Daily Archives: May 18, 2013


ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ 9

વસંત આવી અને ગુલમ્હોર મ્હોર્યા એટલે કવિહ્રદયમાં પણ અનન્ય સ્પંદનો ઉદભવવાના શરૂ થયાં, છાપરાં રાતાં થયા અને રસ્તા મદમાતા થયા, બે આંખો વચ્ચેના સંવાદમાં દ્રશ્યો ગવાતા હોય એવી ભાવવિભોર કલ્પના, અણીયાળો વાયુ વાય તેના લીધે ઉઝરડાતા મનની વાત તથા શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના પર્વો ઉજવવાની વાત તો ફક્ત રમેશ પારેખ જ આ સહજતાથી કરી શકે. ર.પા ની આ જ વિશેષતાઓએ તેમની ગઝલના અનેક ચાહકો તેમની રચનાઓને ફરી ફરીને રસપૂર્વક માણે છે. વસંતના વૈભવ તથા માનવજીવન પર તેની અસર દર્શાવતી પ્રસ્તુત ગઝલ આપણી ભાષાની વસંતઋતુને લગતી કૃતિઓમાં શીર્ષસ્થાન પર શોભે છે.