Daily Archives: November 21, 2011


હૈયાનો હોંકારો – આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

છેલ્લા ઘણા વર્ષોથી ‘પાઠશાળા’ ના અંકોમાં આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજશ્રીની કલમે પ્રેરણાદાયક, મનનીય અને સત્વશીલ અમૃતબિંદુઓરૂપી લેખનો દ્વારા વિચારશીલ સાહિત્યરસનું પાન કરી રહ્યા છે. ‘પાઠશાળા’ ના વિવિધ અંકોમાંથી તારવીને કેટલાક અમૂલ્ય અને બોધપ્રદ વિચારોનો નાનકડો સંગ્રહ પાઠશાળા પ્રકાશન વતી શ્રી રમેશભાઈ બાપાલાલ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું એક એક પાનું નાનકડા પ્રસંગો અથવા વિચારબિંદુઓથી મઘમઘે છે, એક એક પાનું એક એક દિવસને વિચારવંતો બનાવી શકે એવો માર્મિક અને ગહન સંદેશ તેમાં અપાયો છે. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજના પ્રેરક વચનો અને દ્રષ્ટાંતોના આવા એક એક પાનાનાં અમૃતબિઁદુઓનો સંગ્રહ, ‘હૈયાનો હોંકારો’ હવે અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે.