સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રકાશ પંડ્યા


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧૦) 2

અંબીને લીધે વૈશાલી વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગયું હતું. ગણપતિ અને અમાત્ય રાક્ષસ અંબીને આંગણે આવીને ઊભા. તેઓ ઘરનું દિવ્ય વાતાવરણ જોઇને આભા બની ગયા હતા. અને… અંબીને જોઇને છક થઇ ગયા. રાક્ષસ વિચારવા લાગ્યો કે આટલું રૂપ તો તેણે આજસુધીમાં ક્યારેય જોયું નથી. કોઈ આટલું રૂપાળું હોઈ શકે તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે? વૈશાલીના યુવાનો જો આની પાછળ પાગલ ન થાય તો તેઓ યુવાન કેવી રીતે કહેવાય! અંબીની સાગના સોટા જેવી લાંબી કાયા, તેના ઉન્નત ઉરોજ, પાતળી કમર, ચુસ્ત કંચુકીમાંથી બહાર ડોકાતાં તેના સ્તન-દ્વય, રસઝરતા મૃદુ ઓષ્ઠ, કાળી ભમ્મર કેશરાશિ, એ સંમોહક અને કામણગારી આંખો, સપ્રમાણ નિતંબ, નાભિ પ્રદેશનું મોહક વલય અને તેનું ઊંડાણ, કમનીય કટી પર કટીમેખલા અને પુષ્પોનો શણગાર. તેના અંગેઅંગમાંથી રૂપ નીતરતું હતું. લય લાવણ્ય અને લચકનું અદભુત સંતુલન જોઇને ભાન ભૂલી જવાય. સ્વર પણ કેવો કર્ણપ્રિય અને મધુર…!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૯)

આપણાં વેદોમાં ખાસ કરીને અથર્વ વેદમાં, પુરાણોમાં, રામાયણમાં, મહાભારતમાં અને જૈન તથા બુદ્ધ ધર્મમાં મગધ જેવા મહા રાજ્યનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતના પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડીસા વિસ્તારનો એ પ્રાંત રાજગૃહ (રાજગીર) તરીકે ઓળખાતો હતો. જે પછીથી મગધની રાજધાની પાટલીપુત્ર બન્યું અને આજે તે પટણા તરીકે અસ્તિત્વ ધરાવે છે. એ બે હજાર સાતસોથી વધારે વર્ષોનો ઈતિહાસ ધરાવે છે. મગધમાં જ મૌર્યસામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યનાં મૂળ મળી આવે છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૮)

અંબી દિવસે દિવસે મોટી થતી જતી હતી. મહાનામન વૈશાલીમાં અંબારા ગામેથી ફરી વૈશાલીમાં આવ્યા પછી તો જાણે હંમેશાં વિચારોમાં જ ખોવાયેલા રહેવા લાગ્યા. સુદેશા પણ અંબી સાથે જાણે અંબી જેવડી થઇ ગઈ હતી. હવે તેને કંટાળો આવતો નહોતો, હવે તેને પહેલાં જે થાક લાગતો હતો તે પણ લાગતો ન હતો. જાણે અંબીનાં સ્વરૂપે તેને નવજીવન મળ્યું હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૭)

ઇતિહાસમાં જે મહાન મનુષ્યોના નામ સુવર્ણાક્ષરે કોતરાયેલા છે તેનું કારણ તેમનું અસાધારણ જીવન છે. અન્ય લોકોને ઉપયોગી થાય તેવાં કર્મો તેમણે કર્યા હોય છે. આથી એ વાત તો નક્કી છે કે જીવનમાં માણસે સારાં કામ કરવાં જોઈએ. ઇતિહાસમાં નામ અમર થાય તેવું વિચારીને કોઈ સારાં કામ કરે તો પણ તે ઇચ્છનીય છે. અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ. તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૬)

હા, એ વાત સાવ સાચી હતી. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા હતા, ‘તમે તમારી આંખો બંધ કરી લો!’ કારણ કે બુદ્ધ નહોતા ઈચ્છતા કે તેમના શિષ્યો તેને જુએ. પણ રાજ્યમાં થયેલી ઘોષણા તો દરેક શિષ્યના કાને પહોંચી ચૂકી હતી. વૈશાલીમાં ઠેર ઠેર એની જ ચર્ચા ચાલી રહી હતી. દેશમાં તો ઠીક પણ વૈશાલીની બહાર મગધમાં પણ સર્વત્ર એની જ ચર્ચા થતી હતી. અને આજ એ દિવસ આવી ગયો હતો! શું હતું આજે?


