સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પં. શ્રીરામ શર્મા આચાર્ય


એકવીસમી સદી લાવી રહી છે ઉજ્જ્વળ ભવિષ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 3

એકવીસમી સદી સુખદ સંભાવનાઓનો સમય છે. વીસમી સદીમાં ઉ૫લબ્ધિઓ ઓછી અને વિભીષિકાઓ વધારે પેદા થઈ છે. હવે એમાં ક્રાંતિકારી ૫રિવર્તન થશે. સવાર-સાંજના સંધિકાળની જેમ વીસમી સદીના અંત અને એકવીસમી સદીના આરંભનો આ સમય યુગસંધિનો છે. આ દરમિયાન મધ્યમ કક્ષાનાં સ્થૂળ અને સૂક્ષ્મ ૫રિવર્તનોની ક્રાંતિકારી તૈયારી થશે. એકવીસમી સદી સતયુગ લઈને આવી રહી છે. પ્રસ્તુત છે પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે આજે ગઇ સદીમાં લખાયેલ આજના સમય વિશેનું હકારાત્મક લેખન.


મારું વિલ અને વારસો – પં. શ્રીરામ શર્મા આચાર્ય (પુસ્તક ડાઉનલોડ) 3

આચાર્ય શ્રીરામ શર્માની જીવન સાધનાનું બસો પાનાનું આ પુસ્તક પંદર વર્ષની ઉમ્મરથી ૭૫ વર્ષની ઉમ્મરે ૫હોંચ્યા ત્યાં સુધી સત્યની શોધ માટેની સાધકના પુરુષાર્થની એક વાસ્તવદર્શી અનુભવ કથા છે. આ બધા વર્ષો દરમિયાન પોતાને ક્યાંથી કેવી પ્રેરણા મળી. એ પ્રેરણા ૫છી એને સિદ્ધ્ કરવા પોતે કેવોને કેટલો પુરુષાર્થ ક્યો એનુ સુરેખ ને સુવાચ્ય આલેખન સમગ્ર પુસ્તકમાં થયું છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય માત્ર ગાયત્રીના સાધક જ નથી ૫રંતુ એની મહાસાધના કરીને એમણે આત્મસાક્ષાત્કાર કરી એનુ ઊંડું સંશોધન કરી અનેક ગ્રંથો તૈયાર કરી સૌને પ્રેરણા આ૫તું વિશાળ સાહિત્ય તૈયાર કર્યુ છે એ નાનીસૂની સિદ્ધિ નથી. એક માનવી જાગ્રત જીવન સાધના દ્વારા પોતે કેવી મહાન સિદ્ધિ કરી શકે છે અને એ સિદ્ધિ દ્વારા અનેક માનવીઓને સાધકોને સાધના માટે કેવી પ્રેરણા આપી શકે છે તેનું દર્શન સમગ્ર પુસ્તકમાં પ્રતિ૫ળે થાય છે. “મારુ વિલ અને વારસો” એ એક સાધક ગુરુના જીવનની અનુભવ કથાને સિદ્ધિઓના નીચોડ સમું મહામૂલ્યવાન પુસ્તક બન્યું છે.


આદર્શ જીવનનું રહસ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 1

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. લાખો લોકોને વૈદિક પરંપરા અને સંસ્કૃતિ માટે જાગૃત કરવા તથા સમાજમાંના નાતજાતના ભેદો ભૂલાવીને સંસ્કાર ચિંતન માટે અથાગ પ્રયત્નો કરનારા પંડિતજીના વિચારો આજે અક્ષરનાદ પર પ્રસ્તુત કર્યા છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.