"આપજો !" માં કવિએ પ્રભુ કશુંક માંગવાનું કહે તો તે શું માંગે છે તે વિશે જણાવ્યું છે. સાદું સપનું, સાદી ભોમકામાં આયખું, મર્માળા માનવીની વાણી અને તેમની સાથે સુખ દુ:ખની ઉજાણી - આવું તેવું મળે એટલી કવિની ઇચ્છા રહી છે. કવિ શ્રી મકરંદ દવેની આ સુંદર રચના "અમલપિયાલી" માંથી સાભાર લેવામાં આવી છે.
વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ
2 શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક " લેટર ટુ અ હિન્દુ " નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, ભારતની પરાઘીનતા - તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી મોહનદાસ કરમચંદ ગાંઘીના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.
એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ)
8 આપણાંમાં કહેવત છે કે હસે તેનું ઘર વસે, તો શું ન હસે તેને ત્યાં કૂતરા ભસે? એમ પણ ઘણાં મિત્રો જવાબમાં કહેતા હોય છે. મન હળવું કરવા ગમે તેવા ખરાબ સંજોગોમાંય આવી એકાદ કણિકા યાદ આવી જાય અને સહેજ મલકાટ આપતી જાય. મન પ્રફુલ્લિત કરતી અને રમૂજ ફેલાવતી કેટલીક સુંદર હાસ્ય કણિકાઓનો સંચય આજે પ્રસ્તુત છે આપ સૌને આનંદિત કરવા.
શું તમે આ ખણખોદ વાંચી? (8) – સંકલિત
વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. લાખો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે અથાગ પ્રયત્નો કરનારા પંડિતજીના વિચારો આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.
આદર્શ જીવનનું રહસ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય
"નર્ક નામનો સ્ટોર.... " થોડુંક અલગ લાગે તેવું આ શીર્ષક શ્રી જયકાંતભાઇ જાની દ્વારા રચિત એક કવિતાનું છે. જો કે અમેરીકાને તેઓ શા માટે નર્ક નામના સ્ટોરનું સ્થાન બનાવે છે એ મને ખબર નથી, પણ મારા મતે ભારતના કોઇક પડોશી દેશ માટે આ ખરેખર બંધબેસે. પરંતુ તે સિવાય નર્કમાં મળતી બધીજ વસ્તુઓ અને તેની ખાસીયતો વિશે તેઓ ખૂબ તર્કસંગત રીતે સમજાવે છે. અને એટલેજ આ ખૂબ સુંદર સ્ટોરની મુલાકાત લો.
નર્ક નામનો સ્ટોર – જયકાંત જાની
6 જો આપ માતા પિતા હોવ તો આપને ખ્યાલ હશે કે બાળકને પ્રથમ દિવસે શાળાએ લઇ જવું, ત્યાં બેસાડવું, રડતું ચુપ રાખવું અને એ આખો દિવસ તેના પાછા આવવાની પ્રતીક્ષા કરવી.... મારા માટે આ અનુભવ કાંઇક આવો જ રહ્યો, જો કે વધારે ચિંતાજનક અને અકળાવનારો. આપની સાથે આજે વહેંચી રહી છું અમારી પુત્રી હાર્દીને શાળાએ લઇ જવાના પ્રથમ દિવસનો અનુભવ.
અમારી પુત્રી અને શાળાનો પ્રથમ દિવસ – પ્રતિભા અધ્યારૂ
7 પ્રેમ એ પરમ તત્વ છે, સાત્વિક સત્વ છે, પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. સ્ત્રીને પુરૂષનું અને પુરૂષને સ્ત્રીનું આકર્ષણ રહે જ છે, એ કુદરતી છે, સહજ પણ સનાતન છે. અને આમ તો સમગ્ર જીવનની ગમે તે ક્ષણે પ્રેમમાં પડી શકાય છે, પણ સોળ વર્ષની ઉંમરના મુગ્ધ, સહજ અને અતાર્કિક પ્રેમ વિશે શું કહેવું? પ્રેમને શબ્દના વાઘા પહેરાવવા મુશ્કેલ છે, પ્રેમ એ મૌનની ભાષા છે. સોળ વર્ષની ઉંમરના મુગ્ધ પ્રેમ વિશે સુંદર લેખ માણો...
