આધુનિક ભારતના ભૂલાયેલા રચયિતા : વી. પી. મેનન – પી. કે. દાવડા 17
દાવડા સાહેબનો એક અભ્યાસપૂર્ણ લેખ આજે પ્રસ્તુત છે. શ્રી વી. પી. મેનન વિશેની તેમણે પ્રસ્તુત કરેલી વાતો સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહીને ભારતના તમામ રજવાડાઓ અને અન્ય પ્રાંતોને એક કરી દેશની તેમણે કરેલી સેવાની એક આછેરી ઝલક પ્રસ્તુત કરે છે. કેરલની એક શાળાના આચાર્યના પુત્ર એવા રાવ બહાદુર વપ્પાલા પન્ગુન્ની મેનન ભારતીય સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા રેલ્વેમાં, કોલસાની ખાણમાં અને તમાકુ કંપનીમાં એમ અનેક નોકરીઓ કરી. તેમની સખત મહેનતે તેમનેે એક પછી એક પદવીઓ અપાવી, સરદારની નજીક આવ્યા પછી તેમની ભારતને અખંડ સંઘ બનાવવાની મહેનત તેમની અગ્રગણ્ય ઉપલબ્ધી મનાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દાવડાસાહેબનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.