વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

8
અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ 'હવાનાં રૂપ' અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

દસ મુકતકો.. – યાકૂબ પરમાર


6
ફેસબુક પર ગુજરાતી ગઝલસર્જનમાં રત એવા મિત્રોના એક સમૂહ દ્વારા તેમના ગઝલસર્જનને પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરાયું. 'ગઝલ તો હું લખું' ફેસબુક ગૃપના ગઝલકાર મિત્રો પારૂલ ખખ્ખર, મોહસીન મીર, મેહુલ ભટ્ટ, ભાવેશ શાહ, ટેરેન્સ જાની, મેહુલ પટેલ, મગન મકવાણા, ચિરાગ ઝા, કાંતિ વાછાણી, યોગેન્દુ જોષી અને અનંત રાઠોડની ગઝલરચનાઓનું સંકલન એટલે સુંદર ગઝલસંગ્રહ 'લઈને. અગિયારમી દિશા'. આજે પ્રસ્તુત છે તેમાંથી પાંચ સુંદર ગઝલો. અક્ષરનાદને ગઝલસંગ્રહ પાઠવવા બદલ શ્રી કાંતિ વાછાણીનો ખૂબ આભાર અને સર્વે ગઝલકાર મિત્રોને હાર્દિક શુભકામનાઓ. સોશિયલ મિડીયાના સુંદર અને સાર્થક ઉપયોગની આ પદ્ધતિ અનેકોને ઉપયોગી થઈ રહે એવી શુભકામનાઓ.

સંકલિત ગઝલરચનાઓ.. – ‘લઈને.. અગિયારમી દિશા’ સંગ્રહમાંથી


5
રાણા કંડોરણા (જિ. પોરબંદર) ના કવિ શ્રી મનોજ જોશીને મિત્રો લાડમાં 'મજો' કહીને બોલાવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ગુજરાતીના પ્રોફેસર છે અને આકાશવાણી તથા દૂરદર્શનના માન્ય ગાયક છે. સૌરાષ્ટ્રના દૈનિક 'ફૂલછાબ' ની સાપ્તાહિક કટાર રૂપે પ્રગટ થતી લેખમાળા 'આચમન' નો એક લેખ અહીં લીધો છે. પ્રસ્તુત આસ્વાદલેખમાં તેઓ કવિ શ્રી ભગવતીકુમાર શર્માની મીરાંમય શબ્દરચનાની વાત ખૂબ સુંદર રીતે મૂકે છે.કવિશ્રીએ આ ગીતમાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રને મીરાંના માધ્યમથી એકસૂત્રે બાંધ્યું છે. મેવાડ અને દ્રારિકાની વચ્ચે મીરાં નામનો સૂનકાર - ધબકાર આપણને ઘણુંબધું સૂચવી જાય છે. મીરાંના મંજીરાનો રણકાર જો એક વખત આપણે 'સાચા અર્થ'માં પામી જઈએ તો આ જીવતરનો ખાલીપો ક્યાંય દૂર-સુદૂર હડસેલાઈ જશે. પણ રૂપિયાના રણકાર વચ્ચે એ મંગલમય મર્મનાદ કોણ જાણે ક્યારેય આપણે સાંભળીશું? પ્રસ્તુત કૃતિ કવિ શ્રી મનોજ જોશીના 'ફૂલછાબ'માં પ્રસ્તુત થતા આસ્વાદ લેખોની શૃંખલા 'આચમન' ના લેખોના સંકલન પુસ્તક 'શબ્દસૂરના સાથિયા' માંથી સાભાર લેવામાં આવી છે.

