વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

21
ડૉ. હાર્દિકભાઈ યાજ્ઞિકની આજની દસ માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકોના તેમના સર્જનને મળી રહેલ અઢળક સ્નેહ અને ઉત્સાહના ફળ સ્વરૂપ રચનાઓ છે. સુંદર પ્રતિભાવો લેખકને વધુ સારી રીતે સર્જન માટે પ્રેરણા આપે છે, આશા છે દર વખતની જેમ આ પાંચમા ભાગમાં પણ હાર્દિકભાઈની માઈક્રો ફિક્શન રચનાઓ માણવી આપને ગમશે. હાર્દિકભાઈની આ પહેલાની રચનાઓ પોસ્ટની નીચે તેમના નામ પર ક્લિક કરવાથી માણી શકાશે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ હાર્દિકભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

૧૦ માઈકો ફિક્શન વાર્તાઓ (ભાગ ૫) – ડૉ. હાર્દિક યાજ્ઞિક


9
કવિમિત્ર શ્રી રાકેશભાઈ હાંસલીયાને રાજકોટમાં તેમના ઘરે મળ્યો, અને તેમની પાસેથી શ્રી દિનેશભાઈ કાનાણી સંપાદિત સુંદર સામયિક 'ડાયલોગ'ના બે અંકો મળ્યા. સુંદર સંપાદનનો અનુભવ સાથે સાથે એક કવિની પોતાની અનુભૂતિનો સ્વાદ પણ આ સામયિકમાં વાચકને મળી રહે છે. જુલાઈ-ઓગસ્ટના અંકમાં દિનેશભાઈએ મૂકેલ 'આ ક્ષણે આટલું કહેવું છે..' આજે મેં અપનાવેલ શીર્ષક 'અભિવ્યક્તિની અનુભૂતિ' સાથે મૂક્યું છે. સુંદર અછાંદસ આજના સમયની અભિવ્યક્તિમાં રહેલ ખાલીપણા વિશે કહે છે.

અભિવ્યક્તિની અનુભૂતિ – દિનેશ કાનાણી


7
સૌરભ એના રૂમમાં કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો હતો અને કંઈ કામને લીધે આરતીબેન અચાનક બારણાને ધક્કો મારી સૌરભની રૂમમાં દાખલ થયા. આરતીબેનને જોઈને સૌરભ ચમકી ગયો અને ઝડપથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ફેરવી નાખ્યું પણ ત્યાં સુધીમાં સ્ક્રીન પર શું હતું તે આરતીબેને જોઈ લીધું હતું. ખૂબ જ આઘાત પામેલ સ્થિતિમાં આરતીબેન રૂમમાંથી બહાર નીકળી ગયા.

શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨)



37
આજના સ્વતંત્રતા દિવસના સપરમા અવસરે, લાંબા સમયથી જેની ખૂબ ઇચ્છા હતી એવી અક્ષરનાદની સૌપ્રથમ સ્પર્ધા - આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ ની જાહેરાત કરતા અત્યંત આનંદ થાય છે. આજની પોસ્ટ અંતર્ગત સ્પર્ધાના નિયમો વિશે જણાવ્યું છે...

અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રો ફિક્શન સ્પર્ધા ૨૦૧૪


15
શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. રક્ષાબંધન, જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ, કૃષ્ણમય થવાના ભીના ભીના અનરાધાર દિવસો.. પણ 'નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક બીજા ઘરને, એક મહત્વની હસ્તીને તો જાણે ભૂલી જ જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે એની કલ્પના દેવિકાબેન પ્રસ્તુત કરે છે, તો અન્ય એક રચનામાં કોમ્પ્યુટરના સ્ક્રીન પર કૃષ્ણને આમંત્રણ પણ પાઠવે છે. કૃતિઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.

ચાર કૃષ્ણ પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ


7
શ્રી ધ્રુવ ભટ્ટની ગીરની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર માંથી આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુતિ થઈ છે. અકૂપારનો હાલમાં જ અંગ્રેજીમાં અનુવાદ પ્રો. પિયુષ જોશી અને ડૉ. સુરેશ ગઢવીએ કર્યો છે. અકૂપારના આ અંગ્રેજી સંસ્કરણમાંથી થોડો ભાગ આજે અક્ષરનાદના વાચકો માટે ધૃવભાઈની પરવાનગી સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. આ પહેલા સમુદ્રાન્તિકેનો પણ અંગ્રેજી અનુવાદ રજૂ થયેલો છે. અકૂપારના અંગ્રેજી સંસ્કરણ માટે ધ્રુવભાઈને અભિનંદન સહ શુભકામનાઓ.

 ‘Khamā Gayrne’. (Akoopar in English) – Dhruv Bhatt



12
અક્ષરનાદ પર વલીભાઈની વાર્તાઓ સમયાંતરે સતત પ્રસ્તુત થતી રહે છે, એ જ શૃંખલામાં તેમની તરોતાજા વાર્તા નવપરણિત યુગલની આંતરીક સમજણની અને તેમના સહજ મનમેળની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ વલીભાઈનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

મધુરજની અને રજનીગંધા! – વલીભાઈ મુસા


7
યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

ચાર ગઝલ – યાકૂબ પરમાર


18
એક સંપાદકનું એ સદભાગ્ય હોય છે કે તેને અનેક અનોખી અને સુંદર કૃતિઓ સૌથી પહેલા માણવાનો અવસર મળે છે. કેટલીક કૃતિઓ વાંચીને એક સંપાદક તરીકેની મારી વર્ષોની ફરજ મને સફળ થતી લાગે છે, એવી જ એક કૃતિ આજે પ્રસ્તુત કરી રહ્યો છું, હેમલભાઈ વૈષ્ણવ માઈક્રોફિક્શનમાં તેમનો હાથ સફળતાપૂર્વક અજમાવી ચૂક્યા છે અને વાચકોના પ્રતિભાવ સાથે પ્રેમને પામ્યા છે. આજની તેમની કૃતિ એક વાર્તાકાર તરીકેની તેમની નવોદિત છબીને તોડીને તેમને પ્રસ્થાપિત લેખકની શ્રેણીમાં મૂકી શકે એટલી સબળ અને સુંદર થઈ છે. 'કાંડા ઘડિયાળ'ને તાંતણે બંધાયેલી તેમની આ આખીય વાર્તા એક અનોખી લયબદ્ધતા લઈને આવે છે. વાર્તા અક્ષરનાદને પાઠવવા બદલ હેમલભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

કાંડા ઘડિયાળ (ટૂંકી વાર્તા) – હેમલ વૈષ્ણવ



23
પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, "નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું." આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ


11
ઝંખનાબેન ખૂબ વ્યાકુળ હતાં. મારા ક્લીનીકનાં વેઈટીંગ રુમમાં દસ મિનિટનું વેઈટીંગ પણ તેમને અકળાવતું હતુ. ઝંખનાબેન એમના ૮ વર્ષનાં દિકરા રવિ માટે ખૂબ ચિતિંત હતા. રવિનું વર્તન એમને સમજમાં નહોતુ આવતુ. છેલ્લા ૨-૩ મહિનાથી રવિ સ્કૂલમાં, ટ્યુશનમાં અને ઘરની બહાર સોસાયટીમાં બિલકુલ શાંત બેસી રહેતો. ક્લાસમાં પૂછે એના જવાબ ન આપતો, ઈતર પ્રવૃત્તિઓથી તદ્દન દૂર રહેતો, રીસેસમાં એકલો જ ટીફિન ખાતો, સ્કૂલના ગ્રાઉન્ડ પર પણ બીજા બાળકો સાથે રમતો નહી. ઘરની બહાર સોસાયટીમાં પણ રવિની ઉંમરના ૮-૧૦ બાળકો હોવા છતાં રવિ કોઈ સાથે રમતો નહીં અને એકલો જ બેસી રહેતો. સગા-સબંધીઓને ત્યાં કે બહારગામ લગ્નપ્રસંગે જતાં ત્યાં પણ રવિ બધાથી અતડો રહેતો. જ્યારે ઘરમાં આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન કરતો.

રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧)


3
ડૉ. નીના પિયુષ વૈદ્ય અમદાવાદની બી જે મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ (૧૯૮૮) તથા બાળરોગ નિષ્ણાંત (૧૯૯૧)ની પદવી મેળવી શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પીડિઍટ્રિશન તરીકે પ્રેક્ટિસ કરે છે. આ રોજીંદી પ્રેક્ટિસ દરમિયાન તેમને બાળકોની સાયકોલોજીને મેડીકલ સિવાયના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર લાગી. આથી તેમણે એમ.એસ યુનિવર્સિટી વડોદરાથી ગાઈડન્સ અને કાઉન્સેલિંગ (૨૦૦૧ - ૨૦૦૨)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. બાળઉછેર દરમિયાન માતા-પિતા દ્વારા અજાણપણે થતી નાની ભૂલોની બાળમાનસ પર થતી અસર પર આધારિત તેમનું ચિંતન અને તેમની બાળક સાથેની કાઉન્સેલીંગની બેઠકનાં વાસ્તવિક અનુભવો અક્ષરનાદના વાચકો સાથે લેખના માધ્યમથી કેટલીક રોજીંદી ઘટનાઓ અને પ્રસંગો શ્રૃંખલા રૂપે રજૂ કરવા જઈ રહ્યા છે. દર પખવાડીયે રવિવારે પ્રસ્તુત થનાર તેમની આ શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રેણીની સફળતા બદલ ડૉ. નીનાબેનને શુભકામનાઓ અને અક્ષરનાદને તેમના અનુભવ અને ચિંતન વહેંચવાના માધ્યમ રૂપે તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર, તેમની કલમને શુભકામનાઓ.

બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો : શૃંખલા સ્વરૂપે – ડૉ. નીના વૈદ્ય



16
માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ અંગ્રેજીમાં ખૂબ લાંબા સમયથી ચાલી આવતું, પ્રચલિત અને અનોખું સ્વરૂપ છે, અંગ્રેજીમાં તેને ફ્લેશ ફિક્શન પણ કહે છે. વિકિપીડિયા મુજબ ખૂબ ટૂંકાણમાં વાર્તાકથનનો આગવો પ્રકાર છે માઈક્રોફિક્શન, પણ તેની લંબાઈ વિશે કોઈ સ્પષ્ટ અવધારણાઓ કે નિયમો પ્રચલિત નથી. મહદંશે ૩૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી વાર્તાઓને અંગ્રેજી સાહિત્યમાં માઈક્રોફિક્શન ગણવામાં આવે છે. ચીનમાં તેને 'સ્મોકીંગ લોંગ' કહેવાય છે, મતલબ કે તમારી સિગારેટ પૂરી થાય એ પહેલા વાર્તા વંચાઈ જવી જોઈએ, વળી તેને 'પામ સાઈઝ' વાર્તા પણ કહેવાય છે. રૂઢીગત વાર્તા પ્રકારની જેમ અહીં પણ વાર્તાના એક કે તેથી વધુ તત્વો ઉપસ્થિત હોય જ છે, ચમત્કૃતિ, વાચકના મનને હલબલાવી મૂકે એવ અંત, ખૂબ ઓછા શબ્દોમાં ઘણુંબધું સમજી શકાય એવી વૈકલ્પિક વિવેચના વગેરે માઈક્રોફિક્શનના એક કે તેથી વધુ તત્વો હોઈ શકે. આ અનોખા વાર્તાસ્વરૂપ વિશે વધુ જાણો...

માઈક્રોફિક્શન વાર્તા સ્વરૂપ વિશે.. – જીજ્ઞેશ અધ્યારૂ


2
સંજયભાઈ દોશીનો પ્રસ્તુત લેખ જીવનમાં નિયમનું મહત્વ અને એ વિશેના વિવિધ ચિંતન પ્રસ્તુત કરે છે. સંજયભાઈએ લેખની સાથે તેમનો પરિચય આપ્યો નથી. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને વધુ નિખાર મળતો રહે એવી શુભેચ્છાઓ સહ આભાર.

જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી


8
ગુણવંતભાઈ વૈદ્યની ઘણી ટૂંકી વાર્તાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે એમનું નવું સર્જન - 'એક ઉર્ધ્વમુખી શૂન્ય'. સંબંધ, સંવેદના અને સમજણનો સંગમ પ્રસ્તુત કરતી આજની સુંદર રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર.

