વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

shiva nataraja figurine surrounded by lighted tealights 6
નૃત્યને કોઈ વિષયમર્યાદા હોતી નથી કે એને સીમા બાંધી નથી શકતી. તે છતાં સામાન્યપણે વિષયપસંદગીમાં સમાજનું પ્રતિબિંબ પડે જ છે. ભારતીય નૃત્યોમાં આપણાં પોતાના ઉત્સવો કે તહેવારોની ઉજવણીની છાપ છે. આમ, જેવી સંસ્કૃતિ એવી વિચારધારા, એવા જ નૃત્યો. જેમ કે, આપણાં ભગવાન કૃષ્ણની રાસલીલાએ જ રાસ કે ગરબીની રચના કરી છે.

નૃત્યનિનાદ ૩ : ભારતીય નૃત્યની વિભાવના


6
શાળા એ બાળકો માટેનું સ્વર્ગ હોય છે અને શિક્ષકો એમનાં દેવ! શાળા એવી હોવી જોઈએ જયાં બાળકોનો સ્વસ્થ રીતે વિકાસ થાય. નિષ્ફળતા અને સફળતા બન્ને એકબીજાનાં પૂરક છે એ વાત ફક્ત શાળામાં શીખી શકે નહીં પણ જીવનમાં ઊતારી પણ શકે. જીવન સુંદર રીતે જીવી શકે.

તોત્તો-ચાન : પરિભ્રમણ – હીરલ વ્યાસ


4
उस किताब में एक ऐसा सूरज उगे, जिसकी चिनगारी तुम्हारी फूंकी हुई सिगारेट को जिन्दा कर दे और मेरे भीतर जल रही आग को हवा दे कर सूरज बना दे, जिसके उजाले में हम हमारे सारे ख्वाबो को हकीकत में तबदील होते देख सके।

પ્રેમીઓના સપનાનું ઘર શું આવું જ હોતું હશે? – નેહા રાવલ



2
મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, "કેવડો હતો એ હાથી?" ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.

રાખનાં રમકડાં.. – કમલેશ જોષી


14
ગુજરાતમાં આવેલું ચાંપાનેર ગામનું નામ તો ઘણાં બધાંએ સાંભળ્યું હશે અને જોયેલું પણ હશે. મારા આ પ્રવાસની વાત કંઇક અનેરી છે. ચાંપાનેરનો ઈતિહાસ વગેરે તો બધે મળી રહેશે એટલેજ મને થયું કે આજે તમને મારી રીતે સફર કરાવું.

ચાંપાનેર – સ્વાતિ મુકેશ શાહ


23
લખતી વખતે શબ્દોનો કેફ ચઢે પછી વિષય પરથી અજાણતાં જ લપસી પડાય ત્યારે હસવું આવી જાય. સાબુવાળાં પોતાં કરતી વખતે લીસ્સી થઈ ગયેલી ફર્શ પરથી ફૂવડ ગૃહિણીની જેમ લપસી પડાયું હતું ત્યારે પણ આવું જ હસવું આવ્યું હતું!

‘કદાચ’ એટલે વળી શું? – રાજુલ ભાનુશાલી



1
આજની વાર્તા "ચોરટી" સ્વ. ભાવેશ ચૌહાણ સ્પર્ધા 2020માં તૃતીય ક્રમે વિજેતા બની હતી. ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા શરૂ થાય છે, "ચોરટી, ચોરટી" શબ્દથી અને વાચકને ઉત્સુક કરી દે છે. એક સ્ત્રી ઉપર બાળક ચોરવાનો આરોપ છે,

ચોરટી – નયના મહેતા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી


4
‘ચોર... ચોર... ચોરટી... મારી છોડીને ઉપાડી જાય.. પકડો... પકડો... ચોરટી..’ મોંઘીની રાડોથી વડ નીચે થતી ઝપાઝપી તરફ સહુનું ધ્યાન ગયું. વડની ડાળે બાંધેલી ઝોળીમાંથી હજી હાલ જ રોતી છોડીને કાઢીને બચકારતી કમુ કંઈ સમજે એ પહેલાં તો ગાંડાની જેમ દોડી આવેલી છોડીની મા, મોંઘીએ કાગારોળ મચાવી દીધી.

