સાહિત્યકાર મુજબ સંગ્રહ... : Original Poetry

Original poetry on aksharnaad.com blog


તમારે લગ્ન કરવા છે? શરતો અને પૂર્વધારણાઓ … – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી સુરેશ દલાલની ક્ષમાયાચના સાથે તેમની ખૂબજ સુંદર રચના “તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?” નું પ્રતિકાવ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

અમારા સહકાર્યકર અને મિત્ર અને વ્યવસાયે સિવિલ ઇજનેર શ્રી ભરત માલાણીના શુભલગ્ન પ્રસંગે તેમને આ રચના સપ્રેમ પ્રસ્તુત કરી છે. પ્રભુ તેમના સહજીવનને આનંદ-ઉલ્લાસભર્યું, સફળ અને સુખદ બનાવે તેવી પ્રાર્થના. જો કે મિત્રોને લગ્નપ્રસંગે આવા કાવ્યો આપવા એવી કોઈ પ્રથા પાડી નથી પરંતુ એક મિત્રના લગ્નપ્રસંગે લખેલી રચના તારા Marriage થઇ જશે પછી આ બીજી એવી જ રચના થઈ છે.


તારા વિનાની જીંદગી (ગઝલ) – વિકાસ બેલાણી 5

સૂરતમાં એક ખાનગી કંપનીમાં ઇલેક્ટ્રીકલ ઈજનેર તરીકે કામ કરતા મિત્ર વિકાસ બેલાણી અમારા જૂના સહકર્મચારી હતાં. તેમની આ રચના ઘણાં વખતે આવી છે. જીવનને, પ્રેમને એકબીજાની જરૂરત કેટલી છે એ સ્પષ્ટ કરવાનો અહીં તેમણે પ્રયત્ન કર્યો છે. પ્રિયતમ વગરના એકલા પ્રેમીની હાલત અહીં વ્યક્ત કરવાનો પ્રયાસ થયો છે. તેમની હજુ વધુ રચનાઓ, ભાવપ્રધાન એવી તેમની ગદ્ય-પદ્ય રચનાઓ વધુ રચાતી રહે અને આપણને મળ્યા કરે તેવી ઈચ્છા સાથે તેમને શુભકામનાઓ.


વાત ખાસ છે – જીજ્ઞેશ ચાવડા

હમણાં મિત્રતા વિશેની રચનાઓની અક્ષરનાદ પર જાણે મૌસમ ચાલે છે. મિત્ર જીજ્ઞેશ ચાવડાના ઘણાં મિત્રોમાંથી તેમના બે ખાસ મિત્રોને લક્ષમાં રાખીને કાવ્ય લખવાની ઈચ્છા થઈ. તેમની પાસે ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે જીજ્ઞેશભાઈને ધમકી ભરી હા પાડી… જે હતી “તુ તારી ઈચ્છા પૂર્ણ કર પણ, જો અમારા વિષે કાંઈ પણ અયોગ્ય લખ્યુ છે તો જોઈ લેજે…..” અને આખરે તેમના વખાણ કરતુ કાવ્ય તેમણે બનાવ્યું, પણ આખરી પંક્તિઓમાં તેમના ” ખરેખર વખાણ ” કરવાનું ચૂક્યા નહીં, હવે તેમને શું શું સહન કરવું પડશે એ જાણવું રસપ્રદ રહેશે….


