સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વંદિતા રાજ્યગુરૂ દવે


વહેમોથી વીંટળાયેલું વિશ્વ – વંદિતા દવે 8

આપણે રસ્તા પર ચાલ્યા જતા હોઈએ અને બિલાડી આડી ઉતરે તો આપણા પગ ચાલતા થંભી જશે, ઘરની બહાર નીકળતા હોઈએ અને છીંક આવે એટલે પણ થોડીવાર માટે અટકી જઈએ. અમુક અગત્યના કામે જતા હોઈએ અને સામું કોણ મળે એ પરથી જ પરિણામની અટકળ કરી લઈએ. અમુકવાર અમુક રંગના કપડાં જ પહેરાય, દુકાન કે ઓફિસના મુખ્ય દરવાજે લીંબુ-મરચાં લટકાવાય, ક્યાંક કામે જતા હોઈએ અને કોઈક પાછળથી ટોકે તો કામ પૂરું ન થાય, બહાર જતી વેળા ચા નાસ્તાની વાત અવાણી ન શકાય…. આવી માનસિકતાને શું કહેવાય?


બે ટૂંકી વાર્તાઓ – વંદિતા રાજ્યગુરૂ દવે 11

વંદિતાબેન રાજ્યગુરૂ દવેની બે ટૂંકી વાર્તાઓ આજે પ્રસ્તુત કરી છે. વંદિતાબેનની કૃતિઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો છે. આજની બે ટૂંકી વાર્તાઓ સમાજની આજની વસ્તુસ્થિતિ પર પ્રકાશ પાડે છે. પોતાની પુત્રી અને નોકરાણીની વચ્ચેના ભેદભાવની વાત હોય કે ગરીબની પોતાના પુત્રને ભણાવવા માટેની મથામણની વાત હોય, બંને વાર્તાઓ અનોખી છે. અક્ષરનાદને આ વાર્તાઓ પાઠવવા બદલ વંદિતાબેન રાજ્યગુરૂ દવેનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


સ્વસ્થ લોકતંત્રનો પાયાનો પથ્થર, સંવાદ – વંદિતા રાજ્યગુરૂ દવે 2

ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને વિશ્વની સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા માનવામાં આવે છે, પરંતુ લોકતંત્રના વ્યવહાર બાબતે અમેરિકા આપણાથી ઘણું આગળ છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદના પ્રતિસ્પર્ધીઓ બરાક ઓબામા અને મીટ રોમ્ની વચ્ચે આમને સામને પ્રેસિડેન્શીયલ ડિબેટ થઈ. જગતભરના મીડીયાએ અમેરિકાની આ એક સ્વસ્થ લોકતાંત્રિક પરંપરાની નોંધ લીધી અને વખાણી. લોકતાંત્રિક વ્યવસ્થા માટે એવું માનવામાં આવે એ કે જે લોકતાંત્રિક દેશમાં ચર્ચા પાટા પર ચાલે એટલો જ એ દેશ કે એ વ્યવસ્થા સાચા માર્ગે રહે. અમેરિકન ડિબેટને કેટલાક લોકો ભલે નિરર્થક ગણાવે પરંતુ તેનાથી એક કેડી તો કંડારાય છે જ. ઘણી સમસ્યાઓના ઉકેલ ચર્ચાથી લાવી શકાય છે. હવે વિચારવાનું એ છે કે અમેરિકામાં આવી ચર્ચાની ગાડી તેના નિશ્ચિત પાટા પર જ દોડે છે પરંતુ ભારતમાં એ ગાડી વારંવાર પાટા પરથી કેમ ઉતરી જાય છે?


દાપત્યજીવનમાં સંતોષ અને ખુશી – વંદિતા રાજ્યગુરૂ દવે 8

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ બીજી રચના છે, આ પહેલા તેમની એક નવલિકા પ્રસ્તુત થઈ છે. પ્રસ્તુત લેખમાં તેઓ દાંપત્યજીવનમાં સંતોષ અને આનંદપ્રાપ્તિ માટેના રસ્તાઓ ચીંધે છે. નાની નાની વાતો પણ કેટલી મહત્વની થઈ પડે અને સંબંધના પાયાને મજબૂત બનાવે છે તે વંદિતાબહેન અહીં કહે છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.


શમણાંનું મોત – વંદિતા રાજ્યગુરૂ દવે 11

તા. ધોરાજી, જી. રાજકોટ ખાતે રહેતા અને ગદ્યલેખનમાં ખૂબ રસ ધરાવનારા વંદિતાબહેનની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે. ગરીબ ખોરડાંની એક વૃદ્ધાની પોતાની પૌત્રીને પરણાવવાની ઇચ્છા અને સગવડ ન હોવા છતાં ગમેતેમ કરીને આયોજન કર્યું છે એવો કરીયાવર આપવાના શમણાંનું કઈ રીતે અણધાર્યું મોત થાય છે એ પ્રસ્તુત વાર્તામાં બતાવવાનો તેમનો પ્રયત્ન છે. ગામઠી બોલીને ઉતારવાનો તેમનો પ્રયત્ન તથા ઝડપી પ્રસંગપટ વાર્તાની ખાસીયતો છે. પ્રભુ તેમની કલમને આવી વધુ રચનાઓ કરવા પ્રેરે એવી અભ્યર્થના સાથે અક્ષરનાદ પર તેમની રચનાઓ મોકલવા બદલ શ્રી વંદિતાબહેનનો ખૂબ ખૂબ આભાર.