વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

3
સાહિત્ય અને સોશિયલ મિડીયાનું જોડાણ હવે લગભગ અવિભાજ્ય બની રહ્યું છે. વધુ ને વધુ લેખકો ફેસબુક, ટ્વિટર અને બ્લોગ વગેરે દ્વારા વાચકો સાથે સતત જોડાઈ રહ્યા છે અને એથી સાહિત્ય પ્રત્યેનો સોશિયલ મિડીયામાં સક્રિય લોકોનો અભિગમ પણ બદલાયો છે. તો હકીકતે સોશિયલ મિડીયાએ સાહિત્યના ક્ષેત્રમાં ખરેખર કયા બદલાવ કર્યા છે? હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે સોશિયલ મિડીયા સાહિત્યને, સર્જકોને અને વાચકોને સ્પર્શ્યું છે. ઈન્ટરનેટ આપણી જીવનપદ્ધતિને બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા આપણે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ, સમાચાર જાણીએ છીએ, વસ્તુઓની લે-વેચ માટે પણ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીએ છીએ, ફોટો અને વિડીયો ક્લિપ્સ જોઈએ છીએ, નવા લોકોની સાથે સંવાદ કરીએ છીએ અને આપણી જે-તે વિષય કે ઘટના વિશેની વિચાર પણ મૂકીએ છીએ. સંવાદ સાધવો એ સોશિયલ મિડીયાનો સૌથી મોટો હેતુ છે. સાહિત્યના ક્ષેત્રમાં સોશિયલ મિડીયા વાચકને તેના મનગમતા લેખક સાથે સીધી રીતે જોડી આપે છે, તો સામે પક્ષે એક લેખક માટે પણ વાચકના મનોભાવને, તેના ગમા અને અણગમાને, તેની અપેક્ષાઓને જાણવાનો સોનેરી અવસર પૂરું પાડે છે. અહીં લોકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા જ આવે છે, એટલે જેમને સાહિત્ય ગમે છે એવા લોકો સર્જકો સાથે જોડાવાના એ ચોક્કસ, અને એ રીતે સર્જક માટે પોતાના પુસ્તકો કે કળાની કોઈ પણ વસ્તુ વેચવા કે વહેંચવા માટે સોશિયલ મિડીયા હાથવગું સાધન છે. તેનો ઉપયોગ કરવાની રીત અને ક્ષમતા પર જે તે લેખકની અહીંની સફળતા નિર્ભર કરે છે.

સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ


2
ફોનની રીંગ સાંભળી સરિતા બેન રિસીવર તરફ ગયાં. આજે એમણે ઘણા દિવસથી ગુમસુમ રહેતા વ્હાલસોયા પુત્ર નિલયની ભાવતી રસોઈ બનાવી હતી. ફોન ઉપાડી પોતાના લાક્ષણિક લહેકામાં હલ્લો બોલ્યાં. ફોન પર થયેલી વાતથી જાણે એમના પગ તળેથી જમીન ખસી ગઈ. અનુષાએ સગાઈ ફોક કરી હતી! અનુષાએ વારંવાર વિચાર્યું હતું, એક તો નિલય દ્વારા થયેલ બળજબરી, ત્યારબાદ નિલય માટે એનો બદલાયેલો અભિગમ અને બીજું પોતાની સંપૂર્ણ સ્વસ્થ હોવાની તબીબી ખાતરી પછી એ કદાચ નિલયને પરણે તો ભવિષ્યમાં એની દયા ખાઈ પરણી હોય એવું લાગે. જે કદાચ નિલયને પણ ન ગમે. આવા માનસિક દ્વંદ્વ બાદ એણે નિર્ણય કર્યો. અસમંજસમા કેટલીય રાતો ગઈ અને ત્યાં અચાનક વાસંતી વાયરાની જેમ મંદારનું આગમન થયું. એને મનોમન રંજ હતો નિલયની પરિસ્થિતિ માટે, પણ એ માટે એ ખુદ જવાબદાર નહોતી.

