સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જવાહરલાલ નહેરૂ


ગીતા અંગે વિવિધ દર્શનો – સંકલિત 7

આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગીતા વિશે કહ્યું છે, ‘જ્યારે હું ભગવદગીતા વાંચુ છું અને વિચારું છું, પ્રભુએ આ મહાન વિશ્વ શી રીતે બનાવ્યું છે? આ દુનિયાની તમામ સિદ્ધિઓ મને તુચ્છ લાગે છે.’ ગીતા અંગે કેટલાય વિચારકો, જ્ઞાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ અનેક વિચારો, દર્શનો પોતપોતાની સમજ અને અનુભવને આધારે મૂક્યા છે. પરંતુ કોઈ એક દર્શન એ પુસ્તકને સંપૂર્ણપણે સમજાવી શકે એમ માનવાને કારણ નથી, બધાંના પોતપોતાના મત છે, એવાજ કેટલાક વિચારો આ મહાન ગ્રંથવિશે આજે અહીં સંકલિત કર્યા છે.


શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ 8

પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]


ડિસ્કવરી ઓફ ઇંડિયા – જવાહરલાલ નહેરૂ

पूरब ने तूफान के आगे सिर झुका लिया सब्र और गहरी लापरवाही के साथ, उसने फौजों को सिर के ऊपर से गुजर जाने दिया और फिर वह विचार में डूब गया આવું કવિએ કહ્યું છે અને તેની પંક્તિઓ ઘણી વખત ગાવામાં પણ આવે છે. આ વાત સાચી છે કે પુર્વ કે પછી તેનો તે ભાગ જેને હિંદુસ્તાન કહેવામાં આવે છે તે વિચારમાં ડુબવાનું પસંદ કરતો રહ્યો છે અને ખાસ કરીને તે વાતો પર વિચાર કરવાનો તેને શોખ રહ્યો છે જેને થોડાક એવા લોકો જે પોતાને અમન પસંદ કહેશે, બેઢબ અને બેમતલબ સમજશે. તેને હંમેશા વિચાર અને વિચાર કરનારની (શ્રેષ્ઠ મગજવાળાઓની) કદર કરી છે અને તલવાર ચલાવનાર અને પૈસાવાળાને હંમેશા તેનાથી ઉંચા સમજવાની મનાઈ કરી દીધી છે. પોતાની પસ્તીના દિવસોમાં પણ વિચારનો તરફદાર રહ્યો છે અને તેનાથી તેને થોડીક હાશ મળી છે. પણ આ વાત સાચી નથી કે હિંદુસ્તાને ક્યારેય પણ ધીરજની સાથે તોફાનની આગળ માથુ નમાવી દિધું હોય કે પછી વિદેશી ફૌજના માથા પરથી પસાર થવામાં લાપરવાહ રહ્યાં હોય. તેને હંમેશા તેનો સામનો કર્યો છે (ક્યારેક સફળતાની સાથે અને ક્યારેક અસફળતાની સાથે) અને જ્યારે તે અસફળ પણ રહ્યો હોય તો તેને પોતાની સફળતાને યાદ રાખી છે અને બીજા પ્રયત્ન માટે પોતાને તૈયાર કરતો રહ્યો છે. તેને બે રીતો અજમાવી છે – એક તો એ કે તે લડ્યો છે અને તેને હુમલાખોરોને મારીને ભગાડી દિધા છે, બીજી એ કે જેને તે ભગાડી નથી શક્યો તેમને તેણે પોતાની અંદર સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને સિકંદરની સેનાનો જોરદાર કામયાબી દ્વારા સામનો કર્યો અને તેની મોત બાદ ઉત્તરમાંથી તે સેનાને પણ મારીને ભગાડી દિધા […]