સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞેશ અધ્યારૂ


13 Reasons why આ ટી.વી. શ્રેણી જોવાલાયક નથી.. – જીજ્ઞેશ અધ્યારૂ 7

મગજ, સમય અને પૈસાનો બગાડ એવી ૨૦૦૭ની જય અશૅરની આ જ નામવાળી નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની અમેરીકન ટેલીવિઝન શ્રેણી 13 Reasons why આત્મહત્યાને યથાર્થ ઠેરવી એ માટેના ક્ષુલ્લક કારણો વિશે વિગતે વાત કરતી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજીક જીવન, મિત્રતા, સ્વાર્થ, અભિમાન અને ઘેલછાઓને દર્શાવવાનો ભયાનક નિષ્ફળ પ્રયત્ન છે.

વાતના મૂળમાં છે ૧૭ વર્ષની હેન્ના બેકર નામની એક છોકરી જે હાઈસ્કૂલમાં ભણે છે, પહેલા જ હપ્તામાં દેખાડાયું છે કે હેન્નાએ આત્મહત્યા કરી છે, તેના વર્ગમાં જ ભણતો ક્લે જેન્સન હેન્નાનો મિત્ર હતો, તેને ઘરે એક પાર્સલ મળે છે, જેમાં કુલ ૭ કેસેટ્સ છે. ક્લે એ કેસેટને સાંભળવાનું શરૂ કરે એટલે એ ચોંકી જાય છે, કારણકે તેમાં હેન્નાનો અવાજ છે. હેન્ના કહે છે કે તેણે આત્મહત્યા કરવી પડી એના ૧૩ કારણો છે, એના વર્ગના કે શાળાના એવા ૧૩ જણની વાત આ કેસેટ્સમાં એણે કરી છે, અને એ ૧૩માં ક્યાંક ક્લે પોતે પણ છે. હેન્ના પહેલા વ્યક્તિ વિશે વાત કરે એની સાથે સાથે ક્લેને એ સ્થળો જ્યાં હેન્નાને નાસીપાસ કરે એવી ઘટનાઓ બની ત્યાં જવાનું પણ કહે છે…


‘લવની ભવાઈ’ – મજેદાર, સરળ, સબળ ગુજરાતી ફિલ્મ 4

ફિલ્મની ચર્ચા નીકળે ત્યારે ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો છે જે હું ગર્વથી મારા પંજાબી કે સાઉથ ઈન્ડિયન મિત્રોને સૂચવું, અને ટી.વી પર આવે ત્યારે સમજાવતો પણ હોઉં છું. ‘લવની ભવાઈ’ ચૂકવા જેવી નથી. આપણે ભાષાને, આપણી ફિલ્મોને આપણે આંખો પર નહીં બેસાડીએ તો કોણ કરશે? આવી સરસ ફિલ્મ બનાવવા બદલ ‘લવની ભવાઈ’ની આખી ટીમનો આભાર, તમારી મહેનતને અને ધગશને ખરેખર દાદ છે.. મોજ પડી ગઈ.. પૈસા વસૂલ ફિલ્મ.. ખૂબ સફળ થાય એવી શુભેચ્છાઓ


સોશિયલ મિડીયા, સર્જકો અને સાહિત્ય.. – જીજ્ઞેશ અધ્યારૂ 3

સાહિત્ય અને સોશિયલ મિડીયાનું જોડાણ હવે લગભગ અવિભાજ્ય બની રહ્યું છે. વધુ ને વધુ લેખકો ફેસબુક, ટ્વિટર અને બ્લોગ વગેરે દ્વારા વાચકો સાથે સતત જોડાઈ રહ્યા છે અને એથી સાહિત્ય પ્રત્યેનો સોશિયલ મિડીયામાં સક્રિય લોકોનો અભિગમ પણ બદલાયો છે. તો હકીકતે સોશિયલ મિડીયાએ સાહિત્યના ક્ષેત્રમાં ખરેખર કયા બદલાવ કર્યા છે? હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારે સોશિયલ મિડીયા સાહિત્યને, સર્જકોને અને વાચકોને સ્પર્શ્યું છે.

ઈન્ટરનેટ આપણી જીવનપદ્ધતિને બદલવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. સોશિયલ મિડીયા દ્વારા આપણે માહિતીનું આદાનપ્રદાન કરીએ છીએ, સમાચાર જાણીએ છીએ, વસ્તુઓની લે-વેચ માટે પણ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરીએ છીએ, ફોટો અને વિડીયો ક્લિપ્સ જોઈએ છીએ, નવા લોકોની સાથે સંવાદ કરીએ છીએ અને આપણી જે-તે વિષય કે ઘટના વિશેની વિચાર પણ મૂકીએ છીએ. સંવાદ સાધવો એ સોશિયલ મિડીયાનો સૌથી મોટો હેતુ છે. સાહિત્યના ક્ષેત્રમાં સોશિયલ મિડીયા વાચકને તેના મનગમતા લેખક સાથે સીધી રીતે જોડી આપે છે, તો સામે પક્ષે એક લેખક માટે પણ વાચકના મનોભાવને, તેના ગમા અને અણગમાને, તેની અપેક્ષાઓને જાણવાનો સોનેરી અવસર પૂરું પાડે છે. અહીં લોકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવા જ આવે છે, એટલે જેમને સાહિત્ય ગમે છે એવા લોકો સર્જકો સાથે જોડાવાના એ ચોક્કસ, અને એ રીતે સર્જક માટે પોતાના પુસ્તકો કે કળાની કોઈ પણ વસ્તુ વેચવા કે વહેંચવા માટે સોશિયલ મિડીયા હાથવગું સાધન છે. તેનો ઉપયોગ કરવાની રીત અને ક્ષમતા પર જે તે લેખકની અહીંની સફળતા નિર્ભર કરે છે.


‘સર્જન’ સામયિકના બીજો દિપોત્સવી અંક – જીજ્ઞેશ અધ્યારૂ 4

‘સર્જન’ ગ્રૂપ આજે તેના અસ્તિત્વના બીજા દિપોત્સવીને આંગણે આવીને ઉભું છે ત્યારે માઇક્રોફિક્શનના કારણે એકબીજા સાથે જોડાયેલા અને આજે અંગત ઉપલબ્ધિઓ, તકલીફો, આશા – નિરાશા, મંતવ્યો અને વિચારોને અભિવ્યક્ત કરતા, એકબીજાના મતને પૂરેપૂરું સન્માન આપતા અને તંદુરસ્ત ચર્ચા કરતા મિત્રોનો મેળાવડો બની રહ્યો છે એ વાતનો અતિશય આનંદ છે. દર અઠવાડીયે આવતી નવી થીમ, નવા પ્રોમ્પ્ટ, સમયાંતરે થતા મેળાવડાઓ અને એક પછી એક ઉપલબ્ધિઓની સફરમાં સતત સર્જનાત્મક અભિગમ રાખી, નકામા વિવાદોથી દૂર રહી, એકબીજાને સુધારતા, મઠારતા રહીને લેખનરત રહેતા આ મિત્રો દોઢ વર્ષ પહેલા એકબીજાનું નામ પણ ભાગ્યે જ જાણતા હતા એ કોણ માની શકે? સાહિત્યનો એક તદ્દન નવો પ્રકાર આટલા બધા સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં વ્યવસાયરત લોકોને વોટ્સએપ જેવા આજના ટેકલોનોજીના આશિર્વાદે સર્જનનો અનેરો અવસર આપે છે.


લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4

ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..

હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી.


રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય.. આપણી ભૂલાઈ રહેલી મિરાંત 2

એડવર્ડ હોપરનું એક વિધાન છે, ‘જો હું શબ્દોમાં કહી શક્તો હોત તો ચિત્ર બનાવવાનું કોઈ કારણ જ નહોતું.’ અમૂર્ત વિચારોને મૂર્ત સ્વરૂપે ઢાળવા માટે અનેક માધ્યમો ઉપલબ્ધ છે, શબ્દનું માધ્યમ તો હાથવગું છે જ, પણ સદીઓથી એવું જ એક માધ્યમ જે આપણા દેશમાં પણ ખૂબ અસરકારક રીતે ઉપયોગી બન્યું છે એ છે ચિત્રકળા. ભારતીય ચિત્રકળાનો ઈતિહાસ ખૂબ જૂનો અને વિશદ છે. પ્રાગઐતિહાસિક સમયમાં ગુફાઓમાં અને પથ્થર પર દોરાયેલા ચિત્રો તેની શરૂઆતનો સમય ગણાય છે, મધ્યપ્રદેશના રાયસન જીલ્લામાં આવેલ ભીમબેટકાની ગુફાઓના આશરે ત્રીસહજાર વર્ષ જૂના પથ્થર પરના ચિત્રો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તો અજંતાની ગુફાઓના ચિત્રો પણ જગવિખ્યાત છે. ભારતીય ચિત્રો મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચાય છે. ભીંતચિત્રો અને અન્ય માધ્યમ જેવા કે કાગળ, કેન્વાસ વગેરે પરના ચિત્રો. ધાર્મિક ચિત્રો પરથી ઉતરી આવેલી ભારતીય ચિત્રકલા આજે ભાતીગળ સંસ્કૃતિ અને જીવનપદ્ધતિને દર્શાવતી કલા તરીકે જગવિખ્યાત થઈ છે.


રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ 3

નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.


કર્ણાટકનું કાશ્મીર : કારવાર – જીજ્ઞેશ અધ્યારૂ 6

હુવાને ગુજરાતનું કાશ્મીર કહેવાતું, અહીંની નાળીયેરીના વૃક્ષો સાથેની લખલૂટ હરીયાળી અને એને લીધે રહેતી ઠંડક, માલણનું મનોહર વહેણ વગેરેને લીધે આવું નામ પડ્યું હશે. જો કે એ હવે લાગુ પડે કે કેમ એ પ્રશ્ન છે! બધા રાજ્યોમાં આવા સ્થળો હશે જેને જે તે રાજ્યનું કાશ્મીર કહેવાતું હોય? ખેર, વાત કરવી છે કર્ણાટકનું કાશ્મીર ગણાતા ‘કારવાર’ની.

ગોવા એરપોર્ટથી લગભગ ૧૦૦ કિલોમીટર, મડગાંવ રેલ્વે સ્ટેશનથી ૭૫ કિલોમીટર અને ગોવા કર્ણાટક બોર્ડરથી ૧૫ કિલોમીટરના અંતરે, ઉત્તર કન્નડા જીલ્લાનું, પહાડોના ખોળામાં વસેલું, ત્રણ તરફ હરિયાળી અને એક તરફ અરબી સમુદ્રથી ઘેરાયેલું ખૂબ સુંદર અને નાનકડું ગામ એટલે કારવાર. રેલમાર્ગે એ કોંકણ રેલ્વેથી જોડાયેલું છે.


શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? – જીજ્ઞેશ અધ્યારૂ 11

‘ગેમ ઑફ થ્રોન્સ’ આજકાલ સમાચાર માધ્યમમાં અને સોશિયલ મિડીયામાં સતત આટલું બધું કેમ ચમક્યા કરે છે. મહીનાઓ પહેલા વિકિપીડિયા પર ગેમ ઑફ થ્રોન્સનો અનુદિત ગુજરાતી લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘણુંય મૂકવાની ઈચ્છા હતી, પણ વિકિપીડિયાના બંધારણમાં એ શક્ય નથી. એ અધૂરા લેખને પાછો પૂરો કરવાનું શરૂ કર્યું અને આ લેખની ઈચ્છા જોર કરી ગઈ. શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? કદાચ શ્રેણી વિશે બધુંય અને પૂરતું ન કહી શકું પણ જેટલું ગમ્યું, સમજાયું એ લખવાનો પ્રયત્ન કર્યો છે.


દિલ્હીનું અનોખું રવિવારી પુસ્તકબજાર.. દરિયાગંજ બુકમાર્કેટ – જીજ્ઞેશ અધ્યારૂ 11

દિલ્હીમાં જોવાલાયક અનેક સ્થળો છે, ઐતિહાસિક સ્મારકો, અદ્રુત સંગ્રહાલયો, દર્શનીય સ્થળો, ખરીદીના અને ઉજાણીના અનેક સ્થળો.. પણ એ બધામાં મારા જેવા પુસ્તકપ્રેમીને જો કોઈ જગ્યા સૌથી વધુ ગમી ગઈ હોય તો એ છે જૂની દિલ્હીના દરિયાગંજનું રવિવારી પુસ્તકબજાર.

