સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રાઝ નવસારવી


આપણે… – ‘રાઝ’ નવસારવી 5

સૈયદ સગીરઅહમદ અલીજાન ઉર્ફ રાઝ સાહેબની ઉપરોક્ત ગઝલ ‘આપણે’ શબ્દને રદીફ તરીકે તેના વિશાળ અર્થમાં લઈ સરસ ગઝલ પ્રયોજે છે. ગઝલ પોતાની સાથેની જ વાત અથવા અંતરંગ સંવાદની પરિભાષામાં છે. શે’રની પ્રથમ પંક્તિઓમાં આપણને મળેલા અવસરોની વાત કરાઈ છે, અને બીજી પંક્તિઓમાં તેને આપણે કઈ રીતે વેડફી રહ્યા છીએ તેનું ચિંતન વ્યક્ત થયું છે. તો ગઝલની રવાની એની ચરમસીમા પર પહોંચે એવા મક્તાના શેરમાં ગઝલકાર એક ચોટદાર વિકલ્પ પણ આપે છે. આજે પ્રસ્તુત કરેલી, સ્વની સાથેના સંવાદરૂપી આ ગઝલ ખરેખર માણવાલાયક થઈ છે.