કાં સાહ્યબા ! – દાન વાઘેલા 4

પ્રણયના ભીના રંગે રંગાયેલી આ સુંદર ગઝલ બે ઉત્કટ પ્રેમી હૈયાઓની વાત ખૂબ સુંદર અંદાઝમાં રજૂ કરે છે. જવાનીના દિવસોમાં અનુભવાયેલી ઉત્કટતા, વૃદ્ધત્વનો સહારો બની રહે છે, અને એ અગમ્ય ખેંચાણ, એ હા અને ના વચ્ચેનું નાનકડું અંતર, અને એ મિલન પછીની જુદાઈ ભૂલી ભૂલાતી નથી. કોઈ જૂના પુસ્તક પરથી જેમ ધૂળ ખરે અને રંગો સ્પષ્ટ થઈ જાય તેમ પ્રણયના રંગો તાજા જ રહ્યાં છે. જે ઝરમરતાં વરસાદમાં પ્રણયથી ભીંજાવાનો અનુભવ તેમણે લીધો હતો, તે દ્રશ્યોના સહારે આજે ઘડપણમાં જીવન વ્યતીત થઈ રહ્યું છે. આ બધાંજ અનુભવોનો એક સુંદર પ્રાદુર્ભાવ એટલે શ્રી દાન વાઘેલાની આ ગઝલ. અને આ સુંદર ગઝલના દરેકે દરેક શે’ર બેનમૂન છે, “કાં સાહ્યબા !”


ઢાળી દે છે – પ્રવિણ શાહ 12

અક્ષરનાદના વાંચકમિત્ર શ્રી પ્રવીણભાઈ શાહ વડોદરા રહે છે અને પદ્ય રચનાઓ તેમનો પ્રિય વિષય રહ્યો છે. પ્રસ્તુત રચનામાં તેઓ એક વિદ્યાર્થીની વેદના અને તેના ભવિષ્ય વિશેની આપણી જડ મનોવૃત્તિ પર ચિંતા વ્યક્ત કરતા જણાય છે. ડોક્ટર, ઈન્જીનીયર વગેરે ઢાળોમાં, બીબાઓમાં તેને ઢાળવાનો પ્રયત્ન તેના પ્રથમ ડગલાથી જ શરૂ થઈ જાય છે. તેની વિકસવાની શક્યતાઓ પર કાતર ફેરવી દેવામાં આવે છે, તેની ક્ષિતિજ ખૂબ સંકુચિત થઈ જાય છે. અને તેના સપનાઓ સપના રહે છે અને તે બીજાઓના સ્વપ્ન માટે, તેમની આકાંક્ષાઓ માટે મંડ્યો રહે છે. ચીલાચાલુ વિષયથી સહેજ હટીને એક સચોટ વાત કહેતો આ ગઝલરચના નો પ્રયત્ન ખૂબ જ સુંદર છે. પ્રવીણભાઈને એ માટે ખૂબ શુભેચ્છાઓ.


મુક્તકો – જીજ્ઞેશ ચાવડા 10

મિત્ર જીજ્ઞેશ ચાવડાની રચનાઓ એવા કેટલાક મુક્તકો આજે પ્રસ્તુત કર્યા છે. મુખ્યત્વે પ્રેમની અને વિરહની વાતો કરતા આ મુક્તકો હજી શરૂઆત છે. અમે હજી આ ક્ષેત્રમાં પા પા પગલી કરી રહ્યા હોઈ જે જગ્યાઓ પર વિસ્તારને અથવા વિચાર સુધારાને અવકાશ હોય ત્યાં મુક્તપણે સૂચવશો તો આનંદ થશે. વિચારને, કલ્પનાને યોગ્ય ક્ષેત્ર, યોગ્ય રસ્તો અને પ્રસ્તુતિની કળા સાંપડે એ ઈચ્છવાયોગ્ય જ હોય.


માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી – ‘અફાટ’ પોરબંદરી 5

મહેરબાની કરી ઉપરના શીર્ષકનો અર્થ એમ ન કરવો કે લેખકની ડિગ્રી માસ્ટર્સ ઈન કરપ્શન ટેકનોલોજી છે. એ ફક્ત એટલું સૂચવે છે કે આ શીર્ષકની કવિતા ‘અફાટ’ પોરબંદરી એ લખી છે. લેખક મારા ખૂબ સારા મિત્ર છે અને તેમની પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતિએ તેમને આ નવું તખલ્લુસ અપાવ્યું છે. તેઓ સૂરતમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે અને આ કવિતા તેમના અનુભવની રજૂઆત છે, જો કે બધાંયને આ પોતાનો અનુભવ લાગે તો નવાઈ નહીં. પ્રતિભાવો તેમને આ નવા ક્ષેત્રમાં ડિગ્રી ન લેવાની પ્રેરણા અવશ્ય આપશે…


