સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નિદા ફાઝલી


મારા મનપસંદ શે’ર – સંકલિત 12

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ 1

ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો ‘શબ્દની જાતરા સત્ય સુધી…’ અને ‘કવિતા એટલે આ…’ આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા – પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.


વાલિદ કી મૌત પર – નિદા ફાઝલી

ઉર્દુ શાયર નિદા ફાઝલીના પિતા કરાંચી માં મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં ફાતિહા પઢવા હાજર ન રહી શક્યા તે અંગે એક નઝમ લખી. પેશ છે તેનો આ ભાગ ….એક પિતાને તેનો પુત્ર આનાથી વધારે શું કહી શકે? શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે? વાલિદ કી મૌત પર તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે, તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી, વો જૂઠા થા, વો તુમ કબ થે? કોઈ સૂખા હુઆ પત્તા હવા સે હિલ કે ટૂટા થા તુમ્હારે હાથ મેરી ઉંગલિયોં મેં સાંસ લેતે હૈ. મેં લિખને કે લિયે જબ ભી કલમ કાગઝ ઉઠાતા હું, તુમ્હેં બૈઠા હુઆ, મેં અપની હી કુર્સી મેં પાતા હું. બદન મેં મેરે જીતના ભી લહુ હૈ, વો તુમ્હારી લગજિસોં, નાકામિયોં કે સાથ બહતા હૈ, મેરી આવાઝ મેં છુપકર, તુમ્હારા ઝહન રહતા હૈ. મેરી બીમારીયોં મેં તુમ, મેરી લાચારીયોં મેં તુમ તુમ્હારી કબ્ર પર જીસને તુમ્હારા નામ લીખ્ખા હૈ, વો જૂઠા હૈ તુમ્હારી કબ્રમેં મૈં દફ્ન હું, તુમ મુઝમેં જિંદા હો, કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના