સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુન્દરમ


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૫) 3

આજે પ્રસ્તુત છે વધુ પાંચ મનોહર વર્ષાકાવ્યો. આજે જે કવિઓની કૃતિઓ અહીં પ્રસ્તુત કરી છે તેમાં નિરવ પટેલ, બકુલ ત્રિપાઠી, સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર અને સુન્દરમની રચનાઓ સમાવિષ્ટ છે. વરસાદમાં મોજથી નહાતા અને છબછબીયાઓથી બીજાઓને પણ ભીંજવતા નાના ભૂલકાંઓ જેવા આ કાવ્યોની રસધાર સાચે જ એક અનોખી શરૂઆત થઈ અને જોતજોતામાં પચીસ કાવ્યરચનાઓ એકત્ર થઈ ગઈ. હજુ આગળ પણ આવા જ વધુ કાવ્યો પ્રસ્તુત થતાં રહેશે. આપ તો બસ ભીંજાતા રહો આ ઝરમરમાં મૂશળધાર.


વાઘરીવાડની રૂડકી – સુન્દરમ 7

પ્રસ્તુત રચનામાં રૂડકીનું અનોખું ચિત્ર કવિ શ્રી સુન્દરમ ઉપસાવી આપે છે. 1933માં લખાયેલું હોવાથી આ કાવ્ય સહજરીતે અત્યારે વપરાશમાં ખૂબ ઓછા એવા શબ્દો ધરાવે છે. રૂડકીનું પાત્ર અને તેની વિવિધ ક્રિયાઓ સાથે એંઠવાડમાંથી ભોજન પામવાની તેની મથામણ, બાળકોને ખવડાવવાની તેની ઈચ્છા વગેરે કવિએ એવું તે આબેહૂબ ઉપસાવ્યું છે કે એ ચિત્ર આંખો સામે ખડું થઈ જાય.


કહેજોજી રામ રામ……- સુન્દરમ

સૂરજદાદાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વ્હેલો ઊઠ્યો છું પરોઢમાં. ફૂલડાંરાણીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે રસ્તા વાળ્યા છે મેં એમના. કોયલબે’નીને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે મેં તો ગોખ્યું છે ગીત તાહરું. પીળા પતંગિયાને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે વીણવા જવા છે રંગ સાંજના. ચાંદામામાને મારા કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે હોડીને છોડવી પાતાળમાં. નીંદરમાસીને કહેજોજી રામ રામ, રામ રામ કહેજો ને આટલું વળી કહેજો, કે આવે વ્હેલીક જરા આજ તો. -સુન્દરમ