સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિનોબા ભાવે


વિનોબા સાથે યુવાનોની પ્રશ્નોત્તરી… 3

ભૂદાનયજ્ઞ અને તે અંગેની વાતો, સમજણ, વિગતો અને સ્પષ્ટતાઓને આવરી લેતું વિનોબાનું પુસ્તક ‘ભૂદાનયજ્ઞ’ એ આખીય પ્રક્રિયા અંગે વિનોબાના વિચારો ખૂબ સ્પષ્ટતાપૂર્વક મૂકે છે. એ પુસ્તકના અંતે વિનોબા સાથે થોડાક જીજ્ઞાસુ યુવાનો અને કાર્યકર્તાઓ સાથે મહત્વના વિષયો અંગે શ્રી વિનોબા સાથે થયેલી પ્રશ્નોત્તરીના કેટલાક પ્રશ્નો અને તેના ઉત્તર મૂકેલા છે જે અહીં પ્રસ્તુત કર્યા છે. આજના સમયમાં પણ આ ઉત્તરો પ્રસ્તુત અને વિચારપ્રેરક થઈ રહે છે.


પૈસો અને લક્ષ્મી – વિનોબા 7

મોંઘવારી, ફૂગાવો ને આર્થિક મંદી વગેરે તો રોગનું આજે ઉભરી આવેલ લક્ષણ માત્ર છે, મૂળ રોગ માટે તો ઉંડી તપાસ થવી જોઈએ. તે હેતુથી અર્થવ્યવસ્થાનું વિહંગાવલોકન અને વિશદ છણાવટ વિનોબાજીએ વર્ષો પહેલા કરેલી. પૈસાને અને લક્ષ્મીને આપણે એક જ ગણી લઈએ છીએ પણ એ ભ્રમને વિશે વિનોબાએ પદ્યરૂપે આપેલી પ્રસ્તુત રચના કેટલું બધું સમજાવી જાય છે? પૈસાને તેઓ લફંગો લબાડ અને અળવીતરો કહે છે. અનુભવો લક્ષ્મી અને પૈસા વચ્ચેનો ફરક.


જે ગાંધીને મેં જાણ્યા – વિનોબા ભાવે 7

મહાત્મા ગાંધીજીને યાદ કરવા કોઈ વિશેષ દિવસની જરૂરત ન હોય, જો કે તેમના વિચારો અથવા સિધ્ધાંતો વિશે વાંચવાની જેટલી મજા આવે છે એથી વધુ મજા તેને સમજવાની કસરત કરવાની આવે છે. વિનોબા ભાવેના આપણા રાષ્ટ્રપિતા વિશેના વિચારોનું આ સંકલન થોડાક દિવસ ઉપર વાંચવા મળ્યું. વિવિધ વિષયો અને સિધ્ધાંતો પર ગાંધીજી વિશે શ્રી વિનોબાના આ સુંદર વિચારો મનનીય અને એથીય વધુ સરળતાથી સમજી અને અનુસરી શકાય તેવી ભાવનાઓ છે.એ મહાત્મા વિશે વિનોબાથી વધુ સારી સમજણ કોઈ ન આપી શકે, આજે ગાંધી નિર્વાણ દિવસે, ગાંધીજી વિશે વિનોબાના વિચારો પ્રસ્તુત છે.

Gandhiji and Vinoba Bhave at Vardha 1934