સંબધ ની નાવ – જીજ્ઞેશ ચાવડા 8

વૈવિશાળ અને લગ્ન વચ્ચેનો સમયગાળો યુગલ માટે, પ્રેમીઓ માટે જીવનના સ્વપ્નોને શણગારવાનો એક અનોખો અવસર છે. વૈવિશાળ થઈ ગયા હોય અને લગ્ન બાકી હોય ત્યારે હૈયામાં અનેક સ્વપ્નો હોય છે, ઉમંગો અને જીવનના આયોજનોથી મન છલકાઈ જાય છે. આવાજ સંજોગો દરમ્યાનની લાગણીઓને શ્રી જીગ્નેશ ચાવડાની ઉપરોક્ત રચનામાં સુપેરે વ્યક્ત થઈ છે. એક બીજાનો સાથ સહકાર, મિત્રો અને સગાવહાલાંનો વિશ્વાસ અને જીવનના ગમે તેવા કપરા સંજોગોમાં સતત આગળ વધ્યા બંનેને એક મજબૂત તાંતણે એક બીજા સાથે જોડે છે, એ બંધનમાં બંધાવાની, ઉલ્લાસથી જીવન જીવી જવાની ભાવના અહીં વર્ણવાઈ છે. અંતિમ પંક્તિઓમાં તેઓ સહજીવનની શરૂઆત થયા પછીની વાત કહે છે.


પ્રભુ, હવે શું માંગું? – જીગ્નેશ ચાવડા 7

પ્રસ્તુત રચના પ્રભુ શ્રી કૃષ્ણના જીવન સાથે માનવ જીવનની સરખામણી અને તેમને ભોગવવા પડેલા કષ્ટો અને મુસીબતોની સામે તેમણે કવિને આપેલી સગવડો અને સુખોની વાત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રભુ પાસે શું માંગવું એ વિશે વિચારતા કવિને દરેક રીતે પ્રભુના જીવન કરતા પોતાના જીવનના સુખો અને સગવડો વધારે લાગે છે, પ્રભુએ તેમને બધુંજ જરૂરી આપ્યું છે એમ અનુભવતા કવિને ક્ષુલ્લક સુખોની માંગણી કરવી ગૌણ લાગે છે, કદાચ એટલે જ તેઓ પ્રભુના ચરણ કમળમાં જ જીવનનો અંત થાય તેવી માંગણી મૂકે છે. રોજીંદી ઘરેડથી અને સામાન્ય વિષયોથી કાંઈક અલગ રચના એ શ્રી જીગ્નેશ ચાવડાની વિશેષતા રહી છે, આ રચના તેમની સર્જન પ્રક્રિયામાં મોરપીંછ છે એ વાતમાં શંકાને સ્થાન નથી.


બે કાવ્ય રચનાઓ – નીરજ પરમાર 5

પ્રણયભીના હૈયા અભિવ્યક્તિના કોઈ બંધનોમાં જકડાતાં નથી, તેમને શબ્દોની કારીગરી કરવી પડતી નથી, એ આપોઆપ સર્જાઈ જાય છે, આવી જ બે રચનાઓ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદના વાચક મિત્ર શ્રી નીરજભાઈ પરમારનો આ સુંદર કાવ્ય રચનાઓ પ્રકાશન માટે અક્ષરનાદને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ. આશા છે તેમની તરફથી આમ જ ભવિષ્યમાં પણ સુંદર રચનાઓ સર્જાતી રહેશે.


