વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

Courtesy Jhaverchandmeghani.com 1
અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૯)


7
ભાવનગરની 'સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ'માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી પ્રથમ ગઝલસંગ્રહ "અર્થના આકાશમાં" પછી હવે બીજો સુંદર સંગ્રહ 'શુકન સાચવ્યાં છે' લઈને ઉપસ્થિત થયાં છે. ટૂંક સમયમાં એ સંગ્રહની ગઝલો તથા સંગ્રહનો આસ્વાદ આપણે માણીશું. આજે પ્રસ્તુત છે જીજ્ઞાબેનની બે નવી તરોતાઝા ગઝલો. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ જીજ્ઞાબેનનો આભાર અને શુભકામનાઓ.

બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી


2
શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર' માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો પાંચમો ભાગ.

જીવનમાં વણી લેવા જેવા નીતિસૂત્રો (૫) – સુમિત્રાબેન નિરંકારી



1
આજે માણો વેર વિરાસત નવલકથાનો છઠ્ઠો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૬}


11
તમને પણ મારી જેમ ક્યારેય એવો અસંતોષ થયો છે ખરો કે આજે કરવાના કામની યાદીમાંથી ઘણાંબધા કામ બાકી રહી ગયા હોય, અને એ પણ ત્યારે જ્યારે તમે તમારા દિવસભરના સમયમાં અત્યંત વ્યસ્ત રહ્યા હોવ? આખો દિવસ અનેક કામ માટે મહેનત કર્યા પછી પણ રાત્રે અફસોસ રહે કે અમુક અગત્યના કાર્યો તો રહી જ ગયા? આ કરવું હતું પણ રહી ગયું.. જો તમને એમ લાગતું હોય કે તમને તમારી રોજીંદી ક્રિયાઓ કરવા માટે, તમારી મનપસંદ પ્રવૃત્તિ માટે, પરિવારને સમય આપવા કે પોતાના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવા દિવસના ૨૪ કલાક ઓછા પડે છે તો આ વિચારમંથન એક વખત અવશ્ય વાંચશો અને પછી તમારા પ્રતિભાવ આપો.

એકથી વધુ કામ, દરેકમાં અસંતોષ? – જીજ્ઞેશ અધ્યારૂ


4
ભરોસો, વિશ્વાસ વગેરે શબ્દો આપણે શ્રદ્ધા શબ્દની બદલીમાં વાપરીએ છીએ. વધારે બારીકીથી વિચારીએ તો આ શબ્દો એકબીજાથી થોડા અલગ અલગ છે. વિશ્વાસ અને ભરોસો એકબીજાની વધારે નજીક છે, પણ શ્રદ્ધા એ થોડો અલગ શબ્દ છે. શ્રદ્ધા શબ્દમાં જે ભાવ રહેલો છે, એ બીજા બન્ને શબ્દોમાં નથી. ભરોસો અને વિશ્વાસ થોડા અધૂરા છે, પણ શ્રદ્ધા સંપૂર્ણ છે. નાના બાળકને એની માતાની પ્રત્યેક વાતમાં શ્રદ્ધા હોય છે, એના પ્રત્યેક વર્તનમાં શ્રદ્ધા હોય છે.

શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા



2
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આંગુતકા ચૂપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છ સાત વખત ધૂત્કારી કાઢી હતી એ યાદ આવ્યું. પછી એણે થેલી ઉપાડી, અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વોર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિદ્રા નથી આવતી. આગુંતકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી...

સગી – રાવજી પટેલ


A Novel By Pinki Dalal 3
આજે માણો વેર વિરાસત નવલકથાનો પાંચમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૫}


10
પરણેલાને પૂછો તો ખબર પડે કે આ કામવાળીનો પ્રશ્ન એટલો ભારે કે જાણે માથા ઉપર ગોવર્ધન પર્વત ન પડ્યો હોય? બાંધેલી કામવાળી જો એક જ દિવસ ન આવી હોય તો ખલ્લાસ... ઘરમાં જાણે સુનામી આવી જાય. આંધીમાં આખું ઘર હલી નીકળે. પતિ પલકમાં કોડીનો થઇ જાય. જાણે વાઈફને વગર નવરાત્રીએ દશામા ન પધાર્યા હોય? હસબંધની હાલત તો ઠંડા ભજીયા જેવી થઇ જાય. ધડાધડ હસબંધને અલ્ટીમેટમ આપવા માંડે કે, "ઝટ જાઓ, કામવાળી લેતા આવો, રસોડે ન રાંધુ રે..."

