સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્વામી વિવેકાનંદ


વિચારબિંદુઓ…. – સ્વામી વિવેકાનંદ 8

પીપાવાવમાં અમારી કંપની દ્વારા ઉજવાયેલ નેશનલ સેફ્ટી વીક અંતર્ગત ૬ માર્ચના રોજ મેં રક્તદાન કર્યું, એટલે ભાવનગર બ્લડબેંક તરફથી સ્વામી વિવેકાનંદે કહેલા વાક્યો અને વિચારોના લિફ્લેટ્સ કાર્ડનો એક સંગ્રહ ભેટ આપવામાં આવ્યો. આ સંગ્રહ ખરેખર વસાવવા લાયક છે, જે ફક્ત ૪૦ રૂપિયાનો છે અને ‘સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાણી સફળતાના સૂત્રો’ એ શિર્ષક હેઠળ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાયો છે. વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર્ય, સફળતા, ઈચ્છાશક્તિ, નિર્ભયતા, સામર્થ્ય, ત્યાગ અને આત્મશ્રદ્ધા જેવા વિષયો પર સુંદર સંકલન કરાયું છે. પ્રસ્તુત છે એ સંપુટમાંથી કેટલાક આફરીન કહી ઉઠીએ એવા વિચારબિંદુઓ.


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


જ્યારે મેં પ્રભુ પાસે માંગ્યું – સ્વામી વિવેકાનંદ 16

જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું. પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરૂર હતી. – સ્વામી વિવેકાનંદ