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨)


4
'સર્જન' ગ્રૂપ આજે તેના અસ્તિત્વના બીજા દિપોત્સવીને આંગણે આવીને ઉભું છે ત્યારે માઇક્રોફિક્શનના કારણે એકબીજા સાથે જોડાયેલા અને આજે અંગત ઉપલબ્ધિઓ, તકલીફો, આશા - નિરાશા, મંતવ્યો અને વિચારોને અભિવ્યક્ત કરતા, એકબીજાના મતને પૂરેપૂરું સન્માન આપતા અને તંદુરસ્ત ચર્ચા કરતા મિત્રોનો મેળાવડો બની રહ્યો છે એ વાતનો અતિશય આનંદ છે. દર અઠવાડીયે આવતી નવી થીમ, નવા પ્રોમ્પ્ટ, સમયાંતરે થતા મેળાવડાઓ અને એક પછી એક ઉપલબ્ધિઓની સફરમાં સતત સર્જનાત્મક અભિગમ રાખી, નકામા વિવાદોથી દૂર રહી, એકબીજાને સુધારતા, મઠારતા રહીને લેખનરત રહેતા આ મિત્રો દોઢ વર્ષ પહેલા એકબીજાનું નામ પણ ભાગ્યે જ જાણતા હતા એ કોણ માની શકે? સાહિત્યનો એક તદ્દન નવો પ્રકાર આટલા બધા સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં વ્યવસાયરત લોકોને વોટ્સએપ જેવા આજના ટેકલોનોજીના આશિર્વાદે સર્જનનો અનેરો અવસર આપે છે.

‘સર્જન’ સામયિકના બીજો દિપોત્સવી અંક – જીજ્ઞેશ અધ્યારૂ



4
ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ 'વારેઝ' વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા.. હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી.

લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ


1
“સીટ નંબર એક ક્યાં હશે?" ઓહ! આ અવાજ સાથે વીંટળાયેલી આ સુગંધને હું કેમ ભૂલી શકું ? “હે ભગવાન મારી સાથે આ શું થવા માંડ્યુ છે?” આ થોડા દિવસોમાં તો જાણે આખી પૃથ્વીનો આંટો મારી લીધો હોય એવા એવા બનાવો મારી જિંદગીમાં સ્થાન લઈ રહ્યા છે ! આ બધુ અત્યારે જ કેમ? અત્યાર સુધી ક્યાં હતો મંદાર અને ક્યાં હતો નિલય? ક્યાં હતા મને નકામી સાબિત કરનાર ડોકટર અને ક્યાં હતા મને નવું જીવન આપનાર ડોક્ટર?

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦)


7
દેશના દરેક તહેવારોનું પર્યાવરણ અને સામાજિક મહત્વ તો છે જ પણ આર્થિક મહત્વ પણ ઘણું છે. દિવાળી, દેશના લગભગ દરેક ખૂણે ઉજવાતો તહેવાર. આ તહેવાર જુઓ કઈ રીતે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે અને વ્યક્તીગત રીતે સ્પર્શે છે! નવરાત્રીની આસપાસથી જ ઘરોમાં સફાઈ અભિયાન ચાલું થઈ જાય અને કેટલાંક ઘરોમાં રંગરોગાન પણ કરાવવાનું હોય. તો સૌ પ્રથમ તો રદ્દી, પસ્તી અને ભંગારવાળાની રોજી રોટી શરૂ થઈ જાય. વળી લારી કે મોપેડ પર સાવરણી, સાવરણા, ફિનાઈલ, પ્લસ્ટીકના ઝાડૂ, એસીડ બોટલ, બ્રશ વગેરે લઈને ફરતાં ફેરીયાઓની નજર પણ દરેક સોસાયટીમાં ફરી વળતી હોય. ઘરે કામ કરવા જો બાઈ આવતી હોય તો તેમના ‘મનામણાં’ પણ શરૂ થઈ ગયા હોય. અને એ માટે તમારે બોનસ તો ત્યારે કન્ફર્મ કરી જ દેવું પડે ભલે તમને તમારી કંપની આપે કે ન આપે! તમને સાફ-સફાઈ કરતાં કેટલોક અનમોલ ખજાનો હાથ લાગવાની શક્યતા પણ ખરી. પ્રિયતમ કે પ્રિયતમાની યાદગીરી, તમારાં કે ઘરના સભ્યોના જૂનાં સંસ્મરણો, ભૂલે-બીસરે સબૂત અને નસીબ જો વધું પડતાં સારા હોય તો ૫૦૦-૧૦૦૦ની નોટ પણ મળી આવવાની સંભાવના! સાફસફાઈ બાદ રંગરોગાનવાળાની દિવાળી શરૂ થાય. ક્લર જાયન્ટ્સ કંપનીઓથી માંડીને રોજમદાર મજૂર કમરપટ્ટો બાંધીને રોકડાં કરવાની વેતરણમાં પડી ગયા હોય.

જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી



14
જંગલનું પંખી ક્યારેય પીંજરામાં રહેવા ન ઈચ્છે.. એ જ રીતે હું, તમે, આપણે બધા જ મૂળથી તો જંગલી જ..! આપણને શહેરના પીંજરામાં બંધાઈ રહેવાનું કઈ રીતે ગમે? અને શહેરમાં રહીને ટૂંટીયું વળી ગયેલા જંગલી મનને જયારે જંગલનો ખોળો મળી જાય તો પછી પૂછવું જ શું? ગુજરાતના તાપી જીલ્લા, સોનગઢ તાલુકાથી ઘેરાયેલા જંગલમાં અમને પણ કુદરતનો ખોળો મળી જ ગયો. વ્યારા વન વિભાગના ટ્રેકિંગના આયોજન થકી અમારું શારીરિક માનસિક અને આંતરિક મેડીટેશન કરવા અમે પણ શનિવારની ઉંઘ અને રવિવારની મોજને ગોળી મારી નીકળી પડ્યા વનચર્યા કરવા.

મને હું મળી ગયાંની ક્ષણ… ચીમેર ટ્રેકિંગ – મીરા જોશી


2
એડવર્ડ હોપરનું એક વિધાન છે, 'જો હું શબ્દોમાં કહી શક્તો હોત તો ચિત્ર બનાવવાનું કોઈ કારણ જ નહોતું.' અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપે ઢાળવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે, શબ્દનું માધ્યમ તો હાથવગું છે જ, પણ સદીઓથી એવું જ એક માધ્યમ જે આપણા દેશમાં પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગી બન્યું છે એ છે ચિત્રકળા. ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ ખૂબ જૂનો અને વિશદ છે. પ્રાગઐતિહાસિક સમયમાં ગુફાઓમાં અને પથ્થર પર દોરાયેલા ચિત્રો તેની શરૂઆતનો સમય ગણાય છે, મધ્યપ્રદેશના રાયસન જીલ્લામાં આવેલ ભીમબેટકાની ગુફાઓના આશરે ત્રીસહજાર વર્ષ જૂના પથ્થર પરના ચિત્રો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો અજંતાની ગુફાઓના ચિત્રો પણ જગવિખ્યાત છે. ભારતીય ચિત્રો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાય છે. ભીંતચિત્રો અને અન્ય માધ્યમ જેવા કે કાગળ, કેન્વાસ વગેરે પરના ચિત્રો. ધાર્મિક ચિત્રો પરથી ઉતરી આવેલી ભારતીય ચિત્રકલા આજે ભાતીગળ સંસ્કૃતિ અને જીવનપદ્ધતિને દર્શાવતી કલા તરીકે જગવિખ્યાત થઈ છે.

રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય.. આપણી ભૂલાઈ રહેલી મિરાંત


1
આરાધના કન્સલ્ટીંગ રૂમની બારી બહાર જોતાં જોતાં વિચારી રહી હતી. એણે નિલયનું ગુલાબ પગ નીચે કચડી નાખેલું, તોય પોતાનો રોષ છુપાવવા અસમર્થ રહી હતી. નિલયને શું ખબર કે આ પ્રેમ શબ્દ આરાધનાને કેટલો દઝાડે છે. નિલય એનો બાળપણનો દોસ્ત એટલે એણે હસતા મોઢે વાત વાળી લીધેલી. નિલય પોતાના ભગ્ન હ્રદયના કારણે આરાધનાથી ખૂબ નારાજ હતો. આરાધનાએ એને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યાં પણ વ્યર્થ. આરાધનાને જ્યારે નિલય અને અનુષા વચ્ચેની તકરારની ખબર પડી ત્યારે એ અનુષાને મનાવવા પહોંચી ગયેલી. બધું યાદ કરતી એ પોતાના કન્સલ્ટીંગ રૂમની બારી પાસે ઊભી હતી. આરાધનાની નજર બારી બહાર ગઈ. બહાર વરસાદ હજી હમણાં જ અટક્યો હતો. એક યુવતી પોતાના એક્ટિવાને કીક મારી રહી હતી. એ જોઈ આરાધના પોતાના ભૂતકાળમાં સરી પડી.

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૯)



1
નોરતાની નવરાત્રીઓ શરુ થઇ ગઈ છે. આ શારદીય તહેવાર ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય છે. તેમાં આપણી ધાર્મિક ભાવના અને હિંદુ સંસ્કૃતિ વણાયેલી છે. તેમાં શક્તિને પ્રણામ કરવામાં આવે છે. એના જ એક ભાગ રૂપે ગર્ભદીપ શબ્દ 'ગરબે' ઘૂમતો થયો. તેમાં ભાળ્યો રાસ જેમાં લહેકાવીને લાસ્ય સાથે અંગમરોડનું લચકદાર લાલિત્ય પ્રકટતું હોય છે. સ્ત્રીપ્રધાન ગરબામાં લાસ્ય-લચક અને સૌન્દર્ય વધારે હોય છે.

નમનીય નોરતા – હર્ષદ દવે


2
ચા નો અધુરો કપ છોડીને ગયેલી અનુરાધાના અધૂરા કપ સામે જોઈ અનુષા વિચારતી રહી... ‘મારી જિંદગી આમ જ આ કપ જેમ અધૂરી રહેશે કે શું! શા માટે, શા માટે મારી સાથે જ આવું થયું, ડોક્ટરે પહેલા મને એબનોર્મલ કહી અને હવે નોર્મલ, જીવન શું આવું અસમંજસમાં જ જીવવાનું! મને મારી ખોડ ખબર હતી એટલે મેં નિલયને સ્વીકાર્યો. મારી ઉમરની કોઈપણ છોકરીને શમણાંમાં એક સુંદર રાજકુમાર જ હોય તો પણ મેં નિલય પર પસંદગીની મહોર મારી.. તો ય એનો મેલ ઈગો તો જો.. મેં એક વાક્ય શું કહ્યું મારી પર ચડી જ બેઠો... મારી ખોડ અને એમની દેખીતી ખોડ.. એ બંને છે તો શરીરમાં રહેલી એક કમી જ. પરંતુ હું જો કોઈને કહું જ નહિ તો મારી કમી ખબર પડત? એ તો ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવું વર્તન કરી બેઠો. છોકરી એટલે શું સહન જ કરવાનું! માફી પણ જો એની મિત્ર અનુરાધા દ્વારા માંગી. મેં મેસેજના જવાબ ન આપ્યા તો પોતાનાથી મારી પાસે નહોતું અવાતું?'

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮)


3
નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.

રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ



7
આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં આઠ નવા ઈ-પુસ્તકો ઉમેર્યા છે, આ સાથે લાંબા સમયથી અધૂરો એવો ડાઉનલોડ વિભાગ પણ પૂરો કર્યો છે અને કેટલાક પહેલા મૂકેલા અને ઈ-પુસ્તકોની આ નવી વ્યવસ્થામાં બાકી રહેલા પુસ્તકો પણ ફરી મૂકી દીધા છે.

ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો


1
બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો... અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન... એવું તો કંઈ હતું નહિ ને... શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી... નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭)


4
'હવે તો હદ થઈ ગઈ, કુમાર!' સુનીલે બળાપો કર્યો. કુમાર પણ બરાબર સમજતો હતો. કોઈ પણ નવજુવાન છોકરી ગંદા ટેલિફોન લાંબો સમય સહન કરી શકે નહિ. એણે કહ્યું, 'તારી મુશ્કેલી સમજી શકું છું સુનીલ, પણ પોલીસ આ મામલામાં જવલ્લે જ જલદી કશું કરી શકે છે. ગુનેગારની ઓળખ માટે ફોન ટૅપિંગ કરવું પડે અને એ માટેની મંજૂરી મેળવી અઘરી છે. ફોન ટૅપિંગની રજા રાજદ્રોહ કે આતંકવાદની શંકાવાળા મામલામાં જ મળે છે. એટલે લેન્ડલાઈન ટેલિફોન પર ગંદી વાતો કરવાનો રોગ અનેક યુવકોને લાગુ પડી ગયો છે. આપણા પૉશ એરિયા એલિસબ્રિજ પર તો એ ગીધડા સતત ચકારાવા લેતા રહે છે. પોલીસથી બચવા માટે એમની આંખો પણ ગીધ જેવી જ ચપળ હોય છે.'

શ્રી શ્રી ફોન રોમિયો – યશવંત મહેતા



4
ટપ... ટપ... ટપ વરસી ગયેલા વરસાદના ફોરા એકધારા આસોપાલવની ડાળીએથી પાંદડે...પાંદડે લસરતા ધરતીમાં ગોપાઇ જતા હતા. ક્ષિતિજે વાદળોના રેશમાઈ પડદા પાછળથી કસુંબલ સંધ્યાનો પાલવ પકડી સુરજ મહારાજ ડોકીયું કરતા હતા. નીલયના મનમાં વિચારોનું ભયાનક દ્વંદ ચાલી રહ્યું હતું. કુદરતે વેરેલા અફાટ સૌંદર્ય પર તેનું ધ્યાન જ ક્યાં હતું! નહીંતર તો આમ બાલ્કનીમાં બેસીને ક્ષિતિજ સામે તાકી રહેવું એની આદત હતી. ફરી પાછું ગોરંભાયેલું આકાશ તૂટી પડ્યું. જાણે આજ ને આજ આકાશે વાદળોનો ભાર હળવો કરવો હશે, ને નિલયનો પણ.

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૬)


6
હુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા 'કારવાર'ની. ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.

કર્ણાટકનું કાશ્મીર : કારવાર – જીજ્ઞેશ અધ્યારૂ


3
જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાથતા સુખપ્રાપ્તિમાં નથી,સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણે અજાણ્યે માનવીમાત્ર મરે! જીવમાત્ર સુખ શોધે છે અને સુખની શોધ દુઃખ પ્રાપ્તિમાં જ પરિણમે છે. કારનકે સુખની ઇચ્છા જ દુઃખનું કારણ છે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં ચે. જીવન સમસ્યારૂપ બની જવાનું કારણ અહીં છે. સુખપ્રાપ્તિની દોડ અભાવગ્રંથિમાંથી શરૂ થાય ચે. અભાવગ્રંથિ સ્વરૂપ ચ્યુતિનું પરીણામ છે. તેથી સ્વરૂપપ્રાપ્તિ વિના જીવનની યથાર્થ કૃતાર્થને પામી શકાય નહિ. સુખપ્રાપ્તિ દ્રારા સત્યપ્રાપ્તિનો પ્રયત્ન ખોટી દિશાનો પ્રયત્ન છે અને સ્વરૂપપ્રાપ્તિ-સત્યપ્રાપ્તિ દ્રારા આનંદપ્રાપ્તિ એ સાચી દિશાનો પ્રયત્ન છે. પ્રથમ દિશાનો પ્રયત્ન ભોગ છે, બીજી દિશાનો પ્રયત્ન અધ્યાત્મ છે.