સોળ વર્ષની ઉંમરનો મુગ્ઘ પ્રેમ – પ્રતિભા કોટેચા
16 ઘરને સુંદર અને કલાત્મક રાખવું આપણને સૌ ને ગમે છે. એક સિવિલ એન્જીનીયર તરીકે રહેણાંક મકાનોના નકશા અને ડિઝાઇન કરવા એ મારા માટે નવી વાત નથી પણ અન્ય લોકો માટે કાં તો આર્કિટેક્ટ કે સિવિલ એંજીનીયર પાસે જવા સીવાય અન્ય કોઇ વિકલ્પ નથી. પોતાના ઘરને શણગારવાના અને વિકસાવવાના વિકલ્પો પોતાની જાતે ગોઠવવા, મુખ્યત્વે સાધારણ ગોઠવણી તથા યોજના કરવા ઉપયોગી થાય એવી તથા કોઇ પણ ખાસ સોફ્ટવેર વગર અને કોઇ વિશેષ જાણકારી વગર વાપરી શકાય તેવી વેબસાઇટ વિશે આપને આજે જણાવી રહ્યો છું.
કેટલીક ઉપયોગી વેબસાઇટ – 9 (Home Planning)
પરંપરિત ભજનવાણીના સર્જકો - સંતો - ભક્તો - લોકકવિઓની વાણી આજે પણ ગામડાંના લોકભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાઇને ગવાતી રહી છે. આ ભજનવાણીની પધ્ધતિ અને તેના અનુક્રમ વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ડો. નિરંજનભાઇ રાજ્યગુરુના પુસ્તક "સતની સરવાણી" ની પ્રસ્તાવનામાંથી આજે જાણો પ્રાચીન ભજંનવાણી અને કંઠસ્થ પરંપરાના ભજનો વિશે પધ્ધતિસાર તથા ભજન સાહિત્ય વિશે અનન્ય સુંદર માહિતિ.
આપણી કંઠસ્થ પરંપરાના ભજનો – નિરંજન રાજ્યગુરુ
3 લઘુકાવ્યો એ કોઇ કાવ્યનો ફક્ત એક ભાગ માત્ર જ નથી. સાચુંકલુ લઘુકાવ્ય એ છે જેમાં શબ્દોને સર્જકે શોધવા પડતાં નથી પણ શબ્દો તેને શોધતાં ગોઠવાઇ જાય એમ લાગે છે. માર્મિકતા એ લઘુકાવ્યનું આગવું લક્ષણ છે. કહેવાનું સચોટતાથી કહે, અને તે ય તત્વશીલ એ લઘુકાવ્ય. એ દીપિકા છે, અનુભૂતીની આરતીનો ડંકો છે. આજે માણો થોડાક આવાંજ લઘુકાવ્યો.
લઘુ કાવ્ય રચનાઓ – સંકલિત
10 રાસગરબા અને લોકગીતો આપણા ગ્રામીણ જીવનની અનેરી સંપત્તિ છે, મૌસમનો વરસાદ અને તેના અમૃત પરિપાક રૂપે ઉતરેલા ધાન અને અન્ય પાક પછી ધરતીપુત્રો મદમસ્ત થઇને આવા લોકગીતો પર જીવે છે, એક સુર, એક તાલ, સરખા ઠમકા અને તાળીઓ, સાથે ઝૂમતા ને આનંદતા હૈયા એ સોરઠી જીવનનું અનેરું રસદર્શન છે. શબ્દ, સંગીત અને ધ્વનિ એ ત્રણેયનો સુમેળ સાધનાર આવું જ એક સુંદર ગ્રામગીત...
ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ…. (સોરઠી લોકગીત)
ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. પ્રસ્તુત લેખ પ્રિયંવદા માસિકના મે, 1889ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની ગુજરાતી ભાષાની ઉન્નતિ પરત્વેની વિચારસરણી આ લેખમાં ઝળકે છે.
ગુજરાતી ભાષાની ઉન્નતિ – પ્રિયંવદા માસિક (મે, 1889)
4 અખંડ ધણીની સાચી ઓળખ માટે રચાયેલા આપણા લોકસાહિત્યના વિશાળ વટવૃક્ષને લાગેલા આવા સુંદર ભજનો રૂપી ફળોનો પરિપાક આપણને મળ્યો છે એ આપણી સંસ્કૃતિનું સદનસીબ છે. ખૂબ ગહન વાણી પણ ખૂબ સરળ શબ્દોમાં, આપણી ભક્તિસાધનાની આ રચનાઓ એક અલગ ભાવવિશ્વનું સર્જન કરે છે. આજે માણો આવુંજ એક સુંદર ભજન.
પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી)
શ્રી જીગ્નેશ ચાવડા અમારી કંપનીમાં મિકેનીકલ ઇજનેર ( ગુણવત્તા નિયંત્રણ વિભાગ) છે અને અહીંના ઘણા સહકર્મીઓની જેમ કવિતા એ તેમનો શોખ છે. પોતાની ક્ષમતાઓ અને કળાને કવિતાના રૂપે ઢાળવાનો તેમનો પ્રયત્ન આપની સમક્ષ છે. અને દરેક નવા રચનાકારની જેમ તેમને પણ નવું શીખવાની હોંશ છે, તો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.
ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા
18 ડો. આઇ કે વીજળીવાળાની આ ખૂબ સુંદર કલ્પના એક નાનકડી બાળકીના મનની કલ્પના છે. જો હું મમ્મી હોઉં અને મારી મમ્મી મારી જેટલી નાની અને મારી દીકરી હોય તો તેને હું કઇ રીતે રાખું એવી સુંદર કલ્પનાને સરસ બાળકાવ્યમાં મઢીને તેમણે ખરેખર મોટી કમાલ કરી છે. સાંભળો આ બાળકી શું કહે છે....
એક દિ મમ્મી નાની થઇ ગઇ – ડો. આઇ. કે. વીજળીવાળા
6 શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને કયો ગુજરાતી વાંચક ન ઓળખે? ખડખડાટ હસાવતા તેમના લેખોએ ગુજરાતને હસતું રાખ્યું છે અને ગુજરાતી સાહિત્યની સમૃધ્ધિમાં અનેરુ યોગદાન આપ્યું છે. આજે માણો રોજબરોજના સામાન્ય પ્રસંગોમાંથી હાસ્ય નિપજાવવાની તેમની કળાનું અનેરુ ઉદાહરણ .....
ગેસના બાટલાનો બૂચ – રતિલાલ બોરીસાગર
5 શ્રી જયંતભાઇ પાઠકની કવિતાઓનો સંગ્રહ "સમગ્ર કવિતા" ઘણા દિવસોથી મમળાવી રહ્યો છું. એકે એક કાવ્યમાં છલકતા કવિના ભાવવિશ્વની સંવેદનાઓનું ખૂબજ મનોહર નિરૂપણ થયું છે. મને ખૂબ ગમી તેવી તેમની આ કવિતા પ્રીતના કારણે વિવિધ "પામવાની" સંવેદનાઓની સરસ અભિવ્યક્તિ કરાવી જાય છે.
એક એવીતે પ્રીત અમે કીધી – જયંત પાઠક
5 પ્રસ્તુત સમયમાં ગાંધીજીની તથા તેમના મૂલ્યોની આજના રાજનેતાઓ દ્વારા ઉડાવાતી ઠેકડીઓ અને તેમના નામના થઇ રહેલા દુરુપયોગ પર શ્રી હરિન્દ્રભાઇ દવેએ એક પાગલનાં વિચારો દ્વારા કેટલા માર્મિક કટાક્ષો કર્યા છે? ખૂબ જ સુંદર અને નાનકડો પણ સમજવા જેવો પ્રસંગ.
ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે
જમિયતભાઇ પંડ્યાની આ સુંદર ગઝલ.... મેં આ અનેક વખત વાંચી છે અને દરેક વખતે મને એ ખૂબ ગમી છે. માણસે બધી મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો હસતા હસતા કરવો જોઇએ એવી વાતને કેન્દ્રમાં રાખીને વિવિધ પરિસ્થિતિઓમાં હસતા રહેવા વિશેની સુંદર વાત તેમણે કરી છે.
હસતો રહ્યો (ગઝલ) – જમિયત પંડ્યા
8 રોજબરોજના ઉપયોગમાં આવતા અને સરળતાથી ડાઉનલોડ કરી વાપરી શકાય તેવા ઉપયોગી સોફ્ટવેર વિશે થોડીક ચર્ચા અને જાણકારી વહેંચવાની આ શ્રેણી નો આ બીજો ભાગ છે. આપના કોમ્પ્યુટરને મહત્તમ અને ઝડપથી વપરાશ કરી શકાય તે માટે જરૂરી આ સગવડો વિશે જાણો અહીંથી, અને આપની પસંદ જણાવો.
આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (2) – જીગ્નેશ અધ્યારૂ
સાચું નિદાન કર્યા પછી આપેલી સલાહ જ ઉપયોગી નીવડે છે. આ માટે આ નાનકડો વાર્તાલાપ આપને કાંઇક કહી રહ્યો છે. શું એ જાણવા માટે વાંચો આ સુંદર પરંતુ નાનકડો લેખ.
તમારા ચશ્મા કોઇને કામ લાગે? – અજ્ઞાત
એક મિત્રને લગ્નપ્રસંગે ભેટ આપવા માટે લખાયેલી આ મરક મરક પદ્ય રચના મારી આ ક્ષેત્રની પ્રથમ કૃતિ છે. લગ્ન પછીની કેટલીક પરિસ્થિતિઓને અહીં નજરમાં રાખી છે. જો કે મારા મતે આ રચનાને હઝલ કહી શકાય છે. આપનો પ્રતિભાવ આવકાર્ય છે.
તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ
12 તરુણભાઇ મહેતાની કલમે આજે માણો કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ 'મારા હિસ્સાનો સૂરજ' નો આસ્વાદ. શ્રી ગૌરાંગ ઠાકર વ્યવસાયે સિવિલ ઇજનેર છે, પરંતુ એક ઇજનેરના વ્યવસાય સાથે તેમણે જે રીતે ગઝલના બાંધકામ કર્યા છે તે કાબિલેદાદ છે. માણો આજે આ સૂરજની પ્રતિભા.
સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા
મેઘને વૃષ્ટી લાવવા માટે આહવાન આપતું, તેને તેની વર્ષાનું મૂલ્ય સમજાવતું શ્રી અરદેશર ખબરદારનું આ કાવ્ય ખૂબ સુંદર છે. મેઘને તેઓ વૃષ્ટીથી થતા અનેકો ફેરફારો અને સ્પંદનોની વાત કરતા એક મિત્રભાવે જાણે સલાહ આપતા હોય એમ વિવિધ રીતે વરસાદ માટે તેને વીનવે છે.
મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર
આ લેખના એકે એક વાક્ય સાથે કાંઇક વિચારપ્રેરક સત્ય સંકળાયેલું છે. આખો લેખ એક સાથે વાંચવાને બદલે તેમાંની એક એક કંડીકા વાંચીને થોડા થોડા મધુબિંદુ ચાખતા રહેવાની, મમળાવવાની મજા કદાચ વધારે આવશે. મિલાપ માસિકના વિવિધ અંકોમાંથી વીણેલી યાદગાર વિચાર કણિકાઓનો નાનકડો સંચય.
વિચાર કણિકાઓ – સંકલિત
કૃષ્ણ જન્મ થાય અને નંદ ઘેર આનંદ ઉજવાય ત્યારે કૃષ્ણની સાથે અચૂક યાદ આવે તેનો પડછાયો, તેમના પ્રેમનું તદન નિર્વિકાર સ્વરૂપ એવી રાધા. પણ મથુરા ગયા પછી કૃષ્ણ એ રાધાને યાદ કરે છે? હરિન્દ્ર દવેના શબ્દોમાં વાંચો કૃષ્ણની આ વ્યથાની અને તેમની તડપની એક રૂપરેખા.
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે
5 "હું" એ શબ્દ સાથે સંકળાયેલી સમૃધ્ધ ગુજરાતી પદ્ય સાહિત્યની કેટલીક સુંદર રચનાઓ અને સાથે "હું" શબ્દ વિશે કેટલાક વિચારો તથા એ વિવિધ શે'રોની અને પદ્ય રચનાઓની થોડીક વિશદ ચર્ચા. ફક્ત "હું" ને ધ્યાનમાં રાખીને લખાયેલી કૃતિ.
“હું” અને ગુજરાતી પદ્ય સમૃધ્ધિ – જીગ્નેશ અધ્યારૂ
17 રોજબરોજના ઉપયોગમાં આવતા અને સરળતાથી ડાઉનલોડ કરી વાપરી શકાય તેવા ઉપયોગી સોફ્ટવેર વિશે થોડીક ચર્ચા અને જાણકારી વહેંચવાની આ શ્રેણી આજથી શરૂ થઇ રહી છે. આપના કોમ્પ્યુટરને મહત્તમ વપરાશ કરી શકાય તે માટે જરૂરી આ સગવડો વિશે જાણો અહીંથી, અને આપની પસંદ જણાવો.
આ સુવિધા તમારા કોમ્પ્યુટરમાં છે? (1)- જીગ્નેશ અધ્યારૂ
ગંગાસતીના અમુક ભજનો આપણે જાણીએ છીએ અને ક્યારેક સાંભળીએ છીએ પણ એમના વિશે, એમની જીવનકથા અને એમની ભજનવાણીના મર્મ વિશે આપણે કેટલું જાણીએ છીએ? પ્રસ્તુત છે આ કડીઓમાં ગંગાસતી વિશે થોડીક વિશેષ જાણકારી.
ગંગાસતી – આતમને જગાડતી વાણીના રચયિતા
ઉશનસની રચનાઓનો વૈભવ વસંતના વૈભવથી ઘણો વધારે છે. વસંત તો ફક્ત થોડાક સમય પૂરતી હોય છે પરંતુ તેમની કવિતાઓ સદાબહાર છે. જિંદગી વિશેની આ રચના જ જુઓ, જિંદગીની આટલી સચોટ વ્યાખ્યા તેમના જેવો સમર્થ રચનાકાર જ કરી શકે. માણો આ ખૂબ સુંદર રચના.