સાચો ધબકાર, સાચો શણગાર અને સાચો રણકાર : મીરાં – મનોજ જોશી



14
ઘણા વખત પછી હાર્દિકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને તે પણ પાણીપુરીની વાત સાથે... પાણીપુરીના ઈતિહાસને શોધવાની પળોજણમાં ઉતર્યા વગર તેમણે પાણીપુરીના વૈવિધ્ય, સ્વાદાનુસંગતિ, આકર્ષણ, ફિલસૂફી, જીવનદર્શન, યોગ્યતા, મોહ અને અનન્યતા વિશે પુરી ભરીને લખ્યું છે. જો કે તેમણે આપેલ પાણીપુરીની ફિલસૂફી સાથે મારે ઉમેરવાનું હોય તો કહું કે.... આજકાલ સાત વિવિધ પાણી સાથેની પાણીપૂરી મળે છે, જે વિવિધતામાં એકતાનો સંદેશ આપે છે, સપ્તપદીના સાત વચનો કે સરગમના સાત સુર કે મેઘધનુષ્યના સાત રંગો જેટલી જ એ દરેક પાણીની વિશેષતા છે. કર્મ કરવાની અને ફળની ચિંતા છોડવાની સ્થિતપ્રજ્ઞતા પાણીપુરી ખાઈ રહેલ કોઈ પણ મનુષ્યના ચહેરા પર જાણે બોલ્ડ યુનિકોડમાં લખાયેલ હોય છે, પાણીપુરીને અંતે મંગાતી સૂકી પૂરી કે ચૂરામાં મોક્ષની પ્રાપ્તિ જેવો અનેરો આનંદ રહે છે, એક કે બે પ્લેટ ખવાઈ ગયા પછી વધુ ન ખાવા દ્વારા ઉત્પન્ન થતો આત્મસંયમ, પાણીપુરી એક આખું પુસ્તક છે. પાણીપુરીના સ્વાદ જેવો જ અદ્રુત આ લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર.

પાણીપુરીનો પૉર્ટફોલિઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક


7
એ સમયે ટૅક્સીની ગતિ મને વિમાન જેવી લાગી. બધું પાછળ જઈ રહ્યું હતું. એ આખું શહેર, એમાં વીતેલો સમય સાથે ઘણું ઘણું કે, જ્યાં અમારાં પગલાં સાથે અમારી સાથે અમારી નજરો વિહરી હતી. એ રંગીન દિવસો, પાર્ટીઓ, બજારો, અમારા મિલનનાં સ્થળો, શૉપિંગ-સેન્ટરો, ત્યાંનાં લોકો. એમનું યંત્રવત જીવન - બધું જ.... વીતાવેલી ક્ષણો બમણી ગતિથી આગળ થવા મથતી'તી પણ પાછળ જ.. હું આગળ ગતિ કરતો હતો અને એ... પહેલી નજરમાં તો એ મને અમેરિકન જ લાગેલી. એવાં જ રૂપરંગ, ગોરીગોરી, ઉતાવળી ઇંગ્લિશ ભાષા, પહેરવેશ પણ ઇંગ્લિશ. એનું વ્યક્તિત્વ પણ એવું જ...

આખરી ક્ષણ – રમેશ કે. પુરબિયા


આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.

પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)



5
શબ્દસૃષ્ટિ સામયિકનો દિવાળી વિશેષાંક અનેકવિધ લેખકોના વિવેચન વિશેના વિચારોનું પ્રતિબિંબ છે. તેમાંથી શ્રી સતીશ વ્યાસનો 'વિવેચન એટલે વિવાચન' શીર્ષક ધરાવતો લેખ આજે પ્રસ્તુત કર્યો છે. તેઓ કહે છે, 'વિવેચન મારે માટે તો વિવાચનનો વિષય છે. કશુંક વિશેષ વાંચવું ગમે તો, ન સમજાય તો વારંવાર વાંચવું. સર્જકે કરેલા વિશેષ ભાષાકર્મને ઉકેલવા મથવું. એણે આ સ્થાને આ જ શબ્દ શા માટે પ્ર-યોજ્યો હશે, એ સમયે મોના સંવિદની સ્થિતિ-અવસ્થિતિ કેવી હશે, એની મથામણ-માથામણ કેવી હશે, એને તટસ્થતા – તન્મયતા વચ્ચેની, ક્રિકેટના અમ્પાયરના જેવી, ભૂમિકાએ રહી મૂલવવી એટલે વિવાચન ! એમાં સહ્રદયતા પણ હોય, સાચુકલાઈ પણ હોય અને સૌંદર્યપરકતા પણ હોય !' માણો આ સંપૂર્ણ લેખ, સાભાર શબ્દસૃષ્ટિ સામયિક.