અધ્યાત્મનું સ્વરૂપ – ભાણદેવજી



3
આજે અનુષા એના ઘરે આવવાની હતી. નિલયને સખત ચીડ ચડી રહી હતી... એક તો આજે બેન્કમાં રજા હતી. ઘરેથી નીકળી જવાનું કોઈ બહાનું પણ નહોતું. સીમાએ ધકેલીને એને રૂમમાં તૈયાર થવા મોકલ્યો હતો. એ બડબડ કરતો કરતો વોર્ડરોબમાંથી એની ગમતી ટીશર્ટ-જીન્સની જોડી કાઢતો હતો... દોઢડાહી સીમાડી, શું જરૂર હતી અનુષાને ઘરે બોલાવવાની? શું વાત કરીશ એની સાથે? એ શું કરશે અહીં આવીને? હુહ... વેવલાઈ નહીંતર તો..”

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૫)


11
'ગેમ ઑફ થ્રોન્સ' આજકાલ સમાચાર માધ્યમમાં અને સોશિયલ મિડીયામાં સતત આટલું બધું કેમ ચમક્યા કરે છે. મહીનાઓ પહેલા વિકિપીડિયા પર ગેમ ઑફ થ્રોન્સનો અનુદિત ગુજરાતી લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘણુંય મૂકવાની ઈચ્છા હતી, પણ વિકિપીડિયાના બંધારણમાં એ શક્ય નથી. એ અધૂરા લેખને પાછો પૂરો કરવાનું શરૂ કર્યું અને આ લેખની ઈચ્છા જોર કરી ગઈ. શું છે આ 'ગેમ ઑફ થ્રોન્સ'? કદાચ શ્રેણી વિશે બધુંય અને પૂરતું ન કહી શકું પણ જેટલું ગમ્યું, સમજાયું એ લખવાનો પ્રયત્ન કર્યો છે.

શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? – જીજ્ઞેશ અધ્યારૂ


3
સિંહ સરકારના ગુસ્સાનો પાર નહોતો. તેણે ભયંકર ગર્જના કરી કહ્યું, 'બોલો, હવે કોણ બીડું ઝડપે છે?' ટાબરો નામે ઉંદરડો એક ખૂણામાં બેઠો હતો. સાહસનો એ શોખીન હતો. કોઈ ઊઠતું નથી એ જોઈ એણે આગળ આવી બીડું ઝડપ્યું. સિંહે કહ્યું, 'અલ્યા તું? તું શું કરશે?' ટાબરાએ કહ્યું, 'હું શું કરું છું તે આપ જોજોને, મહારાજ! હું રીંછ અને વાંદરા જેવો મૂર્ખ નથી. હું એ દુષ્ટ ગલબાને જીવતો નહીં, તો મરેલો આપની કચેરીમાં હાજર કરીશ.' સિંહે કહ્યું; 'વાહ, તો દેખાડ તારું પરાક્રમ!'