ચોરટી – નયના મહેતા


8
રમતો એ કેળવણીનું અભિન્ન અંગ છે. બાળવિકાસને ગતિ આપતી કેડી છે. ઉમંગ ઉલ્લાસનો જાણે રંગભર્યો ફુવારો છે. બાળકમાં સુષુપ્ત રીતે પડેલ ચેતનાને જગાડતી શક્તિ છે. જાણો, એ રમતોના ફાયદા પણ કેવા કેવા છે!

બાળકોને રમતાં કરવાં એ આપણા માટે તો રમતવાત હોવી જોઈએ! – ભારતીબેન ગોહિલ



collage of portraits of cheerful woman 27
બધાં મહેમાનો જમે પછી પ્લેટો ઉપાડનારાઓને કડક સૂચના અપાયેલી કે, 'એંઠી પ્લેટો ફટાફટ ઉપાડી લેવી.' તેમાં એ લોકો જમનાર પાછળ એવા ટાંપીને ઊભા રહી ગયેલા કે હજુ જમનારની ડોક આમ ફરે તેવામાં તો પ્લેટ ઉપડી જાય.

મન્નુ તેરા હુઆ અબ મેરા ક્યા હોગા – સુષમા શેઠ


6
ધારી લો કે તમારી પાસે 3 બોક્સ છે. પહેલું બોક્સ અણમોલ છે, હીરામોતીથી જડિત છે. બીજું બૉક્સ કાચનું પારદર્શક બોક્સ છે અને ત્રીજું બૉક્સ એ ખાલી પુઠ્ઠાનું ખોખું છે. હવે તમને 3 વસ્તુઓ આપવામાં આવે છે જેને તમારે આ બોકસીઝમાં ગોઠવવાની છે. ડન? કઈ ત્રણ વસ્તુઓ?

તુમ ઇતના જો દૂર જા રહે હો.. – આરઝૂ ભૂરાણી


2
આજની સવાર રોજ કરતાં કંઈક અલગ ઊગી હતી. ગઈ રાતે તે કહેલું, ‘સવારે તું જાગે ત્યારે મને જગાડજે..’ અને પોણા પાંચે તને જગાડીને ‘ગુડ મોર્નિંગ’ કહું ને તું કહે, ‘બસ પાંચ મિનીટ લાલી..’ ને તારું પાંચ મિનીટના બદલે ફરીવાર ઘસઘસાટ સૂઈ જવું!

તું મેરા નસીબા ઢોલના.. – મીરા જોશી



2
'પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! 'જીવવું' ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય. અને સમય સરતો અટકી જાય તો સારું એવી પ્રબળ ઈચ્છા પણ થાય! પણ એવું ક્યાં થઇ શકે છે!

તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે


12
એક હતો વાંદરો. એને એક મદારીએ પાળેલો. મદારી રોજ એને સરસ કપડાં અને ઘરેણાં પહેરાવે. રાજાની જેમ તૈયાર કરે. સરસ તૈયાર થયેલા વાંદરા પાસે મદારી રોજ ખેલ કરાવે. વાંદરો જેમ નાચે એમ વધુને વધુ તાળીઓ મળે. વાંદરો મોજમાં આવે અને કાયમ વિચારે કે એ ન હોય તો બિચારા મદારીનું શું થાય?

Mank : એક વાંદરા અને મદારીઓની કથા – નરેન્દ્રસિંહ રાણા




3
નીતિશતક ભર્તુહરીના ત્રણ પ્રસિદ્ધ શતકમાંથી એક છે જેમાં નીતિ સંબંધી સો શ્લોક છે, બીજા બે શતક છે શૃંગારશતક અને વૈરાગ્યશતક. સંસ્કૃતના અભ્યાસુ અને વિદ્વાન ડૉ. રંજન જોશી નીતિ શતકના શ્લોકોને તેના અર્થ અને વિસ્તાર સહ આ સ્તંભ અંતર્ગત સમજાવે છે. આજે પ્રસ્તુત છે શ્લોક ૧૧ થી ૧૩ ના અર્થ સહ વિસ્તાર.

નીતિશતકના મૂલ્યો (૪) – ડૉ. રંજન જોશી


6
આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ 'નાદ'થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે 'ૐ' છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.

નૃત્યનિનાદ ૨ : નૃત્ય – ઉત્પતિ અને વ્યાખ્યા


13
"Everything is an art if you do it with heart". એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી 'ઇકિગાઈ' મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.

ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ



toddler in pink and white polka dot shirt 6
રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.

જાને વો કૌન સા દેશ જહાં તુમ.. – કમલેશ જોષી


1
‘फिर हाथ की कलम से, कागजों पर सरसराहट होने लगी, और जाने कितनी नज़्मे - पानी में बहेते हुए पेड़ो के पत्तो की तरह कागज़ों पर झड़ने लगी...’ આવું વાંચતા એમ થાય કે આ તો જાણે આપણી જ વાત કહી રહ્યા છે. જગતના દરેક સમયના દરેક પ્રેમીઓનાં DNA એકસરખા હોતા હશે?

શું અમૃતાએ સાહિરને ક્યારેય આવો પત્ર લખ્યો હશે? – નેહા રાવલ


6
વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. નિરુક્ત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વત પણ છે. સરસ્વતી વાગ્દેવી પણ કહે છે. सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती। જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.

શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ



5
અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ હતું જ્યાં હિન્દુ સ્થાપત્યના બેનમુન મંદિર આવેલ હતાંં. હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.

ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ


22
ઘૂઘરીમાંથી ખણક છુટ્ટી પડી શકતી નથી, મધ અને મીઠાશને વિખૂટાં પાડી શકાતાં નથી. કોઈ વસ્તુમાંથી એની છાયાને દૂર કરી શકાય ખરી? તું મારી છાયા છે. મારી મીઠાશ છે. મારી ખણક છે. આપણે જુદા ન પડી શકીએ. આપણને જુદા ન પાડી શકાય.

લી. તારા વગર સૂકોભટ થઈ ગયેલો સંબંધ – રાજુલ ભાનુશાલી


fashion people woman art 3
કોલકાતાની બીજી એક સારી વાત એ છે કે બધી વાનગીઓના ભાવ પણ અહીં વ્યાજબી છે. અહીં રહેતા મજૂરો ૩૦ રૂપિયામાં ભરપેટ દાળ, ભાત અને રોટલી ખાઈ શકે છે. અને એટલે જ ભારતના કોઈ પણ શહેર કરતાંં ગરીબ લોકોની વસ્તી અહી વધારે છે. અહી બસના ભાડા પણ ઘણાંં ઓછા છે.

કોલકાતામાં માણેલા લગ્નો અને કોલકાતાની ચટાકેદાર વાનગીઓ! – હરસુખ રાયવડેરા



tealight candle on human palms 1
હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે.

મારા ક્ષેમ કુશળની જવાબદારી ઉઠાવીશ ને? – નીલમ દોશી


woman holding white bear plush toy 1
"હું માસિકમાં બેસતી થઈને મારાં બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે'તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી."

વેલેન્ટાઇનનું વ્હાલ.. – શીતલ ગઢવી


13
આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને. તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો...

વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી



mother helping her daughter use a laptop 7
શું તમે તમારાં લાડકાં સંતાનો માટે ઉત્તમ વિદ્યાલયની શોધમાં છો? તો માત્ર આલીશાન બિલ્ડિંગ, આધુનિક સુવિધાઓ કે સ્માર્ટ રૂમ્સ જ ન જોશો. બાળકોના વિકાસમાં અત્યંત આવશ્યક એવા આ પાસા પર પણ અચૂક વિચારજો!

શિક્ષક… બાળમાનસમાં કોતરાઈ જતું એક નામ – ભારતીબેન ગોહિલ


7
વાતોનો દોર ખૂટતાં, મારું ગીત ગાવું ને તારું નિરાંતથી મારા ખોળામાં સુઈ જવું! કેટલો સરળ છેને તું..! ગીત ગમ્યું કે નહિ, અવાજ કે રાગ ઠીક હતો કે નહિ એની કોઈ જ ચિંતા નહિ. બસ કોઈક છે, જે તમારા સુધી પોતાનું સંગીત રેલાવતું જાય છે, ને માત્ર તમે જ એને સાંભળવાનો આનંદ લઈ શકો છો.

કશુંક બદલાઈ રહ્યું છે : તારી અને મારી વચ્ચે! – મીરા જોશી


ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. 'અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા 'અનામિકા' તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે.

‘અનામિકા’ તું ભી તરસે! – હર્ષદ દવે