એક ઉર્ધ્વમુખી શૂન્ય (વાર્તા) – ગુણવંત વૈદ્ય



11
શ્રી પલ્લવી ત્રિવેદીનું આ કાવ્ય જેનો અનુવાદ હર્ષદ દવે દ્વારા કરાયો છે, એ આજના સમયની નારીનું, કદાચ સૌથી ધગધગતું અને પુરુષોને તેમની જ ભાષામાં કહેવાયેલું એક અનોખું સત્ય છે. આજકાલના વિશ્વમાં નારી પર થતા અનેક આક્રમણો, બળાત્કારો અને અન્યાયની ખબરોથી જ્યારે સમાચારપત્રો અને ટીવી વગેરે સતત ચમકતા રાખે છે એવામાં પ્રસ્તુત કાવ્ય એક અનોખી આભા સાથે એક નારીનો, એક ગૌરવાન્વિતા નારીનો વિશ્વની આંખમાં આંખ નાખીને અપાયેલ જવાબ છે. સર્જન બદલ પલ્લવીબેન અને અનુવાદ બદલ તથા અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈ દવેનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

નારીની વ્યથા… – પલ્લવી ત્રિવેદી, અનુ. હર્ષદ દવે.


16
અંગત વ્યવસાયિક જીવનની તકલીફો, અનુભવો અને રાજકારણ વિશે અંગત ડાયરીમાં લખવું અલગ વાત છે પણ એ જ જાહેર મંચ પર મૂકવું એ મુશ્કેલ છે. એમાં અનેક ભયસ્થાનો છે. લોકોની નજરમાં આળસુ, રઘવાયા, ગાંડા કે તકવાદી ગણાઈ જવાનો ભય, કોઈકની સામેના માનસિક વિરોધને શબ્દદેહ આપી બેસવાનો અને એ રીતે અંગત અણગમાને વ્યક્ત થઈ જવા દેવાનો ભય, પોતાની જાતને વધુ પડતી પ્રોજેક્ટ કરી બેસવાનો ભય, પોતાની ક્ષમતાઓને વધારે આંકી બેસવાનો ભય, વ્યવસાયિક ગુપ્તતા અને 'ટ્રેડ સીક્રેટ'ના છત્તા થઈ જવાનો ભય, કોઈકના નજીકના ગણાઈ જવાનો ભય, કોઈકના તમારા પ્રત્યેના અકારણ અણગમા વિશે તમે જાણો છો એ બતાવવાનો ભય.... પણ છતાંય એક ત્રીજો પુરુષ એકવચનના સ્વરૂપે ૧૧થી વધુ વર્ષના વ્યવસાયિક જીવનમાં મેં જે અનુભવ્યું છે એ આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાય અને શોખને મેં અત્યાર સુધી પ્રયત્ને અલગ જ રાખ્યા છે, ક્યારેક સાહિત્યનો સહારો વ્યવસાયિક તકલીફોને હળવી કરવામાં ઉપયોગી થયો છે, પણ એ વિશે ઉપર બતાવ્યા એ બધાંય ભયસ્થાનોથી ઉપર જઈને લખવું એ મારૂ એક પ્રકારનું માનસીક દુઃસાહસ જ કહી શકાય...

વ્યવસાયિક જીવનના સત્યો, અસત્યો, અર્ધસત્યો.. – જીજ્ઞેશ અધ્યારૂ


14
બિલિમોરા ખાતે રહેતા અને ગણદેવા આઈ. ટી. આઈ. માં પ્રશિક્ષકની ફરજ બજાવતા શ્રી સ્મિતાબેન પટેલની આ સુંદર સહજ વાર્તા ગર્ભમાં દીકરી હોવાને લીધે તેનું અબોર્શન કરાવવા તૈયાર થયેલ પિતા અને તેના મનપરિવર્તનની વાત પ્રસ્તુત કરે છે. સહજ સરળ આડંબરરહિત વાત આ પ્રસ્તુતિની ખાસીયત છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ સ્મિતાબેનનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

ખોટની ખીમી.. (વાર્તા) – સ્મિતા પટેલ



13
બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે - માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ 'જે તરફ તું લઈ જશે..' મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ 'ગઝલસઁગ્રહનો આસ્વાદ' એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.

‘જે તરફ તું લઈ જશે..’ એ તરફ.. – રાકેશભાઈ હાંસલિયાના ગઝલસંગ્રહનો આસ્વાદ


10
અમદાવાદમાં, અયોધ્યાનગર, ન્યૂ મણિનગર ખાતે રહેતા શ્રી દીપકભાઈ સોલંકીની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, અક્ષરનાદ દ્વારા જેને પ્રોત્સાહન અને મંચ મળ્યો છે એવા આપણી ભાષામાં વાર્તાસર્જનના માઈક્રોફિક્શન ફોર્મેટને અનેક નવોદિત લેખક મિત્રો મળી રહ્યા છે એ ખૂબ ઉત્સાહ અને આનંદની વાત છે. અક્ષરનાદ પર પ્રથમ કૃતિ આપી રહેલ દીપકભાઈનું સ્વાગત છે અને તેમની કલમને શુભકામનાઓ સહ અક્ષરનાદને આ માઈક્રોફિક્શન પાઠવવા બદલ તેમનો આભાર.

પાંચ માઈક્રોફિક્શન વાર્તાઓ – દીપક સોલંકી


7
આજે બે પદ્યરચનાઓ પ્રસ્તુત છે, બે કવિમિત્રો દિનેશ જગાણી 'અલિપ્ત' અને હેમલ વૈષ્ણવ તેઅની રચનાઓ સાથે ઉપસ્થિત થયા છે. દિનેશભાઈનુ અછાંદસ અને હેમલભાઈની પદ્યરચના - એ બંને પોતપોતાની વાત સુંદર રીતે પ્રસ્તુત કરે છે. બંને મિત્રોનો પોતાની રચના અક્ષરનાદને પાઠવવા બદલ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

બે પદ્યરચનાઓ.. – દિનેશ જગાણી ‘અલિપ્ત’, હેમલ વૈષ્ણવ



17
દર વખતે નવું અને વિચારશીલ પ્રસ્તુત કરતા હર્ષદભાઈ દવે આજે એક સુંદર વાત લઈને આવ્યા છે. ઇન્ટરનેટ વિશ્વ પર અનેક પ્રેરણાદાયક અને ચિંતનશીલ સારી અને પ્રેરક વાતો મળી આવે છે, લંબાઈમાં નાની પણ ચમત્કૃતિપૂર્ણ અને બોધપ્રદ એવી એક વાત આજે હર્ષદભાઈ પ્રસ્તુત કરે છે. આશા છે વાચક મિત્રોને ગમશે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ આભાર...

કૃષ્ણકર્મ (પ્રેરણાકથા) – હર્ષદ દવે


10
'જયહિંદ' સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ 'મેઘધનુષ' અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ કોયલના ટહુકાની, એના સ્વરની મદદથી આનંદાનુભૂતિની અને એ દ્વારા ઈશ્વરની અનુભૂતિની વાત કહે છે. એ ટહુકાએ જાણે ઉપકાર કર્યો છે, રોજીંદી ક્રિયાઓ બદલાઈ છે, અંતરની અનુભૂતિએ માનસની પ્રકૃતિને બદલી છે, એવા કોયલના ટહુકાને જેણે માણ્યો નથી એણે ઘણુંય ગુમાવ્યુ છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.

કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર


17
અક્ષરનાદના સદાબહાર લેખિકા, વાર્તાકાર એવા નિમિષાબેન દલાલની આજની વાર્તા દોઢેક મહીના પછી આવેલી તેમની કૃતિ છે. અક્ષરનાદ પર કૃતિઓ આપતા મિત્રોનો એ હક્ક જોઈને આનંદ થયો કે તેઓ પૂછી શકે, 'અક્ષરનાદ કોઇ બીજાને મેનેજ કરવા આપી દીધી કે મારી કૃતિઓનું પૂર્ણવિરામ આવી ગયું?' આ એક સુખદ સંવાદ છે, દિવસને અંતે આવી હક્કપૂર્વકની ઉઘરાણી અને લેખક-વાચક મિત્રોનો આવો નિતાંત સ્નેહ જ અક્ષરનાદથી અમારી સાચી અને એકમાત્ર કમાણી છે. કૌટુંબિક સંવાદ, પિતા પુત્રની સમજણની વાત ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે, એ રીતે વાર્તા અંતે ફીલ ગુડ કરાવતી વાર્તા છે. આ ઉપરાંત એક ઉલ્લેખનીય પ્રયાસ તરીકે તેમણે સૂરતમાં લેખિકાઓનું ગ્રુપ બનાવ્યું છે.. જેમાં સ્થાનિક સાહિત્યકારોનું માર્ગદર્શન લઈ વાર્તાલેખનની કળાને વિકસાવવાનો પ્રયત્ન થાય છે, આ બહેનો દર રવિવારે નિયમિત મળે છે, તેમના આવા પ્રયાસને શુભેચ્છાઓ તથા અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા મોકલેલી આજની વાર્તા બદલ શુભેચ્છાઓ.

વિષાદ (વાર્તા) – નિમિષા દલાલ



19
આજની આ વાત અંગત છે, પણ ગુરુ વિશેની વાત તો આમ જ રહેવાની. મારા એ આદરપાત્ર, ખૂબ સ્નેહી અને પોતાની ફરજનિષ્ઠામાં અચૂક એવા શાળા સમયના શિક્ષકો વિશે આજે અહીં વાત મૂકી રહ્યો છું. ગુરુપૂર્ણિમા બધાને માટે ભક્તિ અને શ્રદ્ધાનું પર્વ છે. આ આપણી સંસ્કૃતિની વિશેષતા જ છે કે આપણે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં માર્ગદર્શન આપનાર એવા આપણા શ્રદ્ધેય ગુરુને આજના દિવસે વિશેષતઃ આદર અને સન્માન આપી શકીએ, તેમને યાદ કરી શકીએ.

ગુરુપૂર્ણિમાએ યાદોના પ્રદેશમાં…. – જીજ્ઞેશ અધ્યારૂ


18
આલોકભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે, નવોદિતોને અક્ષરનાદ પર સતત એક મંચ મળતો રહ્યો છે એ જ શૃંખલા સતત આગળ વધી રહી છે. મોરબી ટાઈલ્સના શ્રી આલોકભાઈ જેતપુરમાં રહે છે. ૩૪ વર્ષના આલોકભાઈની પ્રસ્તુત વાર્તા મા દીકરીના સંબંધોની વાત મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર તથા તેમનું અક્ષરનાદ પરિવારમાં સ્વાગત છે.

મમતા (વાર્તા) – આલોક ચટ્ટ


6
શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પ્રેક્ટિસ કરતા પીડિઍટ્રિશન ડૉ. નીના પિયુષ વૈદ્ય આજે અક્ષરનાદના વાચકો સાથે તેમનો અનુભવ અને વિચારો વહેંચી રહ્યા છે. હિમાચલ પ્રદેશની સોલાંગ વેલીમાં ટ્રેકીંગ માટે ગયેલા એ અનુભવનું ચિંતન આજે અહીં તેમણે પ્રસ્તુત કર્યું છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર તથા અક્ષરનાદ પર પ્રથમ કૃતિ બદલ હાર્દિક સ્વાગત સાથે તેમની કલમને શુભકામનાઓ.

ટ્રેકીંગ જેવી જિંદગી… – ડૉ. નીના વૈદ્ય



9
પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, "પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ..... નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક "વૈવિધ્ય"માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.

ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૨) – પૂર્વી મોદી મલકાણ


18
બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં રહેતા, સાહિત્યના અનેક પ્રકારોના લેખનમાં વ્યસ્ત વલીભાઈની અક્ષરનાદ પર આ પહેલા ચારેક વાર્તાઓ પ્રસ્તુત થઈ ચૂકી છે. આજની વાર્તા આપણા સમાજના જાતિભેદને લીધે થતી આભડછેટને આવરે છે. આજની પેઢી આવી બદીઓને કેટલી સહજતાથી હટાવી શકે છે તેનું આ એક સહજ આલેખન છે. માનવામાં તો એવું આવે કે આ બદીઓ નાબૂદ થઈ ગઈ છે પણ શહેરો પૂરતી જ એ વાત સાચી છે, આપણા કેટલાય ગામડામાં આજે પણ એ કડવી હકીકત છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી વલીભાઈનો આભાર તથા શુભકામનાઓ.

ખુશાલનો ઢોલ (વાર્તા) – વલીભાઈ મુસા


4
યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર પ્રસ્તુત થતી સબળ અને સુંદર રચનાઓ તેમની કલમનો પરિચય સુપેરે આપી જાય છે. તેમના ગીત, ગઝલના પુસ્તક 'અરસપરસના મેળમાં', બાઇબલ કાવ્યોનો સંગ્રહ 'અજવાળાનો ધોધ', મુકતક સંગ્રહ 'હવાનાં રૂપ' અને દૂહા સંગ્રહ 'તડકાની છાલક' છપાયાં છે. સોનેટનો સંગ્રહ તૈયાર છે તેમાંથી ચાર સોનેટ તેમણે આજે અક્ષરનાદના વાચકો સાથે વહેંચ્યા છે. અપેક્ષા છે કે ભાવકોને ગમશે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.

ચાર સોનેટ – યાકૂબ પરમાર