ગલબો ગલબાખાન બને છે – રમણલાલ સોની



ભાઈ-ભત્રીજાના હાથે બાંધવા માટે, બહેન જ્યારે અમને ખરીદવા નીકળતી, ત્યારે એના લહેકામાં જાણે ભાભી શોધવા નીકળી હોય, એવો ઉમંગ રહેતો. એવી હરખપદુડી બનતી કે જાણે દરિયામાંથી મોતી શોધવા ન નીકળી હોય? અમને શોધવામાં એ અડધો દિવસ, ને અડધો ડઝન દુકાન ફેંદી નાંખતી. પછી જેવી ગમતી રાખડી મળી જાય, એટલે જાણે માડી જાયો સગો ભાઈ મળી ગયો એમ હરખઘેલી બનતી

કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી.. – રમેશ ચાંપાનેરી


1
જન્મી છે બેન.. ચુનમુનબેને જાણ્યું જ્યારે જન્મી છે એક બેન; ઘડી ન એને જંપ વળે ને ઘડી પડે નહિ ચેન. કેવા એના હશે હાથ-પગ? કેવાં હશે નેન? કેવે મુખડે હશે બોલતી મીઠાં મીઠાં વેણ?

ચોકોલેટ ગીતો – યશવંત મહેતા


12
અખો કહે છે, 'ભાષાને શું વળગે ભૂર?' બાય ધ વે 'ભૂર' એટલે શું તેની બહુ ઓછાને ખબર હશે. તેનો અર્થ છે : મૂર્ખ, લુચ્ચું. પણ તેનો સુરતી અર્થ છે 'નામશેષ'. એ ઉપરાંત તેનો અર્થ છે ઘણું કે વધારે! મને ભાષા પ્રત્યે પ્રેમ છે. ભલે પછી તે ગુજરાતી હોય કે હિન્દી કે પછી અંગ્રેજી. આજે અહીં ભાષા વિષે સાવ નવી જ વાત કરવી છે. જો તમે તમારા મગજને સ્વસ્થ અને સતર્ક રાખવા ઈચ્છતા હો તો હિન્દી ભાષાનો ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ અંગ્રેજી ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા બોલવાથી મગજ વધારે તંદુરસ્ત રહે છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે મને તેના પ્રત્યે આકર્ષણ છે માટે હું આ નથી કહેતો.

ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે



66
અમારી ઈચ્છા સવારે જ સુવર્ણ મંદીરના દર્શન કરવાની હતી. પરંતુ “વાહેગુરુ ઈચ્છા બળવાન!” શહેરમાં અને હોટેલોમાં ભીડ જોઈને એવું લાગ્યું કે બધાંને અમારી જેમ અમૃતસર જ ફરવું હતું કે શું? બે – ત્રણ હોટેલ ફર્યા બાદ એક હોટેલમાં બે રૂમ મળી ગઈ. સ્નાનાદિથી પરવારી, વ્યવસ્થિત ચા-નાસ્તો કરી અમે બાર વાગ્યે જલીયાંવાંલા બાગ જોવા નિકળ્યા. સૂરજદાદા પણ જાણે કૃપા વરસાવવામાં કોઈ કમી ન રાખવાના હોય એમ ખુલ્લી આંખે હાજરાહજૂર હતા. પણ જેવા અમે જલીયાંવાલા બાગના પરિસરમાં પહોંચ્યા કે તડકાનું દુઃખ થોડી વાર માટે વિસરાઈ ગયું. જલીયાંવાલા બાગથી લઈ સુવર્ણ મંદીર સુધીનો પરિસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખુબ સુંદર રીતે ડેવલપ કર્યો છે. તમને કોઈ યુરોપિયન શહેર જેવો આભાસ થાય. બાગને ખુબ સારી રીતે વિકસાવ્યો છે અને વ્યવસ્થીત સાચવ્યો પણ છે. અહીં યાદી માટે ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. બાગના પરિસરમાં એ કૂવો પણ જોયો જ્યાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવની કુરબાની આપી હતી. એ નરસંહારનું દ્રશ્ય વિચારીને હતપ્રભ થઈ જવાયું.

