Yearly Archives: 2011


રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.


નવનીત સમર્પણ સામયિકમાં અક્ષરનાદની કૃતિ 3

નવનીત સમર્પણ સામયિકના જાન્યુઆરી 2011 ના અંકમાં લેવાયેલા અક્ષરનાદના બે લેખ વિશેની વાત આજે કરી છે. આવા પ્રોત્સાહનો અનેક નવા સ્થળો વિશે, આપણી અજાણી ધરોહર વિશે લખવા પ્રેરણા આપશે એમાં બે મત નથી.


આપઘાત – આશિષ આચાર્ય 14

આજે પ્રસ્તુત છે વર્તમાન સમયના યુવાનની વ્યથાને અક્ષરદેહ આપતી એક ટૂંકી વાર્તા. અક્ષરનાદને આ સુંદર વાર્તા મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ અમદાવાદના શ્રી આશિષભાઈ આચાર્યનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે તેમની કલમે આપણને આમ જ સુંદર કૃતિઓ મળતી રહે.


મારી પ્રથમ નવલકથા – જિજ્ઞેશ અધ્યારૂ 16

ખૂબ ઝડપથી લખવા ધારેલી મારી કલ્પનાની ક્ષિતિજોને આંબતી આ પ્રથમ નવલકથાનું પ્રથમ પ્રકરણ 7 ફેબ્રુઆરી 2010 ના દિવસે શરૂ કરેલું. પણ પછી એ દિવસ અને આજનો દિવસ, એક અક્ષર પણ આગળ વધી શક્યો નહીં. અનેક કારણો છતાં નવા વર્ષના નિર્ણય સ્વરૂપે આ વર્ષે આ નવલકથાને મહીને એક પ્રકરણ લખીને પણ પૂરી કરવી એ નક્કી કર્યું છે. જો કે આ એકમાત્ર પ્રકરણ છે જે અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ પછી કોઈ પ્રકરણ અહીં મૂકવાની ઈચ્છા નથી, આખી નવલકથા લખાઈ જાય પછી જોઈશું એમ વિચારીને આ લખવાનું શરૂ કર્યું છે. પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત છે.


ત્રણ ગઝલો – જલન માતરી 10

કેટલીક સદાબહાર ગઝલો, કોઈક ગઝલના શે’ર સમયની સાથે સાથે કહેવતોનું, લોકોક્તિઓનું સ્વરૂપ લઈ લે એટલા સચોટ અને મર્મવેધી હોય છે. આપણી ભાષાના આવા જ કેટલાક નમૂનેદાર શે’ર આપણને શ્રી જલન માતરી પાસેથી મળ્યા છે. શ્રી ચિનુ મોદી અને શ્રી કૈલાસ પંડિત દ્વારા સંપાદિત શ્રી જલન માતરીનો ‘સુખનવર શ્રેણી’ (૧૯૯૧) એ ગઝલસંગ્રહ આવી ગઝલોનો ભંડાર છે. એ જ સંગ્રહમાંથી આજે ત્રણ સુંદર ગઝલો પ્રસ્તુત છે.