણમાં મિયાં ફુસકી, ચાચા ચૌધરી, ચાંદામામા અને ચંપક વગેરેમાં અનેક વાર્તાઓ વાંચતા, ત્યારની નાનકડી અને સરસ વાર્તાઓ વાંચવાની અને કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવાની ખૂબ મજા આવતી. આજના બાળકો કાર્ટુનની દુનિયામાં જીવે છે, એ જ કાર્ટુન પાત્રોને યાદ રાખે છે, તેમના જેવું કરવાના પ્રયત્નો કરે છે. વાર્તાઓના વિશ્વને તેઓ સતંદર ભૂલી ચૂક્યા છે. સદનસીબે ગુજરાતીમાં હજુ પણ એવી સુંદર બાળવાર્તાઓ પ્રસ્તુત થાય છે જે આજના બાળકો માટે તદ્દન ઉપર્યુક્ત છે. ઉદયન ઠક્કર આપણા આગવા બાળવાર્તાકાર છે. પ્રસ્તુત વાર્તા તેમના બાળવાર્તાના પુસ્તક 'મેં એક સિંહને પાળ્યો છે અને બીજી વાર્તાઓ' માંથી સાભાર લેવામાં આવી છે. પ્રસ્તુત વાર્તા વાંચ્યા પછી ઠંડક માછલીનું પાત્ર બાળમાનસમાં ખૂબ સ્પષ્ટ છાપ છોડી જશે એ ચોક્કસ. આ બાળવાર્તાઓના પુસ્તકો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

માછલીઓનું ગામ (બાળવાર્તા) – ઉદયન ઠક્કર