સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હેમન્ત દેસાઈ


સુખદ મૃત્યુની ઈચ્છાની અભિવ્યક્તિ (દેવેન્દ્ર દવે) કાવ્યાસ્વાદ – હેમન્ત દેસાઈ

કોઈનેય મરવું ગમતું નથી, પણ મૃત્યુ અનિવાર્ય છે. અને એથી જ માણસને સૌથી મોટો ભય હોય છે મૃત્યુનો. મૃત્યુને સહજભાવે સ્વીકારવા -આવકારવાની ઇચ્છા વિરલ ગણાય તેમ છતાં એ’વી વિભૂતિઓ જોવા મળી છે કે જેમણે સ્વેચ્છાએ મૃત્યુને ભેટવાનું પસન્દ કર્યું હોય.માણસ ઇચ્છે અને એ’ને મૃત્યુ મળે એ ઘટનાને ઇચ્છામૃત્યુ કહે છે. અલબત્ત, ઇચ્છામૃત્યુ આત્મહત્યા નથી. વ્યક્તિ પોતાની જાતને ખતમ કરી નાંખે તે આત્મહત્યા. એથી ભિન્ન; વ્યક્તિ પૂરી સ્વસ્થતાથી જીવનને સમાપ્ત કરવા ઇચ્છે, સામેથી મૃત્યુને નિમંત્રે અને મૃત્યુ થેને આવી મળે તે ઇચ્છામૃત્યુ, મૃત્યુના યોગ્ય સમયના આગમનને આમ ઘણા માણસો – દુઃખથી કે રોગથી તપ્ત-ત્રસ્ત માણસો – ઇચ્છે છે ખરા, પણ બહુ જ જૂજ વ્યક્તિઓની એ’વી ઇચ્છા ફળે છે. પણ તો ઇચ્છાના ‘હોવા’ને થેની સફળતાનિષ્ફળતા સાથે ક્યાં કોઈ નિસબત હોય છે જે. તો એવી જ રીટે મૃત્યુ અનિવાર્ય છે તો સુખપૂર્વક મરવાનું માણસ ઇચ્છે તે સ્વાભાવિક નથી? એવા ઇપ્સિત સમયના નહિ, ઇપ્સિત પ્રકારના મૃત્યુના આ ગીતમાં કવિએ સુખદ – સુખાવહ મૃત્યુની ઇચ્છા પ્રગટ કરી છે.સુખદ એટલે એમની પોતાની દ્રષ્ટિએ સુખદ. હા. એમની દ્રષ્ટિ સાથે સરેરાશ માણ્સની દ્રષ્ટિનો મેળ સધાય છે. કારણ એમના જેવી દ્રષ્ટિ ધરાવનારા અનેક માણસો હોવાના અને એથી જ એ ઇચ્છાની અભિયક્તિ રૂપ આ કૃતિ ‘કાવ્ય’ની કક્ષાએ પહોંચે છે.