કાગડાના મંદવાડ વિશે કવિતા – રમણભાઇ નીલકંઠ
હાસ્ય નિબંધકાર જે રીતે ટૂચકા, પ્રસંગો કે સંવાદોનો છૂટથી ઉપયોગ કરી શકે છે તે લલિતનિબંધકાર કરી શક્તા નથી, હાસ્યનિબંધોમાં મોટેભાગે અતિશયોક્તિ કે વિચિત્ર પ્રસંગો કે કલ્પનાઓનો આશરો લેવામાં આવે છે, જેનો એક માત્ર હેતુ વાચકને હસાવવાનો છે, ઉપરાંત હાસ્યકારા આભાસી તર્કનો આશરો પણ લે છે, અને વાચક પણ આ દલિલો હસતાં હસતાં માણે છે. શ્રી રમણભાઈ નીલકંઠની કાગડાના મંદવાડ વિશેની આ કૃતિ આવીજ એક રચના છે, અને તેની અતિશયોક્તિઓજ તેને હાસ્યરસનું જીવંત ઉદાહરણ બનાવે છે. અહીં વાંચકે હાસ્ય શોધવાનો વ્યાયામ કરવાનો નથી, એ તો અહીં ઉડીને વળગ્યા કરે છે.