Daily Archives: August 12, 2016


જીવતર – મીનાક્ષી ચંદારાણા 7

ડોશીને ક્યાંય સુખ નહોતું. છોકરાને સમજાવ્યો, પણ એ માન્યો નહીં. ટોળાનો શું કે એકલદોકલનો શું. કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કર્ફ્યુંમાં છૂટ મુકાઈ. શેઠનો સંદેશો આવ્યો કે છોકરાએ દુકાને જઈને કીમતી સામાન ઘરભેગો કરી દેવો. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્યું. ડોશીએ છોકરાને કહ્યું કે મૂઉં! પૂળો મૂક એવી નોકરીમાં! પંદર દા’ડે-મહિને, આજ નહીંને કાલ બીજી નોકરી મળી જશે, પણ આ છોકરો માન્યો નહીં, ધરાર ગયો…