સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લતા હીરાણી


પાંચ પ્રસંગકથાઓ – લતા હિરાણી 20

શ્રી લતાબેન હિરાણીએ આલેખેલી પાંચ સુંદર પ્રસંગકથાઓ આજે પ્રસ્તુત કરી છે. આપણા સમાજજીવનમાંથી જ આવતી આ વાતો દરેકને સ્પર્શે એવી મનનીય અને અનુકરણીય છે. આસપાસના અનેક નકારાત્મક ઘટનાક્રમો વચ્ચે લતાબેનની આ હકારાત્મક કથાઓ આપણા માનસમાં આશાનો સંચાર કરશે એ ચોક્કસ. અક્ષરનાદને આ પ્રસંગકથાઓ પાઠવવા બદલ લતાબેન હિરાણીનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


અગ્નિપરીક્ષા સમી અક્ષરયાત્રા : અમૃતા પ્રીતમ – લતા હીરાણી 6

શ્રી લતાબેન હીરાણી દ્વારા વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પદાર્પણ કરનારી એકસો એક ભારતીય મહિલાઓના જીવન ચરિત્રોનું સંકલન કરીને પ્રસ્તુત કરવામાં આવેલ સુંદર પુસ્તક ‘ઉજાસનું પ્રથમ કિરણ’ ભારતીય સ્ત્રીનું સામૂહિક જીવનચરિત્ર જ છે, વિશ્વમાં અગ્રગણ્ય રહેવા માટે કટિબદ્ધ ભારતીય નારીઓના અનેરા શૌર્ય, સાહસ, દ્રઢ મનોબળ અને પ્રતિભાનું અહીં સુપેરે આલેખન થયું છે. આ જ પુસ્તકમાંથી શ્રી અમૃતા પ્રીતમનું નાનકડું આલેખન અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ લતાબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.