વિવેચન એટલે વિવાચન – સતીશ વ્યાસ


5
રમેશભાઈ ચાંપાનેરીની કલમે અનેક હાસ્યલેખ આપણે માણ્યા છે, તો આજનો આ ચિંતનલેખ કહો, વાર્તા કહો કે સાહિત્ય લેખ કહો... મનનીય સર્જનને ગમે તે પ્રકારમાં બાંધો, એ સદાય વિચારપ્રેરક જ હોય છે. રમેશભાઈ તેમની કલમનો આજનો આ સુંદર પ્રયાસ અક્ષરનાદની સાથે વહેંચી રહ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. * * * જીવન એટલે, શું શ્વાસોનું ધબકતા રહેવું? જીવન એટલે, શું મેં ઘડેલી મારી જીવન કુંડળીમાં મારે અલમસ્ત રહેવું? જીવન એટલે, શું લોકોમાં મારી રીતે મારી વાહ... વાહ... ઉભી કરી મારે મસ્ત બનીને રહેવું? લોકો મારી તકલાદી અને તકવાદી પીઠ થાબડે એમાં આનદ લેવો? ના... એ જીવન નથી. જે દેખાય છે, એ જીવનની પાછળ પણ એક જીવન છે......

વન વગડાની તુલસી.. – રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’


10
ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.

ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી



16
અક્ષરનાદ પર માઈક્રોફિક્શનના વાર્તાપ્રકાર પર સતત હાથ અજમાવતા હેમલભાઈ વૈષ્ણવ આજે વિશેષ 'થીમ' માઈક્રોફિક્શન સ્વરૂપે ફક્ત ડાયસ્પોરા સમાજની વાર્તાઓ લઈને આવ્યા છે. તેઓ પોતે પણ ભારતથી દૂર જ છે, અને કદાચ તેથી જ વાર્તા થઈ શકે એવી એ લાગણીને વાચા આપવા આ માઈક્રો માધ્યમને તેમણે સચોટપણે ઉપયોગમાં લઈ બતાવ્યું છે. હેમલભાઈનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ આભાર અને શુભકામનાઓ.

પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૭) : ડાયસ્પોરા સમાજ – હેમલ વૈષ્ણવ


9
કંદર્પભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખનપ્રયાસ છે. બેસતા વરસના સપરમા દિવસે એકબીજાના ઘરે જઈ, સંબંધીઓ અને મિત્રોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની મજા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડીય પ્લેટફોર્મ લઈ ગયા છે. સૂરતના કંદર્પભાઈ પટેલ આ જ વિષય પર તેમની વાત લઈ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદમાં તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.

નવા વરસની શુભેચ્છાઓ.. કઈ રીતે પાઠવી? – કંદર્પ પટેલ


16
ગુજરાતી વેબવિશ્વમાં જેમના નામને કોઈ ઓળખાણની જરૂર નથી એવા શ્રી સુરેશભાઈ જાની આજે સત્યકથા પર આધારિત એક અનોખી પ્રેરણાદાયક વાત લઈને ઉપસ્થિત થયા છે. બાળકોને તેમના ભવિષ્યને લગતી, કારકિર્દીને લગતી બાબતોમાં નિર્ણય લેવાનો હક્ક હોવો જોઈએ કે નહીં? આશા છે કે સુરેશભાઈની પ્રસ્તુત વાત કિશોરો અને બાળકોની સાથે સાથે માતાપિતાને પણ પ્રેરણા આપી શક્શે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી સુરેશભાઈનો ખૂબ આભાર.

મેનેજર (પ્રેરણાકથા) – સુરેશ જાની



4
ગયા અંકમાં આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં એકથી વધુ કારણો જવાબદાર હતાં અને આપણે દરેક કારણનાં ઉકેલને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જોઈશું કે બાળકને એકવાર એવી ટેવ પડી જાય જે તેનાં સામાન્ય વિકાસની યાત્રામાં નડતરરૂપ બને તો એવી ટેવને હકારાત્મક વલણ દ્વારા કેવી રીતે બદલી શકાય. આપણે તમામ મનુષ્યોનું એક મૂળભૂત વલણ હોય છે કે આપણે સૌનું ધ્યાન આપણા તરફ ખેચવાં માંગતા હોઈએ છીએ અને એટલેજ આપણી વર્તણુંક સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. આપણાં બાળકો આમાંથી બાકાત નથી....

પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭)


4
આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે. આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી.

ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા


10
મીઠામરચાના સિંહાસને સદા બિરાજમાન કાંગરિયાળા અને ઝાલરિયાળા, હર હાઈનેસ બાશ્રી કોથમીરબા, રસોઈના રાજરાણીસાહેબા પધાર રહે હૈઁ ! બા મુલાયજા હોંશિયાર ! કોથમીરની આ સવારી નીકળી છે શ્રી અરુણાબેન જાડેજાની કલમે, ભલભલા રસોઈયા કે ભલભલી રસોઇયાણીનું પાંદડું જેના વગર હાલે નહીં તે આ રૂપ રૂપના અંબાર સમી કોથમીરનું પાંદડ઼ું. નાજુકાઈ અને નમણાશની વ્યાખ્યા જેના થકી ધન્યધન્ય થાય તે આ કોથમીર. લીલા રંગનું જીવતર સાર્થક થાય તે આ કોથમીર થકી. જેની હાજરી વગર કોઈ પણ મરીમસાલો બિચારો તે આ કોથમીર. કોથમીરના મહાત્મય વિશેનો આજનો આ લીલોછમ્મ કૂણો લેખ આપ સૌને સાદર.. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અરુણાબેન જાડેજાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

રૂપ રૂપનો અંબાર : કોથમીર ! – અરુણા જાડેજા



4
દિવાળીની સાફસફાઈ કરતાં પુસ્તકો માટે એક કબાટ લેવામાં આવ્યું, તેમાં પુસ્તકો - સામયિકો વગેરે ગોઠવતા નવનીત સમર્પણનો નવેમ્બર ૨૦૦૬નો અંક હાથમાં આવ્યો. ધીરુબહેન પટેલની વાર્તા પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસીને વાંચી અને આપણા અસ્તિત્વના, હોવાપણા અને નહીં હોવાપણા વચ્ચેની ભેદરેખાના સવાલને સ્પર્શવાનો પ્રયત્ન કરતી આ સુંદર વાત ગમી ગઈ. ધીરુબહેન પટેલના આગોતરા આભાર સાથે આજે પ્રસ્તુત છે એ વાર્તા...

કેવડિયાનો કાંટો – ધીરુબહેન પટેલ


16
સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો - સ્નેહીજનોને દિવાળીની શુભેચ્છાઓ.. નવા વર્ષના ઘણાં સાલમુબારક. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા મર્મને સમજવામાં સીમાચિહ્નરૂપ બની રહો તેવી શુભેચ્છાઓ.

નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય


4
યાકૂબભાઈ પરમારની કૃતિઓ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકોના પ્રેમને પામે છે. આજે પ્રસ્તુત છે તેમની કલમે વધુ ચાર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

ચાર ગઝલ – યાકૂબ પરમાર



11
અક્ષરનાદ પર ખણખોદ શીર્ષક હેઠળ હાસ્યપ્રેરક ટૂચકાઓ મૂક્યાને લાંબો સમય થઈ ગયો છે. આજે પ્રસ્તુત છે કેટલાક મજેદાર જોક્સ. આશા છે એમાંથી એકાદ બે તો તમને મરકાવી જ શક્શે. તહેવારોની શરૂઆત થઈ રહી છે. સતત તણાવભર્યા જીવનમાં હાસ્ય અને આનંદ એ પણ આજના સમયનું ધન જ ગણાય ત્યારે આપ સૌને હાસ્યસભર ધનતેરસ મુબારક.

ખણખોદ…. ફરી એક વાર (૧૪) – સંકલિત


2
ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લું નડીયાદમાં મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દીનો ઉત્સવ પણ એની સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરવા માંડ્યું ત્યારે મુખ્ય દરવાજા આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેંચતા હતા. એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી નીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ સૂચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોનાં નામની લગભગ પોણોસો સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને એક પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુક્ત કરીને, લોકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું. એમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા અને વ્યવસાયની સામે પેલા સૂચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી.

નિષ્ઠાનું મોતી : શ્રી ઉમાશંકર જોષી – કિશનસિંહ ચાવડા


11
નેટવિશ્વ અનેક નવી શરૂઆતો, અનેક અવનવા પ્રયત્નો અને વિચારશીલ લોકોના ઉપયોગી પ્રયત્નોનો ભંડાર છે. આજે આવા જ ત્રણ ભિન્ન લોકોનો પરિચય અહીં મૂક્યો છે. વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તેમના અલભ્ય યોગદાન બદલ સલમાન ખાન, અમિત અગ્રવાલ અને ડૉ. નિરંજન રાજ્યગુરૂના પરિચય સાથે કાંઈક અલગ કરીને ઇન્ટરનેટને તેની મહત્તમ ક્ષમતા સુધી સમાજ માટે ઉપયોગ કરનાર આ નેટવીરો અને તેમના કાર્ય વિશે જાણીએ.

ઇન્ટરનેટની સમૃદ્ધિના ત્રણ નેટયોગીઓ..



6
કોઈ વ્યક્તિના બાવડા કોણી નીચેથી કાપાઈ ગયેલા હોય અને એક ફોટોગ્રાફર તરીકે કામ કરે તો નવાઈ લાગે કે કેમ? ઈન્ડોનેશિયાની ૪૪ વર્ષની રુસિદા બડાવી આવી એક મહિલા છે જે બાર વર્ષની હતી ત્યારે એક કાર અકસ્માતમાં તેના હાથને કાપવા પડ્યા હતા. આજે તે કેમેરો લઈને પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે ૨૦ વર્ષથી કામ કરી રહી છે. ઈન્ડોનેશિયાના નાના ગામમાં વીસ વર્ષથી ફોટોગ્રાફી કરી મગરૂરીભર્યુઁ જીવન વિતાવતી મહિલાએ સાચા અર્થમાં સર્જનાત્મકતા શું કહેવાય તે બતાવી આપ્યું છે. હાથની કમી તેના માટે કોઈ સમસ્યા નથી.

