સાહિત્યકાર મુજબ સંગ્રહ... : શ્રી અરવિંદ


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


ત્રણ પાગલપણાં – શ્રી અરવિંદ 11

મારામાં ત્રણ પ્રકારનું પાગલપણું છે. પહેલું પાગલપણું આ છે મારો દ્રઢ વિશ્વાસ છે કે ભગવાને જે કાંઈ ગુણ ઉચ્ચ સંસ્કારો, વિદ્યા અને ધન આપ્યું છે તે બધું ભગવાનનું જ છે. પોતાના કુટુંબના નિર્વાહ માટે તથા બીજી અત્યંત જરૂરી વસ્તુઓ માટે જેટલું જોઈએ તેટલું જ પોતાને અર્થે ખર્ચ કરવાનો માણસને અધિકાર છે. તે પછી જે બાકી રહે તે ભગવાનને પાછું સોંપી દેવુ જોઈએ. હું જો બધું જ મારા માટે, મારા સુખ માટે, મારા ભોગવિલાસ માટે વાપરી નાખું તો હું ચોર બનું. બીજું પાગલપણું મારામાં હમણાં પ્રવેશ્યું છે કે કોઈપણ રીતે ભગવાનનો સાક્ષાત્કાર કરવો. એ માર્ગ ગમે તેટલો દુર્ગમ હોય પણ એ માર્ગે જવાનો મેં સંકલ્પ કર્યો છે. ત્રીજું પાગલપણું આ છે સામાન્ય લોકો સ્વદેશને એક જડ પદાર્થ – અમુક મેદાનો, ખેતરો, વનો, પર્વતો અને નદીઓનો બનેલો સમૂહ સમજે છે. પણ હું સ્વદેશને માતારૂપે જોઉં છું, તેની ભક્તિ કરું છું, પૂજા કરું છું. હું જાણું છું કે આ પતિત દેશનો ઉધ્ધાર કરવાનું બળ મારામાં છે, શારીરિક બળ નહિં પણ જ્ઞાનનું બળ. ક્ષાત્રતેજ એ જ કાંઈ એકમાત્ર તેજ નથી, બ્રહ્મતેજ પણ ચે. એ તેજ પ્રભુના જ્ઞાન ઉપર પ્રતિષ્ઠિત છે. આ ભાવના લઈને તો હું જનમ્યો છું. મારા અણુંએ અણુંએ આ ભાવના ઓતપ્રોત છે. આ મહાધ્યેય સિધ્ધ કરવાને મને ભગવાને પૃથ્વી પર મોકલ્યો છે. – શ્રી અરવિંદ