દરિયાગંજ વિસ્તાર આઝાદી પહેલા અંગ્રેજોનો કેન્ટોન્મેન્ટ વિસ્તાર હતો. લગભગ ૧૯૬૪માં શરૂ થયું હોવાનું મનાય છે તે દિલ્હીનું આ પુસ્તક બજાર અનેક રીતે અનોખું છે. નામ જ સૂચવે છે તેમ દર રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ ભરાતું આ પુસ્તક બજાર બપોર સુધીમાં તો મહદંશે ખાલી થઈ જાય છે. લગભગ દોઢથી બે કિલોમીટર લાંબી, સામાન્યથી વધુ પહોળી એવી આ ફુટપાથ પર ફક્ત ચાલવા જેટલી જગ્યા છોડીને અનેક વિક્રેતાઓ તેમના પુસ્તકોની ચાદર પાથરી દે છે. અહીં તમને પીળી પડી ગયેલી વર્ષો જૂની એલિસ્ટર મેલ્કેઈનની નૉવેલથી લઈને મિર્ઝા ગાલિબની ગઝલો સુધીની, તસલીમા નસરીનની લજ્જાથી લઈને સઆદત હસન મન્ટોની વાર્તાઓ સુધીની, GRE, GMAT, Gate, TOEFL, SSC વગેરે જેવી અભ્યાસને લગતી..


અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ 47

અક્ષરનાદનો આજે અગિયારમો જન્મદિવસ છે. વર્ષોના વહાણાંં વાતા રહ્યાં અને સમય એની મેળે સરતો રહ્યો, જોતજોતામાંં એક દાયકો પસાર થઈ ગયો. વાચકોનો સતત પ્રેમ અને સાહિત્યના માધ્યમે કંઈક પામવાની, કંઈક મેળવવાની ઈચ્છા જ અક્ષરનાદના પાયામાં છે. સર્વે વડીલો, મિત્રો, વાંચનયજ્ઞમાં જોડાઈને અમારા ઉત્સાહમાંં સતત વધારો કરતા બધાંય સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર.


શોર્ટફિલ્મ્સનું વિશ્વ : ભાગ ૩ – જીજ્ઞેશ અધ્યારૂ 4

સર્જન વોટ્સએપ ગ્રૂપના ‘માઈક્રોસર્જન’ પુસ્તકમાં વ્યસ્તતાને લીધે આ શ્રેણીનો ત્રીજો હપ્તો મૂકવામાં વિલંબ થયો છે. પણ આજનો અને હવે પછીના હપ્તાઓમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શોર્ટફિલ્મ્સની કેટલીક નોંધપાત્ર ફિલ્મોને તેમની વિશેષતાઓ સાથે મૂકવાનો પ્રયત્ન રહેશે. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે ત્રણ ફિલ્મો, ત્રણેય લંબાઈ, વાર્તાકથન, ફિલ્માંકન અને પ્રકારની દ્રષ્ટિએ તદ્દન ભિન્ન ફિલ્મો છે.


શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20

માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..


ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’ 4

અમદાવાદ ખાતે આજે સાંજથી શરૂ થઈ રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’માં આ વખતે ‘સર્જન’ના પ્રયત્નો અને માઈક્રોફિક્શનના ‘સર્જન’ દ્વારા થયેલા પ્રચાર તથા વાચકોને ખૂબ પસંદ આવી રહેલા આ વાર્તા સ્વરૂપને લઈને બે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તા. ૧૫ ને ગુરુવારના રોજ વર્કશૉપ,

“માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

અને

“બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

આ બંને કાર્યક્રમોનો સમય, તારીખ અને વિગત શેડ્યૂલ આ મુજબ છે..


માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો.. સાથેસાથે આજે માણીએ કલ્પેશભાઈ પટેલની કલમે લેખ.. ‘માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ..’


નવા વર્ષના સાલમુબારક, મનની અંતરંગ વાતો.. – સંપાદક 8

અક્ષરનાદના વિશ્વભરમાં વસતા સર્વે વાચકમિત્રો, સતત સહકાર અને પ્રોત્સાહન આપતા વડીલ સર્જકમિત્રો તથા ઉત્સાહસભર નવોદિત સર્જકમિત્રો અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ તથા સામયિકના વિશાળ અક્ષરમય પરિવારને નવા વર્ષના સાલમુબારક, આ નવું વર્ષ આપ સર્વેને તથા આપના પરિવારજનોને સફળતા, જ્ઞાન, ઐશ્વર્ય, સંતોષ, સાહસ, હિંમત, ધગશ અને ઉત્સાહ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. સાહિત્ય સાથેની આપણી આ સફર સતત અને સહજ રહે એવી ઈચ્છા ઈશ્વરના શ્રીચરણોમાં અર્પણ..


જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) 12

એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’


‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7

વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.


માઈક્રોફિક્શન વાર્તા એટલે શું? – જીજ્ઞેશ અધ્યારુ 13

આપણી વાંચવાની ટેવ, સર્જનના પ્રકારો અને સાહિત્ય – એ બધુંય એકસાથે ટેકનોલોજીના પ્રભાવ હેઠળ સતત બદલાઈ રહ્યું છે, આપણને જાણ હોય કે ન હોય પણ છેલ્લા પંદર વર્ષમાં ઈ-પુસ્તકો, વેબસાઈટ્સ, મોબાઈલ એપ્લિકેશન્સ અને સોશિયલ મીડિયાએ આપણી વાંચનની ટેવમાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે, અને એને લીધે લેખનની પ્રક્રિયાઓ પણ ચોક્કસ બદલાવાની જ, સાહિત્યપ્રકારો અને સાહિત્ય સર્જનના માળખામાં પરિવર્તન અવશ્યંભાવી છે.. સર્જનના બદલાવની આ પ્રક્રિયામાં અત્યંત ઝડપથી ફેલાઈ રહેલો વાર્તાપ્રકાર છે ફ્લેશ ફિક્શન કે માઈક્રોફિક્શન.


Portrait of Harijan Girl, Khavda Village, Kutch, Gujarat, India

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૮ (૨૬ વાર્તાઓ) – સંકલિત 17

“હૂઝ્યો’તો નં! પણ માર એ કૂવો પેલો તમનં બતાવવો’તો; તમારી હગ્ગી બોને ગળાફાંહો ખાધો તારેય તમારી આંછ્યો નો’તી ઉઘડી..”

એ પ્રોમ્પ્ટ પર સર્જન ગૃપના સભ્યોએ રચેલી વાર્તાઓનું સંકલન આજે પ્રસ્તુત કર્યું છે..


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ) 5

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા ‘સંભવ-અસંભવ’માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી..

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૪ (૩૪ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૧૮-૧૯ જૂનના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હું ય પૂછું છું તમને… એ કોના લોહીનું ટીપું છે?”


છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૨ (૨૦૫ વાર્તાઓ) 4

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. આજુબાજુ, આગળપાછળ… બધે જ છોકરી. ….પેપર કેમ લખવું? ૨. “તારી વહુ તારી મા જેવી ભલી… ખાવાનું માંગુ તો જ આપે.” ૩. “કેવી સરસ ઠંડી લૂ છે નહી?” પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું. ૪. “તું બર્થડે કેમ નથી ઉજવતો?” “મારો જન્મ ને મારી મા…” ૫. “મારી સાસુ તો કાળના પેટની, ખાવાય નથી દેતી. તોય પેટભરીને….” ૬. “પહેલા ભાઈની દુકાન, પછી મારા લગ્ન.” બહેન બોલી. ૭. “તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.” બા હીંબકે ચઢ્યા. ૮. “દાદા આઘા બેસો, ગંધાવ છો.” ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી…. ૯. પોસ્ટ ગ્રેજ્યુએટ… “…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.” – દિવ્યેશ સોડવડીયા ૧. એણે હાથ પકડ્યો, ને એમ્બ્યુલન્સ પાછી ગઈ… ૨. એના લીધે તો આ કર્યું, ને એ… ૩. હસતો રહ્યો તો ખુશ ગણીને એણેય દુઃખ આપ્યે રાખ્યા.. ૪. ઝભલું, ઘોડીયું, નઝરીયા ને નઝરાઈ ગયેલ જિંદગી.. ૫. ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને દિકરો થયો.. ૬. શું થયું? કોમી.. તો વાંધો નહીં.. ૭. બાસુંદીએ કારેલાને પૂછ્યું.. કડવું એટલે કેવું? ૮. આજે છપ્પનભોગ ને ઈશ્વરને લૂઝ મોશન.. ૯. બાળમજૂર છોડાવવા નીકળેલા ઇન્સ્પેકટર બરાડ્યા. . “છોટુ, બે ચા..” ૧૦. જિંદગીએ પ્લેબોયમાંથી પે બોય બનાવી દીધો.. ૧૧. ખુદા શું કહે? આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા.. ૧૨. શબરી હટાણું કરવા નીકળી ને રામે હાટડી ઉઘાડી.. ૧૩. લોહી નીંગળતું ધારીયું, એક નવજાત છોકરી … અનાથઆશ્રમ ૧૪. સંજોગોએ પથ્થર ફેંક્યા, મનમાં કોમી રમખાણો.. ૧૫. મિલનું ભૂંગળુ વાગ્યું, મજૂરો – ‘હાશ’ મંદિરમાં શંખ ફૂંકાયો ભગવાન – ‘ઓફ્ફ’ ૧૬. એની યાદમાંં રડ્યો’તો યાદ કરીને હસવું […]


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૩ (૪૦ વાર્તાઓ) 10

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..”


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૨ (૨૩ વાર્તાઓ) 7

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે.. શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી, “હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૧ (૧૪ વાર્તાઓ) 16

પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ. માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..


છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન – ૧ (૯૧ વાર્તાઓ) 16

‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૬ થી ૧૯ મે ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ.. ૧. મારી પાસે ઘર હતુંં, આજે પૈસા છે.. ૨. આટલી બધી શેની ઉતાવળ છે તને જીવવાની! – નિમેષ પંચાલ


(ઑસ્કર ૨૦૧૬) ધ રેવનન્ટ.. જિજીવિષા અને પ્રતિશોધની અનોખી કથા.. – જીજ્ઞેશ અધ્યારૂ 5

મૃત્યુ પછી પણ પાછો ફરનાર અથવા જીવનની ખૂબ કપરી પરિસ્થિતિઓ વચ્ચે પણ જીવી જનાર માણસ.. જીવન માટે, અસ્તિત્વ ટકાવવા માટે જીવસટોસટનું સાહસ કરીને મૃત્યુના મુખમાંથી પણ પાછો આવનાર માણસ એટલે રેવનન્ટ.

વાત છે ૧૭૮૩માં અત્યારના અમેરિકાના પેન્સિલવેનીયા રાજ્યમાં જન્મ લેનાર અને પોતાના સખત પ્રયત્નો અને અદ્રુત હિંમતને લીધે જીવસટોસટના જોખમોમાંથી સુપેરે જીવતા રહેનાર હ્યૂ ગ્લાસની..


મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

૪ જૂન ૧૮૫૭ના રોજ ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલ બાર્બરા જેન બેયન્ટનની પ્રસ્તુત અનુદિત વાર્તા મૂળ ઓસ્ટ્રેલીયામાં સૌપ્રથમ વખત ૧૨ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સિડનીથી પ્રકાશિત‘ધ બુલેટીન’ સામયિકમાં‘’ધ ટ્રેમ્પ’ના શીર્ષક સાથે પ્રસિદ્ધ થઈ હતી,ત્યારબાદ ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત તેમના પુસ્તક “બુશ સ્ટડીઝ” માં એ ફરી પ્રકાશિત થઈ. ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ, ઝાડી ઝાંખરાવાળા મેદાની પ્રદેશોમાં છૂટાછવાયાવસતા લોકોના જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓને તેમણે તાદ્દશ ઝીલવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારના જીવનની નિર્દય, ભયાવહ અને એકાંતિક નિષ્ઠુરતાને પોતાના લખાણોમાં તેમણે વાતાવરણના વર્ણનનો કે શાબ્દિક ચમત્કૃતિનો આધાર લીધા વગર ઘટનાઓની અને પાત્રોની ખૂબ વિગતે છણાવટથી પ્રસ્તુત કરી. અવાચક કરી દેતી ભયાનકતા અને તીખી વાસ્તવિકતા તેમના સર્જનોની વિશેષતા રહી છે. તેમના સર્જનોને વિવેચકોની પ્રસંશા અને નિંદા બંને ભરપૂર મળ્યાં છે..


પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧) 5

મુક્ત અભિવ્યક્તિના આ વિશ્વમાં એક પછી એક અવનવા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થતા રહે છે જે અનેક માધ્યમો દ્વારા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને નવું પરિમાણ આપે છે. બ્લોગિંગ અને સોશિયલ મિડીયા પછી જે નવું પરિમાણ મેં અપનાવ્યું છે એ છે પૉડકાસ્ટ.. પોડકાસ્ટ એટલે તમારા અવાજમાં તમે પ્રસ્તુત કરવા માંગો છો તેવી વાત ઑડીયો સ્વરૂપે, તેના બધાં ટેકનીકલ પાસા સહિત પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. અહીં વિષયવસ્તુની પસંદગીથી લઈને તેનું રેકોર્ડિંગ, રેકોર્ડ કરેલ સામગ્રીનું ઑડીયો ફોર્મેટિંગ અને આખરી ઓપ આપવો, તેને પ્રસિદ્ધ કરતા પહેલા ટેકનીકલ જરૂરીયાતો, ક્યાં અને કઈ રીતે પ્રસિદ્ધ કરવું તથા તેની પ્રસિદ્ધિ વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે.