સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નીલમ દોશી


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા પરિચય) – નીલમ દોશી 5

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.


પેન્ડીંગ કોફી… – નીલમ દોશી 17

રોજ સવારે છાપામાં આવતા સમાચારોનૂં વિશ્લેષણ કરીએ તો તુરત જણાશે કે કોઇ પણ પેપરમાં નેગેટીવ સમાચારોનું પ્રમાણ વધારે હોય છે. પોઝીટીવ સમાચાર કવચિત જ દેખા દેતા હોય છે. બાકી ખૂન, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, આત્મહત્યા, મારફાડ,વગેરે અનેક નકારાત્મક વાતોથી ટી.વી.કે છાપાઓ ઉભરાતા હોય છે.જે આપણે ચા પીતા પીતા, પેટનું પાણી પણ હલાવ્યા સિવાય આરામથી વાંચીને છાપુ બાજુમાં ફેંકી જાણે કશું ન બન્યું હોય એમ આપણા રુટિનમાં વ્યસ્ત બની જઇએ છીએ. આપણી સંવેદનશીલતા એવી તો બુઠ્ઠી બની ગઇ છે કે એવા કોઇ સમાચારો આપણને ખલેલ સુધ્ધાં નથી પહોંચાડી શકતા.


આઇ એમ સ્યોર… (લઘુકથા) – નીલમ દોશી 14

ક્ષણિક આવેગને વશ થઈને લેવાયેલ અણઘટતું પગલું સ્વયંને માટે અને બીજાઓને માટે અનેક ઝંઝાવાતો સર્જીને જતું હોય છે. ક્યારેક કોઈક એકાદ ખુદાઈ ચમત્કાર મદદગાર બનીને આવે અને જીવનને ફરીથી તેના મૂળ હેતુ તરફ, માર્ગે લઈ આવે છે. નીલમબેન દોશીની આવી સુંદર કૃતિઓ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ અદકેરો છે. અક્ષરનાદને પ્રસ્તુત લઘુકથા પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનીશું તો ઔપચારિકતા નિભાવ્યા જેવું લાગશે એટલે એવી ધૃષ્ટતા કરતો નથી. તેમના સ્નેહને તેમની જ આ રચના સાદર…


જન્મદિવસની ઉજવણી (બાળનાટકો) – નીલમ દોશી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

જન્મદિવસની ઉજાણી” એ નામનો શ્રીમતી નીલમબેન હરેશભાઈ દોશીનો પ્રસ્તુત બાળનાટ્યસંગ્રહ પ્રસ્તુત કરતા અનેરો હર્ષ થાય છે. બાળસાહિત્ય એ આપણી ભાષામાં ઈંટરનેટ પર ખૂબ ઓછું ખેડાયેલુ ક્ષેત્ર છે અને તેમાંય સત્વશીલ રચનાઓ જૂજ છે ત્યારે જેને પુરસ્કાર મળેલો છે તેવો આ બાળનાટ્યસંગ્રહ વાચકોને અનેરો આનંદ અપાવશે તે ચોક્કસ છે. પ્રસ્તુત કૃતિઓ અક્ષરનાદને ઉપલબ્ધ કરાવી ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની તથા નિ:શુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપવા બદલ શ્રી નીલમબેનનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરે અને તેઓ ફરી એક વખત લેખનકાર્યમાં ધમધોકાર રીતે પ્રવૃત્ત થાય તેવી સૌ વાચકો વતી શુભકામનાઓ.


શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમબેન દોશી 10

  “‘હવે આ તારા ચિતરામણ બંધ કર. જિંદગી આખી કર્યા. હવે આમ પણ ઘરનું કામ શરૂ કરવાનું છે. તારી બધી મહેનત નકામી જશે. દેવુ દિવાળી પર આવે તે પહેલાં ઘર પાકું કરાવી લેવું પડશે ને ? હવે તારા આ ગાર માટીના ચિતરામણ તેને થોડા ગમવાના ? “   ” દેવુ નાનો હતો ત્યારે આ બધા રંગો તેને બહું ગમતા..તેથી મને થયું કે….એ આવે છે  તો…”   ” અરે જમાનો આખો બદલાયો છે. ત્યારે આપણે સમય પ્રમાણે ન રહીએ તો કયાંય ફેંકાઇ જઇએ.” રમેશભાઇએ અનુભવનું સત્ય ઉચ્ચાર્યું.  “પાંચ વરસે અમેરિકાથી આવતો તારો દીકરો તારા આ ઘરમાં પાંચ દિવસ પણ  નહીં ટકે.   ભૂલી ગઇ ? આ બાજુવાળા શિવલાલ માસ્તરનો દીકરો અમેરિકાથી મહિના માટે આવ્યો હતો.. પણ બે દિવસમાં બહાનું કાઢી ને ભાગી ગયો હતો. ‘ આવા ઘરમાં તમે રહી કેમ શકો છો ? આમાં કેટલા જંતુઓ..બેકટેરીયા હોય કંઇ ખબર પડે  છે ? ‘ યાદ છે ને આવું કેટલું ભાષણ કરીને રોકાયો નહોતો. ના,ના, હું એવું નહીં થવા દઉં.  હું તો મારા દેવુને ગમશે એ જ કરીશ. આખી જિંદગી ભલે ન બદલાયા…હવે બદલાઇશું. “   ” એ તો એના દીકરાને એના સાસરે રહેવું હતું. તેથી બધા  ઉધામા હતા..મારો દેવુ એવો થોડો છે ? “   “‘ બધી માને એવું જ લાગતું હોય છે. પણ સો વાતની એક વાત…. ! આપણે દેવુને એવું કંઇ બોલવાનો મોકો જ નથી આપવો ને !  કોઇ જોખમ મારે નથી લેવું. બધું  તેને ગમે તેવું કરી નાખીશું.  પછી તો રહેશે ને ? તું જોજે ને આખા ઘરની સિકલ બદલી નાખીશ. હું કંઇ શિવલાલ માસ્તરની જેમ જૂનાને વળગી રહું એવો નથી. “   […]