હિંમતે મર્દા તો મદદે ખુદા : રુસિદા બડાવી – ડૉ. જનક શાહ


2
દેશવિદેશે'માં મનુભાઈ પંચોળી 'દર્શક' તેમના ઇઝરાઈલની પ્રવાસ ડાયરીમાં નોંધે છે તેમ, "ઈસીહા પાસેથી જાણ્યું કે ધર્મનું પરિબળ નવી પેઢીમાં ઘટતું જાય છે, પણ બાઈબલ તરફની એક પ્રકારની અહોભાવની લાગણી છે જ અને અરબો સામે દેશને બચાવવાની સરફરોશી છે. આ લોકોએ પણ ઇઝરાઈલ બાબતની ભારતની નીતિની ચર્ચા કરી. મેં તેમને મુસ્લિમ લોકોના પ્રત્યાઘાતો તેમ જ મુસ્લિમ દેશો સાથે બસો કરોડ રૂપિયનો ભારતનો વેપાર છે તેનો ખ્યાલ આપ્યો. ઈઝરાઈલ વિશે સહાનુભૂતિ છે છતાં ઉપરની હકીકતને લીધે કોકડું ગૂંચવાયેલું રહે છે - કે રાખે છે, તેમ સમજાવવા મહેનત કરી. ઇસીહાએ મને માહિતી આપી કે જોર્ડન તો ઈઝરાઈલ જોડે યુદ્ધની સ્થિતિમાં રહ્યું છે છતાં તે ઈઝરાઈલમાંથી લાખો રૂપિયાનાં સીમેન્ટ, શાકભાજી, માખણ લઈ જાય છે. જોર્ડન જો ચાલુ લડાઈએ આ કરે તો ભારતથી કેમ ન બને? તેણે માહિતી આપી કે ઇઝરાઈલે ફોસ્ફેટનાં ખાતરો બીજા કોઈનાં કરતાં દસ ટકા ઓછા ભાવે મુંબઈ કિનારે પહોંચાડવાની તૈયારી બતાવેલી છતાં ભારતે તે ખાતરો ન લીધાં. તે વખતે પોતે ફોસ્ફેટ ખાતરોનાં કારખાનામાં મદદનીશ ઈજનેર હતા." સ્વ.મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી નું આ વર્ષ છે. ૧૯૭૦માં તેમના પ્રવાસની ડાયરીમાં ઘણું રસપ્રદ અને અવનવું તેમણે અનુભવસરવાણી રૂપે નોંધ્યું છે, એમાંથી થોડા ભાગ અહીં ઉદધૃત કર્યા છે.

ઇઝરાઈલ ડાયરી – મનુભાઈ પંચોળી ‘દર્શક’


4
દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ - આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.

તહેવારોનું સ્નેહ સંમેલન.. દિવાળી – વિનોદ માછી



13
રવિન્દ્રનાથ ઠાકુરની કલમે સર્જાયેલ કાબુલીવાલા એક સુંદર વાર્તા છે, વર્ષો પહેલા શાળા શરૂ થતાં પહેલા હિન્દી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકોની વાર્તાઓ હું વાંચી જતો, અને પછી શાળામાં અભ્યાસ દરમ્યાન એ ટેવ મદદરૂપ થઈ રહેતી. કાબુલીવાલા વાર્તાની વિશેષતા છે તેનું કથાનક, એક કાબુલી અને નાનકડી છોકરી મિની વચ્ચેની દોસ્તીની વાત, એ છોકરીમાં પોતાની દીકરીને જોતા કાબુલીના મનોભાવ અને મિનીના પિતા દ્વારા આલેખાતી આ વાત એટલી તો સુંદર થઈ કે તેના પર બંગાળીમાં (૧૯૫૭માં), હિન્દીમાં (૧૯૬૧માં) અને મલયાલમમાં (૧૯૯૩માં) ફિલ્મ પણ બની. કાબુલીવાળાનું પાત્ર સ્વદેશથી દૂર કામ કરતા એવા દરેકના સંવેદનોને વાચા આપે છે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહીને રોજગાર માટે મજબૂર છે. પ્રસ્તુત છે આ સુંદર વાર્તાનો અનુવાદ. હિન્દીમાં મળેલ કાબુલીવાલામાંથી કર્યો છે.

કાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ


13
પૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે.....! જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.

પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬)


4
ડૉ. સંતોષ દેવકરની આજની વાત આપણા શિક્ષણતંત્રની કરોડરજ્જુ એવા પ્રયોગશીલ સમર્પિત શિક્ષકો વિશેની વાત કહે છે. તેમના માટે કેળવણીકારો પ્રયોગશીલ શબ્દ વાપરતાં હોય છે, એવા શિક્ષકો જેઓ પરિપત્રો, સમય અને પુસ્તકોથી ઉપર વિદ્યાર્થીઓના જ્ઞાનસમૃદ્ધિ માટે કામ કરે છે. આપણે દરેકે આપણા શાળાજીવનમાં આવા અમુક શિક્ષકો તો જોયા જ હશે. આજની ડૉ. દેવકરની વાત સમર્પિત છે એવા જ આદરપાત્ર 'ગુરુ'ને. અક્ષરનાદને આ સુંદર વિચારશીલ લેખ પાઠવવા બદલ ડૉ. દેવકરનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર



14
નાનકડી વાર્તાઓમાં છુપાયેલ અદ્રુત વાર્તાતત્વ અને વાચકના મનમાં તેના દ્વારા ઉત્પન્ન થતી અનેક શક્ય વાર્તાઓ, અનેક શક્યતાઓથી સભર સર્જનપ્રક્રિયાની શરૂઆત એક નાનકડી વાર્તા કરી શકે છે. આજે પ્રસ્તુત છે ધવલભાઈ સોની પ્રસ્તુત ત્રણ લઘુકથાઓ. એકથી એક અનોખી વાર્તાઓ સાથે આજની સવારે તેમની આ વાર્તાઓ તેના શક્ય વિસ્તાર વિશેનું વિચારવલોણું શરૂ કરી જાય છે. ધવલભાઈ સોનીનો અક્ષરનાદને આ વાર્તાઓ મોકલવા બદલ આભાર અને શુભકામનાઓ.

ત્રણ લઘુકથાઓ – ધવલ સોની


11
નડીયાદથી શરૂ થયેલ સાપ્તાહિક ક્વોલિટી સક્સેસમાં મારી ટેકનોલોજીને લગતી કૉલમ 'ઇન્ટરનેટની હકારાત્મક બાજુ' પ્રસ્તુત થાય છે. દર રવિવારે પ્રસિદ્ધ થતાં આ સાપ્તાહિકમાં હાર્દિકભાઈ યાજ્ઞિકની સરસ નિયમિત કૉલમ 'હું, તમે અને વાતો' પ્રસ્તુત થાય છે. તેના ગતાંકની મિત્રતા વિશેની આ વાત આજે પ્રસ્તુત છે. ચોવીસ કૅરેટની શુદ્ધતાનો હોલમાર્ક ભલે ન હોય, પણ સો ટચની લાગણીઓથી તરબરતર થયેલો ખાલી એક દોસ્ત તમારી જોડે હોય ને, એટલે દુનિયાભરના સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને પૂરેપૂરી છૂટ છે. આજની રીતે કહેવું હોય તો કહી શકાય કે 'જો બકા, ભાઇબંધ એટલે...'

જો બકા! ભાઇબંધી એટલે ભાઇબંધી – ડૉ. હાર્દિક યાજ્ઞિક


13
રમેશભાઈ તેમના આજના લેખમાં કહે છે એ હું ટાંકુ, "આ સિનીયર સિટીઝન થવામાં એક મોટામાં મોટો ફાયદો પણ છે. આખી જીંદગી ભલે આપણે રાવણની વિચારધારામાં કાઢી હોય, પણ સિનીયર સિટીઝન થયાં પછી, એ બિલકુલ મહાત્મા ગાંધીની નજીક આવી જાય. કઈ રીતે બોલ બકા. કારણ, પહેલી ઓક્ટોબર એટલે " વિશ્વ સિનીયર સિટીઝન ડે " અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ.! કેવાં નજીક-નજીક છે?" વિશ્વ વૃદ્ધ દિવસ નિમિત્તે સિનીયર સિટીઝન મિત્રોને શુભેચ્છાઓ સહ રમેશભાઈનો પ્રસ્તુત લેખ સાદર. અક્ષરનાદને સુંદર લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

પાન ઘરડું થયું, ને તમે યાદ આવ્યા…! – રમેશભાઈ ચાંપાનેરી