Daily Archives: September 9, 2011


પાવૈયા કે શહેરમેં… – સંપાદકીય 5

જે રચનાની એક પંક્તિને આજની આ વાતના શીર્ષક તરીકે લીધી છે એ આખી રચનામાં કોઈ અજ્ઞાત કવિએ કાંઈક આમ કહ્યું છે, પાવૈયા કે શહેરમેં પાતર કરી દુકાન, તેલ જલાયા ગાંઠકા, કછુ ન પામી માન. આજના લેખનું શીર્ષક કાંઈક વિચિત્ર લાગ્યું? ખૂબ જૂની, પુઠું ફાટી ગયેલી એવી એક ચોપડીમાંથી આ રચના મળી આવેલી. કેટલાય વર્ષો પહેલા લખાયેલી આ પંક્તિઓ કોઈ પણ સમય માટે કેટલી અચૂક ઠરે? તેમાં અપાયેલું ઉદાહરણ થોડુંક જુગુપ્સાપ્રેરક ખરું, કદાચ કેટલાક નાકનું ટીચકું પણ ચડાવે, પણ છતાંય એ પ્રસ્તુત સંજોગો જોતા કેટકેટલાને લાગુ પડી શકે?