પતંગિયું અને પુષ્પ – મયુરિકા લેઉવા બેંકર 8
લીલોતરીથી મઢેલા મારા બાગમાં હું ખુલ્લી આંખે ધ્યાનમગ્ન થઈ શકું છું. લીલોતરીના સાંનિધ્યમાં રમમાણ મને આ રંગીન જીવો ફૂલો પર તલ્લીન થઈને મધુ ચૂસતાં ને ત્વરાથી ઊડાઊડ કરતાં અનેક વાર જોવા મળે છે. તેમની અંદર એટલી બધી ચંચળતા ભરેલી છે કે ચંચળતાનો ગુણ પ્રદર્શિત કરવા માટે ‘પતંગિયું’ ઉપમા જ નહીં, પર્યાયવાચી તરીકે પણ પ્રયોજાવા લાગ્યું છે.