સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હર્ષદ દવે


રાહી નયે નયે, રસ્તા નયા નયા.. – (ગીતમાલા) હર્ષદ દવે 2

ઉત્તમકુમાર કિશોરકુમારના અવાજની તાજગીને ન્યાય આપે છે અને તેની સાક્ષી બને છે ઈશારામાં દિલ લેનારી ‘કશ્મીર કી કલી’ શર્મિલા ટાગોર


આપકે કમરે મેં કોઈ રહતા હૈ.. – હર્ષદ દવે 1

રાહુલ દેવ બર્મને જે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમાંની આ એક ફિલ્મ છે. યાદોં કી બારાતના આ ગીતમાં એનર્જી છે, જોશ છે, સંગીત છે.


પ્યાર દીવાના હોતા હૈ.. (ગીતમાલા) – હર્ષદ દવે 1

રાજેશ ખન્ના અને આશા પારેખની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી અવિસ્મરણીય છે. પ્રેમી યુગલ તરીકે તેઓ એટલાં તો સાહજિક લાગે છે કે આપણે તેમની પ્રેમકથામાં ખોવાઈ જઈએ.


હૈ દુનિયા ઉસી કી, જમાના ઉસી કા – હર્ષદ દવે 2

અમેરિકન ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ પરથી બનેલી ‘કશ્મીરકી કલી’ (૧૯૬૪) ફિલ્મનું એ ગીત રફીના ચાહકોએ સાંભળ્યું ન હોય તેવું બને જ નહીં.


‘સારા પ્યાર તુમ્હારા..’ ગીતની અંતરંગ વાતો 1

પ્રેમીઓ કહે છે, હમેં ઔર પાસ કોઈ લાયેગા’ અહીં કોઈનું આગમન અભિપ્રેત છે. ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.


‘ઓ સજના, બરખા બહાર આઈ..’ ગીતની અંતરંગ વાત 2

બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે. માણો આ ગીતની અજાણી વાતો..


કોરા કાગઝ થા યે મન મેરા.. – હર્ષદ દવે 4

આરાધના બ્લોકબસ્ટર બની, કુછ તો બાત હૈ ઇસમેં! સિનેમાના સ્ક્રીન સિવાય પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે!


તુમ બિન જાઉં કહાં! (ગીતમાલા) – હર્ષદ દવે 3

‘પ્યાર કા મૌસમ’માં ભારતભૂષણ, જે પહેલાં તેની પ્રિયતમા હતી અને હવે જે પત્ની બની છે તે, નીરુપારોય સામે ‘તુમ બિન જાઉં કહાં…’ ગીત ગાય છે… ગીતના શબ્દોને કિશોરકુમારનો દર્દસભર વિલક્ષણ કંઠ મળ્યો છે જે સહુની ભીતર અવનવાં સ્પંદનો જગાવે છે.


જાને ક્યા તૂને કહી.. (ગીતમાલા) – હર્ષદ દવે 5

‘પ્યાસા’ ફિલ્મ દરમિયાન ગુરુદત્તને પ્રેમ થઇ જાય છે વહિદા રહેમાન સાથે. અને તેનાં પરિણીત જીવન પર તેની ઘેરી અસર થાય છે. ગીતા દત્તથી, તેની પત્નીથી, એ કેમ સહન થાય? તે વિદેશ જતી રહે છે અને ગુરુદત્ત પોતાનું જીવન સંકેલી લે છે, જીવનના ચાર દાયકા પૂરા થાય તે પહેલાં જ. આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી.


તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે 2

‘પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! ‘જીવવું’ ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય. અને સમય સરતો અટકી જાય તો સારું એવી પ્રબળ ઈચ્છા પણ થાય! પણ એવું ક્યાં થઇ શકે છે!


‘અનામિકા’ તું ભી તરસે! – હર્ષદ દવે

ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. ‘અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા ‘અનામિકા’ તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે.


મને આકાશ કેમ બોલાવે છે? (યે શામ મસ્તાની) – હર્ષદ દવે 4

ભાષાની કમાલ જુઓ! હિન્દી ભાષામાં સ્વરબદ્ધ થયેલું આ ગીત બંગાળી ભાષામાં, અલગ શબ્દોમાં, છતાં એ જ સૂરમાં સ્વરબદ્ધ થયેલું છે. સૂર અને સ્વરનો કેવો અદભુત સમન્વય! આવા ગીતોને બંગાળીમાં ‘આધુનિક ગાન’ કહે છે!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૪૦) : અંતિમ 3

આમ્રપાલીએ જેટલી સહજતાથી વૈશાલીનું જનપદકલ્યાણીનું પદ સ્વીકાર્યું હતું એટલી જ સહજતાથી કેવળ તે પદ જ નહીં સઘળું ત્યાગી દીધું. બિંબિસાર ગયો તે પછી માયા મહેલમાં દેખાયો જ નહીં. આમ્રપાલીએ માયા મહેલ છોડતા પહેલાં ઘણી વ્યવસ્થા કરી. વિશાખા અને ધનિકાએ આમ્રપાલી સાથે જ રહેવાનો નિશ્ચય કર્યો હતો અને તેઓ પણ બુદ્ધનાં સંઘમાં જોડાઈને ભિક્ષુણી બની ગઈ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૯)

આમ્રપાલીએ ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ઘોષ સાંભળીને આંખો ખોલી. તેને સમગ્ર વિશ્વ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હકીકતમાં તેની ભીતર કોઈ જબરદસ્ત પરિવર્તન થયું હતું. તેણે દૂર નજર નાખી. તેણે એક મોહક વ્યક્તિત્વ ધરાવતો યુવક ભિક્ષુ વેશમાં ભિક્ષુ-સંઘની પાછળ પાછળ જતો જોયો. આમ્રપાલીને તે ભિક્ષુનો ચહેરો પરિચિત લાગ્યો. તે તેની પાછળ પાછળ ચાલવા લાગી…


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૮)

અમાત્ય રાક્ષસ વર્ષકારને વૈશાલીના કિલ્લાનો દરવાજો સોંપીને આવ્યા પછી વૈશાલીના લિચ્છવીઓને એકત્રિત કરવા મારતે ઘોડે સેનાપતિના આવાસે પહોંચ્યો. પરંતુ ‘જેનો સેનાપતિ આંધળો તેનું કટક કૂવામાં’ જેવી પરિસ્થિતિ તેણે સેનાપતિને ઘરે જોઈ. સેનાપતિના હાથમાં દારૂની બોટલ હતી… તેણે આખી રાત દારૂ ઢીંચ્યો હશે એમ લાગતું હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૭)

બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬) 3

માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૫) 1

ગણપતિનો પત્ર વાંચી પાષાણહૃદયી વર્ષકારની આંખો સજળ થઇ ગઈ. તેના ગળે ડૂમો બાઝી ગયો. થોડીવારે સ્વસ્થ થઇ સૂમસામ, કરુણ શાંતિનો ભંગ કરતાં તેણે સેનાપતિને સૂચના આપી: ‘ભલે બીજા કોઈનું નહીં પણ આ ગણપતિ અને તેમના કુટુંબીજનોનો અગ્નિસંસ્કાર અવશ્ય કરશો.’ અને તે ખિન્ન હૃદયે બહાર નીકળી ગયો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪) 1

વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)

મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)

બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૧) 3

વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે. તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૦) 1

વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૯) 4

વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૮)

આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેને અભ્યાસ માટે નાલંદા મૂકવામાં આવ્યો. આમ્રપાલીએ હૃદયને કઠણ કરીને અભયને પોતાની આંખ સામેથી અળગો કર્યો. નાલંદા વિશ્વવિદ્યાલયની નામના ભારતવર્ષમાં ઘણી ઊંચી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૭)

કોશલ અને કાશી વચ્ચે વૈમનસ્ય વધતું રહે તે વૈશાલી માટે પણ જરૂરી હતું. બંને અંદરોઅંદર લડીને ખુવાર થતા જતા હતા. અને બંને નબળા પડ્યા હતા. આર્થિક નબળી હાલત, બેકારી, ભૂખમરો અને ગરીબીથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. હવે સમર્થ અને સશક્ત કહી શકાય તેવા માત્ર બે જ રાજ્યો રહ્યા હતા, વૈશાલી અને મગધ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૬)

વૈશાલીમાં આમ્રપાલી પોતાની અવનવી રીતે દરેક ક્ષેત્રમાં કાંઈને કાંઈ એવું દર્શાવતી હતી કે લિચ્છવીઓ ખુશ ખુશ થઇ જતાં. યુવકોને તેની દરેક વાતમાં બહુ રસ પડતો હતો કારણ કે તેની દરેકેદરેક વાતમાં તેનું પોતાનું ચિંતન જણાઈ આવતું હતું.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૫)

કોશલ રાજ્યની ઉત્તરે નેપાળ છે, દક્ષીણે સર્પિકા (સાઈ) નદી અને પૂર્વે ગંડક નદી આવેલી છે અને તેની પશ્ચિમે પાંચાલ પ્રદેશ છે. કોશલ અને કાશી નજીકના રાજ્યો વચ્ચે કુસંપ અને દુશ્મનાવટ રહેતી અને યુદ્ધો થતાં. પરંતુ વૈશાલીના અમાત્યોએ તેમની વચ્ચે સુલેહ કરાવી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૪) 2

ગૌતમ બુદ્ધ વિહારમાં (બિહારમાં) યાત્રા કરીને સર્વત્ર ઉપદેશ આપતા હતા. લોકો તેમને શાંતિપૂર્વક સાંભળતાં હતા. તેમના શિષ્યો પણ તેમની જેમ જ સંયમી અને શિસ્તબદ્ધ તથા ધર્મનું પાલન કરવાવાળા હતા. આથી બૌદ્ધ ધર્મનો ઝડપથી પ્રસાર થવા લાગ્યો હતો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૩)

સમયને માપી શકે તેવું કોઈ યંત્ર હજુ સુધી બન્યું નથી! માણસોએ પોતાનો વ્યહાર ચલાવવા ઘટિકા-યંત્ર ભલે શોધ્યું પરંતુ તે ઘડી અથવા પળ, પ્રહર, દીવસ અને રાતની તથા વધુમાં વધુ વર્ષોની ગણતરી કરી શકે. અગણિત સમય વહી ગયો અને વહેવાનો તે વિષે કયું યંત્ર ચોકસાઈથી કહી શકે કહો?