Yearly Archives: 2010


પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7

પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


અજામિલ – રમણલાલ સોની 2

માણસના મનમાં અણઘારી રીતે કેવા મોટા ફેરફાર થઈ જાય છે એ આ દ્રષ્ટાંત પરથી જણાય છે. દુઃખ અને મરવાકાળ વખતે માણસની દ્રઢતાની કસોટી થાય છે. જન્મ કે કુળને લીઘે નહિ પણ ગુણ ને લીઘે માણસમાં, બ્રાહ્મણત્વ આવે છે. ગમે તેવા દુષ્ટને માટે પણ ઉદ્ઘારની તક છે જ; એ પણ ઘારે તો ગુણીજનોમાં સ્થાન મેળવી શકે છે. માણસ ભૂતકાળ તરફ જોવાનું ભૂલી ભવિષ્ય તરફ જુએ, તો એવી નિરાશા દૂર થઈ જશે, ને ઊજમાળું હાસ્ય એના વદન પર ફરકતું થશે એમ અજામિલની કથા પરથી સ્પષ્ટ જણાય છે.


ખિસકોલી – ઉમાશંકર જોશી 4

લોક રામાયણમાં આવતા આ નાનકડા પ્રસંગ પરથી કવિશ્રી ઉમાશંકર જોશીએ આ સુંદર ગીત રચ્યું છે. નાનકડું કાર્ય પણ જો પૂરી નિષ્ઠા અને ખંતથી થાય તો સફળતા અવશ્ય મળે જ છે. ખિસકોલીની ધૂળમાં આળોટી જ્યાં વાનરો રીંછો વગેરે લંકા જવા માટે સેતુ બનાવી રહ્યા છે ત્યાં જઈ ખંખેરવાની વૃત્તિ પ્રભુકાર્યમાં યોગદાન માટેની તેની અડગ ભાવના બતાવે છે. પ્રભુ તેને પોતાનો નાનકડો સૈનિક કહે છે અને એવા નિષ્ઠાવાનને લીધે જ તેઓ સીતાને મેળવશે તેવો આત્મવિશ્વાસ પણ તેઓ પ્રગટ કરે છે. પ્રભુ ખીસકોલીની પીઠે હાથ ફેરવે છે ત્યારે તેની પીઠે પટ્ટા પડ્યા છે તેવો સુંદર ખુલાસો પણ તેઓ કરે છે. ગીતાના “ફળની ઈચ્છા વગરના કર્મની વાત અહીં ખૂબ સુંદર રીતે વણી લેવાઈ છે.


સંતત્વના બે સ્વરૂપો…. – ડો. નિરંજન રાજ્યગુરૂ 2

ડો. નિરંજન રાજ્યગુરૂ ગુજરાતી સંત સાહિત્યના અલગારી સારથી છે, અને તેમની પાસેનો સંત સાહિત્યના જ્ઞાન અને સાહિત્યનો અદભુત ખજાનો એ ક્ષેત્રના રસિકો માટે તેમણે ખૂબ ભાવથી, ખૂબ જવાબદારીથી જાળવ્યો અને ઉછેર્યો છે. તેમની રચનાઓમાં એક અગાધ વાણી સહજતાથી કહેવાની અનોખી પધ્ધતિ છે. સાચા સાધુ વિશેની તેમની પ્રસ્તુત રચના કદાચ ગીરના કોઈક અલગારી બાપુને ઉદેશીને લખાઈ હોય તો નવાઈ નહીઁ, ખૂબ સહજતાથી, સરળ રીતે એ કેટલું સરસ કહી જાય છે. તેમની હમણાં જ શરૂ થયેલી વેબસાઈટ આનંદ આશ્રમ પર પણ તેમના પરિચય અને પ્રવૃત્તિઓની જાણકારી સાથે તેમની ઘણી રચનાઓ માણી શકાય છે, હજી બની રહેલી આ વેબસાઈટ સંત સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ બની રહે તે માટે તેમને ખૂબ શુભેચ્છાઓ….


બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર 5

પ્રણયભીના હૈયા અભિવ્યક્તિના કોઈ બંધનોમાં જકડાતાં નથી, તેમને શબ્દોની કારીગરી કરવી પડતી નથી, એ આપોઆપ સર્જાઈ જાય છે, આવી જ બે રચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી નીરજભાઈ પરમારનો આ સુંદર કાવ્ય રચનાઓ પ્રકાશન માટે અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ. આશા છે તેમની તરફથી આમ જ ભવિષ્યમાં પણ સુંદર રચનાઓ સર્જાતી રહેશે.


એક ચપટી અજવાળું – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણી રચનાઓ મારી ડાયરીમાંથી અક્ષરનાદ પર આવતા વર્ષો લગાડી દે છે, એ કદાચ એમની સાથે જોડાયેલ પ્રસંગ હોય કે તેની સાથે, અતૂટ રીતે સંકળાયેલી સર્જનની લાગણીઓ…. જો કે એ બધી રચનાઓ સરસ છે કે સર્જનની માપપટ્ટી પર ખરી ઉતરે છે એવો કોઈ દાવો નથી, આ વાર્તા પણ કાંઇક એમ જ લખેલી, વર્ષો થયાં, આજે અચાનક એક જૂના પ્રસંગના સ્મરણ રૂપે આ વાર્તા પાછી યાદ આવી અને હિંમત કરીને પોસ્ટ કરી છે, વાર્તા તત્વ તદન સાધારણ છે, પણ વિશેષતા ફક્ત એટલી કે પ્રસંગનો ઘણોખરો ભાગ સત્યઘટના પર આધારીત છે.


જિંદગીનો રંજ – નિલેશ હિંગુ 4

શ્રી નિલેશભાઈ હિંગુની અક્ષરનાદ પર આ બીજી રચના છે. જિંદગીમાં ઘણી વાતોનો રંજ રહી જાય છે, તેમની પ્રસ્તુત રચનામાં લોકો વિશે અને અનુભવો વિશે તેઓ વાત કરે છે, સારા સમયમાં સહુ સાથ આપે છે, પણ કસોટીની પળોમાં બધાં છોડી જાય છે, જો કે પ્રેમનો, એકસૂત્રતાનો તાર રણઝણતો રહો છે, પરંતુ જીવનનો અમૂલ્ય તબક્કો વહી ગયો છે, ગયેલો સમય પાછો લાવી શકાય તેમ નથી એ વાતનો રંજ અહીં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. અક્ષરનાદને આ રચના પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને આવીજ વધુ રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી અભિલાષા સાથે શુભકામનાઓ


સળગતો રહ્યો – પિયુષ આશાપુરી 3

મિત્ર શ્રી પિયુષ આશાપુરીની રચનાઓ, ખાસ કરીને તેમની પ્રેમપ્રચૂર ગઝલોનો ચાહક કોલેજના સમયથી રહ્યો છું. તેમના પત્નિ શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે, પિયુષની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આશા છે તેમની રચનાઓ આમ જ માણવા મળતી રહેશે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધિ અર્થે મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (2) – જીગ્નેશ અધ્યારૂ 10

મારી જાફરાબાદ થી મુંબઈની મુસાફરી, દરીયાઈ માર્ગે ક્રૂઝથી કરેલી પ્રથમ યાત્રાનો આ બીજો ભાગ આજે પ્રસ્તુત છે. આ યાત્રા માટે ખૂબ ઉત્સાહ હતો, અને એ ઉત્સાહ એક તસું પણ ઓછો પડ્યો નથી, જો કે યાત્રા દરમ્યાન ઘણા લોકોને એમ કહેતા પણ સાંભળ્યા કે આ તો કંટાળાજનક છે, પણ એ તો તમારી દ્રષ્ટિ છે, નહીંતો દરીયાની વચ્ચે કંટાળો આવે તો ક્યાંથી?


મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ 10

મારે અચાનક પીપાવાવ્ થી મુંબઈની મુસાફરી કરવાનું નક્કી થયું, એક જ દિવસ વચ્ચે હતો એટલે રિઝર્વેશન કરાવવાનું શક્ય નહોતું, બસમાં જવું ખૂબ અગવડભર્યું બની રહે એટલે કયો માર્ગ પસંદ કરવો એ અસમંજસમાં અમારા મિત્ર માયાભાઈએ હમણાં જ શરૂ થયેલી જાફરાબાદ થી મુંબઈની ક્રૂઝની સફર કરવાની સલાહ આપી, તે સફરનો પરિપાક એટલે આ પ્રવાસ વર્ણન. આજે પ્રસ્તુત છે પ્રથમ ભાગ