શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી 1


{ આપણા લોક સાહિત્યમાં, દુહા છંદ સાહિત્યમાં પણ શૃંગારરસનું ખૂબ ભાવપૂર્ણ નિરૂપણ છે. ક્યાંક એ રસદર્શન ખૂબ ઉત્કટ છે તો ક્યાંક ફૂલની બંધ પાંખડી જેટલું, પ્રફુલ્લિતકર ઉષ્માસમું છે, જલદ કામોદ્દીપન જેવું નહીં. શ્રી ઝવેરચંદ મેઘાણીએ તેમના પુસ્તક “લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય – વ્યાખ્યાનો અને લેખો” અંતર્ગત આપણા લોકસાહિત્યને ખૂબ સુંદર અને ઊંડાણથી ખેડ્યું છે, સમજણ આપી છે અને રસદર્શન કરાવ્યું છે. પ્રસ્તુત રચના તેમના આ જ પુસ્તકના “લોકસાહિત્યનું સમાલોચન” એ પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે. શૃંગારરસનું ભારોભાર તેમાં નિરૂપણ છે. લડવૈયા શૂરવીરના લગ્નની પ્રથમ રાત્રીનું તેમાં નિરૂપણ છે. લોકસાહિત્યની આ રચના સ્વયંસ્પષ્ટ સમજી શકાય એવી સહજ છે. આ જલદ શૃંગારસાહિત્ય છે, પ્રથમ મિલનરાત્રિએ પહોરેપહોરે ઉદ્દીપન, પ્રણય અને રસોપભોગ સઘન બને છે. }

પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ;
પિયુ કંટાળો કેવડો, ધણ્ય કંકુની લોળ્ય.

બીજો પહેરો રેનરો, વધીયા નેહ-સનેહ;
ધાણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.

ત્રીજો પહોરો રેનરો, દિવડા સાખ ભરે;
ધણ્ય જીતી પિયુ હારીયો, રાખ્યો હાર કરે.

ચોથો પહેરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ્ય સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.

આઠમો પહોરો દિવસરો, ચડી દિવડલે વાટ;
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવો ખાટ.

(શૂરવીરની પહેલી મિલન રાત – સાભાર સૌરાષ્ટ્રની રસધારમાંથી અને પછી લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય પુસ્તકમાં પ્રકાશિત)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શૂરવીરની પહેલી મિલન-રાત – ઝવેરચંદ મેઘાણી

  • Pancham Shukla

    દમદાર તળપદી રતિવાર્તિક. ૮માં પહોર સુધી લંબાવી સાતત્યની ઝાંખી પણ આપી દીધી.