સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લાભશંકર ઠાકર


તડકો – લાભશંકર ઠાકર

પરોઢના ઝાકળછાયા તડકાની આરપાર દેખાતી સૃષ્ટિ અદ્ભુત બની જાય છે. એમાં સ્થિર પદાર્થો ગતિશીલ ભાસે છે, કવિએ આ રચનામાં એનું ચંચળ પ્રવાહી રૂપ ઝીલ્યું છે. ઝાકળથી આચ્છાદિત તડકામાં કવિને સવારમાં લાંબા પડછાયાના પ્હાડ પીગળતા લાગે છે, થોરની કાંટાળી વાડ તરતી ડૂબતી સમીપ આવતી દેખાય છે, ઝાંખાપાંખા દેખાતા બટેરની પાંખનો અવાજ માત્ર જ સંભળાય છે. દ્રશ્યો ઝાંખા છે. પણ અવાજ સ્પષ્ટ છે. કવિ એ અવાજોને સહારે શૈશવના સંસ્મરણોમાં તલ્લીન બની જાય છે.


લાભશંકર ઠાકરનું એક મૃત્યુ – લાભશંકર ઠાકર 2

પોતાના મૃત્યુને જ શીર્ષકના એક અંશ તરીકે પ્રયોજનાર લાભશંકર ઠાકર આ ૨૦૧૬ના જાન્યુઆરીની છઠ્ઠીએ વાસ્તવમાં મૃત્યુ પામ્યા. (જન્મ તા. ૧૪-૦૧-૧૯૩૫) મુખ્યત્વે તો સુરેશ જોશી યુગીન આધુનિક કવિ અને એવા કવિઓના બળવાખોર મુખિયા તરીકે જાણીતા. લા.ઠા. ની આ વાર્તા ૧૯૭૫થીય વહેલી લખાઈ હતી. પણ તેમાં પણ તેમણે પોતાના મૃત્યુની આંતરિકતાને પશુ, પંખી, વૃક્ષ, માટી, સિમેન્ટ અને એવા કેટલાય પ્રતીકોનો વિનિયોગ કરીને વર્ણવી છે. ગુજરાતીમાં અનુસ્નાતક થયા પછી તેમણે સુવિખ્યાત વૈદ્ય પિતા સ્વ. જાદવજી નરભેરામ ઠાકરને પગલે આયુર્વેદ પ્રવીણની ઉપાધિ પણ હાંસલ કરી એથી પોતાને અનેક માનસમ્માન અપાવનારા અને આધુનિકો માટે પ્રયોગશીલતાની પ્રેરણા આપતા એક કરતા વધુ કાવ્યસંગ્રહો અને નાટ્યસંગ્રહો ઉપરાંત એક નવલકથા ‘કોણ?’ પણ આપી અને સમાંતરે વૈદકના પુસ્તકો પણ સારી સંખ્યામાં આપ્યા.


પાંચ વર્ષાકાવ્યો – સંકલિત (ભાગ ૪) 1

આજે ફરીથી વર્ષાકાવ્યોનો આ ચોથો ભાગ પ્રસ્તુત છે. આવા સુંદર કાવ્યો શોધાતા રહ્યાં, અનેક પુસ્તકો ફંફોસાતા રહ્યાં અને એક પછી એક એ ધોધમાર કૃતિઓ અને કાવ્યરચનાઓ મળતા રહ્યા છે એ અલગ આનંદની વાત છે. અહીં શક્ય હોય તેટલા વિવિધ રચનાકારોની વર્ષા અંગેની એક એક કૃતિ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને અત્યાર સુધી પ્રસ્તુત થયેલ વીસેય કાવ્યોમાં એક પણ રચનાકારની બે કૃતિ નથી એ આપ જોઈ શક્શો. હજુ વધુ કાવ્યો આવતીકાલે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.