સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સુમંત દેસાઈ


તમે જ એને મળ્યા હોત તો? – સુમંત દેસાઈ 6

નાનકડી એક વાર્તા છે એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતુ ન હતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય, ત્યાં જઈ, ગાડી આવે ત્યારે પાટા નીચે પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘરેથી નીકળતા બીજો એક વિચાર કર્યો, કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હુંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ચાલ્યા જવું. ……. હવે એ વાતને ત્યાં રહેવા દઈએ, એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે; એ માણસ ઘરેથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ જ તમે તેને સામા મળ્યા હોત તો? બોલો એનું શું થાત? ત્યાંથી ઘરે પાછા જવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી ને જવાબ આપો …. ( સુમંત દેસાઈ – લોકજીવન પખવાડીક )      * * * * * * * * * * આવતી કાલે માણો અમારી વીકએન્ડની હનુમાનગાળા, સત્તાધાર, કનકાઈ, ગીર, તુલસીશ્યામ (૦૨ & ૦૩ ઓગસ્ટ, ૨૦૦૮) યાત્રાની ઝલક –  ફોટા, વીડીયો અને માહિતી.