કોલંબસે કામવાળી શોધવા જ દરિયો ખેડ્યો… – રમેશ ચાંપાનેરી



A Novel By Pinki Dalal 2
આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોથો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪}


9
આજે અહીઁ પ્રસ્તુત કરેલા ચાર મીરાકાવ્યો લતાબેન ભટ્ટ દ્વારા અક્ષરનાદને પાઠવવામાં આવ્યા છે. કાવ્યો મૌલિક તેમજ સ્વરચિત છે, સુંદર અને અર્થસભર છે તથા મીરા, શ્યામ, રાણા અને સ્વત્વની વચ્ચે કવયિત્રી પોતાનામાઁ ભક્તિનો સાર શોધવાની મથામણ કરે છે.. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા બદલ લતાબેનનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

ચાર મીરાકાવ્યો.. – લતા ભટ્ટ


8
વ્યવસાયિક કારણોસર તો સમયાંતરે સ્નેહલભાઈને મળવાનું થયેલું, પણ એમના છંદબદ્ધ સ્વભાવનો અને સંગીતની અનોખી પારખુ નજર તથા વાદનમાં તેમની નિયમિતતા અને હથોટી વિશે જાણ્યા પછી તેમની સાથે વાતો કરવાની અનોખી મજા આવવા લાગી છે. ગત અઠવાડીયે પીપાવાવ ઑડીટ માટે આવ્યા ત્યારે સાથે તેમનું પુસ્તક 'છંદ કે સ્વચ્છંદ' પુસ્તક લાવ્યા હતા જે તેમણે મને ભેટ આપ્યું. વસંતતિલિકા, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાંતા, શિખરિણી તથા અનુષ્ટુપ છંદોમાં તેમણે આજના સમયની વાતો વણી છે. કાંદાવિરહનું કલ્પાંતકાવ્ય હોય કે મેનુઅષ્ટક, અખંડ ખાંસીનું ખંડકાવ્ય હોય કે કર સુંદરીનો કેકારવ હોય કે સેલફોન સોતન ન શયતાન, બરકતે બટાટા હોય કે લગાવ્યો જે લાફો - છંદબદ્ધ પ્રસ્તુતિ વડે તેમણે આ બધા જ મનોહારી વિષયોને અનન્ય રીતે મનોરંજક બનાવી પ્રસ્તુત કર્યા છે. આજે તેમાંથી બે પ્રકરણો - છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા પ્રસ્તુત કર્યા છે. પુસ્તક ભેટ આપવા બદલ સ્નેહલભાઈનો ખૂબ ખૂબ આભાર.

છંદબદ્ધ ખાડાવિરહ અને મંદીનો મંદાક્રાંતા – સ્નેહલ મુઝુમદાર



1
પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૮)


1
રવિ સાહેબના નામથી ગુજરાત - સૌરાષ્ટ્રમાઁ ભાગ્યે જ કોઈ અજાણ હશે. રવિસાહેબના ભજનો આપણી ગ્રામજનતામાં ઠેરઠેર કઁઠઃસ્થ સ્વરૂપે પણ મળી આવે છે એવી તેની અસર અને પહોઁચ અનુભવાય છે. આજે રવિસાહેબની આવી જ ત્રણ સુંદર ભક્તિરચનાઓ પ્રસ્તુત છે. ૧) મન રે રામભક્તિ કર સાચી, ૨) સંતો ધોખા બડા ધુતારા અને ૩) સંતો હમ ભેદીકે ભેદ, જૂઠા જ્ઞાની કથત હે વેદી પ્રસ્તુત કર્યા છે. આશા છે કે શ્રાવણમાસના આ અનેરા પર્વ પર ભક્તિરચનાઓ સમયોચિત પ્રસ્તુતિ થઈ રહેશે.

સંતો ધોખા બડા ધુતારા.. – રવિ સાહેબ


3
ધૂમકેતુના તણખામંડળ ૪ માંની આ એક અનોખી વાત આજે પ્રસ્તુત કરી છે. સાવ નિરસ, શુષ્ક અને સંપૂર્ણપણે ઘરેડમાં ચાલતા જીવનમાં કવિતાનો પુનર્જન્મ થાય ત્યારે શું થતું હશે? જીવનનો ઉલ્લાસ, જીવનની વેદના, જીવનની વાસ્તવિકતા અને અવાસ્તવિકતા - એ બધાંને જીવવા માંગતા અયાંત્રિક લોકોના મનોભાવને ધૂમકેતુ કેટલી સહજતાથી ઉપસાવી શકે છે એ તો તેમની આ સુંદર કૃતિ વાંચીએ તો જ સમજાય.

કવિતાનો પુનર્જન્મ – ધૂમકેતુ




A Novel By Pinki Dalal 1
આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૩}


7
એ જ તો આપણી મિસ્ટેક છે કે, સમજવા કરતાં વિચારીએ વધારે, ને વિચારવા કરતાં બકીએ વધારે. યોગ એટલે પેટને ધમણની માફક હલાવ્યા પછી, ખવાઈ એટલી કેરી ખાઈને ગોટલા કાઢવા એવું થોડું? મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમ છે. શરીર અને આત્મા બંનેને જોડવું, એનું નામ યોગ. અને આડેધડ ભચેડ ભચેડ કરવું એનું નામ રોગ. થયું એવું કે, માણસ એનો વિકાસ કરવાને બદલે, શરીરનો વિકાસ કરવાં લાગ્યો. ચામડા નીચે ચરબીનો થર એવો જમાવી દીધો કે, એ માણસ છે કે, મલબાર હિલ છે એ જ ખબર ન પડે. ને આ વાત રાજદરબારમાં પહોંચી. એટલે, આખાં વિશ્વમાં ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગદિન ઉજવાઈ ગયો. બહુ સારાં અને મુલાયમ શબ્દોમાં કહીએ તો, 'ગાગરિયા પેટવાળા માટે ૨૧ મી જૂનનો દિવસ "હવા ટાઈટ દિવસ" બની ગયો. ઘણાની ચરબીઓ હલી ઉઠી. વિશ્વમાં ભલભલા ચરબીધારીઓ ઠેંસ થઇ ગયાં.

મારી ચરબી ઉતારો મહા(રાજ) રે… – રમેશ ચાંપાનેરી



3
આજના બાળકની મનઃસ્થિતિ કેવી છે? માતાપિતા તરફથી એને શું મળવું જોઈએ અને શું મળે છે? અપેક્ષાઓ, ધારણાઓ અને આશાઓના ભારમાં એ સતત અન્યોની ઈચ્છાઓને વેંઢારતું રહે છે. સહેજ સ્નેહની આશામાં એ કેટકેટલું કરે છે? આવામાં કવિ નીતિન ઢાઢોદરા લઈને આવે છે એક ફુલટાઈમ વાલીની જરૂરતો વર્ણવતું અરજીપત્રક. અહીં પૂરી કરવાની જરૂરતો ભલે વાલી માટે વર્ણવાઈ હોય, પણ એ આખરે તો બાળકને એક અનોખું સ્નેહાર્દ્ર અને બાળસહજ વૃત્તિથી સભર બનાવવા માટેની પ્રાથમિક શરતો છે.

ફુલટાઈમ વાલીઓનું અરજીપત્રક.. – નીતિન ઢાઢોદરા


2
આજે માણો વેર વિરાસત નવલકથાનો બીજો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ગત અઠવાડીયાથી શરૂ થઈ રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨}


5
લાંબા સમય પછી આજે મારી બે ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રથમ રચના વિયોગમાં કે મોહભંગમાં ઝૂરતા એક પ્રેમીની સ્થિતિ બતાવે છે તો બીજી રચના જીવનના અનેક વળાંકો, અનેક ઘટનાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. સર્જન હમણાં ખૂબ ઘટી ગયું છે એવા અહેસાસ છતાં ગત અઠવાડીયે પૂર્ણ થયેલી આ બે ગઝલ રચનાઓ આપને ગમશે એવી આશા છે.

મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ



2
અહીંથી પ્રસ્તુત કથા દરેક ઘટનાએ અમરમાંની એક અનોખી આભા ઉપસાવે છે, તેમના આધ્યાત્મિક ઉર્ધ્વિકરણની વાત અહીં વિગતે અને અસરકારક રીતે આલેખાઈ છે. સંત દેવીદાસ સાથે રક્તપીતિયાંની સેવા કરવા આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ સંસારની સઘળી વ્યવસ્થાઓ અને સુખ ત્યજીને એ સમયે જે સાહસ દેખાડ્યું એ તેમના દ્રઢ નિશ્ચયનું દ્યોતક છે અને તેમના એ હ્રદયપરિવર્તનનું સચોટ વર્ણન શ્રી ઝવેરચંદ મેઘાણી અહીં આલેખી રહ્યા છે. સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ એક કાશીથી મંગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનાર આભડછેટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર ભરજુવાન આહીર સ્ત્રી હતી. સ્ત્રીઓના દ્રઢ નિશ્ચય અને અડગ સેવાભાવનાનું આ સોરઠી ઉદાહરણ વિલક્ષણ છે.

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ ૭)


19
સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.

સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા


10
સમીરાબેન પત્રાવાલાની સુંદર ટૂંકી વાર્તા 'રોટલી' આજે પ્રસ્તુત કરી છે. ટૂંકાણમાં જ ઘણું બધું કહી જતી આ સુંદર વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ સમીરાબેન પત્રાવાલાનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ.

