વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

7
આજે પ્રસ્તુત છે શ્રી આશિત હૈદરાબાદી દ્વારા સંકલિત પુસ્તક 'વાહ! ક્યા અંદાઝેબયાં..' માંથી તારવીને મૂકેલા મને ગમી ગયેલા કેટલાક અદ્વિતિય શે'ર જેને માણીને તમે પણ ચોક્કસ 'ક્યા બાત' કહી ઉઠશો.

શે’ર બહાર – સંકલિત



12
ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ 'ક્ષણોની મહેફિલ' ગત અઠવાડીયે મળ્યો. ખૂબ પ્રેમથી તેમણે એ મને પાઠવ્યો એ બદલ તેમનો આભાર. તેમની ઇ-મેલ દ્વારા મળતી ગઝલોમાંથી પસાર થવાનો અવસર તો ઘણી વખત માણ્યો છે, પણ તેમના સંપૂર્ણ ગઝલસંગ્રહમાંથી પસાર થવાની ખૂબ મજા પડી. તેમાંથી મને ગમી ગયેલી ગઝલોમાંથી ચાર આજે પ્રસ્તુત કરી છે. ડૉ. મુકેશભાઈને આ સંગ્રહ બદલ અભિનંદન અને તેમની કલમને ભવિષ્યમાં આવા અનેક સંગ્રહો માટેની શુભકામનાઓ.

ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી



12
બપોરના થાક્યોપાક્યો માંડ આડો પડ્યો હતો. ઉનાળાનો સૂર્ય દિવસે ને દિવસે વધુ આકરો બનતો જતો હતો. લૂ અનરાધાર વરસતી હતી. પડખાં ફેરવતો હતો ત્યાં જ લતાનો આદેશ છૂટ્યો : ‘ઍક્ટિવા બંધ છે. સુરેશ, તમે મને જી.પી.એસ.સી.ના ક્લાસ સુધી વિકાસવર્તુળ મૂકી જાવ ને.’ ઘરધણીનો આદેશ એટલે સુરેશ માટે ના પાડવાનો સવાલ જ નહિ. બાઈકની કિક મારી મને-કમને નીકળી જવું પડ્યું. તડકામાં લતાએ બુકાનીની જેમ દુપટ્ટો મોં પર બાંધેલો ને પોતે તો ઉઘાડા-છોગે. લતાના મનમાં તો ઉચ્ચશિક્ષણના અરમાન હતા. લતા રસ્તામાં નોલેજ – પરીક્ષાની નવી નવી વાતો કરતી હતી. સુરેશના મન પર તો ઊંઘ જ સવાર હતી. ક્યારે ગામનું તળાવ ને વિકાસ-વર્તુળ આવી ગયું તેની ખબર જ ન પડી. ને લતાએ લહેકો કર્યો : ‘સાંજે લેવા આવી જજો.’

ઋણાનુબંધન – મનિષ રાજ્યગુરુ


3
દેખાવમાં સસલાં અને ખિસકોલીના હાઇબ્રિડ એટલે કે વર્ણશંકર જાતિના લાગતા પ્રેરિઅર ડોગ બહુ વિશિષ્ટ છે. આ કૂતરાંઓને માનવજાતિના એક વર્ગ કરતાં પણ વધુ ગુણવાન અને સારા કહેવા પાછળનું કારણ ફક્ત તેમનો સ્વભાવ જ નથી પણ આ કૂતરાંઓ દરરોજ સૂર્યોદયના અડધો કલાક પહેલાં જાગી જાય છે અને હાથ જોડીને રીતસર સૂર્યદેવતાને નમન કરે છે. ઈથોલોજિસ્ટસ એટલે કે પશુઓની વર્તણૂક અને સ્વભાવનું લાંબા સમય સુધી કુદરતી વાતાવરણમાં જ નિરીક્ષણ કરનારાઓએ જોયું છે કે પ્રેરિઅર ડોગ્સ વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેમના નાના-નાના પંજાઓ જોડીને નમસ્કારની મુદ્રામાં આંખ બંધ કરીને ઊભા રહે છે.

