Daily Archives: June 6, 2008


એ લોકો – પ્રિયકાન્ત મણિયાર 10

આજકાલ જ્યારે ફુગાવો અને અનાજ તથા અન્ય વસ્તુઓના ભાવ આકાશ આંબી રહ્યા છે ત્યારે પ્રિયકાંત મણિયાર ની આ કવિતા એક ગરીબ અદના માણસની વેદના અને મોંઘવારી ને કાબૂમાં લેવાના દાવા કરતા લોકો પર કટાક્ષ સચોટ સંદેશ આપી જાય છે. ******* એ લોકો પહેલા કાપડના તાકા ભરી રાખે છે. પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે વાર વાર વેચે છે. એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે. પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલો કિલો વેચે છે. એ લોકો પહેલા ઔષધ ની શીશીઓ સંઘરી રાખે છે. અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે. એ તો લોકો છે જ નહીં, એ તો નોટો ને ખાઈ ઉછરતી ઉધઈ, બીજુ એને કાંઇ ભાવતુ નથી, મારે કવિ થવુ જ નથી ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઊં તો ય બસ !  – પ્રિયકાંત મણિયાર