રોટલી – સમીરા પત્રાવાલા



A Novel By Pinki Dalal 9
અક્ષરનાદ પર ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે આજથી શરૂ થઈ રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત' આજના પ્રથમ પ્રકરણથી લઈને અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ તેમનો આભાર તથા શુભકામનાઓ.

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૧}


1
સત્ય જ્ઞાન હંમેશાં એક જ રહ્યું છે અને તેના માટે સાધન ૫ણ એક જ છેઃ બ્રહ્મજ્ઞાનીઓનો સંગ. સાંસારીક દ્દષ્‍ટિએ જોઇએ તો કોઇ વિધાર્થી કોઇ એક વિષયનું જ્ઞાન તે જ શિક્ષકની પાસેથી પ્રાપ્‍ત કરી શકે છે કે જે તે વિષયનો જાણકાર હોય અને બીજાને સમજાવવાની ક્ષમતા રાખતા હોય.. શ્રીમદ ભગવદ ગીતામાં જે સત્ય જ્ઞાનનો ઉલ્લેખ છે તે અર્જુનને ભગવાન શ્રીકૃષ્‍ણ પાસેથી પ્રાપ્‍ત થયું હતું. સંત નિરંકારી મિશનમાં તેની વિચારધારાની કુંજી માનવામાં આવે છે તે પુસ્તક સંપૂર્ણ અવતારવાણીમાં ૫ણ વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સત્ય અથવા ઇશ્વરની જાણકારી ફક્ત બ્રહ્મજ્ઞાની અથવા સદગુરૂ જ કરાવી શકે છે. આજે ગુરુપૂર્ણિમાએ ગુરુચરણમાં શરણાગતિ અને તે દ્વારા જીવનના મર્મને પામવાના યત્ન વિશે ચર્ચા કરીએ..

બ્રહ્મવેત્તા સદગુરૂની શરણાગતિ – સુમિત્રાબેન નિરંકારી


9
'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?' એ એક જ પ્રશ્નના કેટકેટલા રમૂજી જવાબો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યા છે? ટુચકાઓ ક્યારેક મલકાવી જાય છે તો ક્યારેક ખડખડાટ હસાવી જાય છે. સોનિયાબેન ઠક્કર દ્વારા આજે અહીં સંકલિત અને પ્રસ્તુત થયેલા ટુચકાઓ જનકલ્યાણ, સહજ બાલઆનંદ, પુસ્તકાલય, તથાગત જેવા સામયિકોમાંથી લીધા છે. સહજ હાસ્ય અને નિર્ભેળ આનંદ પીરસતા આ હાસ્યપતંગો આપને ગમશે એવી આશા છે.

રમૂજી ટુચકાઓ… – સંકલિત



6
નિશ્ચિત સમયાંતરે હું જેની રાહ જોતો હોઉં, અર્થસભર અને છંદારણમાં ગોઠવાયેલી ગઝલરચનાઓ રાકેશભાઈ હાંસલિયાની સર્જનક્ષમતામાં રસતરબોળ થઈને અને તેમના હસ્તાક્ષરમાં ઉતરીને જ્યારે પણ મળે, અત્યંત આનંદ આપે છે. રાકેશભાઈની ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વાચકોને પણ તેમની રચનાઓ માણવી ખૂબ ગમે છે એ તેમની ગઝલો પરના પ્રતિભાવો દર વખતે પૂરવાર કરી આપે છે. અક્ષરનાદને આ સુંદર ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ચાર સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા


3
શ્રી સુમિત્રાબેન નિરંકારી દ્વારા ટહુકાર' માંથી સંકલિત ઉપરોક્ત નીતીસૂત્રો જીવન જીવવામાટેની આદર્શ રૂપરેખા છે. વત્તાઓછા અંશે આપણે બધા ક્યારેક મૂલ્યોને ચૂકીને જીવનમાં કાંઈક વધુ મેળવ્યાનો સંતોષ માનતા હોઈએ છીએ એવા અપવાદરૂપ સંજોગોને પણ જો કાબૂ કરી શકીએ તો જીવનને સંતોષ, સુખ અને શાંતિપૂર્વક જીવી શકાય. અધધધ કહી શકાય એવી સંખ્યામાં પ્રસ્તુત થયેલ આવા નીતીસૂત્રોના કુલ સાત ભાગ અક્ષરનાદને સુમિત્રાબેન દ્વારા મળ્યા છે જેમને સમયાંતરે આપણે માણીશું. આજે પ્રસ્તુત છે આ માળાનો ચોથો ભાગ.

જીવનમાં વણી લેવા જેવાં નીતિસૂત્રો (૪) – સંકલન – સુમિત્રાબેન નિરંકારી


9
સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે.

ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