સડ્ડા પિંડ.. (અમૃતસરની મુલાકાતે) – ગોપાલ ખેતાણી


4
એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ.એસ.સીમાં કેટલીક શાળાઓનું પરિણામ ૩૦% થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું તો ૦% આવ્યું હતું. તેના કારણો અને ઉપાયો શોધવા શિબિર યોજવામાં આવી હતી. તેમાં બોલવાનું થયું ત્યારે એક સવાલ પૂછાયો કે આવું પરિણામ આવવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તેના તરત જવાબો આવવા લાગ્યાઃ બાળકો નબળાં આવે છે, તેમને પ્રાથમિકમાં બરાબર શિક્ષણ નથી અપાતું, માતા-પિતા ઘરે ધ્યાન નથી આપતાં, સરકારને પડી નથી, સરકાર બીજા એટલા કામો સોંપે છે કે વર્ગમાં જવાનો સમય જ નથી મળતો... આવી લાંબી યાદી આવી. અને હકીકત હતી કે આ બધાં જ કારણો સાચાં હતાં.

હું જ મારો મિત્ર, હું જ મારો શત્રુ – હરેશ ધોળકીયા


5
સગાઇ બાદ સરિતાબેન નિલયને સમજાવતા, “જો બેટા, દુનિયામાં ક્યારેય એકસરખી બે વ્યક્તિ ના મળે. ભગવાને દરેક વ્યક્તિમાં વિવિધતા મૂકી હોય. અનુષા ખરેખર બહુ જ ડાહી છોકરી છે. તું એને કોઈની સાથે સરખાવીને ના માપ. જેમ જેમ તું એની સાથે સમય ગાળીશને એમ એમ એ તને ગમવા લાગશે. અને તું એને વધારે સારી રીતે સમજી શકીશ. તું જોજેને... લોકો જોતા રહી જશે એવા ધામધૂમથી તારા લગ્ન કરીશું. તને ખબર નથી તારા માટે યોગ્ય છોકરી શોધવા મેં રાત-દિવસ એક કર્યા છે”....

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૪)



25
અક્ષરનાદ આયોજીત તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાના મારા, ડૉ. હાર્દિક યાજ્ઞિકના અને શ્રી નીલમબેન દોશી એમ ત્રણેય નિર્ણાયકોના ગુણના સરેરાશને લઈને વિજેતા બનેલા મિત્રોના નામ નીચે મુજબ છે. ઉપરાંત વિજેતા ન થયેલા પણ જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે અને અમને નિર્ણાયકોને એક માઈક્રોફિક્શન તરીકે ખૂબ ગમી છે તેમની વાર્તાઓને પણ પુરસ્કૃત કરવાનો વિચાર થઈ રહ્યો છે. વિજેતાઓ માટે ઈનામની જાહેરાત પહેલા જ કરી હતી, એટલે એ સિવાયના આ મિત્રોની વાર્તાઓ પણ કોઈક રીતે પુરસ્કૃત થાય એવી મહેચ્છા છે..

પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭)


7
અનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ ! એ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.

જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩)


12
આજકાલ રાજકારણમાં અપશબ્દો અને ગાળો બોલવી એ એક ફેશન જેવું બની ગયું છે. વ્યક્તિ અને વાત ગમે તે હોય, કાંઈપણ જોયા જાણ્યા વગર બસ દઈ દીધી એક ગંદી ગાળ. પછીથી એ જ ગાળ ચર્ચાનો એક વિષય બની જાય છે. શું ખરેખર તેને ગાળ ગણી શકાય? તે ગાળ છે કે નહીં. શું તે સંપૂર્ણપણે નકારાત્મક છે? શું તેનું કોઈ સકારાત્મક પાસું નથી? બુદ્ધિજીવી આવી ચર્ચાઓમાં ખૂબ જ રસ લેતા હોય છે. તેઓ ચોળીને ચીકણું કરે છે!

ગાળ, ગુંડા અને રાજકારણ – ડૉ. સુરેન્દ્ર વર્મા, અનુ. હર્ષદ દવે