મારી શાળાની પ્રાર્થનાઓ – Part III
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે…..
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ્છ કાચ્છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે…..
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે…..
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે…..
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે…..
– નરસિંહ મહેતા
***************************
આ પહેલા મૂકેલી મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II
vadodara list of libraries
we always pray to god
it is one of the best.
પ્રાથના વાચિ ને મન પ્રફુલિત થઈ ગયુ……..જિગ્નેશ ભાઈ બહુ સારુ કામ કરિ રહ્યા ચ્હો.
bau j sari prathna che.sambhdi ne mann khush thai jay .
ગાંધીબાપુનુ ગમતું ભજન.