જિંદગીનો રંજ – નિલેશ હિંગુ 4

શ્રી નિલેશભાઈ હિંગુની અક્ષરનાદ પર આ બીજી રચના છે. જિંદગીમાં ઘણી વાતોનો રંજ રહી જાય છે, તેમની પ્રસ્તુત રચનામાં લોકો વિશે અને અનુભવો વિશે તેઓ વાત કરે છે, સારા સમયમાં સહુ સાથ આપે છે, પણ કસોટીની પળોમાં બધાં છોડી જાય છે, જો કે પ્રેમનો, એકસૂત્રતાનો તાર રણઝણતો રહો છે, પરંતુ જીવનનો અમૂલ્ય તબક્કો વહી ગયો છે, ગયેલો સમય પાછો લાવી શકાય તેમ નથી એ વાતનો રંજ અહીં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. અક્ષરનાદને આ રચના પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને આવીજ વધુ રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી અભિલાષા સાથે શુભકામનાઓ


સળગતો રહ્યો – પિયુષ આશાપુરી 3

મિત્ર શ્રી પિયુષ આશાપુરીની રચનાઓ, ખાસ કરીને તેમની પ્રેમપ્રચૂર ગઝલોનો ચાહક કોલેજના સમયથી રહ્યો છું. તેમના પત્નિ શ્રીમતી ડિમ્પલ આશાપુરીની રચનાઓ આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે, પિયુષની અક્ષરનાદ પર આ ત્રીજી રચના છે. આશા છે તેમની રચનાઓ આમ જ માણવા મળતી રહેશે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધિ અર્થે મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


(NRI) ગુજરાતી સમજ્યા કે – જયકાંત જાની 8

(NRI) ગુજરાતી એવા શ્રી જયકાંતભાઇ જાનીની આ રચના હળવી શૈલીમાં હળવી વાત કહે છે. અહીં ફક્ત હાસ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન છે, કેટલીક ખૂબ સામાન્ય પંક્તિઓની થોડીક મચડીને તેમણે હાસ્ય નિષ્પન્ન કરવાનો એક સુંદર પ્રયત્ન કર્યો છે. આવી હળવી રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી આશા સાથે અક્ષરનાદને આ રચના મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


હું છુ મન થી ગામડિયો – દિપક રાવલ 1

હું છુ મનથી ગામડિયો એ અક્ષરનાદના વાચક મિત્ર શ્રી દિપક રાવલની રચના છે. જીવનમાં ઘણાં બધા બદલાવ પછી પણ માણસનો મૂળભૂત સ્વભાવ બદલાતો નથી તેમ બતાવતી આ સુંદર રચના અક્ષરનાદને મોકલવા તથા પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


યાદ તારી માં – દેવાંગ જોષી 30

માતાની ગેરહાજરીમાં તેની યાદ સંતાનોને ખૂબ સતાવે છે, કહે છે કે માં જ્યારે ન હોય ત્યારે જ તેની સાચી મહત્તા સમજાય છે. પ્રસ્તુત કાવ્યમાં કવિ પોતાની માતાને યાદ કરે છે, માતાના વહાલ માટે તેમનો તલસાટ અદમ્ય રીતે વ્યક્ત થાય છે. ચાતકની જેમ તે પણ માતા માટે તરસે છે. તેમના પ્રેમનું ઋણ ચૂકવવા માંગે છે, પરંતુ હવે માં તેમની સાથે નથી એ વેદના અહીં ખૂબ સરસ રીતે વ્યક્ત થઇ છે.


માં- મનોરમા ઠાર 4

દેશ-પરદેશમાં ભલે ફક્ત આખા વર્ષમાં એક જ દિવસ માંના સબંધોને તાજા કરીને મધર્સ ડે ઉજવતા હોઇએ પણ જે માં સમગ્ર જીવનમાં વણાઇ ચૂકી હોય કે હરેક વિચારો માંના સંસ્કારોથી ભીંજાયેલા હોય તે માંને બાકીના દિવસો તો શું પણ જન્મો જન્મ ન ભૂલી શકાય. આપણી સંસ્કૃતિ, માં ને मातृदेवो:भव થી નવાજે છે અને તેથી જ આ કાવ્યમાં માતૃપ્રેમની સંજીવની છે. આ છે ગુજરાતી ભાષાનું એકાક્ષરી મહાકાવ્ય એટલે ‘માં’…


દીકરો દેશાવર… (બે અછાંદસ) – જીગ્નેશ અધ્યારૂ 7

દૂર પરદેશમાં વસતા એક દીકરા માટે માંની અપાર લાગણી, એ દીકરાને જવા દેવા અને ન જવા દેવા વચ્ચેની ખચકાટભરી પરવાનગી એક બે વખત જોઇ છે. દીકરો પૈસા કમાવાની, પોતાની કારકીર્દી બનાવવાની, આખાય ઘરના જીવન સ્તરને ઉંચી લાવવાની કામના સાથે મનને કઠણ કરીને વિદેશ પ્રયાણ કરે છે, પણ માં ક્યારેય પોતાના મનને કઠણ કરી શકે? એ દીકરાને પ્રેમ કરતા એક ક્ષણ પણ તે રહી શકે ખરી? પ્રસ્તુત છે બે ભિન્ન દ્રષ્ટીકોણ અછાંદસ સ્વરૂપે.


‘માં’, હજી યાદ છે મને… – ડીમ્પલ આશાપુરી 2

અહીં ખારાશ એ વેદનાનું પ્રતીક છે, ખારાશને માત્ર ને માત્ર દરીયો જ પી શકે, એમ આપણી વેદના, તકલીફો અને દુ:ખો રૂપી ખારાશને મા તેના વ્હાલના દરીયામાં સાહજીકપણે પીગળાવી દે છે. માંની આ બધી વાતો, તેનું વહાલ સતત યાદ આવે છે. નાનકડા બાળકના ગાલ પરનું કાળું ટપકું માતાની ચિંતા, કાળજીનું પ્રતીક છે. શ્રી ડીમ્પલ આશાપુરી, ‘પગલી’ એ ઉપનામથી કાવ્ય લખે છે, પરંતુ અહીં એ શબ્દ દ્વિઅર્થી રીતે પ્રયોજેલો છે.


આપવું એટલે… – જીગ્નેશ અધ્યારૂ 1

દાન જો જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડવી જોઇએ એ મતલબની કહેવત આપણે ત્યાં ખૂબ સંભળાય છે. દાનનો મહીમા ખૂબ ગવાયો છે, સોરઠી પરંપરામાં દાનની મહિમા અને તેના લીધે મળતા સંતોષ, નમૂનેદાર કિસ્સાઓ અને એવી અનેક મહાન દાનવીર હસ્તિઓ વિશે કહેવાયું છે, પરંતુ પ્રસ્તુત સમયમાં, જ્યારે તેની ખૂબ જરૂરત છે ત્યારે જ લોકો આવું કરતા ખચકાય છે. સહાય કરવામાં, પ્રભુએ આપણને જે આપ્યું છે તે જરૂરતમંદ સુધી પહોંચાડવામાં જે અનેરો આનંદ મળે છે, તે અવર્ણનીય છે. આવી જ કાંઇક વાત કહેવાનો અહીં પ્રયત્ન છે.


મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી 4

શ્રી ડિમ્પલ આશાપુરીની સુંદર અભિવ્યક્તિની છડી પોકારતી રચનાઓને આપણે અક્ષરનાદ પર ઘણી વખત માણી છે. પરંતુ આજની આ કૃતિ કાંઇક વિશેષ છે, કારણકે આ રચના તેમની પ્રથમ રચના છે. કોઇપણ રચનાકારના, કલાકારના જીવનમાં ‘પ્રથમ’નું મહત્વ અદકેરું હોય છે. પ્રથમ રચના હૈયાની વધુ નજીક હોય છે. શ્રીમતી ડિમ્પલ આશાપુરીની આ પ્રથમ રચનાનું ભાવભર્યું સ્વાગત છે. અક્ષરનાદ તરફથી આ વિશેષ રચના સૌ સાથે વહેંચવા બદલ તથા અક્ષરનાદને તે પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.


