Daily Archives: July 15, 2010


“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની કૃતિ 1

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા મદુરાઈના “અક્ષય ટ્રસ્ટ” વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, ( Click here for Gujarati / Click here for English ) પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના જુલાઈ ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. ક્રિષ્ણનના સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો આ લેખ અખંડ આનંદ સામયિકના માધ્યમથી એક વિશાળ વાંચકવર્ગ સુધી પહોંચી શક્યો તે માટે અખંડ આનંદ સામયિકનો તથા તંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. પ્રતિભા અધ્યારૂ સંપાદક અક્ષરનાદ.કોમ


કવિતાનો શબ્દ – સોનલ પરીખ 7

કવિતાનો શબ્દ શોધવાથી જડે એવી કોઈ સ્થૂળ વસ્તુ નથી, એ આવતો નથી, ગોઠવી કે બનાવી શકાતો નથી, એ તો કોઈક ધન્ય ક્ષણે અવતરે છે. મનમાં થતી પ્રાર્થનાની જેમ કવિતાનો શબ્દ પણ તેનો એક અનોખો નાદ ગૂંજાવે છે. આ સાક્ષાત્કાર એક ગૃહિણીના મનની દ્રષ્ટિએ, એક કવયિત્રીના મનોદ્રશ્યમાં કઈ રીતે સ્થાન પામે છે તેની વાત કહેવાનો અહીં પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ શબ્દ ક્યારેક સાવ અચાનક રોજીંદી પ્રક્રિયાઓ વચ્ચેથી મળી આવે છે, સાવ અચાનક ઉગી જાય છે અને ક્યારેક મનોમંથનોના અનેકો તબક્કાઓ પછી પણ આવતો નથી એ અર્થની વાત અહીં ખૂબ કાવ્યાત્મક અને અર્થપૂર્ણ દ્રષ્ટિએ કહેવામાં આવી છે.