સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિશનજી નાગડા


શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં ? – વિશનજી નાગડા (કાવ્ય) 8

રામને માટે જીવનભર રાહ જોનારી ભીલડી એટલે ‘શબરી’. શ્રધ્ધા અને ભક્તિ બંને છેક સુધી તરસાવે અને અંતે મુક્તિના મધુર રસનું અમૃતપાન કરાવે એનું શ્રેષ્ઠ ઉદાહરણ, પરંતુ પ્રસ્તુત ભાવગીતમાં વાત કાંઈક અલગ છે. ક્રિયાત્મક તથ્યોથી અલગ કવિને ઘટનાઓમાં કાંઈક ભાવાત્મક ઊંડાણ દેખાય છે. એ બોર ચૂંટતા શબરીના હાથના ટેરવે નીકળેલા લોહીને લીધે બોરનો લાલ રંગ હોય કે રામ રામ બોલીને થાકેલી એની જીભ, કવિનું મનોવિશ્વ એની સાબિતિ પોતે જ આપે છે. ખૂબ ભાવસભર અને સુંદર રીતે ગાઈ શકાય એવા આ ગીતને અંતે એટલું તો કહેવું જ જોઈએ, ” ઘૂંટવી છે જીંદગીને એટલી, જેટલી કડવાશ પામે, એટલી મીઠાસ દે “