સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અટલ બિહારી વાજપેયી


क्या खोया क्या पाया – અટલ બિહારી વાજપેયી

અટલ બિહારી વાજપેયી એ ભારતના એવા રાજકારણી છે જેમણે રાજકારણ માં પ્રવૃત હોવા છતાં પોતાની સંવેદનશીલતાને જાળવી રાખી છે. એક રાજકારણી ત્યારે જ કવિ હોઈ શકે જો તેની અંદરનો સહાનુભૂતીવાળો માણસ જાગતો હોય, ભારતીય રાજનીતીમાં તેમના જેવા સપૂતો ખૂબ ઓછા થયા છે તે અફસોસની વાત છે પણ આવા વિરલા આપણને મળ્યા છે તે ગર્વ લેવા જેવી વાત છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી કવિતા જેમાં તેઓ એ પોતાના મનની ભાવનાઓ પ્રસ્તુત કરી છે, તે કહે છે કે આ જીવનમાં કાંઈ મેળવ્યુ કે ગુમાવ્યું એમ નથી, જીવન તો અનંત સફર છે અને દરેક પગલે છલનાઓ હોવા છતાંય તેમને કોઈ સાથે તકલીફ નથી. મૃત્યુ આવે ત્યારે જાતે જ તેનું સ્વાગત કરવાની વાત કરી અનંત સફરે જવા તૈયાર હોવાનું સૂચવે છે…તેઓ કહે છે કે આ અસીમીત જગતમાં કાલે ક્યાં હોઈશું તે કોને ખબર છે? સંવેદનાસભર આ કાવ્ય ખરેખર સુંદર છે. – જીગ્નેશ અધ્યારૂ क्या खोया क्या पाया जग में मिलते और बिछड़ते मग में मुझे किसी से नहीं शिक़ायत यद्यपि छला गया पग पग में एक दृष्टि बीती पर डालें यादों की पोटली टटोलें अपने ही मन से कुछ बोलें प्रथ्वी लाखों वर्ष पुरानी जीवन एक अनन्त कहानी पर तन की अपनी सीमाएँ यद्यपि सौ शरदों की वाणी इतना काफ़ी है अंतिम दस्तक पर ख़ुद दरवाज़ा खोलें अपने ही मन से कुछ बोलें जन्म मरण का अविरत फेरा जीवन बंजारों का डेरा आज यहां कल कहाँ कूच है कौन जानता किधर सवेरा अँधियारा आकाश असीमित प्राणों के पंखों को तौलें अपने ही मन से कुछ बोलें By Atal Bihari Vajpayee.