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૫)

પ્રકરણ ૫ – વૈશાલીમાં કૌતુક ! પછાત ગણાતા આજના બિહારનો એક ઈતિહાસ હતો. માની ન શકાય પણ એ આપણા અસ્તિત્વ જેટલી જ નક્કર હકીકત છે કે એક જમાનામાં બિહારમાં ભારતનો સુવર્ણ યુગ હતો! બિહાર એટલે વિહાર… વિહાર શબ્દનો એક અર્થ છે ‘બૌદ્ધ મઠ’. તે ૧૦૦૦ વર્ષ સુધી સત્તા, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. પ્રાચીન બિહાર મગધ તરીકે સુવિખ્યાત હતું. ભારતનું તે પ્રથમ સામ્રાજ્ય હતું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યોનો ઉદય પણ તે સમયમાં થયો હતો. ત્યાંથી જ બૌદ્ધ વિશ્વમાં પ્રસર્યો અને ત્યાર બાદ આધુનિક બિહારનો જન્મ થયો. મગધની રાજધાની પાટલીપુત્ર હતી જે આજે પટણા તરીકે ઓળખાય છે. તે સમયમાં મગધ શિક્ષણ, કળા, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે બહુ આગળપડતું સ્થાન ધરાવતું હતું. તે ત્યારના ૧૬ મોટાં રાજ્યોમાંનું (મહાજનપદ)  એક મોટું રાજ્ય હતું. અત્યારે જે પુરાતત્વ ખાતાને હવાલે થયેલું દર્શનીય સ્થળ છે તે વૈશાલી બિહારનું પ્રથમ પ્રજાતંત્ર રાજ્ય હતું. ડો. રાજેન્દ્રપ્રસાદની કર્મભૂમિ, ચંપારણથી જ ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળનો આરંભ કર્યો હતો. ખુદીરામ બોઝ, આચાર્ય જે.બી.ક્રિપલાની અને જયપ્રકાશ નારાયણ જેવા મહાપુરુષો પણ ત્યાંથી જ મળ્યા છે. પણ ગંગા નદીને કિનારે આવેલા વૈશાલી લીચ્છવીઓની રાજધાની હતી. ત્યાં જ છે અશોક સ્તંભ, ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કુંડલાગ્રામ. બુદ્ધ અને જૈન ધર્મ આપનાર એ શહેર ત્યારે બહુ જ વિશાળ હતું. તે સમૃદ્ધ પણ હતું. કળા, નૃત્ય, અભ્યાસ, ધનધાન્ય બધામાં વિકાસમાન. જરા કલ્પના કરી જુઓ કે ત્યાં ૭,૭૦૭ જેટલા મેદાનો અને તેટલાં જ તળાવો હતા. મહાવનો હતાં. વૈશાલીથી સીધા હિમાલયની તળેટીએ પહોંચી શકાતું. વૈશાલી પ્રથમ પ્રજા માટે, પ્રજા વડે અને પ્રજા દ્વારા ચલાવવામાં આવતું ગણરાજ્ય હતું. અત્યારે ચુંટાય છે તેમ જ ત્યારે પણ પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા. સંથાગાર, વિધાનસભા, […]


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪) 3

વસન્ત ઋતુ સર્વત્ર આનંદ ફેલાવતી હતી. વાતાવરણ ઉત્સાહથી છલકાતું હતું. બધાના હૃદયમાં શુભ ભાવનાઓ ઉભરાતી હતી. ધરતી હસતી હતી. ઝર ઝર કરતાં ઝરણાં સાથે હરણાં જાણે હોડમાં ઉતર્યા હોય તેમ દોડતાં, કૂદતાં ઠેકતાં હતાં. આકાશ પણ પોતાની સ્વચ્છતાનો અને વિશાળતાનો પરિચય આપતું હતું. પર્વતોને તો પંખીઓનાં ગાન સાંભળીને ડોલવું હતું પણ ધરતીમાતાની ગોદમાંથી ચસકી શકતા ન હતા. સૂર્યના કિરણો પર સવાર થઈને પતંગિયા કયા ફૂલ પર બેસવું તેની વિમાસણમાં આમતેમ ઉડતાં હતાં અને ભ્રમરનો ગુંજારવ વૃક્ષોના પર્ણોમાંથી પસાર થતા પવન સાથે સંતાકૂકડી રમતો હતો. વૃક્ષોનો આનંદ જાણે ક્યાંય સમાતો નહોતો. આબે મોર આવ્યા હતા અને વસન્ત ઋતુને વધાવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩) 2

જમદગ્નિઋષિ અને રેણુકાને પાંચ પુત્રો હતા. રેણુકાના માનસિક સ્ખલનથી ક્રોધિત થઈને તેમણેપોતાના પ્રથમ ચાર પુત્રોને રેણુકાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી હતી પરંતુ એક યા બીજા બહાને ચારેયે એમ કરવાની ના પાડી. એટલે ઋષીએ તેમને શાપ આપીને વ્યંઢળ (નપુંસક) બનાવી દીધા. અને પછી જમદગ્નિ ઋષિએ પરશુરામને તેની માતાનું મસ્તક ધડથી અલગ કરવાની આજ્ઞા આપી ત્યારે પરશુરામે પોતાના પરશુથી માતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. અને તે જમીન પર પડતાં જ તેનાં અસંખ્ય મસ્તકો બનીને સંસારમાં ફેલાઈ ગયાં! અને તે માતા યેલમ્માનાં નામથી પૂજાવા લાગ્યા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨) 2

કેવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઇ હતી! ત્રણેય નિર્દોષ માણસોથી ભૂલ થઇ હતી. એ પણ જ્ઞાની હતા તેવા માણસોથી. માટે જ કહ્યું છે કે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’. આપણે તો એ પણ જાણીએ છીએ કે સાચ ને નહીં આંચ. પરંતુ રેણુકાએ ખોટો વિચાર કર્યો અને સાચું બોલી. એ સાંભળી ઋષિ જમદગ્નિએ ક્રોધિત થઈને અનુચિત આદેશ આપ્યો. રેણુકાને સજીવન કરીને પરશુરામે પિતાશ્રીના આદેશનો ભંગ કર્યો. ખરેખર, સંજોગો સામે માનવી લાચાર હોય છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૧) 16

નદી બે કાંઠે વહેતી હતી. નદીનાં શીતળ વહેતાં જળને જોઈ ઋષિના મનમાં અજબ આંદોલનો ઉઠતાં હતાં. તેમના મનમાં પણ હળવે હળવે વિચારોનો પ્રવાહ વહેતો હતો. શાંત અને સ્વચ્છ વાતાવરણમાં, આલ્હાદક સૂર્યોદય સમયે તેમનો આશ્રમ દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો.

એ સરસ્વતી નદીના કિનારે આશ્રમમાં ઋષિ જમદગ્નિ, ઋષિપત્ની રેણુકા અને ઋષિપુત્રો રહેતાં હતાં. ઋષિ પરંપરા પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અને મધ્યાન્હ સમયે, ત્રિકાળ સંધ્યા કરવાથી મનની શક્તિમાં તથા સ્મૃતિમાં વધારો થતો એટલું જ નહીં પરંતુ તેમનું આયુષ્ય પણ તેથી જ વધતું હતું. એટલે જ તેઓ વર્ષો સુધી જપ-તપ કરી શકતા હતા. પ્રદૂષણમુક્ત, બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગી, પ્રાતઃ કાર્ય આટોપી સૂર્યોદય થતા તેના પહેલા કિરણ સાથે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવામાં આવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રસ્તાવના) 9

ગુજરાતી નવલકથાનો આરંભ જ ઐતિહાસિક નવલકથાથી થયો છે. ૧૮૬૬માં પ્રગટ થયેલી નંદશંકર મહેતાની ‘કરણઘેલો’ ગુજરાતીની સૌ પ્રથમ નવલકથા ગણાવાઈ છે. એ પછીનાં દોઢસો વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલી સાહસ્રાધિક નવલકથાઓએ એમનાં અવનવાં રૂપો બતાવ્યાં છે. ક.મા.મુનશી અને ધૂમકેતુએ ઐતિહાસિક નવલકથાને શિખર પર બેસાડી છે. આજે અનુઆધુનિક યુગમાં પણ કથાસર્જકોનું ઐતિહાસિક વિષયવસ્તુ પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું નથી જેનું દૃષ્ટાંત તાજેતરમાં જ પ્રગટ થનાર પ્રકાશ પંડ્યા અને હર્ષદ દવે લિખિત નવલકથા ‘આમ્રપાલી’ છે.


દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા 5

શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું


બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 4

એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’

ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’

બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’


કૃષ્ણનાં અંતિમ રહસ્યો – પ્રકાશ પંડ્યા 4

કનિક બોલ્યા, “એ વાતની તો મને અને જગતમાં સૌને જાણ છે, તમારા સર્વનાશનો શાપ અને તમે તે શાપ સ્વીકાર્યો છે. મને એ વાતનો આનંદ છે કે તમે સમર્થ હોવા છતાં એક માતાને વળતો શાપ ન આપ્યો. આ તમારો પસ્તાવો છે કે બીજુ કંઈ તેની મને ખબર નથી, પણ તમે એ શાપ સ્વીકારીને તમારું નિમિત્ત નક્કી કર્યું એ સારી વાત છે. મનુષ્યનો અવતાર લીધો છે તો મરવું તો પડશે. નામ તેનો નાશ છે, ઉલટાનું ગાંધારીએ તો તમારો રસ્તો સરળ કરી આપ્યો.”

“બરાબર આચાર્ય, મને એ ગમ્યું. તેમણે તેમનો ઊભરો મારી ઉપર કાઢ્યો. જો આ આક્રોશ તેમણે મનમાં દબાવી રાખ્યો હોત તો પૃથ્વી પર ભૂચાલ આવી જાત અને ઘણો અનર્થ સર્જાત. મેં પણ માનવસહજ ભૂલ તો કરી જ છે. ધર્મયુદ્ધમાં કોઈ એકને જીવતો રાખવાની જરૂર હતી. મારા મનમાં તેનું નામ પણ નક્કી હતું. વસ્ત્રાહરણ વખતે વિકર્ણે ધર્મની વાત કરી હતી.”