સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વેણીભાઈ પુરોહિત


કાવ્ય-કોડિયાં – વેણીભાઈ પુરોહિત (ઈ-પુસ્તક ડાઉનલોડ) 2

આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.


પાંચ કાવ્યરચનાઓ – વેણીભાઈ પુરોહિત 4

આજે પ્રસ્તુત છે બ્રહ્મમંગલા, અમલકટોરી, કોક તો જાગે, નાનકડી નારનો મેળો તથા સુખડ અને બાવળ એવા શીર્ષકો સાથેની શ્રી વેણીભાઈ પુરોહિત સર્જિત પાંચ અદભુત અને હ્રદયસ્પર્શી કાવ્યરચનાઓ.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૩) 3

આજે ફરી પ્રસ્તુત છે પાંચ વર્ષાકાવ્યો. આ હેલી તો ધાર્યાથી વધુ લાંબી ચાલી, એટલે એ નીતર્યા નીતર્યા મનને લઈને આવા વધુ ગીતોની / કાવ્યકૃતિઓની તપાસ આગળ ધપાવી છે. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત વિવિધ કવિઓના સંકલન એવા કાવ્યકોડીયાં સંગ્રહમાંથી આ રચનાઓ અહીં પ્રસ્તુત કરી છે, એ સિવાય ગોપાલભાઈ પારેખે પાઠવેલી એક મિત્રની આવી જ રચનાઓના સંગ્રહની સુંદર ડાયરી અને અન્ય સ્ત્રોતમાંથી આવી રચનાઓ મળી રહી છે. ચાલો જોઈએ આપણે આવી કેટલી રચનાઓ એકત્ર કરી શકીએ છીએ. આ હેલીમાં રસતરબોળ થવા સર્વેને આમંત્રણ છે…


આપણામાંથી કોક તો જાગે… – વેણીભાઈ પુરોહિત 2

આજનો સમય અનેક વિટંબણાઓ અને તકલીફો વચ્ચે જીવનને એક માર્ગ કરી આપવાની સતત ચાલતી મહેનતનો છે. ભ્રષ્ટાચાર એ સૌથી મોટો રાક્ષસ છે જે અનેકોના મુખમાંથી અન્ન લઈને કોઈ એકને મોતીઓ ભરી આપે છે, સર્વત્ર વ્યાપક ભ્રષ્ટાચાર આપણી પદ્ધતિ થઈ ગઈ છે અને એ જ મુદ્દાને લઈને લડત લડી રહેલા અન્ના હજારેના આંદોલનને આપણૉ ટેકો એ હેતુસર પણ હોવો ઘટે.આપણામાંથી કોઈક તો જાગે એવા વિધાન સાથે શરૂ થઈ રહેલ શ્રી વેણીભાઈ પુરોહિતનું આ સુંદર અને ગર્ભશ્રીમંત કાવ્ય અંતે તો આપણામાંથી તું જ જા આગે… જેવી સ્વ-ઓળખની વાતને જ સૂચવે છે. આજે પ્રસ્તુત છે આ સુંદર અને અર્થસભર કાવ્ય.


ઘેરૈયાનો ઘેરો – વેણીભાઇ પુરોહિત 2

ધૂળેટીનો સપરમો દહાડો છે, ઘેરૈયાઓના ટોળા મળ્યાં છે અને આવતા જતા બધાંયને વિવિધ રંગોએ રંગવા ઘેરૈયાઓ તૈયાર થઈ ઉભા છે, તેમણે ઘેરો ઘાલ્યો છે. આવા જ અર્થની વાત શ્રી વેણીભાઈ પુરોહિત પ્રસ્તુત કાવ્યરચના અંતર્ગત કહે છે. નવા ઇલાલને સંબોધીને કહેવાયેલી આ વાતઆજના તહેવાર સાથે કેટલી બંધબેસતી આવે છે?

સર્વે વાંચક મિત્રોને અક્ષરનાદ તરફથી હોળી – ધૂળેટીની અનેક શુભકામનાઓ.


અલબેલો અંધાર હતો – વેણીભાઈ પુરોહિત 2

પ્રસ્તુત નાનકડા કાવ્યમાં કવિ શ્રી વેણીભાઈ પુરોહિત વરસાદ પછીના વાતાવરણનું આબેહૂબ વર્ણન કરે છે. વરસાદ પડી ચૂક્યો છે, ધરતી પર અંધકાર ઉતરી ગયો છે. આવા સમયે એક અજબની અકળાવનારી ખામોશી ઇશે તેઓ વાત કરે છે. ગગન તેમને જળ વરસાવવાના કાર્યના પરિણામે સુસ્ત થઈ ગયેલું લાગે છે, તમરાંની વાણી પાયલના ઝંકાર સમી ભાસે છે તો હવાના મિસરાઓમાં તેમને ઉદાસીની એંધાણી વર્તાય છે. છેલ્લી કડીમાં તેઓ ઉર્મિના કબૂતરની આંખોમાં સ્વપ્ન અને પાંખોમાં ભાર દર્શાવીને કમાલ કરી દે છે. અંતિમ પંક્તિઓમાં આખીય કવિતાનું હાર્દ છતું થાય છે.


ન લેજે વિસામો – વેણીભાઈ પુરોહિત 3

થાકે ન થાકે છતાંય હો માનવી ! ન લે જે વિસામો ને ઝૂઝજે એકલ બાંયે હો માનવી ! ન લે જે વિસામો તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણા તારે ઉધ્ધારવાનં જીવન દયામણાં હિંમત ન હારજે તું ક્યાંયે હો માનવી ! ન લે જે વિસામો જીવનને પંથ જાતાં તામ થાક લાગશે વધતી વિટંબણા સહેતા તું થાકશે સહતાં સંકટ એ બધાંયે હો માનવી ! ન લે જે વિસામો જાજે વટાવી તુજ આફતનો ટેકરો આગે આગે હશે વણખેડ્યાં ખેતરો ખંતે ખેડે એ બધુંય હો માનવી ! ન લે જે વિસામો ઝાંખા જગતમામ એકલો પ્રકાશજે આવે અંધાર તેને એકલો વિહારજે છોને આયખું હણાયે હો માનવી ! ન લે જે વિસામો લે જે વિસામો ન ક્યાંયે હો માનવી ! દેજે વિસામો તારી હૈયા વરખડીને છાંયે હો માનવી દેજે વિસામો ! ન લે જે વિસામો  – શ્રી વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત (ગાંધીજીની પસંદગીની કવિતા – રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયમાંથી)


જિંદગીની દડમજલ – વેણીભાઈ પુરોહિત 5

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું, સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે જાને મન! થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી. જોઈ લેવું આપણે જોનારને પણ છૂટ છે, આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી. ભાનભૂલી વેદનાઓને વલૂરી નાંખવી જ્વાલાઓ ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી. જામમાં રેડાય તેને પી જવાનું હોય છે, ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી. કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું, થોડુંક રહેવું ઘેનમાં થોડીક ઘૂરી રાખવી. ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન, જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી, એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ, ફૂંક સુરીલી અને બંસી બેસૂરી રાખવી. બાજ થઈને ઘૂમવું અંદાજની ઉંચાઈ પર, ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી. – વેણીભાઈ પુરોહિત઼ (આચમન પુસ્તક)