પ્રેરિઅર કૂતરો : આપણો વફાદાર મિત્ર – ઙો. મિહિર વોરા


8
રાકેશભાઈની ચાર તરોતાઝા ગઝલો આજે પ્રસ્તુત કરી છે. ઝૂંપડીને બે વેંત અદ્ધર કરતી, ગારની ભીંતોને ખેતર કરતી, ચરણો વિના જાતરા કરતી, ખેતરોમાં ઉજાસ કરતી અને ફૂલની મ્હેકને શૂળમાં શોધતી તેમની કલ્પના ભાવકને રસતરબોળ કરી મૂકે એવી અદ્રુત છે. અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર કૃતિઓ વહેંચવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર.

ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા



11
નર્મદ સાહિત્ય સભા, સુરત આયોજીત કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨ (૨૦૦૯-૧૦) માં કુલ ૩૧૭ વાર્તાઓ આવેલી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ અને પ્રા. સતીશ ડણાક તેના નિર્ણાયકો હતા. તેમાંથી પ્રથમ આવનાર દીનાબેન પંડ્યાની વાર્તા 'ઓહવાટ'ને ૨૫૦૦૦/-નું પારિતોષિક મળ્યું હતું. 'છાલક' સામયિકમાં આ સ્પર્ધાની કેટલીક વાર્તાઓ પ્રગટ થઈ હતી એ અંક મને શ્રી જગદીપભાઈ ઉપાધ્યાય તરફથી ભેટ મળ્યો હતો. તેમાંથી 'છાલક' અને 'નર્મદ સાહિત્ય સભા'ના આભાર સાથે આજે 'ઓહવાટ' અહીં પ્રસ્તુત કરી છે. વાર્તા ઘણા સમયથી ટાઈપમાં હતી, પણ આ એક એવી વાર્તા છે જેને ટાઈપ કરતા અને પ્રૂફ કરતા અક્ષરનાદની કોઈ પણ પોસ્ટ કરતા મને મહત્તમ સમય લાગ્યો, કારણ છે તેની ભાષા. બકુલેશ દેસાઈ આ વાર્તા માટે લખે છે તેમ, 'ધુમ્રસેર હોય કે ધુમાડાના ગોટેગોટા, કેવાં નિરારકા હોય છે, સામાન્ય માનવીની ઇચ્છા આશા અપેક્ષા જેવાં! ઇચ્છા પૂરી થાય તો પણ તેની ઝંખના અને પ્રાપ્તિની વચગાળાની પળો કાંઈ ઓછા અકળાવનારા નથી હોતા! 'ઓહવાટ' ની નાયિકા સોમલી આવી બડભાગી છે. જે વિશિષ્ટ સંજોગોમાં બબ્બે દીકરીઓ પછી.. વાર્તાની લોકબોલી સભર સંવાદો તેને ઉજાળે છે, પુત્રપ્રાપ્તિની દડમજલ અને ગડમથલ આલેખતી આ વાર્તા તેની વિશિષ્ટ સંકલ્પના, વિલક્ષણ કથાબીજ અને સંવેદનશીલ સંયમિત નિર્વહણથી હ્રદયસ્પર્શી બની છે.'

ઓહવાટ – દીના પંડ્યા (કેતન મુન્શી વાર્તાસ્પર્ધા ૨ માં પ્રથમ આવેલ વાર્તા)


1
જિતેન્દ્રભાઈની ત્રણ સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અનેક સામયિકોમાં તેમની કૃતિઓ સતત માણવાનો અવસર મળે છે, આજની આ ત્રણ કૃતિઓ, 'સપનાઓ..', 'અને મા યાદ આવી', અને 'હયાતી' ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિતેન્દ્રભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ત્રણ સુંદર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ


5
પ્રચલિત અને સુવિખ્યાત પુસ્તક 'અઘોરીઓ સાથે પાંચ દિવસ' ના લેખક શ્રી સુરેશ સોમપુરા, એક ચિત્રકાર, વ્યંગ ચિત્રકાર, લેખક, તસવીરકાર અને પત્રકાર, પણ વિશેષ અભિરુચિ અધ્યાત્મમાં રહી છે. છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓએ ધર્મ, અધ્યાત્મ, માનસ અંગે મૌલિક સંશોધન કર્યું છે. મનની શક્તિ - મનોવિજ્ઞાન પ્રત્યેનો તેમનો અભિગમ અધ્યાત્મિક છે. પ્રેમની પ્રાપ્તિ સિવાય અન્યને માટે મનની શક્તિના ઉપયોગનો તેઓ અણગમો દર્શાવે છે. આ વર્ષો દરમ્યાન તેઓ અનેક માંત્રિકો, તાંત્રિકો, ધર્મધુરંધરો અને તત્વજ્ઞાનીઓના પરિચયમાં આવ્યા છે અને ચિંતન મનન અને સાધના પછી આધ્યાત્મિક ક્ષેત્રે પોતાની મૌલિક વિચારસરણી તેઓ લાવ્યા છે. મનની શક્તિ જ મનુષ્યને સર્વોત્તમ બનાવી શકે છે તેમ તેઓ માને છે. આ અંગે તેમણે જાત પર પ્રયોગો અને અન્યને સહાય પણ કરી છે. આ નાનકડી પુસ્તિકામાં તેમણે માનસિક શક્તિ દ્વારા ઐશ્વર્ય, સદબુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ અંગે જીજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું છે.

માનસ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – સુરેશ સોમપુરા



4
પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ, ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ અને ચાર વાર્તાઓનો ચોથો ભાગ આપણે આ પહેલા માણ્યા, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો પાંચમો અને અંતિમ ભાગ.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૫ – વિવિધ પ્રતિયોગી મિત્રો


13
પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ, બીજી ચાર વાર્તાઓ અને ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ આપણે આ પહેલા માણી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ચોથો ભાગ.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૪ – વિવિધ પ્રતિયોગી મિત્રો


13
પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ અને બીજી ચાર વાર્તાઓ આપણે આ પહેલા માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓનો ત્રીજો ભાગ.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૩ – વિવિધ પ્રતિયોગી મિત્રો



15
ગઈકાલથી પાંચ દિવસ સુધી પ્રસ્તુત થઈ રહી છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી અને નોંધ લીધેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. પ્રથમ ચાર વાર્તાઓ આપણે કાલે માણી હતી, આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૨ – વિવિધ પ્રતિયોગી મિત્રો


21
આજથી પાંચ દિવસ પ્રસ્તુત છે માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક સુંદર માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસ વાર્તાઓ વિજેતા મિત્રોની બધી વાર્તાઓની સાથે સાથે અન્ય સ્પર્ધક મિત્રોની નિર્ણાયકોએ વધાવેલી વાર્તાઓ છે. આ વીસ માઈક્રોફિક્શન પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની ચાર વાર્તાઓ. આજે ગોપાલ ખેતાણી, કિશોર પટેલ, નિતીન લિંબાસીયા અને વલીભાઈ મુસાની વાર્તાઓ પ્રસ્તુત કરી છે.

ચાર વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૧ – વિવિધ પ્રતિયોગી મિત્રો


23
હા.......શ આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી કરી જ છે, અહીં પરિણામો અને વિજેતાઓની જ વાત.

અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ



5
જ્યારથી ચમનિયાના કાનમાં કોઈએ ફૂંક મારી છે, ત્યારથી એના મગજમાં ધુમ્મસ ભરાઈ ગયું છે, બોલો! લોકોય સ્હેજ પણ સીધાં નહી ને? વાતમાં આમ તો કંઈ માલ જ નથી પણ કહેવાય છે ને કે, "કબ હું મન રંગત રંગ ચઢે, કબ હું મન સોચત હૈ ધન કો, કબ હું મન માનુની દેખ ચલે ઔર કબ હું મન સૌચત હૈ મનકો!" જેનું મન બગડ્યું, એનું મગજ ફાટે જ ફાટે! વાત જાણે એમ છે કે નેધરલેન્ડની માર્સ વન નામની કોઈ સંસ્થાએ, સમાનવ મંગળયાત્રા ગોઠવી અને તેમાં જનારા પ્રવાસીનો બધો ખર્ચ પણ આ સંસ્થા ભોગવવાની આ માટેના યાત્રિકોની યાદી પણ તૈયાર થઇ રહી છે. બસ આ વાતની જોરદાર ફૂંક, કોઈ પેટબળાએ મારા આ બોકળાના કાનમાં એવી મારી કે મારેલી ફૂંકનું આખું વાવાઝોડું થઇ ગયું! સાથે એવો મસાલો પણ ભરી આપ્યો કે આ યાદીમા નામ નંખાવવું હોય, તો તું રમેશ ચાંપાનેરીનો કોન્ટેક્ટ કર, તારો ખાસ મિત્ર છે એટલે ફટ દઈને પતી જશે. બસ ત્યારથી એ મારો પડછાયો બનીને ફરે છે, પીછો જ નથી છોડતો.

મંગળ ઉપર આંટો મારવા આવવું છે…! – રમેશભાઈ ચાંપાનેરી


11
શું વ્યક્તિગત જીવનમાં કે શું સામાજિક જીવનમાં, ક્યારેક એવો તબક્કો જરૂર આવે છે, જ્યારે અન્યને કોઈ વાત ગળે ઉતરવા નાની લીટી ભૂંસવાને બદલે એની સામે મોટી લીટી દોરીને બતાવવી જ પડે ! આપણી માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન આપણા પોતાના જીવનને સમૃદ્ધ કરવા કેટલું અનિવાર્ય છે – આ સત્ય ગુજરાતની જનતાને ગળે ઉતારવાનું હવે અઘરું થઈ પડ્યું છે. સમજાવટનું જાણે ‘સેચ્યુરેટેડ પોઈન્ટ’ આવી ગયું છે. હવામાં આવી દલીલ સંભળાય છે – તમે લાખ કહો પણ અમારાં સંતાનના વિકાસ માટે ‘અંગ્રેજી’ને શિક્ષણનું માધ્યમ બનાવ્યા વગર બીજો કોઈ ઉપાય અમને ગળે ઊતરતો નથી !’

માતૃભાષા દ્વારા પાંગરતું જીવન – મીરા ભટ્ટ


5
આજે પ્રસ્તુત છે મિત્રોનું સર્જન એવી સંકલિત કાવ્યરચનાઓ, જેમાં શ્રી મિતુલ ઠાકર, શ્રી દેવિકા ધ્રુવ, શ્રી સરયૂ પરીખ અને શ્રી હર્ષદ દવેની રચનાઓ સમાવિષ્ટ છે. ઈ-મેલ દ્વારા રચનાઓ પાઠવવા બદલ બધા જ સર્જક મિત્રો નો ખૂબ ખૂબ આભાર.

સંકલિત કાવ્યરચનાઓ..



5
અલખ નિરંજન... બમ બમ ભોલે... હર હર મહાદેવ... આવા ભક્તિ સભર નિનાદોથી ગિરનારની ગિરીકંદરાઓ સતત ગુંજતી રહે છે. જુનાગઢ શહેર થી સાત કી.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાનિધ્યમાં બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રીક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એકજ ઝંખના છે. ભગવન ભોળાનાથના દર્શન અને તળેટીમાં યોજાયેલા મહાશિવરાત્રીના મેળામાં મહાલવું.

અલખની અહાલેક જગાવતો મહાશિવરાત્રીનો મેળો – હરેશ દવે


12
શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા 'તિમિરપંથી' ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.

ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest


4
ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા 'લવલી પાન હાઉસ'નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. 'લવલી પાન હાઉસ' એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.

રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ



17
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં તાલેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇસ્માઈલભાઈ પઠાણની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ અછાંદસ રચનાઓ છે. સુંદર રચનાઓ બદલ તેમને શુભકામનાઓ અને અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક બદલ આભાર.

