સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિનોદ ભટ્ટ


રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.


રઘુવીર ચૌધરી – વિનોદ ભટ્ટ 9

પન્નાલાલ, પેટલીકર ને પીતાંબરનો માત્ર એક- એક શબ્દમાં જ પરિચય આપતાં રઘુવીરે લખ્યું કે પન્નાલાલ એટલે કોઠાસૂઝ, પેટલીકર એટલે તાટસ્થ્ય અને પીતાંબર એટલે ઉત્સાહ. પણ રઘુવીરને આ રીતે એક જ શબ્દમાં ન બાંધી શકાય. ઓછામાં ઓછા છ શબ્દ તો વાપરવા જ પડે; તો જ એના વ્યક્તિત્વનો થોડોકેય અણસાર આવી શકે. મારે મન રઘુવીર એટલે અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ, અડીખમ આત્મવિશ્વાસ. (છ શબ્દો પૂરા). આ પ્રકારનો આત્મવિશ્વાસ ઘણા લોકોમાં મોડોમોડો આવતો હોય છે. જ્યારે રઘુવીર ચૌધરી નાના હતા અને રઘુવીરને બદલે રઘજીભાઈ ચૌધરી હતા, ત્યારનો તેમનામાં આ જ આત્મવિશ્વાસ છે.