સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરસુખરાય જોશી


પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી 2

વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય તો સમય કાઢી પ્રવાસ, યાત્રા અવશ્ય કરવા જોઈએ. જીવ્યા કરતાં જોયું ભલું, અલગ અલગ સ્થળ દર્શન ધાર્મિક, ઐતિહાસિક સ્થળો અને તેની સાથે સંલગ્ન કથાઓ ક્યાંક અનુકુળતાઓ તો કયાંક પ્રતિકુળતાઓ, જીવનમાં થોડા સમય માટે આવતું પરિવર્તન તાજગી આપે છે. ભવિષ્યમાં તેના સંસ્મરણો વાતચિત વગેરે માનસિક આનંદ આપે છે. આ બધી અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે. ચાલે આપણે આપણી જન્મભૂમી ભાર્તદેશનું વિહંગાવલોકન કરીએ.


ભક્તિ ચિંતન – હરસુખરાય જોષી 2

શ્રી હરસુખરાય જોશીની કૃતિઓ અક્ષરનાદ પર આ પહેલા પણ પ્રસ્તુત થઈ છે. તેઓ મહદંશે ચિંતનાત્મક લેખો લખે છે. આજે પ્રસ્તુત છે તેમનાં ભક્તિ વિશેના વિચારો સાથેનું ચિંતન. ભક્તિ એ એવી એક શક્તિ છે જેના આવ્યા બાદ પૂર્ણ પ્રાપ્તિનો અનુભવ થાય છે. હવે કશુ મેળવવાનું રહેતું નથી એવી અવસ્થા સુધીની સફર એટલે ભક્તિ, ભક્તિ વિશે વિચારીએ ત્યારે નારદ ઋષિનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે, ભગવાન પ્રતિ સ્નેહ અને ભગવાનના સંતાનો તરફ પ્રેમ. આ ભાવના જાગે એટલે સમજવું ભક્તિના પ્રારંભની શરૂઆત થઈ. ભક્તિનું પ્રથમ લક્ષણ, માણસ દરેક પરિસ્થિતિમાં આત્મસંતુષ્ટ અને પ્રસન્ન નજરમાં આવશે. સમગ્ર લેખમાં તેમણે ઉદાહરણ સહિત સરસ રીતે ચિંતન આપ્યું છે.


પંચતત્વ ચિંતન (ભાગ 1) – હરસુખરાય જોશી

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના સેવાનિવૃત્ત ઉચ્ચ અધિકારી છે, અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. પ્રસ્તુત ચિંતનલેખમાં તેઓ પંચતત્વ વિશેના તેમના વિચાર પ્રગટ કરે છે, માનવશરીર પાંચ તત્વો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનું સંયોજીત સ્વરૂપ છે એમ માનવામાં આવે છે, આ પાંચેય તત્વો વિશે, તેમના માનવશરીરમાં કાર્ય અને મહત્વ વિશે અહીં વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. પ્રસ્તુત લેખમાં પ્રથમ ત્રણ તત્વો, પૃથ્વી – અગ્નિ અને જળ તત્વ વિશે વિચારો વ્યક્ત થયાં છે. આ લેખ અક્ષરનાદને મોકલવા બદલ શ્રી હરસુખરાય જોશીનો ખૂબ ખૂબ આભાર.


નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી 5

શ્રી હરસુખરાય જોશી ભારતીય જીવન વીમા નિગમ, અમદાવાદના રીટાયર્ડ ઉચ્ચ અધિકારી છે. અમદાવાદમાંજ તેઓ હવે તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે. અધ્યાત્મિક વાંચન, કસરત, તરવું, યોગ અને ધ્યાન ક્રિયાઓ તથા પ્રવાસ તેઓની ગમતી પ્રવૃત્તિઓ છે અને આ બધુંજ તેઓ નિયમિતપણે કરે છે. તેમના પત્નિ સાથે તેઓ લગભગ આખાય ભારતનું ભ્રમણ કરી ચૂક્યા છે. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત પુસ્તક “નિવૃત્તિ ની પ્રવૃત્તિ” વિશે તેમના વિચારો અત્રે તેમણે પ્રસ્તુત કર્યા છે. પુસ્તક અક્ષરનાદને મોકલવા બદલ શ્રી વિજય શાહ અને શ્રી હરિકૃષ્ણભાઈનો તથા પુસ્તક વિશે આ લેખ આપવા બદલ શ્રી હરસુખભાઈનો ખૂબ ખૂબ આભાર.