સ્મિત એટલે… – જીગ્નેશ અધ્યારૂ 4

મુકુલ ચોકસી સાહેબની રચના પ્રેમ એટલે કે…. ખૂબ ગમે છે. તેની શીર્ષ પંક્તિની મદદથી આ કાવ્યની શીર્ષ પંક્તિ ઉપસી છે. સ્મિતના વિવિધ રૂપો, સ્મિતની પાછળના વિવિધ મનોભાવોને આલેખવાનો આ એક પ્રયાસ છે. સુખ કે દુ:ખ, બંનેમાં સ્મિતનો ઉદભવ કોઇકને કોઇક રીતે થાય જ છે. સ્મિતના વિવિધ કારણો અને પાસાઓને ઉજાગર કરતી આ કાવ્યરચના પર પ્રતિભાવો હાર્દિક આવકાર્ય છે.


પ્રેમ જો છે આપણો તો… – જીગ્નેશ અધ્યારૂ 9

હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે. કાંઇક એવો જ ભાવ આ પ્રેમગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તું ના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


વેદના – જીગ્નેશ ચાવડા 8

શ્રી જીગ્નેશ ચાવડાની ગદ્ય તથા પદ્ય કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્ય રચના. વેદનાની વિવિધ અવસ્થાઓ પર વ્યક્તિની મન:સ્થિતિ દર્શાવતી આ સુંદર રચના અક્ષરનાદને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.


કરમાયેલું પીળું ગુલાબ! – જીગ્નેશ અધ્યારૂ 10

મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે થી શરૂ થાય છે. હજાર દેખાડાઓમાં ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના !


હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8

આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા.


“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3

“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે માણીએ તેમની બે રચનાઓ.


ત્રણ કવિતાઓ – જીગ્નેશ ચાવડા 12

શ્રી જીગ્નેશ ચાવડા અમારી કંપનીમાં મિકેનીકલ ઇજનેર ( ગુણવત્તા નિયંત્રણ વિભાગ) છે અને અહીંના ઘણા સહકર્મીઓની જેમ કવિતા એ તેમનો શોખ છે. પોતાની ક્ષમતાઓ અને કળાને કવિતાના રૂપે ઢાળવાનો તેમનો પ્રયત્ન આપની સમક્ષ છે. અને દરેક નવા રચનાકારની જેમ તેમને પણ નવું શીખવાની હોંશ છે, તો આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.


તારા Marriage થઇ જશે – જિજ્ઞેશ અધ્યારૂ

એક મિત્રને લગ્નપ્રસંગે ભેટ આપવા માટે લખાયેલી આ મરક મરક પદ્ય રચના મારી આ ક્ષેત્રની પ્રથમ કૃતિ છે. લગ્ન પછીની કેટલીક પરિસ્થિતિઓને અહીં નજરમાં રાખી છે. જો કે મારા મતે આ રચનાને હઝલ કહી શકાય છે. આપનો પ્રતિભાવ આવકાર્ય છે.


બે પદ્ય રચનાઓ – ડિમ્પલ આશાપુરી 7

શ્રીમતી ડિમ્પલ આશાપુરી સાહિત્યના અભ્યાસી છે. ગુજરાતી સાહિત્યમાં બીએ અને એમ એ કર્યા પછી હાલ તેઓ વડોદરામાં સ્થાયી થયા છે. આજે પ્રસ્તુત છે તેમની બે સુંદર પદ્ય રચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ મોકલવા બદલ તેમનો ખૂબ આભાર.


મારી બે ગઝલો – જીગ્નેશ અધ્યારૂ 6

જીગ્નેશ અધ્યારૂની બે રચનાઓ, ગઝલ…, પ્રથમ ગઝલ સમર્પિત છે એવા મનુષ્યને જે પોતાની સાચી ઓળખાણ શોધી રહ્યો છે, દરીયા સાથે આ સમગ્ર પ્રયાસની સરખામણી છે, તો બીજી ગઝલ યુવાનીના પ્રેમના સ્મરણો વિશેની છે.