ત્રણ અછાંદસ રચનાઓ.. – ઇસ્માઈલ પઠાણ


10
જાણીતા બ્લોગર અને અમેરિકાવાસી શ્રી સુરેશભાઈ જાનીના સર્જનો નેટવિશ્વ સાથે સંકળાયેલ દરેકને માટે સહજ પ્રેરણાસ્ત્રોત બની રહે છે. આજે તેઓ સત્યઘટના પર આધારિત આવી જ એક વાતનો બીજો ભાગ લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

અનાથનું એનિમેશન ભાગ ૨ (સત્યકથા આધારિત) – સુરેશ જાની


14
એક માણસ રાત્રે ચાલતાં ચાલતાં લાપસી જાય છે અને પર્વતીય રસ્તા પરથી પડી જાય છે. હજારો ફૂટ ઊંડી ખીણમાં ગબડી પડાશે એવો તેને ભય લાગ્યો, કારણ કે તે જાણતો હતો કે રસ્તાની ધારે બહુ ઊંડી ખીણ છે. એવામાં તેનાં હાથમાં તે રસ્તાની ધાર પર લટકતી ઝાડની એક ડાળી આવી ગઈ. તેને ડાળીને જોરથી પકડી લીધી. રાતના અંધારામાં તેને અંતહીન ઊંડી ખીણ જ દેખાઈ. તેણે ઘણી બૂમો પાડી પરંતુ તેને માત્ર પડઘા જ સંભળાયા - તેની બૂમો સાંભળવાવાળું ત્યાં કોઈ ન હતું. તમે કલ્પના કરો કે આ માણસે આખી રાત કેવા ત્રાસમાં વિતાવી હશે. દરેક પળે તેને નીચે મોત દેખાતું હતું.

ભય – ઓશો, અનુ. હર્ષદ દવે



18
આજે વાર્તાલેખનના ક્ષેત્રમાં પોતાનો પહેલું પગથીયું મૂકવા માંગતા મિત્રો માટે મદદરૂપ થઈ રહે એવો એક પ્રયત્ન કરવાનું મન છે. એટલે જે શરૂઆત આપી છે તેના અનુસંધાને વાર્તા શરૂ કરીએ. પ્રતિભાવમાં આપ એ વાર્તાને આગળ વધારી શક્શો, બીજો પ્રતિભાવ પહેલા પ્રતિભાવને ધ્યાનમાં રાખી વાર્તાને આગળ વધારશે અને ત્રીજો પ્રતિભાવ બીજા પ્રતિભાવથી વાર્તાને આગળ લઈ જશે એમ પ્રતિભાવોની સાથે વાર્તા વધતી રહેશે. આપણે વાર્તાને એક સુંદર શરૂઆત પણ આપવી છે, તેને યોગ્ય માળખામાં પ્રવાહી અને વહેતી પણ રાખવી છે અને સાથે સાથે એક સુંદર અંત તરફ પણ લઈ જવી છે એ વાત યાદ રાખીને આપ લખશો.

આવો વાર્તા લખીએ.. – શરૂઆત (૧)


12
૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિવસ, આજે તેમના મૃત્યુના સડસઠ વર્ષો પછી પણ તેમના વિચારો અને પદ્ધતિ આજના વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત અને અસરકારક છે જેટલી ત્યારે હતી. ઓબામા હોય કે મંડેલા, મોદી હોય કે આંગ સૂ કી કે અન્ય કોઈ પણ વિશ્વનેતા, ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે આ દરેકે કદમતાલ મિલાવવાનો જ સંદેશ વિશ્વને આપ્યો છે. એક વર્ષ જૂનું, અત્યંત સુંદર અને વાંચનપ્રદ સાહિત્ય પીરસતું સામયિક 'આનંદ ઉપવન' જાન્યુઆરી અંકને 'બાપુ વિશેષાંક' તરીકે લઈને ઉપસ્થિત થયું છે અને તેની પ્રસ્તુતિ ખરેખર દાદ માંગી લે તેવી સુંદર છે. આજે તેમાંથી જ કેટલાક સંકલિત પ્રસંગો પ્રસ્તુત છે.

