સુવિચારોની સુવાસ.. – સંકલિત 4


[૧] એક વૃક્ષમાંથી એક લાખ દિવાસળી બની શકે. જો કે એક જ દિવાસળી એક લાખ વૃક્ષોને બાળી પણ શકે. તેથી જ નકારાત્મક વિચારોથી દૂર જ રહો. તમારાં હજારો સ્વપ્નાને ભસ્મીભૂત કરવાની શક્તિ ફક્ત એક જ નકારાત્મક વિચારમાં હોય છે.

[૨] ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી, આપણે નિર્માણ કરવાનું હોય છે. – એડિસન

[૩] સલામત સ્થળે કોહવાઈ જવા કરતા; નદીની જેમ ધસમસ વહી જઈ દરિયામાં ભળી જવું સારું.

[૪] પોતાની આંખોને તારા પર સ્થિર કરતા પહેલા પોતાના પગ જમીન પર સ્થિર કરો. – થિયોડોર રૂઝવેલ્ટ

[૫] પારકી પીડા પોતાને ગણવી તે જ પરમાત્માને પામવાની પગદંડી.

[૬] આપણે રોજ રોજ તો મહાન કાર્યો ના કરી શકીએ, પણ આપણી પરિસ્થિતિને અનુરૂપ તો કાર્યો કરી જ શકીએ. – ફેનેલોન

[૭] જ્યારે માણસ આત્મનિષ્ઠાનું બળ લઈને તેના સહારે જીવવા માંડે છે ત્યારે એને બહારની સહાયતાની અપેક્ષા રહેતી નથી.

[૮] તમે પ્રામાણિક હશો તો તમારે બીજી કોઈ મદદની જરૂર નથી. જો તમે પ્રામાણિક નહીં હો, તો તમારી મદદે ભગવાન પણ નહીં આવે. – એલન સિમ્પસન

[૯] આપણી અંદરની પ્રતિભાને પ્રભાવથી નહિ, સ્વભાવથી પ્રગટ કરવાની છે.

[૧૦] પરિસ્થિતિ પ્રત્યે અણગમો છે ? તો પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરો. છતાંય પરિણામ ન મળે તો ખુદ બદલાઓ. – મેરી એંગલબ્રેટ

[૧૧] ઉતાવળિયા નિર્ણયો લેવાથી સફળતા મળતી નથી. નિર્ણયોને ઉતાવળથી ઉકેલવાની સૂઝ જ સફળતા અપાવે છે.

[૧૨] સંજોગો સામે બાથ ભીડનારને ખાતરી જ હોય છે કે સિદ્ધિ તેમને જ જઈ વરસે, રેતીમાં નાવ ચલાવવાની શક્તિ જ તેમને સફળતા અપાવે છે.

[૧૩] આત્મવિશ્વાસવાળો માણસ કશાની તરફેણમાં કે કશાના વિરોધમાં પોતાનું મન સ્થિર કરતો નથી. જે યોગ્ય હોય તેને અનુસરે છે. – કોન્ફુશિયસ

[૧૪] જીવનને ગંભીરતાથી લેશો તો જીવન સરળ થઈ જશે, અને ગંભીરતાથી નહિ લો તો ગંભીર પ્રશ્નો ઊભા થશે.

[૧૫] કુમાશભર્યું વર્તન અને સચ્ચાઈભર્યું આચરણ કરનાર સહુને પ્રિય થાય છે. – ઋગ્વેદ

[૧૬] દુનિયાની ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ ખુશી તેને જ મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.

[૧૭] જીવનનો પ્રેમ અન્ય તરફ વળે એ પ્રાર્થના છે, અને સ્વયમ્‍ તરફ વળે એ ધ્યાન છે. – સુભાષ ભટ્ટ

[૧૮] પોતાની દ્રષ્ટિ છોડીને બીજાને દ્રષ્ટિએ જોતા અડધું જગત શાંત થઈ જાય છે.

[૧૯] જિંદગી એટલે જાતને શોધવી એમ નહિ, જિંદગી એટલે જાતને ઘડવી ! – જ્યોર્જ બર્નાડ શો

[૨૦] હસ્તાક્ષર એટલે હાથ અને કલમ વડે કાગળ ઉપર પડેલ મનનું પ્રતિબિંબ.

[૨૧] દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો. લેખન એ કોઈ સિરિયસ પ્રોસેસ નથી. ઈટસ જોય એન્ડ સેલિબ્રિટી. – રે બ્રેડબરી

[૨૨] તમે સત્યના શિખર પર અડીખમ ઊભા હો પછી જો તમારો પડછાયો બીજાને વાંકોચૂકો દેખાય તો બહુ ચિંતા કરવી નહીં.

[૨૩] પ્રેમ એટલે ક્યારેક એક વ્યક્તિમાં પરમાત્માની ઝાંખી થવી. ભક્તિ એટલે સર્વમાં, સદાય, સર્વત્ર પરમાત્માની ઝાંખી થવી. – ઓશો

[૨૪] આનંદ એક એવું અત્તર છે, જેને જેટલા વધુ લોકો પર છાંટો તેટલી વધુ સુગંધ તમારી અંદરથી આવશે.

[૨૫] એક વખત સ્વતંત્ર રીતે વિચારતા આવડી જાય પછી આપણે જ આપણા શિક્ષક બની શકીએ. – લેડી ગાગા

[૨૬] આપણે હૃદયને લાગણીના ધાગાથી એટલી મજબૂતાઈ બક્ષવાની છે કે કોઈ પણ તાકાતથી તે તૂટી ન શકે.

[૨૭] જો હું સ્વ-પ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ એટલી શ્રદ્ધા ન ધરાવતો હોઉં તો ગમે તેવો ગુરુ મને શી રીતે મદદ કરી શકવાનો છે ? અને જો હું એવી આત્મશ્રદ્ધા ધરાવતો હોઉં તો પછી મારે ગુરુની શી જરૂરત રહી ? – પી.સી.વૈદ્ય

[૨૮] આગિયાનો નાનો, ઝબૂકતો પ્રકાશ અંધકારને ડિસ્ટર્બ કરવા સમર્થ છે અને તે તો છે આગિયાની જીત.

[૨૯] ઈશ્વરને જાણ છે કે તમને સગા-સંબંધીઓ આપવામાં એણે ભૂલ કરી છે અને એની માફી ઈશ્વર તમને સુંદર મિત્રોની સોગાદ આપીને માંગી છે ! – જ્યોર્જ ફ્રેજર

[૩૦] આપણું એક સ્મિત કોઈનાં હૃદયમાં ઉમંગ ભરી દેતું હોય તો તે પણ સારપ છે, ધર્મ છે, સુકર્મ છે.

(સુંદર સંકલન બદલ સોનિયાબેન ઠક્કરનો આભાર)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “સુવિચારોની સુવાસ.. – સંકલિત

  • kishore patel

    અતિશય સુંદર મર્મસ્પર્શી સુવિચારો રજૂ થયા છે. સોનિયાબહેનનો આભાર અને અભિનદન. જો કે આ વિચારોની સાથે તેના ઉદગાતા (કે રચિયતા) નો ઉલ્લેખ પણ થયો હોત તો-તો તો સોનિયામાં, માફ કરજો સોનામાં સુગંધ થઇ જાત!