બારીમાંથી.. – મયુરિકા લેઉવા બેંકર 25
કાળક્રમે આ લીલોતરીએ જ મને સમજાવ્યું છે કે અમુક દૃશ્યો નિહાળવા માટે હોય છે, છબીમાં કેદ કરવા માટે નહીં. અમુક શ્રુતિઓ સાંભળવા માટે હોય છે, રેકોર્ડ કરવા માટે નહીં. અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે, વિવરણ કરવા માટે નહીં. ક્યારેક શ્રેષ્ઠતમ અનુભૂતિને શબ્દોમાં ઢાળવા જતાં એનું અવમૂલ્યન થઈ જતું હોય છે.