પ્રેરણાદાયક પ્રસંગ-કથાઓ.. મહાત્મા ગાંધી વિશેષ


20
હાર્દિકભાઈ સાથે ફોન પર ઘણાં સમય પહેલા સાંભળેલી આ સુંદર વાર્તા આજે વાચકો સાથે વહેંચવાની ઇચ્છા રોકી શક્યો નહીં. એ હાર્દિકભાઈની કલમની અને સર્જનાત્મકતાની જ કમાલ છે કે તેઓ આ વાર્તાને એક અનોખો વળાંક આપી શક્યા છે, અને એ અંતમાં આવતો વળાંક વાર્તાને અદ્રુત અને માણવાલાયક બનાવે છે. હાર્દિકભાઈના આભાર સાથે આજે પ્રસ્તુત છે તેમની આ અનોખી વાર્તા.. સાહેબ, મને ભૂત દેખાય છે!

સાહેબ, મને ભૂત દેખાય છે.. (વાર્તા) – ડૉ. હાર્દિક યાજ્ઞિક



7
આજે પ્રસ્તુત છે પ્રથમ વખત અક્ષરનાદ પર પોતાની રચનાઓ પ્રસ્તુત કરી રહેલા ત્રણ નવોદિત રચનાકાર મિત્રોની કાવ્યરચનાઓ. બે અછાંદસ અને એક ભક્તિરચના સાથેનું આજનું સંકલન જેમાં કાળના ડંખની પીડા છે, જેમાં શબ્દો અને તેની અભિવ્યક્તિની વાત છે અને તેમાં શામળિયાને વિનંતિ પણ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર અને શુભકામનાઓ.

વાચકમિત્રોની ત્રણ કાવ્યરચનાઓ.. – સંકલિત


6
નિસર્ગોપચાર - પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ એક આધારભૂત ચિકિત્સા પદ્ધતિ છે. નિસર્ગ ઉપચાર કરનાર ચિકિત્સકોનું માનવું છે કે શરીરમાં જમા થયેલો નકામો કચરો જ બધા રોગોનું મૂળ કારણ છે. આપણાં શરીરમાં હંમેશા જાતજાતના નકામાં પદાર્થો અને વિષ (ઝેર) ઉત્પન્ન થાય છે. આ નકામા કચરાને, એ વિષને જો યોગ્ય સમયે બહાર કાઢવામાં ન આવે તો શરીરની અંદર રહી જાય છે અને શરીરને રોગગ્રસ્ત બનાવી દે છે. શરીરની અંદર ભેગા થયેલા નકામા પદાર્થો જ બધા રોગોનું મૂળ કારણ છે. જ્યારે આ બધા ઝેરી કચરાના ભારથી શરીર ત્રસ્ત થઈ જાય છે ત્યારે પ્રકૃતિ કોઈને કોઈ રીતે વધેલા પદાર્થોને બહાર કાઢવા પ્રયત્નો કરે છે. પ્રકૃતિ શરીરના વિષને બહાર કાઢીને આપણા શરીરને સ્વચ્થ અને તંદુરસ્ત રાખે છે. કોઈ પણ પ્રકારના રોગની સ્થિતિમાં શરીરના બધા માર્ગો શરીરને રોગમુક્ત કરતા રહે છે. આ પ્રકારાની ચિકિત્સાને પ્રાકૃતિક ચિકિત્સા અથવા નિસર્ગોપચાર કહે છે.

નિસર્ગોપચાર : શ્રેષ્ઠ ઉપચાર – પ્રો. નિરંજના ભટ્ટ


9
હેલન કેલર આ લેખ માટે કહે છે, 'મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઇ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઇ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઇ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઇ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું! અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઇ લેવા ઝંખું?

ત્રણ દિવસ અંધાપો જતો રહે તો… – હેલન કેલર, અનુ : જયંત મેઘાણી